Indian Navyમાં INS નિપુણ સામેલ, ઊંડા દરિયામાં ડાઈવિંગ ક્ષમતા વધુ મજબૂત બનશે
ભારતીય નૌસેનાએ પોતાની અંડરવોટર ઓપરેશનલ ક્ષમતામાં વધુ એક મહત્વપૂર્ણ ઉમેરો કર્યો છે. INS નિપુણ, નિસ્તાર ક્લાસનું બીજું ડાઈવિંગ સપોર્ટ વેસલ (DSV), 31 ઓગસ્ટ 2026ના રોજ મુંબઈના નેવલ ડોકયાર્ડ ખાતે ભારતીય નૌસેનામાં સત્તાવાર રીતે સામેલ કરવામાં આવ્યું. નૌસેનાના અનેક વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાINS નિપુણના કમિશનિંગ સમારોહની અધ્યક્ષતા ચીફ ઑફ ધ નેવલ સ્ટાફ એડમિરલ કૃષ્ણ સ્વામિનાથને કરી હતી. આ પ્રસંગે વેસ્ટર્ન નેવલ કમાન્ડના ફ્લેગ ઑફિસર કમાન્ડિંગ-ઈન-ચીફ વાઈસ એડમિરલ સંજય વત્સાયન સહિત નૌસેનાના અનેક વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમારોહમાં વિશાખાપટ્ટનમ સ્થિત હિન્દુસ્તાન શિપયાર્ડ લિમિટેડના પ્રતિનિધિઓ, નૌસેનાના ભૂતપૂર્વ અધિકારીઓ, વિશિષ્ટ મહેમાનો તેમજ INS નિપુણના કમિશનિંગ ક્રૂના પરિવારજનો પણ હાજર રહ્યા હતા.અંડરવોટર સપોર્ટ કામગીરી માટેની ક્ષમતામાં નોંધપાત્ર વધારો થશેINS નિપુણને ભારતીય નૌસેનામાં સામેલ કરવાથી ઊંડા દરિયામાં ડાઈવિંગ અને અંડરવોટર સપોર્ટ કામગીરી માટેની ક્ષમતામાં નોંધપાત્ર વધારો થશે. ડાઈવિંગ સપોર્ટ વેસલ તરીકે આ જહાજને દરિયાની ઊંડાઈમાં વિવિધ પ્રકારની કામગીરીને સહાય આપવા માટે ઉપયોગમાં લઈ શકાય છે. નૌસેનાની અંડરવોટર ક્ષમતાઓને મજબૂત બનાવવાની દિશામાં INS નિપુણનું કમિશનિંગ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.ખાસ કરીને ઊંડા દરિયામાં ડાઈવિંગ, અંડરવોટર સપોર્ટ અને સંબંધિત ઓપરેશન દરમિયાન આવા વિશિષ્ટ જહાજોની ભૂમિકા મહત્વપૂર્ણ રહે છે. નિસ્તાર ક્લાસના બીજા DSV તરીકે INS નિપુણનું નૌસેનામાં આગમન ભારતની દરિયાઈ સુરક્ષા અને સ્વદેશી નૌકાદળ ક્ષમતાને વધુ મજબૂત બનાવવાના પ્રયાસોમાં પણ મહત્વપૂર્ણ પગલું છે.આ પણ વાંચો : India: સંકટ સમયે નેપાળેને ભારતનો સપોર્ટ, રાહત-બચાવમાં ઉતરી ભારતીય ટીમ
Read Full Story arrow_forward