android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vav-tharad: પતિ સાથે ઝઘડો થતા મહિલા આત્મહત્યા કરવા કેનાલ પર પહોંચી
calendar_today September 4, 2026

Vav-tharad: પતિ સાથે ઝઘડો થતા મહિલા આત્મહત્યા કરવા કેનાલ પર પહોંચી

થરાદ પોલીસ સ્ટેશન અંતર્ગત કાર્યરત પિલુડા જનરક્ષક 112ની ટીમ દ્વારા માનવતાવાદી અને પ્રશંસનીય કામગીરી કરી કેનાલમાં આત્મહત્યા કરવા આવેલી એક મહિલાનો અમૂલ્ય જીવ બચાવી લેવામાં આવ્યો છે.બનાવની વિગતો અનુસાર, પીઆઇ એ.જી.રબારીના જણાવ્યા અનુસાર પિલુડા બીટની 112 વાનની ટીમ ભાપી ગામની વર્ધી પૂર્ણ કરી પરત પિલુડા ફરી રહી હતી. તે દરમિયાન ભાપી ગોળીયા કેનાલના પુલ ઉપર એક મહિલા શંકાસ્પદ અને ચિંતિત હાલતમાં આંટાફેરા મારતી નજરે પડી હતી. ટીમના કર્મચારીઓએ ત્વરિત સતર્કતા દાખવી મહિલા પાસે જઈ તેની પૂછપરછ કરી હતી.પ્રાથમિક પૂછપરછમાં મહિલાએ જણાવ્યું હતું કે, પતિ-પત્ની વચ્ચે પારિવારિક ઝઘડો અને મનદુઃખ થયા બાદ તે કંટાળીને કેનાલ પર આત્મહત્યા કરવાના ઈરાદે આવી છે. ઘટનાની ગંભીરતાને પારખીને 112 ની ટીમે તાત્કાલિક ધોરણે મહિલાના પતિ તેમજ આજુબાજુના સ્થાનિક લોકોને ઘટનાસ્થળે બોલાવ્યા હતા. પોલીસ અને સ્થાનિક લોકોની ઉપસ્થિતિમાં બંને પતિ-પત્નીની વાત સાંભળી તેમની વચ્ચે કાઉન્સેલિંગ કરી સુખદ સમાધાન કરાવવામાં આવ્યું હતું. ગેરસમજ દૂર થયા બાદ સમજાવટના અંતે આ મહિલાને તેના પતિ સાથે સુરક્ષિત રીતે તેમના ઘરે રવાના કરવામાં આવી હતી. સમયસરની દખલગીરી અને માનવતાવાદી અભિગમ અપનાવીને એક મહિલાને આત્મહત્યા કરતા બચાવી લેનાર થરાદ પોલીસ સ્ટેશનની 112 જનરક્ષક ટીમની આ સરાહનીય કામગીરીને લોકહિયે ભારે બિરદાવવામાં આવી રહી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Patan: અનાવાડા ગામે કેદારનાથ જેવું જ શિવ મંદિર બનશે : આજે ભૂમિ પુજન
calendar_today September 4, 2026

Patan: અનાવાડા ગામે કેદારનાથ જેવું જ શિવ મંદિર બનશે : આજે ભૂમિ પુજન

પાટણ સહિત જિલ્લાભરમાં લોકોને હવે કેદારનાથ ખાતેના શિવ મંદિર જેવું જ શિવ મંદિર હવે પાટણ નજીકના અનાવાડા ગામ ખાતે બનવા જઈ રહ્યું છે. જેના માટે આજે પવિત્ર જન્માષ્ટમીના દિવસે ભુમિ પુજન વિધી હાથ ધરવામાં આવશે. મંદિરનું નિર્માણ થયાં બાદ પાટણ સહિતના લોકોને કેદારનાથ મંદિર જેવી જ અનુભૂતિ થવા પામશે તેમ જાણવા મળ્યું હતું.પાટણ તાલુકાના અનાવાડા ગામે આવેલ શ્રી હરિઓમ ગૌશાળામાં ભગવાન શ્રી કપિલેશ્વર મહાદેવનું ભવ્ય મંદિર નિર્માણ થવા જઈ રહ્યું છે. જેનું નિર્માણ કાર્ય કેદારનાથ ધામની પ્રતિકૃતિ સમાન ઘાટમાં નિર્માણ કરવામાં આવશે તેમ જાણવા મળ્યું હતું. જેથી પાટણ નજીક જ કેદારનાથ ધામ જેવું જ શિવ મંદિર બનતા પાટણ સહીત પંથકના લોકોને કેદારનાથ ધામ જેવી અનુભૂતિ થશે. ગૌશાળા લાંબા સમયથી બીમાર અશક્ત અને ઘાયલ ગૌમાતાઓ માટે આશ્રાય સ્થાન બની રહી છે તેમજ ગૌ માતાઓની સારવાર અને સેવા માટે ગૌશાળામાં જ હોસ્પિટલ પણ બનાવવામાં આવેલી છે. જેથી ગૌસેવા સાથે જોડાયેલી આ ગૌશાળા ધીમે ધીમે લોકોની આસ્થા અને શ્રાદ્ધાનું કેન્દ્ર બની રહી છે. અગાઉ ગૌશાળામાં કથાકાર રમેશભાઈ ઓઝાની ભવ્ય ભાગવત કથા સાથે ગૌભક્તિ મહોત્સવનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જેમાં લાખ્ખો લોકોએ લાભ લીધો હતો ત્યારે હવે ગૌશાળામાં આગામી સમયમાં કપિલેશ્વર મહાદેવનું ભવ્ય મંદિર નિર્માણ પામનાર છે. જેમાં ચારધામ પૈકીના એક પવિત્ર તીર્થધામ કેદારનાથની પ્રતિકૃતિ કરાવે તેવા ઘાટમાં મંદિરનું નિર્માણ કરવાની યોજના હોવાથી મંદિર તૈયાર થયા બાદ સમગ્ર પાટણ શહેર સહિત જિલ્લા અને ઉત્તર ગુજરાતમાંથી આવતા લોકોને કેદારનાથ ધામની યાત્રા જેવી જ આધ્યાત્મિક અને સુખદ અનુભૂતિ થશે. જેના માટે આજે જન્માષ્ટમીના પવિત્ર દિવસે વહેલી સવારે જ ભૂમિ પૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Patan: આજે કૃષ્ણ જન્મોત્સવ ઉજવાશે : કાનુડાના જયઘોષ ગુંજશે
calendar_today September 4, 2026

Patan: આજે કૃષ્ણ જન્મોત્સવ ઉજવાશે : કાનુડાના જયઘોષ ગુંજશે

પાટણ સહિત જિલ્લાભરમાં આજે કૃષ્ણ જન્મોત્સવની એટલે કે જન્માષ્ટમીના પર્વની લોકો દ્વારા ધામધુમપુર્વક ઉજવણી કરવામાં આવશે. જેમાં શહેરથી માંડીને ગ્રામ્ય વિસ્તારોમાં આજે કૃષ્ણ ભક્તિનો મહિમા જોવા મળશે અને લોકોના નંદ ઘેર આનંદ ભર્યો જય કનૈયા લાલકી જેવા જયઘોષથી વાતાવરણ ગુંજી ઉઠશે. પાટણ જિલ્લામાં આજે શ્રાવણ માસના તહેવારોનો અંતિમ તબક્કો એટલે કે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવા માટે જિલ્લાવાસીઓ છેલ્લા કેટલાક સમયથી ઉત્કૃષ્ટ હતાં ત્યારે આજે જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે વહેલી સવારથી જ જિલ્લામાં આવેલા કૃષ્ણ મંદિરોને નવોઢાની જેમ શણગારવામાં આવશે અને કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીના ભાગરૂપે ઠેરઠેર મટકી ફોડ કાર્યક્રમો તેમજ સ્વાધ્યાય પરિવાર દ્વારા શેરી નાટકો પણ ભજવાશે. મોટા ભાગે દરેક જગ્યાએ બપોરના સમયે મટકી ફોડ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે. જેમાં ઉંચા પર રસ્સી વડે બાંધેલી મટકીમાં દહીં રાખીને કૃષ્ણનું પાત્ર ભજવનાર વ્યક્તિ દ્વારા તેને ફોડવામાં આવશે. આ સમયે નંદ ઘેર આનંદ ભર્યો જય કનૈયા લાલકી જેવા જયઘોષથી વાતાવરણ કૃષ્ણમય બની જશે. બીજી તરફ્ કૃષ્ણ જન્મોત્સવની સાથે સાથે કેટલાક લોકો દ્વારા ઉપવાસ પણ કરવામાં આવતાં હોય છે. તદ્પરાંત હાલમાં પણ વર્ષો પુરાણી પરંપરા મુજબ કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં મહિલાઓ દ્વારા માટીમાંથી રાધા કાનજીની બનાવેલ પ્રતિમા ગામના ચોક વચ્ચે મુકીને દેશી ઢોલના તાલે ઝુમી ઉઠશે અને આ ધાર્મિક પ્રક્રિયા પણ કેટલાક દિવસો સુધી ચાલી રહેતી હોય છે. આમ આજે પાટણ સહિત સમગ્ર જિલ્લો કૃષ્ણમય બની રહેશે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward