android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Narmada News : સાગબારામાં ખેડૂતોના ધરણા પૂર્ણ, 25 દિવસ બાદ સરકારે માંગો સ્વીકારવાની ખાતરી આપી
calendar_today August 31, 2026

Narmada News : સાગબારામાં ખેડૂતોના ધરણા પૂર્ણ, 25 દિવસ બાદ સરકારે માંગો સ્વીકારવાની ખાતરી આપી

નર્મદા જિલ્લામાં જંગલની જમીન ખેડવાના અધિકારોને લઈને વિતેલા 25 દિવસથી ચાલતા ખેડૂતોના આંદોલનનો અંત આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોની માંગણીઓ સ્વીકારવાની ખાતરી આપવામાં આવ્યા બાદ મંત્રીઓ અને સાંસદની ઉપસ્થિતિમાં ખેડૂતોએ પોતાના ધરણાં સત્તાવાર રીતે સમેટી લીધા છે. નર્મદા જિલ્લાના સ્થાનિક ખેડૂતો વર્ષોથી જંગલની જમીન પર ખેતી કરતા આવ્યા છે. વન વિભાગ અને ખેડૂતો વચ્ચે જમીન ખેડવા બાબતે વિવાદ ઊભો થયો હતો. આંદોલનકારી મહિલાની તબિયત લથડીવન વિભાગ દ્વારા ખેતી કરવા સામે કરાતા વિરોધ અને અટકાયત સામે ખેડૂતોએ આક્રમક વલણ અપનાવ્યું હતું અને પોતાની જમીનના હક અને ખેડાણના અધિકાર માટે સતત 25 દિવસથી આંદોલન ચલાવી ધરણાં પર બેઠા હતા. સતત 25 દિવસ સુધી ચાલેલા આ કડક ધરણાં દરમિયાન આજે આંદોલનમાં સક્રિય રીતે જોડાયેલા મહિલા અગ્રણી લીલાબેનની તબિયત અચાનક લથડી હતી. લાંબા સમયના ઉપવાસ અને માનસિક તણાવના કારણે તેઓ અસ્વસ્થ થતાં જ તેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. લીલાબેનની તબિયત બગડતાં જ સ્થાનિક તંત્ર અને રાજ્ય સરકાર હરકતમાં આવી હતી. સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાજ્યના ઉચ્ચ કક્ષાના નેતાઓ સ્થળ પર પહોંચ્યા હતા. સાંસદ મનસુખ વસાવા આંદોલનકારી ખેડૂતોને મળવા પહોંચ્યાનર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી ઈશ્વર પટેલ, વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણ માળી તથા સ્થાનિક સાંસદ મનસુખ વસાવા આંદોલનકારી ખેડૂતોને મળવા પહોંચ્યા હતા. મંત્રીઓ અને સાંસદે ખેડૂતો સાથે વિગતવાર વાટાઘાટો કરી હતી અને જંગલની જમીન અંગે ખેડૂતોની જે વ્યાજબી માંગણીઓ છે તે સ્વીકારવાની અને વન વિભાગ સાથે સમન્વય સાધીને પ્રશ્નનો કાયમી ઉકેલ લાવવાની ખાતરી આપી હતી. સરકાર તરફથી મળેલા મજબૂત આશ્વાસન અને મધ્યસ્થી બાદ ૨૫ દિવસથી ચાલી રહેલા આંદોલનને ખેડૂતોએ પારણાં કરીને પૂર્ણ જાહેર કર્યું હતું. આ સમાધાનથી સમગ્ર નર્મદા જિલ્લાના આદિવાસી અને સ્થાનિક ખેડૂતોમાં રાહત અને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.આ પણ વાંચોઃ 

Read Full Story arrow_forward
Indian Navyમાં INS નિપુણ સામેલ, ઊંડા દરિયામાં ડાઈવિંગ ક્ષમતા વધુ મજબૂત બનશે
calendar_today August 31, 2026

