android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Stock Market Opening: ઇકોનોમી સરવે પહેલા રોકાણકારો સતર્ક, સેન્સેક્સ 253 પોઇન્ટ ઘટ્યો
calendar_today January 29, 2026

Stock Market Opening: ઇકોનોમી સરવે પહેલા રોકાણકારો સતર્ક, સેન્સેક્સ 253 પોઇન્ટ ઘટ્યો

ગુરુવારે (29 જાન્યુઆરી) એશિયન બજારોના સુસ્ત સંકેતો વચ્ચે ભારતીય શેરબજારો નીચા સ્તરે ખુલવાની ધારણા છે. સવારે 8 વાગ્યે GIFT નિફ્ટી ફ્યુચર્સ 47 પોઈન્ટ ઘટીને  25379  પર હતો.  રોકાણકારોનું ધ્યાન 2025-26 ના આર્થિક સર્વે પર છે, જે આજે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા સંસદમાં રજૂ કરવામાં આવશે. વધુમાં FII ની સતત વેચાણ, પ્રી-બજેટ પોઝિશનિંગ અને વૈશ્વિક સંકેતો પણ બજારના સેન્ટિમેન્ટને પ્રભાવિત કરશે.લાલ નિશાનમાં ખૂલ્યુ માર્કેટ સવારે 9.30 કલાકે શેરબજારની સ્થિતિની વાત કરીએ તો, ભારતીય શેરબજાર લાલ નિશાનમાં ખૂલ્યો હતો. સેન્સેક્સ 296.01 પોઇન્ટના વધારા સાથે 82,048.67 અંકે ખૂલ્યો હતો. જ્યારે નિફ્ટી 50 −68.45 પોઇન્ટના ઘટાડા સાથે 25,274.30 અઁકે ખૂલ્યો હતો. આર્થિક સર્વેક્ષણ અહેવાલ રજૂ કરાશેઆજે સંસદીય બજેટ સત્રનો બીજો દિવસ છે, અને 29 જાન્યુઆરીએ, આર્થિક સર્વેક્ષણ અહેવાલ 2026 રજૂ કરવામાં આવશે. આ અહેવાલ ભારતની અર્થવ્યવસ્થાનો ઝાંખી આપશે અને તેની તાકાત જાહેર કરશે. બજેટ ત્રણ દિવસ પછી રજૂ કરવામાં આવશે. ઇતિહાસમાં આ પહેલી વાર છે કે કેન્દ્રીય બજેટ રવિવારે રજૂ કરવામાં આવશે, જે નાણામંત્રી નિર્મલા સીતારમણ રજૂ કરશે. આ તેમનું નવમું બજેટ હશે. આ બજેટમાં, સરકાર ભારતના વિકાસ માટે રોડમેપ રજૂ કરશે. વિવિધ શ્રેણીઓ અને વર્ગો માટે છૂટછાટો પણ જાહેર કરવામાં આવી શકે છે. 11 વાગે રજૂ કરાશે સામાન્ય રીતે, આર્થિક સર્વેક્ષણ બજેટના એક દિવસ પહેલા રજૂ કરવામાં આવે છે, પરંતુ આ વખતે તે ત્રણ દિવસ પહેલા રજૂ કરવામાં આવી રહ્યું છે. આર્થિક સર્વેક્ષણ 2026 ગુરુવાર, 29 જાન્યુઆરીએ સવારે 11 વાગ્યે રજૂ કરવામાં આવશે. ભારતના મુખ્ય આર્થિક સલાહકાર (CEA) સંસદના બંને ગૃહોમાં આ સર્વેક્ષણ રજૂ કરશે.વૈશ્વિક બજારોની શું છે સ્થિતિ ? ચેરમેન જેરોમ પોવેલના નેતૃત્વમાં યુએસ ફેડરલ રિઝર્વે વ્યાજ દર ૩.૫% થી ૩.૭૫% ની રેન્જમાં સ્થિર રાખ્યા હતા. આના કારણે એશિયન શેરબજારોમાં ઘટાડો થયો. છેલ્લા અપડેટમાં, જાપાનનો નિક્કી ૨૨૫ ઇન્ડેક્સ ૦.૪૬% નીચે હતો, જ્યારે દક્ષિણ કોરિયાનો કોસ્પી ઇન્ડેક્સ ૦.૫૮% નીચે હતો. ઓસ્ટ્રેલિયાનો S&P/ASX ૨૦૦ ઇન્ડેક્સ ૦.૮ ટકા નીચે ખુલ્યો હતો. બુધવારે યુએસ શેરબજારો લગભગ ફ્લેટ બંધ થયા હતા. ચિપ શેરોમાં વધારાને કારણે નાસ્ડેકમાં થોડો વધારો થયો. યુએસ ફેડે વ્યાજ દરો યથાવત રાખ્યા હોવાથી અને વ્યાજ દરો ક્યારે ઘટાડવામાં આવશે તેનો સ્પષ્ટ સંકેત ન આપતાં રોકાણકારોની પ્રતિક્રિયા મર્યાદિત હતી. S&P 500 ઇન્ડેક્સ 6,978.03 પર ફ્લેટ બંધ થયો, નાસ્ડેક કમ્પોઝિટ 0.17 ટકા વધીને 23,857.45 પર બંધ થયો, જ્યારે ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ પણ લગભગ અપરિવર્તિત 49,015.60 પર બંધ થયો.Ajit Pawar Plane Crash: પ્લેન ક્રેશ દુર્ઘટનામાં નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું મોત, જુઓ પ્લેન ક્રેશનો વીડિયો

