android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Jammu Kashmir : કઠુઆ જિલ્લામાં પાકિસ્તાની ડ્રોન દેખાયા, સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું
calendar_today January 25, 2026

Jammu Kashmir : કઠુઆ જિલ્લામાં પાકિસ્તાની ડ્રોન દેખાયા, સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું

પ્રજાસત્તાક દિવસ 2026 પહેલા પાકિસ્તાને ફરી એકવાર નાપાક હરકત કરી છે. જમ્મુ અને કાશ્મીરના કઠુઆમાં એક અજાણ્યું ડ્રોન જોવા મળ્યું છે. ડ્રોન લગભગ પાંચ મિનિટ સુધી હવામાં ફરતું રહ્યું અને પછી ગાયબ થઈ ગયું. ડ્રોનના સ્થાન અને તેનાથી કંઈક પડ્યું હોવાની શક્યતાના આધારે આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.ડ્રોન લગભગ 5 મિનિટ સુધી હવામાં રહ્યું મળતી માહિતી મુજબ સુરક્ષા દળોએ અજાણ્યા ડ્રોનને આકાશમાં ઉડતું જોયા પછી તરત જ તેની શોધખોળ શરૂ કરી. ડ્રોન ગાયબ થતાં પહેલાં લગભગ પાંચ મિનિટ સુધી હવામાં રહ્યું. સુરક્ષા દળો તેના મૂળ અને ગતિવિધિને ટ્રેક કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. એવી શંકા છે કે આ ડ્રોનનો ઉપયોગ સુરક્ષા દળોની ગતિવિધિઓ પર નજર રાખવા માટે કરવામાં આવ્યો હશે. એવી પણ ચિંતા છે કે તે શસ્ત્રો અથવા ડ્રગ્સ પહોંચાડતો હોઈ શકે છે. પાકિસ્તાન આવી પ્રવૃત્તિઓ માટે કુખ્યાત છે. તેથી, સુરક્ષા દળો બંને ભયને ધ્યાનમાં રાખીને કામ કરી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોમાં આવી ઘટનાઓમાં વધારો થયો છેલ્લા કેટલાક દિવસોમાં જમ્મુ અને કાશ્મીરના પીઓકેની સરહદે આવેલા વિસ્તારોમાં ડ્રોન જોવાની ઘટનાઓ અચાનક વધી ગઈ છે. ઊંચાઈ પર ઉડતા, ડ્રોન થોડા સમય પછી હવામાં ગાયબ થઈ જાય છે. અગાઉ, 15 જાન્યુઆરીએ, ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પર સાંબામાં એક ડ્રોન જોવા મળ્યું હતું. જ્યારે સુરક્ષા દળોએ તેના પર ગોળીબાર કર્યો, ત્યારે તે પાકિસ્તાની સરહદ તરફ ભાગી ગયો. એવું માનવામાં આવે છે કે પાકિસ્તાની સેના અથવા તેના પ્રાયોજિત આતંકવાદીઓ ભારતીય સુરક્ષા દળોની સતર્કતાનું મૂલ્યાંકન કરવા માટે આ યુક્તિનો ઉપયોગ કરી રહ્યા છે. તેઓ આતંકવાદીઓના ભાગી જવાના માર્ગો અને સુરક્ષા દળોની તૈનાતી ઓળખવાનો પ્રયાસ કરી રહ્યા છે. જોકે, સુરક્ષા દળો પહેલા કરતાં વધુ સતર્ક છે અને પાકિસ્તાનની કાર્યવાહીનો અસરકારક રીતે જવાબ આપી રહ્યા છે. આ પણ વાંચો : Rajasthan: 26 જાન્યુઆરી પૂર્વે સુરક્ષા એજન્સીઓનો મોટો એક્શન, નાગૌરમાંથી 10,000 કિલો વિસ્ફોટક જપ્ત

Read Full Story arrow_forward
Gujarat News: પદ્મ પુરસ્કાર 2026ની જાહેરાત, આ ગુજરાતીઓને મળશે પદ્મશ્રી એવોર્ડ
calendar_today January 25, 2026

Gujarat News: પદ્મ પુરસ્કાર 2026ની જાહેરાત, આ ગુજરાતીઓને મળશે પદ્મશ્રી એવોર્ડ

ભારત દેશના સર્વોચ્ચ નાગરિક સન્માનમાંથી એક પદ્મ પુરસ્કાર ત્રણ શ્રેણીમાં અપાય છે. જેમાં પદ્મ શ્રી, પદ્મ ભૂષણ અને પદ્મ વિભૂષણનો સમાવેશ થાય છે. ભારત સરકારે પ્રજાસત્તાક દિવસ પહેલા આ શ્રેષ્ઠ સન્માન જે લોકોને આપવામાં આવ્યું છે તેની યાદી જાહેર કરી છે. આ યાદીમાં કૂલ 45 લોકોને આ સન્માન આપવામાં આવ્યું છે. જેમાં ગુજરાતના ત્રણ લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે પાછળથી વધુ એક યાદીમાં અન્ય બે નામ પણ જાહેર કરવામાં આવતા પાંચ ગુજરાતીઓના નામનો સમાવેશ કરાયો હતો. આ ત્રણ ગુજરાતીઓને મળશે પદ્મશ્રી પુરસ્કાર કેન્દ્ર સરકાર દ્વારા પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ દેશના શ્રેષ્ઠ સન્માનની જાહેરાત કરવામાં આવે છે. આ વખતે 2026ના પદ્મ પુરસ્કારોમાં ગુજરાતના 5 વ્યક્તિઓને સ્થાન આપવામાં આવ્યું છે. જેમાં સાહિત અને શિક્ષણની કેટેગરીમાં આખ્યાનકાર અને માણભટ્ટ તરીકે ઓળખાતા ધાર્મિક લાલ પંડ્યા, સુરતમાં ઓર્ગન ડોનેશનમાં જેમનું સૌથી મોટું નામ છે તેવા નિલેશ માંડલેવાલા અને કલા ક્ષેત્રમાં હાજી રમકડુંના નામથી પ્રચલિત હાજી મીર કાસમવાલાનો સમાવેશ કરાયો છે. ત્યાર બાદ વધુ એક યાદી આવી હતી અને તેમાં સાહિત્યમાં રતિલાલ બોરીસાગર અને આર્ટમાં અનુપમા ફેમ અરવિંદ વૈધનો પણ સમાવેશ કરાયો હતો. જેથી પાંચ ગુજરાતીઓના નામનો સમાવેશ કરાયો હતો.

Read Full Story arrow_forward
Weather News:  રાજ્યના હવામાન વિભાગે કરી આગાહી
calendar_today January 25, 2026

Weather News: રાજ્યના હવામાન વિભાગે કરી આગાહી

અત્યાર સુધી રાજ્યની જનતાએ ગુલાબી ઠંડી મજા માણી છે. ત્યારે આગામી સમયમાં હાડ થીજવતી ઠંડી માટે તૈયાર રહેવા હવામાન વિભાગે જણાવ્યું છે. રાજ્યમાં શિયાળાએ હવે અસલી મિજાજ બતાવવાનું શરૂ કર્યું છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી લેટેસ્ટ આગાહી અનુસાર, આગામી દિવસોમાં સમગ્ર રાજ્યમાં હાડ થિજવતી ઠંડી પડે તેવી શક્યતા છે. ઉત્તર-પૂર્વીય પવનો ફૂંકાવાને કારણે લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થશે, જેનાથી સમગ્ર રાજ્યમાં ઠંડીનો ચમકારો વધશે. માછીમારોને દરિયો ન ખેડવા તાકીદ પવનની ગતિ 40 થી 50 કિમી પ્રતિ કલાક રહેવાની શક્યતા હોવાથી આગામી બે દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા તાકીદ કરવામાં આવી છે. ખાસ કરીને ઉત્તર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનનો વેગ વધુ રહેવાની સંભાવના છે. ઉત્તર-પૂર્વના ઠંડા પવનોને કારણે રાજ્યના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી શકે છે. જોકે, ખેડૂતો માટે રાહતના સમાચાર એ છે કે, હવામાન વિભાગે કમોસમી વરસાદની (માવઠા) શક્યતા નહીવત ગણાવી છે. પવનોના બદલાતા વહેણને કારણે વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીનું જોર વધશે, જેનાથી જનજીવન પ્રભાવિત થઈ શકે છે. તંત્ર દ્વારા વૃદ્ધો અને બાળકોને ઠંડી સામે સાવચેત રહેવા અને ગરમ કપડાંનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે.

Read Full Story arrow_forward