Indian Navyમાં INS નિપુણ સામેલ, ઊંડા દરિયામાં ડાઈવિંગ ક્ષમતા વધુ મજબૂત બનશે

ભારતીય નૌસેનાએ પોતાની અંડરવોટર ઓપરેશનલ ક્ષમતામાં વધુ એક મહત્વપૂર્ણ ઉમેરો કર્યો છે. INS નિપુણ, નિસ્તાર ક્લાસનું બીજું ડાઈવિંગ સપોર્ટ વેસલ (DSV), 31 ઓગસ્ટ 2026ના રોજ મુંબઈના નેવલ ડોકયાર્ડ ખાતે ભારતીય નૌસેનામાં સત્તાવાર રીતે સામેલ કરવામાં આવ્યું. નૌસેનાના અનેક વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાINS નિપુણના કમિશનિંગ સમારોહની અધ્યક્ષતા ચીફ ઑફ ધ નેવલ સ્ટાફ એડમિરલ કૃષ્ણ સ્વામિનાથને કરી હતી. આ પ્રસંગે વેસ્ટર્ન નેવલ કમાન્ડના ફ્લેગ ઑફિસર કમાન્ડિંગ-ઈન-ચીફ વાઈસ એડમિરલ સંજય વત્સાયન સહિત નૌસેનાના અનેક વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમારોહમાં વિશાખાપટ્ટનમ સ્થિત હિન્દુસ્તાન શિપયાર્ડ લિમિટેડના પ્રતિનિધિઓ, નૌસેનાના ભૂતપૂર્વ અધિકારીઓ, વિશિષ્ટ મહેમાનો તેમજ INS નિપુણના કમિશનિંગ ક્રૂના પરિવારજનો પણ હાજર રહ્યા હતા.અંડરવોટર સપોર્ટ કામગીરી માટેની ક્ષમતામાં નોંધપાત્ર વધારો થશેINS નિપુણને ભારતીય નૌસેનામાં સામેલ કરવાથી ઊંડા દરિયામાં ડાઈવિંગ અને અંડરવોટર સપોર્ટ કામગીરી માટેની ક્ષમતામાં નોંધપાત્ર વધારો થશે. ડાઈવિંગ સપોર્ટ વેસલ તરીકે આ જહાજને દરિયાની ઊંડાઈમાં વિવિધ પ્રકારની કામગીરીને સહાય આપવા માટે ઉપયોગમાં લઈ શકાય છે. નૌસેનાની અંડરવોટર ક્ષમતાઓને મજબૂત બનાવવાની દિશામાં INS નિપુણનું કમિશનિંગ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.ખાસ કરીને ઊંડા દરિયામાં ડાઈવિંગ, અંડરવોટર સપોર્ટ અને સંબંધિત ઓપરેશન દરમિયાન આવા વિશિષ્ટ જહાજોની ભૂમિકા મહત્વપૂર્ણ રહે છે. નિસ્તાર ક્લાસના બીજા DSV તરીકે INS નિપુણનું નૌસેનામાં આગમન ભારતની દરિયાઈ સુરક્ષા અને સ્વદેશી નૌકાદળ ક્ષમતાને વધુ મજબૂત બનાવવાના પ્રયાસોમાં પણ મહત્વપૂર્ણ પગલું છે.આ પણ વાંચો : India: સંકટ સમયે નેપાળેને ભારતનો સપોર્ટ, રાહત-બચાવમાં ઉતરી ભારતીય ટીમ

Read Full Story arrow_forward
Indus Water Treaty: 'કોર્ટની રચના જ ખોટી રીતે કરવામાં આવી છે...', ભારતે સિંધુ જળ સંધિ અંગે આંતરરાષ્ટ્રીય કોર્ટને બતાવ્યો અરીસો
calendar_today August 31, 2026

Indus Water Treaty: 'કોર્ટની રચના જ ખોટી રીતે કરવામાં આવી છે...', ભારતે સિંધુ જળ સંધિ અંગે આંતરરાષ્ટ્રીય કોર્ટને બતાવ્યો અરીસો

Indus Water Treaty: સિંધુ જળ સંધિ અંગેનું સસ્પેન્શન અનિશ્ચિત સમય માટે અમલમાં રહેશે. ભારતે સ્પષ્ટ કર્યું છે કે આ મામલે કોઈને પણ હસ્તક્ષેપ કરવાનો અધિકાર નથી. પાકિસ્તાન દ્વારા આ મુદ્દાને મધ્યસ્થી કોર્ટમાં લઈ જવાના પગલા અંગે ભારતે જણાવ્યું હતું કે કોર્ટનો ભારતના સાર્વભૌમ નિર્ણયો પર કોઈ અધિકારક્ષેત્ર નથી.એક નિવેદનમાં, વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, "આજે ગેરકાયદેસર રીતે રચાયેલી કહેવાતી મધ્યસ્થી કોર્ટ (CoA) એ સિંધુ જળ સંધિની વચગાળાના પગલાં અને સ્થિતિ અંગે એક ચુકાદો જારી કર્યો છે." ભારતે જણાવ્યું હતું કે, "આ કહેવાતી કોર્ટની રચના વિશ્વ બેંક દ્વારા સંધિની જોગવાઈઓનું સ્પષ્ટ ઉલ્લંઘન કરીને કરવામાં આવી હતી અને ભારત તેના કહેવાતા ચુકાદાને સ્પષ્ટપણે નકારી કાઢે છે, જેમ તેણે આ ગેરકાયદેસર રીતે રચાયેલી સંસ્થા દ્વારા અગાઉના તમામ ચુકાદાઓને સંપૂર્ણપણે નકારી કાઢ્યા છે."વિદેશ મંત્રાલયે ઉમેર્યું હતું કે, "ભારતે ક્યારેય આ ગેરકાયદેસર રીતે રચાયેલી અને કહેવાતી મધ્યસ્થી અદાલતના અસ્તિત્વને માન્યતા આપી નથી; અમે સતત કહ્યું છે કે આ કથિત મધ્યસ્થી સંસ્થાની રચના જ સિંધુ જળ સંધિનું ગંભીર ઉલ્લંઘન છે. પરિણામે, ભારત ક્યારેય આ સંસ્થા સમક્ષ હાજર થયું નથી અને તેના અગાઉના કોઈપણ ચુકાદાને સ્વીકારવાનો કે તેના પર કાર્યવાહી કરવાનો ઇનકાર કર્યો છે."નિવેદનમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે, "આ કહેવાતી મધ્યસ્થી અદાલતને ભારતના સાર્વભૌમ નિર્ણયો પર નિર્ણય લેવાનો કોઈ અધિકાર નથી. તેના ચુકાદાઓનો ભારત દ્વારા હાથ ધરવામાં આવતા પ્રોજેક્ટ્સ પર હાલ કે ભવિષ્યમાં કોઈ પ્રભાવ પડશે નહીં. સિંધુ જળ સંધિને સ્થગિત કરવાનો નિર્ણય અમલમાં રહેશે."આ પણ વાંચો: ભોજન બનાવવા માટે કયા વાસણનો કરવો ઉપયોગ? ખાસ જાણવા જેવું...

Read Full Story arrow_forward