android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Patan: 14.98 લાખના ચેક રિટર્ન કેસમાં વિસનગરના કોન્ટ્રાક્ટરને 1 વર્ષની કેદ
calendar_today January 25, 2026

Patan: 14.98 લાખના ચેક રિટર્ન કેસમાં વિસનગરના કોન્ટ્રાક્ટરને 1 વર્ષની કેદ

પાટણની જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે ચેક રિટર્ન કેસમાં એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપ્યો છે. વિસનગરના પુદગામ સ્થિત 'શક્તિ એન્ટરપ્રાઈઝ' ફર્મના પ્રોપરાઈટર રાજેન્દ્રભાઈ ભગવાનદાસ પટેલને દોષિત ઠેરવી એક વર્ષની સાદી કેદ ની સજા ફટકારવામાં આવી છે. કોર્ટે આરોપીને ચેકની રકમ એટલે કે ₹14,98,229 વળતર પેટે 20 દિવસમાં ચૂકવી દેવા પણ કડક આદેશ કર્યો છે.રિટર્ન કેસમાં વિસનગરના કોન્ટ્રાક્ટરને સજાપાટણની જી.આઈ.ડી.સી.માં 'ઉમા સ્ટીલ' નામની પેઢી ધરાવતા દિવ્યકુમાર પ્રકાશભાઈ પટેલ લોખંડની ચીજવસ્તુઓનો વેપાર કરે છે. આરોપી રાજેન્દ્ર પટેલ કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા હોવાથી તેઓ દિવ્યકુમાર પાસેથી માલસામાનની ખરીદી કરતા હતા. આરોપીએ કુલ ₹58,99,088 ના ટી.એમ.ટી. સળિયા ખરીદ્યા હતા.જેમાંથી ₹44,02,050 ચૂકવ્યા હતા, પરંતુ બાકી રહેતી ₹14,98,229 ની રકમ માટે ચેક આપ્યો હતો.26 નવેમ્બર 2022 ના રોજ બેંક ખાતામાં 'અપૂરતું ભંડોળ' હોવાના કારણે આ ચેક રિટર્ન થયો હતો.કોર્ટની મહત્વની અવલોકનજ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ડી.એમ. ચૌહાણે ચુકાદો સંભળાવતા નોંધ્યું હતું કેફરિયાદી પક્ષે તમામ પુરાવાઓ સાથે કેસ સંપૂર્ણપણે સાબિત કર્યો છે.આરોપી સામે સમાન પ્રકારના અન્ય કેસો પણ પડતર છે, જે દર્શાવે છે કે તેઓ આવા ગુના કરવા માટે ટેવાયેલા છે.આરોપીએ જાણીજોઈને ખાતામાં બેલેન્સ ન હોવા છતાં ચેક આપી ફરિયાદી સાથે વિશ્વાસઘાત કર્યો છે.આ પણ વાંચો: એમ.જી. રોડ પર આવેલા જૈન દેરાસરમાં તસ્કરી, ભગવાનનો રૂ. 50 હજારનો ચાંદીનો મુગટ ચોરી અજાણ્યો શખ્સ ફરાર

Read Full Story arrow_forward
India Us Relation: ભારત સાથે સંબંધો સુધારવા Trump ની પહેલ, ટ્રમ્પ સ્પેશ્યિલ ટીમ મોકલી દિલ્હી
calendar_today January 25, 2026

India Us Relation: ભારત સાથે સંબંધો સુધારવા Trump ની પહેલ, ટ્રમ્પ સ્પેશ્યિલ ટીમ મોકલી દિલ્હી

