Morbi માં 'વન વીક વન રોડ' અભિયાનમાં ઘર્ષણ, તખ્તસિંહજી રોડ પર વેપારીઓ અને તંત્ર આમને સામને
મોરબી શહેરમાં તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી દબાણ હટાવવાની કામગીરીને પગલે આજે ભારે તંગદિલી સર્જાઈ હતી. 'વન વીક વન રોડ' અભિયાન અંતર્ગત બુધવારે તખ્તસિંહજી રોડ પર જ્યારે તંત્રના કાફલાએ ડિમોલિશન શરૂ કર્યું, ત્યારે સ્થાનિક વેપારીઓ અને અધિકારીઓ આમને-સામને આવી ગયા હતા. તંત્ર દ્વારા વેપારીઓનો માલ-સામાન જપ્ત કરવાનું શરૂ કરાતા મામલો બિચક્યો હતો અને વેપારીઓએ વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું. આ હંગામાને કારણે શહેરને જોડતા મુખ્ય રસ્તા પર ચક્કાજામની સ્થિતિ સર્જાઈ હતી, જેના લીધે વાહનચાલકો કલાકો સુધી ટ્રાફિકમાં ફસાયા હતા.વેપારીઓનો માલ જપ્ત કરાતા રોષ આ ઘટનાને પગલે રાજકારણ પણ ગરમાયું છે, જેમાં કોંગ્રેસે મેદાને આવી તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. કોંગ્રેસના નેતાઓએ આક્ષેપ કર્યો છે કે તંત્ર માત્ર નાના વેપારીઓને નિશાન બનાવીને તેમને હેરાન કરી રહ્યું છે, જ્યારે મોટા માથાના દબાણો સામે આંખ આડા કાન કરવામાં આવે છે. વેપારીઓએ ચીમકી આપી છે કે જો આ પ્રકારે પક્ષપાતી રીતે માલ-સામાન જપ્ત કરવામાં આવશે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. હાલમાં પરિસ્થિતિને થાળે પાડવા માટે પોલીસ કાફલો પણ ખડકી દેવામાં આવ્યો છે. આ પણ વાંચો : Ajit Pawar Plane Crash : અજિત પવારના નિધનથી ગુજરાત NCP માં શોક, અમદાવાદમાં નેતાઓએ અર્પી શ્રદ્ધાંજલિ
Read Full Story arrow_forward