android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Winzo Money Laundering Case : ઓનલાઈન ગેમિંગ એપનો ખેલ અને 734 કરોડનું કૌભાંડ! ઈડીએ દાખલ કરી ચાર્જશીટ
calendar_today January 26, 2026

Winzo Money Laundering Case : ઓનલાઈન ગેમિંગ એપનો ખેલ અને 734 કરોડનું કૌભાંડ! ઈડીએ દાખલ કરી ચાર્જશીટ

EDએ ઓનલાઈન ગેમિંગ એપ WinZo અને તેના પ્રમોટરોની વિરૂદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. આરોપ છે કે કંપનીએ બોટ્સ અને AIનો ઉપયોગ કરી પ્લેટફોર્મ પર ખેલાડીઓને 734 કરોડ રૂપિયાનો ચૂનો લગાવ્યો છે. આ મામલે WinZoના દિગ્દર્શક પવન નંદા અને સૌમ્યા સિંહ રાઠોરની સાથે કંપનીની વિદેશી સહાયક કંપનીઓને પણ આરોપી બનાવ્યા છે.પ્લેટફોર્મ પર લગભગ 25 કરોડ યૂઝર હતા એક સત્તાવાર નિવેદન મુજબ EDની બેંગલુરૂ ઝોનલ ઓફિસે 23 જાન્યુઆરીએ PMLA હેઠળ કેસની સુનાવણી માટે સ્થાનિક કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. આરોપ છે કે કંપનીએ 100થી વધુ ગેમ રજૂ કરી, જેના લગભગ 25 કરોડ યૂઝર હતા. આ તમામ યૂઝર મોટાભાગે ટિયર-3 અને ટિયર-4 શહેરના રહેવાસી હતા. તપાસ એજન્સીએ આરોપ લગાવ્યો કે મે 2024થી ઓગસ્ટ 2025 સુધી WinZOએ પોતાના કોડ-આધારિત બોટ્સનો ઉપયોગ કરીને નિષ્ક્રિય ખેલાડીઓના ડેટાને ઓરિજનલ યુઝર્સની વિરૂદ્ધ તેમની કોઈ સહમતિ વગર ઉપયોગ કર્યો. શરૂઆતના સમયમાં યુઝર્સને નાનું બોનસ આપીને વિશ્વાસમાં લેવામાં આવ્યા અને સરળ બોટ્સની વિરૂદ્ધ જીતવા દેવામાં આવ્યા. અમેરિકા અને સિંગાપુરમાં બનાવેલી શેલ કંપનીઓ દ્વારા મની લોન્ડ્રિંગ કર્યું ત્યારબાદ ખેલાડીઓએ જેવો જ મોટી રકમ નાખીને રમવાનું શરૂ કર્યું, ત્યારે અન્ય બોટ્સ તૈનાત કરવામાં આવ્યા અને જેનાથી તેમને ભારે નાણાકીય નુકસાન થયું. ઈડીએ કહ્યું કે કંપનીએ કેન્દ્ર સરકાર દ્વારા ઓગસ્ટ 2025માં રિયલ મની ગેમિંગ એપ્સ પર પ્રતિબંધ લગાવ્યા બાદ પણ 47.66 કરોડ રૂપિયાની જીતની રકમ અને ડિપોઝિટ પરત ના કરી. એજન્સીએ આરોપ લગાવ્યો કે WinZoએ 2021-22 અને 2025-25ની વચ્ચે 3522.05 કરોડ રૂપિયા કમાણી કરી અને તેને અમેરિકા અને સિંગાપુરમાં બનાવેલી શેલ કંપનીઓ દ્વારા મની લોન્ડ્રિંગ કર્યું. તપાસમાં એ પણ સામે આવ્યું કે આ હેરાફેરીભર્યા ગેમિંગ માળખાને કારણે ગરીબ નાણાકીય પૃષ્ઠભૂમિ ધરાવતા યુઝર્સને ગંભીર નાણાકીય મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. કેટલાક કેસમાં માનસિક તણાવ અને આત્મહત્યાની પ્રવૃતિ પણ જોવા મળી. ઈડીએ ગયા વર્ષે Winzo અને તેના પ્રમોટરોના ઠેકાણાઓ પર દરોડા પાડ્યા હતા. પાવન નંદા અને સૌમ્યા સિંહ રાઠોરની ધરપકડ કરવામાં આવી હતી. હાલમાં સૌમ્યા સિંહ જામીન પર બહાર છે. આ કેસની ગંભીરતા અને વ્યાપકતાને જોતા તેની તપાસ EDને સોંપવામાં આવી હતી. આ પણ વાંચો : Delhi Metro New Corridor : આ રૂટમાં હશે 9 નવા સ્ટેશન, 9.91 કિલોમીટર લાંબો છે કોરિડોર

Read Full Story arrow_forward
Bhavnagar: ઘોઘાના PSI ના ત્રાસથી કોન્સ્ટેબલે ઝેર ગટગટાવ્યાનો પરિવારનો આરોપ, જવાબદાર PSI સામે ફરિયાદની માગ
calendar_today January 26, 2026