વૈશ્વિક રાજકારણમાં બદલાતા સમીકરણો વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સાથેના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવા માટે એક મહત્વનું પગલું ઉઠાવ્યું છે. ટ્રમ્પે ત્રણ સભ્યોના ઉચ્ચ સ્તરીય અમેરિકી કોંગ્રેસી પ્રતિનિધિમંડળને ભારત મોકલ્યું છે, જેણે રવિવારે નવી દિલ્હીમાં ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી. અનેક મુદ્દાઓ પર કરી ચર્ચા આ બેઠકનો મુખ્ય હેતુ ભારત-અમેરિકા વચ્ચે ચાલી રહેલા તણાવને ઓછો કરી વેપાર અને સુરક્ષાના ક્ષેત્રમાં નવી ભાગીદારી શરૂ કરવાનો રહ્યો હતો. બેઠકમાં અમેરિકી રાજદૂત સર્જિયો ગોર ઉપરાંત અમેરિકી કોંગ્રેસના સભ્યો જિમી પેટ્રોનિસ, માઈક રોજર્સ અને એડમ સ્મિથ ઉપસ્થિત રહ્યા હતા. વિદેશમંત્રી એસ.જયશંકરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર માહિતી આપી બેઠક બાદ વિદેશ મંત્રી એસ. જયશંકરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર માહિતી આપી હતી કે, અમેરિકી ટીમ સાથે નીચે મુજબના ગંભીર મુદ્દાઓ પર મંથન કરવામાં આવ્યું. ઇન્ડો-પેસિફિક ક્ષેત્ર: આ વિસ્તારમાં શાંતિ અને સ્થિરતા જાળવવા અંગે સહયોગ. વૈશ્વિક સ્તરે યુક્રેન યુદ્ધની અસરો અને ભારતના વલણ અંગે ચર્ચા. મહત્વપૂર્ણ ટેકનોલોજીના આદાન-પ્રદાન અને દ્વિપક્ષીય વેપાર કરારને આગળ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો. સંબંધોમાં નવો અધ્યાય નિષ્ણાતો માને છે કે જ્યારે અમેરિકાને સમજાયું કે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ભારત કોઈ દબાણ સામે ઝૂકવાનું નથી, ત્યારે ટ્રમ્પ વહીવટીતંત્રે સમાધાનકારી માર્ગ અપનાવ્યો છે. અમેરિકી રાજદૂતે આ બેઠકને અત્યંત ઉત્પાદક ગણાવી હતી. બંને દેશો હવે જૂના વિવાદો છોડીને ડિફેન્સ અને ક્રિટિકલ ટેકનોલોજીમાં એકબીજાના પૂરક બનવા તરફ આગળ વધી રહ્યા છે. આ પણ વાંચોઃ Manali જવાનું વિચારી રહ્યા હોવ તો થોભી જજો!, પ્લાન બનાવતા પહેલા વાંચી લો આ સમાચાર

Read Full Story arrow_forward
Panchmahal News: ગોધરામાં બોમ્બ સ્ક્વોડ અને પોલીસનું સર્ચ ઓપરેશન
calendar_today January 25, 2026

Panchmahal News: ગોધરામાં બોમ્બ સ્ક્વોડ અને પોલીસનું સર્ચ ઓપરેશન

પંજાબના ફતેહગઢ સ્થિત સરહિન્દ રેલવે સ્ટેશન પાસે થયેલા બ્લાસ્ટ બાદ સમગ્ર દેશમાં સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. ગુપ્તચર વિભાગને મળેલા મહત્વના ઇનપુટ્સના આધારે રેલવે સ્ટેશનો આતંકીઓના ટાર્ગેટ પર હોવાની આશંકા સેવાઈ રહી છે. જેના પગલે પંચમહાલ જિલ્લાના સંવેદનશીલ ગણાતા ગોધરા રેલવે સ્ટેશન પર આજે સવારથી જ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.બોમ્બ સ્ક્વોડ અને રેલવે પોલીસ એક્શનમાં રેલવે પોલીસ (GRP) અને રેલવે સુરક્ષા દળ (RPF) દ્વારા બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDS) ને સાથે રાખીને સમગ્ર સ્ટેશન પરિસરમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. ગોધરા સ્ટેશનના પ્લેટફોર્મ, વેઈટિંગ રૂમ, પાર્કિંગ એરિયા અને ટ્રેક પાસે બારીકાઈથી તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત, વિવિધ ટ્રેનોમાં મુસાફરોની બેગ અને સામાનનું મેટલ ડિટેક્ટરની મદદથી ચેકિંગ કરાયું હતું. મુસાફરોની સુરક્ષા પ્રથમ પ્રાથમિકતા પોલીસના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા અનુસાર, મુસાફરોની સુરક્ષાને ધ્યાને રાખીને આ કાર્યવાહી કરવામાં આવી છે. શંકાસ્પદ વસ્તુઓ કે વ્યક્તિઓ પર નજર રાખવા માટે સીસીટીવી ફૂટેજનું પણ સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. પંજાબની ઘટના બાદ ગુજરાતના તમામ મુખ્ય રેલવે સ્ટેશનો પર એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. રેલવે પોલીસ દ્વારા મુસાફરોને પણ અપીલ કરવામાં આવી છે કે કોઈ પણ બિનવારસી વસ્તુ જોવા મળે તો તુરંત પોલીસનો સંપર્ક કરે. આ પણ વાંચો - Godhra news: પોલીસ ભરતી પ્રક્રિયા દરમિયાન ઉમેદવારનું મોત

Read Full Story arrow_forward