android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat News: રાજ્યની આઠ મનપાના મેયર અને કમિશ્નરને ગાંધીનગરથી તેડું, મુખ્યમંત્રી સાથે બેઠક યોજાશે
calendar_today January 28, 2026

Gujarat News: રાજ્યની આઠ મનપાના મેયર અને કમિશ્નરને ગાંધીનગરથી તેડું, મુખ્યમંત્રી સાથે બેઠક યોજાશે

ગુજરાતમાં રાજ્ય સરકાર દ્વારા વિકાસના કામોને વેગ આપવામાં આવ્યો છે. રાજ્યના નાના અને મોટા શહેરોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટની કામગીરી માટે સરકાર દ્વારા કમર કસવામાં આવી છે. ત્યારે રાજ્યની આઠ મહાનગર પાલિકાના મેયર, કમિશનર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને ગાંધીનગરથી તેડું આવ્યું છે. ગુરૂવારે બપોરે બે વાગ્યે હાજર થવા સૂચના આપવામાં આવી છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને પણ હાજર રહેવા આદેશ ગુજરાતની આઠ મહાનગર પાલિકાઓના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા સમીક્ષા કરવામાં આવનાર છે. ગુરૂવારે રાજ્ય સરકાર દ્વારા એક ખાસ બેઠક યોજાવાની છે. આ બેઠકમાં રાજ્યની આઠ મહાનગર પાલિકાના મેયર, કમિશનર સહિત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને પણ ગુરુવારે બપોરે 12 વાગ્યે ગાંધીનગરમાં હાજર થવા સૂચના આપવામાં આવી છે. ગુરૂવારે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં બેઠક મળશે. જેમાં વિકાસ કામો માટેની સમીક્ષા હાથ ધરવામાં આવશે.આ પણ વાંચોઃ Gandhinagar News: અમદાવાદ મહેસાણા વચ્ચેના હાઈવેને 2630 કરોડના ખર્ચે આઠ માર્ગીય કરવાની મંજૂરી

Read Full Story arrow_forward
CBIએ મુંબઈમાં 3 ભાગેડુ ગુનેગારોની કરી ધરપકડ, મલેશિયા ડિપોર્ટ કરવામાં આવ્યા
calendar_today January 28, 2026

CBIએ મુંબઈમાં 3 ભાગેડુ ગુનેગારોની કરી ધરપકડ, મલેશિયા ડિપોર્ટ કરવામાં આવ્યા

સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI)એ ઈન્ટરપોલની મદદથી એક મોટું આંતરરાષ્ટ્રીય ઓપરેશન હાથ ધર્યું છે. મલેશિયન એજન્સીઓ સાથે મળીને CBIએ મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી રેડ નોટિસના 3 આરોપીઓની ધરપકડ કરી અને તેમને ભારતમાંથી મલેશિયા મોકલી દીધા છે.3 આરોપીઓને દેશનિકાલ કરવામાં આવ્યા મળતી માહિતી મુજબ જે 3 આરોપીઓને દેશનિકાલ કરવામાં આવ્યા છે, તેમાં શ્રીધરન સુબ્રમણ્યમ, પ્રતિપ કુમાર સેલ્વરાજ અને નવીન્દ્ર રાજ કુમારસનનો સમાવેશ થાય છે. આ ત્રણેય આરોપીઓ સંગઠિત ગુનાહિત પ્રવૃત્તિઓ સંબંધિત કેસોમાં મલેશિયન એજન્સીઓ દ્વારા વોન્ટેડ હોવાનું કહેવાય છે. તેમના પર ગંભીર ગુનાઓ કરવાના કાવતરા અને ગેરકાયદેસર નફો, સત્તા અને પ્રભાવ મેળવવાનો આરોપ છે. ત્રણેય લાંબા સમયથી વોન્ટેડ હતા. યુનાઈટેડ કિંગડમથી ભારતમાં પહોંચ્યા CBIના જણાવ્યા મુજબ ત્રણેય આરોપીઓ યુનાઈટેડ કિંગડમથી ભારત આવી રહ્યા હતા, પરંતુ મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઈમિગ્રેશન અધિકારીઓએ તેમને પ્રવેશ આપવાનો ઈનકાર કર્યો હતો. ત્યારબાદ ઈન્ટરપોલની મલેશિયન શાખા, NCB કુઆલાલંપુરે ઔપચારિક રીતે NCB નવી દિલ્હીનો સંપર્ક કર્યો અને આરોપીઓને મલેશિયા મોકલવામાં મદદ માગી. મલેશિયન પોલીસ મુંબઈ પહોંચી કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રોયલ મલેશિયન પોલીસની એક એસ્કોર્ટ ટીમ 25 જાન્યુઆરી, 2026ના રોજ મુંબઈ આવી. CBI અને અન્ય ભારતીય એજન્સીઓની મદદથી ત્રણેય આરોપીઓને મંગળવારે (27 જાન્યુઆરી, 2026)ના રોજ સુરક્ષિત અને યોગ્ય રીતે મલેશિયા મોકલવામાં આવ્યા. આ કાર્યવાહીને ગુનેગારો સામે આંતરરાષ્ટ્રીય સહયોગનું એક મહત્વપૂર્ણ ઉદાહરણ માનવામાં આવી રહ્યું છે. મજબૂત દ્વિપક્ષીય પોલીસ સહયોગ CBIએ જણાવ્યું હતું કે આ કાર્યવાહી ભારત અને મલેશિયા વચ્ચે મજબૂત દ્વિપક્ષીય પોલીસ સહયોગ દર્શાવે છે. તે ઈન્ટરપોલ રેડ નોટિસની અસરકારકતા અને સરહદ પારના ગુનાઓનો સામનો કરવામાં આંતરરાષ્ટ્રીય સંકલન પણ દર્શાવે છે. CBIએ એ પણ સ્પષ્ટ કર્યું હતું કે ઈન્ટરપોલ રેડ નોટિસ આંતરરાષ્ટ્રીય સ્તરે ફરાર ગુનેગારોને શોધવા અને સંબંધિત દેશમાં તેમને ન્યાય અપાવવા માટે એક મહત્વપૂર્ણ સાધન છે.આ પણ વાંચો : Baramati Plane Crash News: પ્લેન ક્રેશની ઘટના માત્ર અકસ્માત છે, કોઇ ષડયંત્ર નથીઃ Sharad Pawar

Read Full Story arrow_forward
Knowledge: વિમાન ક્રેશ થતાં જ કેમ  ફેરવાઈ જાય છે આગના ગોળામાં, બળતણ કેટલું ખતરનાક?, જાણો
calendar_today January 28, 2026

Knowledge: વિમાન ક્રેશ થતાં જ કેમ ફેરવાઈ જાય છે આગના ગોળામાં, બળતણ કેટલું ખતરનાક?, જાણો

આમાં એવિએશન ટર્બાઇન ઇંધણ, હાઇડ્રોલિક તેલ અને અન્ય રસાયણોનો સમાવેશ થાય છે. પ્લેન ક્રેશની ઘટનાએ ફરી ખેંચ્યુ ધ્યાન મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું વિમાન બારામતીમાં ઉતરાણ કરતી વખતે ક્રેશ થયું હતું. અકસ્માત સ્થળ પરથી મળેલા વીડિયોમાં વિમાન આગમાં લપેટાયેલું દેખાય છે. ક્રેશ થયા પછી તરત જ વિમાનમાં આગ કેમ લાગે છે અને આવી પરિસ્થિતિઓમાં બચવાની શક્યતાઓ શું છે. વિમાન ક્રેશ થતાં આગના ગોળામાં કેમ ફેરવાઈ જાય છે અને તેમાં વપરાતું બળતણ કેટલું ખતરનાક છે. જ્વલનશીલ પદાર્થોના કારણે આગ લાગી વિમાન ક્રેશ થતાં જ ઘણીવાર આગ લાગે છે કારણ કે અંદર મોટી માત્રામાં જ્વલનશીલ પદાર્થો હોય છે. આમાં એવિએશન ટર્બાઇન ઇંધણ, હાઇડ્રોલિક તેલ અને અન્ય રસાયણોનો સમાવેશ થાય છે. જ્યારે કોઈ વિમાન ક્રેશ થાય છે, ત્યારે આંચકાને કારણે બળતણ ટાંકી ફાટી જાય છે અને છલકાયેલું બળતણ તણખા અથવા ગરમ સપાટીના સંપર્કમાં આવતાં આગ પકડી લે છે. આ જ કારણ છે કે વિમાન થોડીક સેકન્ડોમાં આગના ગોળામાં ફેરવાઈ જાય છે. બળતણ સૌથી ઘાતક કારણ વિમાનમાં વપરાતું જેટ બળતણ અત્યંત ખતરનાક છે. તે 38 થી 72 ડિગ્રી સેલ્સિયસ તાપમાને બળી શકે છે. જો આ બળતણ શ્વાસમાં લેવામાં આવે, તો આગ વગર પણ, તે ચક્કર, માથાનો દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ અને ત્વચામાં બળતરા પેદા કરી શકે છે. આગ લાગવાની સ્થિતિમાં, આ બળતણ સૌથી ઘાતક કારણ બની જાય છે. દુર્ઘટના પછી, જો બળતણ ગરમ એન્જિન ભાગ, તણખા અથવા ખુલ્લી જ્વાળાના સંપર્કમાં આવે છે. આ પણ વાંચોઃ Fatty Liver And Cancer: પ્રોસેસ્ડ ફૂડ અને ફેટી ડાયટ વધારે છે લીવર કેન્સરનું જોખમ, જાણો શું છે લક્ષ્ણો? 

Read Full Story arrow_forward