android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surendranagar: ધ્રાંગધ્રાના વિશાલ ચેમ્બર કોમ્પલેક્ષમાં બેંકમાં લોન હોવા છતાં દુકાનો વેચી
calendar_today January 28, 2026

Surendranagar: ધ્રાંગધ્રાના વિશાલ ચેમ્બર કોમ્પલેક્ષમાં બેંકમાં લોન હોવા છતાં દુકાનો વેચી

ધ્રાંગધ્રાની જુની શાકમાર્કેટ પાસે વિશાલ ચેમ્બર કોમ્પલેક્ષના પાંચ દુકાનદારની દુકાનો પર લોન હોવા છતાં તેનું વેચાણ કરી કૌભાંડ આચરાયુ હતુ. આ અંગે ધ્રાંગધ્રા સિટી પોલીસ મથકે દુકાનદારોએ બે મહિલા સહિત કુલ પાંચ શખ્સો સામે રૂ. 83.72 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.ધ્રાંગધ્રાની નાની બજારમાં રહેતા સલમાબેન જહીરભાઈ માયક જુની શાક માર્કેટ પાસે આવેલ વીશાલ ચેમ્બરમાં લેડીઝ વેર કપડાનો વેપાર કરે છે. કોમ્પલેક્ષમાં 9 અને 10 નંબરની દુકાન તેઓએ વર્ષ 2021માં રાજેશ મણીલાલ પુજારા પાસેથી રૂપીયા 12,21,000ના ગીરો પેટે લીધી હતી. વર્ષ 2024માં સોલડીના ભરત મેવાડાએ આવી વિશાલ ચેમ્બર કોમ્પલેક્ષ અમોએ વેચાણથી રાખી લીધુ છે તેમ કહી સલમાબેનને દુકાન ખાલી કરવા કહ્યુ હતુ. જેમાં સલમાબેને દુકાન ખાલી કરવાની ના પાડી હતી. ત્યારબાદ બન્ને વચ્ચે બેઠક થતા આ બન્ને દુકાન સામે ભરત મેવાડા 4 નંબરની દુકાન આપે અને તેના બદલામાં સલમાબેનને રૂપીયા 8.50 ચુકવવાનું નક્કી થયુ હતુ. જયારે ભરત મેવાડાએ તેના ભાઈના પત્ની પુનીબેન રમેશભાઈ મેવાડાના નામથી આ દુકાનનો દસ્તાવેજ સલમાબેનને કરી આપ્યો હતો. જેમાં કટકે કટકે રૂપીયા 8.50 લાખ સલમાબેને આપી દીધા હતા. દસ્તાવેજ સમયે આ દુકાન લોન મુકત, બોજા મુકત હોવાનું પણ જણાવાયુ હતુ. ત્યારે 6 માસ પહેલા કેનરા બેંકના કર્મીઓએ આવી આ દુકાન પર પુનીબેને લોન લીધી છે તેમ કહી દુકાન ખાલી કરવાનું સલમાબેનને કહ્યુ હતુ. સલમાબેને આ અંગે ભરત મેવાડાને વાત કરતા તેઓએ તમને તમારા રૂપીયા મળી જશે તેમ કહી ખાત્રી આપી હતી. તેમ છતાં 8-1-26ના રોજ બેંકના કર્મીઓ આવી દુકાને નોટીસ ચોટાડી ગયા હતા. અને 1-2-26ના રોજ સીલ મારવાનું કહી ગયા હતા. બીજી તરફ સલમાબેન ઉપરાંત અન્ય સાહેદોની સાથે પણ આવી જ છેતરપિંડી થઈ હતી. જેમાં અનીરૂધ્ધસિંહ ઉર્ફે અજયસિંહ લાલુભા રાણાની દુકાનનો 11 લાખમાં, રીટાબેન સુરેશભાઈ રાવલની દુકાનનો 7.50 લાખમાં વેચનાર તરીકે સીધ્ધરાજસિંહ દીલીપસિંહ ઝાલાએ દસ્તાવેજ કરી દીધો હતો. જયારે સંકેત કાળીદાસભાઈ પરમારની દુકાનનો 35 લાખમાં હરપાલસિંહ દિલુભા વાઘેલાએ, વિપુલ ગુણવંતરાય ભટ્ટની દુકાનનો 9.51 લાખમાં જીતુબેન ભરતકુમાર મેવાડાએ દસ્તાવેજ કરી દીધો હતો. આથી ધ્રાંગધ્રા સીટી પોલીસ મથકે ભરત મેવાડા, સીધ્ધરાજસિંહ દીલીપસિંહ ઝાલા, હરપાલસિંહ દિલુભા વાઘેલા, જીતુબેન ભરભાઈ મેવાડા અને પુનીબેન રમેશભાઈ મેવાડા સામે સલમાબેન અને સાહેદા સાથે 83.72 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પીએસઆઈ એ. કે. વાઘેલા ચલાવી રહ્યા છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Sanand: મટોડા ગામેથી નશાકારક કફસિરપની 2,520 બોટલ સાથે બે પકડાયા, ત્રણ વોન્ટેડ
calendar_today January 28, 2026