Bhavnagar: ઘોઘાના PSI ના ત્રાસથી કોન્સ્ટેબલે ઝેર ગટગટાવ્યાનો પરિવારનો આરોપ, જવાબદાર PSI સામે ફરિયાદની માગ

ભાવનગરમાં પોલીસ બેડામાં ચકચાર મચાવનાર હેડ કોન્સ્ટેબલના આપઘાતનો મામલો હવે ગરમાયો છે. ઘોઘા પોલીસ મથકમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ ગોહિલના મોતના પગલે પરિવારમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે, જેમાં હવે કરણી સેના અને ક્ષત્રિય સમાજના આગેવાનો પણ ન્યાયની લડતમાં જોડાયા છે.પોલીસ કોન્સ્ટેબલના આપઘાતનો મામલોઅંદાજે ચાર દિવસ પહેલા ઘોઘા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ ગોહિલે ચાલુ ફરજ દરમિયાન ભુતેશ્વર ગામ પાસે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી લીધી હતી. ગંભીર હાલતમાં તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર બાદ તેમનું કરુણ મોત નીપજ્યું હતું. આ ઘટનાથી પોલીસ આલમમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.પરિવારના ગંભીર આક્ષેપો PSI ના ત્રાસનો મામલોમૃતક કોન્સ્ટેબલના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે, દિગ્વિજયસિંહને ઘોઘાના PSI (સબ-ઇન્સ્પેક્ટર) દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. વારંવારના માનસિક ટોર્ચરને કારણે કંટાળીને તેમણે આ આત્મઘાતી પગલું ભર્યું હોવાનું પરિવારે જણાવ્યું છે. આ આક્ષેપોને પગલે હવે ખાખી વર્દીમાં આંતરિક વિખવાદ અને ઉપરના અધિકારીઓના વર્તન સામે સવાલો ઉભા થયા છે.કરણી સેના મેદાને ઘટનાની ગંભીરતા જોતા  રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ સહિત ક્ષત્રિય સમાજના મોટી સંખ્યામાં આગેવાનો મૃતકના ઘરે પહોંચ્યા હતા. તેમણે મૃતકના પિતા અને શોકતુર પરિવાર સાથે મુલાકાત કરી સાંત્વના પાઠવી હતી. કરણી સેનાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, "દીકરાને ગુમાવનાર પિતાને ન્યાય મળવો જોઈએ.આ પણ વાંચો: Junagadh: ધોળા દિવસે સિંહ શ્વાન પાછળ પડ્યો, પાતાપુર ફેક્ટરી પાસેના દ્રશ્યો CCTVમાં કેદ

Read Full Story arrow_forward
Dwarka News : 15 નિર્જન ટાપુઓ પર તિરંગો લહેરાવાયો, મરીન ટાસ્ક ફોર્સ અને સ્થાનિક પોલીસે કર્યું ધ્વજ વંદન
calendar_today January 26, 2026

Dwarka News : 15 નિર્જન ટાપુઓ પર તિરંગો લહેરાવાયો, મરીન ટાસ્ક ફોર્સ અને સ્થાનિક પોલીસે કર્યું ધ્વજ વંદન

સમગ્ર દેશમાં આજે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી છે. ઠેર ઠેર રાષ્ટ્રધ્વજ ફરકાવીને ધ્વજવંદન કરવામાં આવ્યું છે. ત્યારે દ્વારકાના નિર્જન ગણાતા 15 ટાપુઓ પર પણ ધ્વજવંદન કરવામાં આવ્યું છે. મરીન ટાસ્ક ફોર્સ અને સ્થાનિક પોલીસે ધ્વજ વંદન કર્યું છે. દરિયામાં નિર્જન ટાપુઓ પર જઈને ધ્વજવંદન કરવામાં આવ્યું છે. મરીન ટાસ્ક ફોર્સ અને સ્થાનિક પોલીસે કર્યું ધ્વજ વંદન દ્વારકાના 15 નિર્જન ટાપુઓ પર આજે મરીન ટાસ્ક ફોર્સ અને સ્થાનિક પોલીસે ધ્વજ વંદન કર્યું છે. દરિયામાં નિર્જન ટાપુઓ પર જઈને ધ્વજ વંદન કરવામાં આવ્યું છે. દેશની સુરક્ષા માટે આ ટાપુઓ મહત્વના ગણાય છે. મરીન ટાસ્ક ફોર્સ દ્વારા અઝાડ, ધબધબો, લેફામારૂડી, માનમરૂડી, સામિયાણી, રોજી, સિયાયડી, ⁠ગાડુ, કાળુભાર, ભૈદર, ખારા ચુસણા, મીઠા ચુસણા દિવડી, કૂડચલી, આસાભા ટાપુઓ પર તિરંગો લહેરાવાયો છે. આ પણ વાંચોઃ Deesa : પોલીસ અને હોમગાર્ડ જવાનો સામે ગંભીર આક્ષેપ, બે સગી બહેનોએ જવાનો સામે શોષણનો લગાવ્યો આક્ષેપ

Read Full Story arrow_forward