વિજલપોરનો મુખ્ય માર્ગ 30 ઓક્ટો. સુધી બંધ રહેતા લોકોને મુશ્કેલી પડવાની સંભાવના
નવસારીના વિજલપોર પંથકમાં લાંબા સમયથી ચાલી રહેલા રેલવે ઓવરબ્રિજની અધૂરી અને મહત્ત્વપૂર્ણ કામગીરીને આખરી ઓપ આપવા માટે વહીવટી તંત્ર દ્વારા વિજલપોર રેલવે ફાટક તથા આસપાસનો મુખ્ય માર્ગ આગામી 30મી ઓક્ટોબર સુધી તમામ પ્રકારના વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ નવસારી શહેરના વિજલપોર રેલવે ઓવરબ્રિજના એપ્રોચ સર્વિસ રોડ તેમજ અત્યંત મહત્વપૂર્ણ ગણાતા સ્લેબ કાસ્ટિંગની કામગીરી હાલ પૂરજોશમાં ચાલી રહી છે. આ હેવી કન્સ્ટ્રક્શન પ્રક્રિયા દરમ્યાન કોઈ પણ પ્રકારની દુર્ઘટના કે અનિચ્છનીય બનાવ ન બને તેમજ સામાન્ય જનતા અને વાહનચાલકોની સલામતી સર્વોપરી રહે તે હેતુસર આ કડક પગલું ભરવામાં આવ્યું છે. સલામતીના ભાગરૂપે જ રેલવે ફાટક પણ વાહનોની અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યું છે.નવસારી શહેરના પૂર્વ - પશ્ચિમ વિસ્તારને જોડતો મુખ્ય માર્ગ બંધ થવાના કારણે રોજબરોજ અપડાઉન કરતા નોકરીયાતો, વિદ્યાર્થીઓ અને સ્થાનિક વેપારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સમસ્યાના નિવારણ માટે તંત્ર દ્વારા વૈકલ્પિક રૂટ જાહેર કરવામાં આવ્યો છે. વાહનચાલકો ટ્રાફ્કિજામમાં ફ્સાયા વગર સરળતાથી ગંતવ્ય સ્થાન સુધી પહોંચી શકે તે માટે ઘેલખડીથી રાધે પાર્ક તરફ્ના ડાયવર્ઝન રોડનો ઉપયોગ કરવા માટે વિશેષ સૂચના આપવામાં આવી છે.વિજલપોર ઓવરબ્રિજનો પ્રોજેક્ટ લાંબા સમયથી વિલંબ અને અનેક પ્રકારની અડચણોનો સામનો કરી રહ્યો છે. વારંવાર માર્ગો બંધ થવાને કારણે સ્થાનિક વેપારીઓનો ધંધાકીય વ્યાપાર પણ પ્રભાવિત થઈ રહ્યો છે. જોકે, આગામી 30 ઓક્ટોબર સુધી નિર્ધારિત આ કામગીરી પૂર્ણ થયા બાદ આ વિસ્તારના લાંબો સમયથી ચાલી રહેલા ટ્રાફ્કિ પ્રશ્નનો કાયમી ઉકેલ આવશે તેવી નાગરિકો આશા રાખી રહ્યા છે. તંત્ર દ્વારા વાહનચાલકોને અસુવિધાથી બચવા માટે નિર્ધારિત સમયપત્રક મુજબ ડાયવર્ઝનનો જ ઉપયોગ કરવા અને સહકાર આપવા અનુરોધ કરાયો છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward