Railway News : પશ્ચિમ રેલવે ચલાવશે સાબરમતી–બીકાનેર અને પોરબંદર–જોધપુર વચ્ચે વન-વે સ્પેશિયલ ટ્રેનો
ટ્રેન સંખ્યા 09491 અને 09291નું બુકિંગ 29 જાન્યુઆરી, 2026થી તમામ પીઆરએસ કાઉન્ટર્સ અને આઇઆરસિટીસી વેબસાઈટ પર શરૂ થશે. ટ્રેનોના સ્ટોપેજ, સમય અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે. સાબરમતી–બીકાનેર વન-વે સ્પેશિયલ ટ્રેન 01-ટ્રેન સંખ્યા 09491 સાબરમતી–બીકાનેર વન-વે સ્પેશિયલ ટ્રેન સંખ્યા 09491 સાબરમતી–બીકાનેર વન-વે સ્પેશિયલ શુક્રવાર,30 જાન્યુઆરી 2026ના રોજ સાબરમતીથી 17.50 કલાકે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે 06.30 કલાકે બીકાનેર પહોંચશે. માર્ગમાં આ ટ્રેન મહેસાણા, પાલનપુર, આબુ રોડ, મારવાડ, જોધપુર અને નાગૌર સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં સ્લીપર ક્લાસ તથા જનરલ સેકન્ડ ક્લાસના કોચ રહેશે. 02-ટ્રેન સંખ્યા 09291 પોરબંદર–જોધપુર વન-વે સ્પેશિયલ ટ્રેન સંખ્યા 09291 પોરબંદર–જોધપુર સ્પેશિયલ રવિવાર,01 ફેબ્રુઆરી 2026ના રોજ પોરબંદરથી 19.40 કલાકે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે 13.00 કલાકે જોધપુર પહોંચશે. આ ટ્રેન માર્ગમાં વાંસજાલિયા, લાલપુરજામ, જામનગર, હાપા, રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ, મહેસાણા, પટણ, ભીલડી, ધાનેરા, રાણીવાડા, મારવાડ ભીનમાલ અને સમદડી સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં સ્લીપર ક્લાસ તથા જનરલ સેકન્ડ ક્લાસના કોચ હશે. આ પણ વાંચો : Surat News : સુરતમાં લક્ષ્મી ગ્રુપ પર ITના દરોડા બીજા દિવસે યથાવત, ભાગેડુ મેહુલ ચોક્સીના કનેકશનને લઇ પણ તપાસનો ધમધમાટ
Read Full Story arrow_forward