Read Full Story arrow_forward
બારામતી પ્લેન ક્રેશ પહેલા મુંબઈ એરપોર્ટ પર અજીત પવારની અંતિમ ઝલકની સામે આવી તસવીર
calendar_today January 29, 2026

બારામતી પ્લેન ક્રેશ પહેલા મુંબઈ એરપોર્ટ પર અજીત પવારની અંતિમ ઝલકની સામે આવી તસવીર

મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજીત પવારનું પ્લેન ક્રેશમાં નિધન થયું.  બુધવારે, 28 જાન્યુઆરીના રોજ મહારાષ્ટ્રના બારામતીમાં આ વિમાન દુર્ઘટના બનવા પામી હતી. અજીત પવાર એક કાર્યક્રમમાં હાજરી આપવા બારામતી જઈ રહ્યા હતા. બારામતીમાં જયારે વિમાન લેન્ડ કરવાનો પ્રયાસ કરી રહ્યું હતું ત્યારે આ અકસ્માત થયો હતો. આ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં અજિત પવાર, પાયલોટ કેપ્ટન સુમિત કપૂર, સહ-પાયલોટ શામ્ભવી પાઠક, ફ્લાઇટ એટેન્ડન્ટ પિંકી માલી અને વ્યક્તિગત સુરક્ષા અધિકારી વિદીપ જાધવનું મૃત્યુ થયું હતું. બારામતી જવા મુંબઈ એરપોર્ટ પરની અજીત પવારની અંતિમ ઝલકની તસવીર સામે આવી છે.

Read Full Story arrow_forward
Ajit Pawar Funeral: અંતિમ યાત્રા પર અજિત દાદા, હિબકે ચઢ્યું બારામતી
calendar_today January 29, 2026

Ajit Pawar Funeral: અંતિમ યાત્રા પર અજિત દાદા, હિબકે ચઢ્યું બારામતી

અજિત પવારની અંતિમ યાત્રા તેમના કાટેવાડી નિવાસસ્થાનથી શરૂ થઈ ગઈ છે, અને તેમને સંપૂર્ણ રાજ્ય સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી રહી છે. શોભાયાત્રા લગભગ 6 કિલોમીટરનું અંતર કાપ્યા પછી ટૂંક સમયમાં સ્મશાનભૂમિ પહોંચશે. શોભાયાત્રા સાથે રહેલા સમર્થકોએ "અજીત દાદા અમર રહે!" ના નારા લગાવ્યા. પોતાના નેતાને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા માટે સમર્થકોની મોટી ભીડ એકઠી થઈ હતી. આંસુભરી આંખો સાથે લોકોએ અજિત પવારને અંતિમ વિદાય આપી રહ્યા છે. અંતિમ સફરે અજિત દાદા અંતિમ યાત્રા વિદ્યા પ્રતિષ્ઠાન કેમ્પસથી શરૂ થશે, શહેરમાંથી પસાર થશે અને અંતિમ સંસ્કાર માટે વિદ્યા પ્રતિષ્ઠાન મેદાનમાં સમાપ્ત થશે. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું બુધવારે બારામતીમાં થયેલા વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું, જેમાં તમામના મોત થયા હતા. ADR દાખલ નાયબ મુખ્યમંત્રી અજિત પવાર સાથે થયેલા વિમાન દુર્ઘટનાના સંદર્ભમાં, પુણે ગ્રામીણ પોલીસે બારામતી તાલુકા પોલીસ સ્ટેશનમાં અકસ્માત મૃત્યુ અહેવાલ (ADR) નોંધ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, અકસ્માતના તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે.

Read Full Story arrow_forward