android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News Live : અજિત પવારના દેહને બારામતીના કાટેવાડી સ્થિત તેમના નિવાસસ્થાને રાખવામાં આવશે
calendar_today January 29, 2026

Gujarat Latest News Live : અજિત પવારના દેહને બારામતીના કાટેવાડી સ્થિત તેમના નિવાસસ્થાને રાખવામાં આવશે

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 29 જાન્યુઆરીના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Junagadh News : CM ભૂપેન્દ્ર પટેલે સાસણમાં સ્વદેશી અને સ્થાનિક પ્રોડક્ટ વેચતા તથા હસ્તકલાના સ્થાનિક વેપારીઓને કર્યા પ્રોત્સાહિત
calendar_today January 29, 2026

Junagadh News : CM ભૂપેન્દ્ર પટેલે સાસણમાં સ્વદેશી અને સ્થાનિક પ્રોડક્ટ વેચતા તથા હસ્તકલાના સ્થાનિક વેપારીઓને કર્યા પ્રોત્સાહિત

મુખ્યમંત્રી જૂનાગઢમાં વિકાસ કાર્યોના લોકાર્પણ બાદ સાસણ ગીરમાં પહોંચ્યા હતા. ગઈ કાલે રાત્રે સિંહ સદનમાંથી મુખ્યમંત્રીએ બહાર નીકળી એક કોમન મેનની જેમ બજારમાં તેઓ લોકોને મળ્યા હતા. એટલું જ નહીં તેઓ ગીરની પ્રખ્યાત કેરી પ્રોડક્ટ સહિતની સ્થાનિક સ્વદેશી પ્રોડક્ટ, સિંહની પ્રતિકૃતિ વાળી હસ્તકલાની ચીજ વસ્તુઓ વેચતા વેપારીના સ્ટોલ પર પહોંચ્યા અને સ્વદેશી ચીજ વસ્તુઓ અને હસ્તકલાની ચીજ વસ્તુઓ વેચતા વેપારીઓને પ્રોત્સાહન આપ્યું. મુખ્યમંત્રી માર્ગમાં લોકોને મળ્યા લોકોના ખબર અંતર પૂછી તેમની સાથે વાતચીત પણ કરી. વડાપ્રધાનની સાસણની મુલાકાત બાદ સાસણમાં સતત પ્રવાસીઓનો વધારો થઈ રહ્યો છે અને સાસણ આજે વિશ્વના પ્રવાસન નકશા પર અંકિત થઈ રહ્યુ છે અને તેની સાથે સિંહ સંવર્ધનમાં સૌની સહભાગીતા સહિતની ગૌરવભરી ગાથા જાણીને મુખ્યમંત્રીશ્રીએ રાજીપો વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ વિદ્યાર્થીઓ-બહેનો સાથે પણ સંવાદ કરીને તેમને શુભકામના પાઠવી હતી. પ્રવાસીઓ અને સ્થાનિક વેપારીઓને મળીને લોક લાગણીને સ્વીકારી મુખ્યમંત્રીએ તેમની સાથે બેસીને ચા પણ પીધી હતી. મુખ્યમંત્રીએ બજારમાં લોકો સાથે ચા પીધી સાસણના બજારમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સરળતા, મૃદુતા અને નિખાલસતા પ્રવાસીઓ, વેપારીઓને સ્પર્શી ગઈ. મુખ્યમંત્રીએ સિંહસદનની બહાર નીકળી વેપારીઓ અને પ્રવાસીઓને મળ્યા હતા. તેઓએ સ્થાનિક નાગરિકોના ખબર-અંતર પૂછી સ્થાનિક લોકો સાથે ચા પીને શુભકામના પાઠવી હતી. આ પણ વાંચો : Gandhinagar News : ગુજરાત સરકારના ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ અને The Secretariatના સંયુક્ત ઉપક્રમે રિન્યુએબલ એનર્જી કોન્ક્લેવનું આયોજન 

Read Full Story arrow_forward
Ahmedabad : પાલડી દીવાન બલ્લુભાઇ સ્કૂલના ગુમ 6 વિદ્યાર્થીઓ મળી આવ્યા, ઇન્સ્ટાગ્રામમાં માથાકૂટ થતા ડરના માર્યા ભાગ્યા હતા
calendar_today January 29, 2026

Ahmedabad : પાલડી દીવાન બલ્લુભાઇ સ્કૂલના ગુમ 6 વિદ્યાર્થીઓ મળી આવ્યા, ઇન્સ્ટાગ્રામમાં માથાકૂટ થતા ડરના માર્યા ભાગ્યા હતા

અમદાવાદ શહેરમાં બુધવારે ગુમ થયેલા પાલડી વિસ્તારની દીવાન બલ્લુભાઇ સ્કૂલના છ સગીર વિદ્યાર્થીઓને પોલીસ દ્વારા સલામત રીતે શોધી કાઢવામાં આવ્યા છે. તમામ સગીર ઇન્સ્ટાગ્રામમાં માથાકૂટ થતા ડરના માર્યા ભાગ્યા હતાસંબંધીના ઘરેથી મળી આવ્યા આ તમામ વિદ્યાર્થીઓને વેજલપુર વિસ્તારમાં તેમના એક સંબંધીના ઘરેથી મળી આવ્યા હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.બુધવારે અચાનક ગુમ થઈ ગયા પ્રાપ્ત માહિતી મુજબ, સ્કૂલના આ વિદ્યાર્થીઓ બુધવારે અચાનક ગુમ થઈ ગયા હતા, જેને પગલે પરિવારજનોમાં ચિંતા ફેલાઈ હતી. મામલાની જાણ થતાં જ પોલીસ હરકતમાં આવી અને તપાસ શરૂ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓમાંથી એક પાસે મોબાઇલ ફોન હતો તપાસ દરમિયાન જાણવા મળ્યું કે વિદ્યાર્થીઓમાંથી એક પાસે મોબાઇલ ફોન હતો, જેના આધારે પોલીસને તેમની ભાળ મળી હતી. ઇન્સ્ટાગ્રામ પર થયેલી માથાકૂટ બાદ ડરના માર્યા ઘરેથી ભાગી ગયા પૂછપરછ દરમિયાન વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે ઇન્સ્ટાગ્રામ પર થયેલી માથાકૂટ બાદ સ્કૂલ સંચાલકો દ્વારા શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે એવી આશંકાથી તેઓ ડરના માર્યા ઘરેથી ભાગી ગયા હતા.  પરિવારજનોને સોંપી દીધા પોલીસે તમામ વિદ્યાર્થીઓને શોધી કાઢી પરિવારજનોને સોંપી દીધા છે.આ પણ વાંચો---    Baramati Plane Crash : અજિત પવારના નિધનના સમાચાર વયોવૃદ્ધ કાકા શરદ પવારને કેવી રીતે આપવા ? વાંચો...પરિવારે શું કર્યું

Read Full Story arrow_forward