Sanand: મટોડા ગામેથી નશાકારક કફસિરપની 2,520 બોટલ સાથે બે પકડાયા, ત્રણ વોન્ટેડ

અમદાવાદ જિલ્લામાં ચાંગોદર પોલીસ દ્વારા મટોડા ગામમાં વોચ ગોઠવીને એક ઇનોવા કારમાં કફ્ સિરપની હેરાફેરી કરતા બે ઈસમોને ઝડપી પાડીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.વધુમાં પ્રાપ્ત વિગત મુજબ અમદાવાદ જિલ્લાના સાંણદ તાલુકાના મટોડા ગામે અમદાવાદ શહેરમાંથી કફ્સીરપનો જથ્થો વેચાણ અર્થે આવવાનો હોવાની ચાંગોદર પોલીસના પ્રદીપસિંહને બાતમી મળતા ચાંગોદર પીઆઈ એસ. એન. સવસેટા દ્વારા પ્રદીપસિંહ, સરદારસિંહ, દિલીપસિંહ, વિષ્ણુભાઈ સહિત ટીમ બનાવી હાઇવેથી મટોડા તરફ્ આવવાના રસ્તાઓ પર વોચ ગોઠવી દેવામાં આવી હતી. તે દરમ્યાન ઇનોવા કાર ત્યાંથી પસાર થતા પોલીસે તેનો પીછો કરી મટોડા ગામે અટકાવી હતી. પોલીસે દ્વારા કારમાં સવાર બે ઇસમો નીચે ઉતારી નામ પૂછતા તેમણે પ્રદીપ પ્રમોદભાઈ કાનોજીયા રહે. નરોડા અને રાકેશ બુધાલાલ ગજેરા રહે. નિકોલ ગામ હોવાનું જણાવ્યું હતું. પોલીસે કારની તલાશી લેતા કારમાંથી 18 બોક્સ 2520 નંગ કોડીન યુક્ત કફ્ સીરપની બોટલો મળી આવી હતી. પૂછપરછ દરમ્યાન ઝડપાયેલા બંને આરોપીઓએ મટોડા ગામના સીજલો રસિકભાઈ ચુનારા અને ટીનો ઉર્ફે રાજેશ ચુનારા હોવાની જાણકારી આપતા પોલીસે બંને ઇસમ અને કફ્ સીરપનો જથ્થો જ્યાંથી લાવ્યા હતા તે ક્લેરિયોર ટ્રેડિંગની દુકાન ધરાવતા જશબીર શેખને વોન્ટેડ જાહેર કર્યા હતા. વધુ તપાસમાં જાણવા મળ્યું કે ઝડપાયેલામાંથી એક ઇસમ પ્રદીપ કાનોજીયા બાવળા એનડીપીએસના ગુનામાં વોન્ટેડ હોવાની જાણકારી મળી હતી.પોલીસે ઝડપાયેલા બંને ઈસમ અને વોન્ટેડ ત્રણે ઇસમ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધી કુલ 8,16,500નો મુદ્દામાલ કબજે લઈને વધુ તપાસ હાથ ધરી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Lakhtar: રેલવે સ્ટેશનનો રૂ. 3.98 કરોડના ખર્ચે કાયાકલ્પ
calendar_today January 28, 2026

Lakhtar: રેલવે સ્ટેશનનો રૂ. 3.98 કરોડના ખર્ચે કાયાકલ્પ

પૃીમ રેલવેના રાજકોટ ડીવીઝન હેઠળ આવતા લખતર રેલવે સ્ટેશનનો અમૃત ભારત યોજના હેઠળ રૂપીયા 3.98 કરોડના ખર્ચે કાયાકલ્પ પુર્ણતાના આરે છે. સ્ટેશનની નવી બીલ્ડીંગ, વેઈટીંગ રૂમ, વિશાળ પ્લેટફોર્મ મુસાફરોને સુખદ અને સુરક્ષીત અનુભવ કરાવશે.કેન્દ્ર સરકાર દ્વારા વીવીધ રેલવે સ્ટેશનોનો અમૃત ભારત યોજનામાં સમાવેશ કરી તેનો વિકાસ કરાઈ રહ્યો છે. જેમાં પૃીમ રેલવેના રાજકોટ ડીવીઝન હેઠળ આવતા સુરેન્દ્રનગર જિલ્લાના લખતર રેલવે સ્ટેશનનો સમાવેશ કરાયો હતો. ત્યારે રૂપીયા 3.98 કરોડના ખર્ચે રેલવે સ્ટેશનની કાયા કલ્પ કરવાનું કામ હાલ પુર્ણાના આરે છે. રેલવે સ્ટેશનનો વિકાસ થતા મુસાફરોને સુખદ અને સુરક્ષીત અનુભવ થશે. આ અંગે રાજકોટ ડીવીઝનલ મેનેજર ગીરીરાજકુમાર મીનાએ જણાવ્યુ કે, લખતર રેલવે સ્ટેશન અમદાવાદ અને સુરેન્દ્રનગર વચ્ચે મહત્વનું રેલવે સ્ટેશન છે. અમૃત ભારત યોજનામાં સમાવેશ કર્યા બાદ લખતર રેલવે સ્ટેશને 3125 ચોરસ ફુટમાં વિશાલ બીલ્ડીંગ અને 24 ફુટ પહોળો પ્રવેશદ્વાર બનાવાયો છે. જયારે 1220 ચોરસફુટમાં આધુનીક એસી અને સામાન્ય પ્રતીક્ષાલય સાથે એક વીઆઈપી રૂમ પણ બનાવાયો છે. આ ઉપરાંત પ્લેટફોર્મ નં. 1 અને 2 ઉપર 12 હજાર ચોરસફુટના શેડથી મુસાફરોને તડકા અને વરસાદમાં રાહત રહેશે. સ્ટેશન પરીસરમાં 1 હજાર ચોરસ ફુટનો ગ્રીન પેચ મુસાફરોને તાજગીનો અનુભવ કરાવશે. જયારે દિવ્યાંગજન માટે હેન્ડ રેલ, પાર્કીંગ સ્લોટ, રેમ્પની સુવિધા સુનિશ્ચિત કરાઈ છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward