android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Banaskantha News : પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં માઇભક્તની અનોખી ભક્તિ, મા અંબાના ચરણોમાં રૂ.24.75 લાખનું સોનું અર્પણ
calendar_today August 28, 2026

Banaskantha News : પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં માઇભક્તની અનોખી ભક્તિ, મા અંબાના ચરણોમાં રૂ.24.75 લાખનું સોનું અર્પણ

ગુજરાતના શક્તિપીઠ અને પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં માઇભક્તો દ્વારા સોનાનું દાન આપવાનો સિલસિલો અવિરતપણે ચાલુ રહ્યો છે. જગતજનની અંબા માતાજી પ્રત્યેની ગાઢ શ્રદ્ધા અને આસ્થાના પ્રતીકરૂપે વધુ એક શ્રદ્ધાળુએ મા અંબાના ચરણોમાં સોનું અર્પણ કર્યું છે. માઇભક્ત દ્વારા માતાજીના ધામમાં સોનાની 2 નંગ લગડીઓ તેમજ 2 નંગ સોનાના ટુકડા ભક્તિભાવપૂર્વક દાનમાં આપવામાં આવ્યા છે, જેનાથી મંદિર પરિસરમાં ભક્તિમય માહોલ સર્જાયો હતો.167.270 ગ્રામ સોનું દાનમાં મળ્યું, અંદાજિત કિંમત રૂ.24.75 લાખશ્રદ્ધાળુ દ્વારા દાનમાં આપવામાં આવેલી આ સોનાની લગડીઓ અને ટુકડાઓનું કુલ વજન 167.270 ગ્રામ થાય છે. વર્તમાન બજાર ભાવ અનુસાર આ અર્પણ કરાયેલા સોનાની અંદાજિત કિંમત રૂ.24,75,000 (ચોવીસ લાખ પંચાંતર હજાર રૂપિયા) આંકવામાં આવી છે. આ મોટું દાન પ્રાપ્ત થયા બાદ અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા તમામ વિધિવત પ્રક્રિયા પૂર્ણ કરીને સોનાનો સ્વીકાર કરવામાં આવ્યો હતો અને દાતા શ્રદ્ધાળુને સત્તાવાર રસીદ એનાયત કરી તેમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.સુવર્ણ શિખર અને સુવર્ણ કાર્યો માટે માઇભક્તોમાં ભારે ઉત્સાહઅંબાજી મંદિરના શિખરને સુવર્ણમંડિત કરવાની કામગીરી તેમજ મંદિરના અન્ય સુવર્ણ કાર્યો માટે દેશ-વિદેશમાં વસતા માઇભક્તો ખુલ્લા હાથે દાન આપી રહ્યા છે. આ પ્રકારે સમયાંતરે મળતા મોટા સુવર્ણ દાનના કારણે અન્ય શ્રદ્ધાળુઓમાં પણ મા અંબાના ચરણોમાં યથાશક્તિ દાન આપવા માટે ભારે ઉત્સાહ અને પ્રેરણા જોવા મળી રહી છે. ટ્રસ્ટ દ્વારા પણ તમામ દાનનો ઉપયોગ મંદિરના સુવર્ણમંડિત કાર્યોમાં સુચારુ રીતે કરવામાં આવી રહ્યો છે.આ પણ વાંચો : Dwarka News : દ્વારકાધીશ મંદિરની ધ્વજાના નામે છેતરપિંડી! નકલી પહોંચ બનાવી 2 યજમાનો પાસેથી રૂ.1.02 લાખ પડાવ્યા

Read Full Story arrow_forward
Gujarat Latest News Live: દ્વારકામાં જગતમંદિરમાં ધ્વજા બુકિંગના નામે છેતરપિંડી, 2 શ્રદ્ધાળુ પાસેથી 1.02 લાખ પડાવનાર શિવમ ઠાકર ઝડપાયો
calendar_today August 28, 2026

Gujarat Latest News Live: દ્વારકામાં જગતમંદિરમાં ધ્વજા બુકિંગના નામે છેતરપિંડી, 2 શ્રદ્ધાળુ પાસેથી 1.02 લાખ પડાવનાર શિવમ ઠાકર ઝડપાયો

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 28 August ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો

Read Full Story arrow_forward
Banaskantha News: થરાદમાં સાંસદ ગેનીબેન ઠાકોરે ઉજવી અનોખી રક્ષાબંધન, ભાઈઓ પાસે માંગી વ્યસનમુક્તિની ભેટ
calendar_today August 28, 2026

Banaskantha News: થરાદમાં સાંસદ ગેનીબેન ઠાકોરે ઉજવી અનોખી રક્ષાબંધન, ભાઈઓ પાસે માંગી વ્યસનમુક્તિની ભેટ

વાવ-થરાદ વિસ્તારમાં રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે એક અનોખી અને પ્રેરણાદાયી ઉજવણી કરી હતી. થરાદના શિવનગર વિસ્તારમાં પહોંચીને તેમણે સ્થાનિક ભાઈઓને રાખડી બાંધી હતી અને સમાજમાંથી દૂષણો દૂર કરવા માટે મહત્વનો સંદેશ આપ્યો હતો.1971 માં પાકિસ્તાનથી આવેલા પરિવારો સાથે ઉજવણીસાંસદ ગેનીબેન ઠાકોરે 1971 ના યુદ્ધ સમયે પાકિસ્તાનથી ભારત આવીને વસેલા પરિવારો અને હસ્તકલાના વ્યવસાય સાથે જોડાયેલા શિવનગરના નાગરિકો સાથે રક્ષાબંધનની ઉજવણી કરી હતી. આ ખાસ પ્રસંગે તેમની સાથે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત સહિત કોંગ્રેસના અનેક હોદ્દેદારો અને સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.ભાઈઓ વ્યસનમુક્ત બને તો કરોડોની ભેટ મળી ગણાશેરાખડી બાંધતી વખતે સાંસદ ગેનીબેન ઠાકોરે ભાઈઓ પાસે કોઈ ભૌતિક વસ્તુના બદલે ‘વ્યસનમુક્તિ’ ની અનોખી ભેટ માંગી હતી. તેમણે દેશી-વિદેશી દારૂ સહિતના તમામ પ્રકારના દૂષણો અને વ્યસનોથી દૂર રહેવા માટે ભાઈઓને આહ્વાન કર્યું હતું. તેમણે ભાવુક બનીને જણાવ્યું હતું કે, જો તમામ ભાઈઓ વ્યસનમુક્ત બનીને સન્માનજનક જીવન જીવે તો તેમને કરોડો રૂપિયાની ભેટ મળી હોય તેવો આનંદ થશે.આ પણ વાંચો - Banaskantha News: ધાનેરા નજીકથી 50.30 લાખનો પોસડોડાનો જથ્થો ઝડપાયો, કારમાંથી મળી આવી અલગ-અલગ 6 નંબર પ્લેટ

Read Full Story arrow_forward