android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
18th Rojgar Mela : અનેક ક્ષેત્રોમાં ગ્લોબલ હબ બની રહ્યું છે ભારત, બોલ્યા પીએમ મોદી
calendar_today January 24, 2026

18th Rojgar Mela : અનેક ક્ષેત્રોમાં ગ્લોબલ હબ બની રહ્યું છે ભારત, બોલ્યા પીએમ મોદી

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 18મા રોજગાર મેળાના પ્રસંગે દેશભરના સરકારી વિભાગો અને સંગઠનોમાં નવા ભરતી થયેલા 61000 થી વધુ યુવાનોને વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા નિમણૂક પત્રોનું વિતરણ કર્યું. તેમણે યુવાનોને તેમના કૌશલ્યને વધુ મજબૂત બનાવવા અને ઉપલબ્ધ રોજગાર તકોનો લાભ લેવા માટે પ્રોત્સાહિત કર્યા. 45 સ્થળોએ નિમણૂક પત્રોનું વિતરણ આ રોજગાર મેળો યુવાનોને સરકારી સેવાઓમાં જોડાવા અને નવી કારકિર્દી શરૂ કરવા માટે એક મૂલ્યવાન તક પૂરી પાડે છે. દેશભરમાં 45 સ્થળોએ રોજગાર મેળાઓ દ્વારા પસંદગી પામેલા યુવાનોને નિમણૂક પત્રોનું વિતરણ કરવામાં આવ્યુ. આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યું કે આ સમય તમને બંધારણ પ્રત્યેની તમારી જવાબદારીઓની નજીક પણ લાવી રહ્યો છે... 24 જાન્યુઆરીના રોજ આપણા બંધારણે જન ગણ મનને રાષ્ટ્રગીત તરીકે અને વંદે માતરમને રાષ્ટ્રગાન તરીકે સ્વીકાર્યું... આ નિમણૂક પત્ર, એક રીતે, રાષ્ટ્રનિર્માણ માટે આમંત્રણ પત્ર છે. આ એક 'સંકલ્પ પત્ર' છે જે એક વિકસિત ભારત તરફ દિશા આપે છે...' કૌશલ્ય વિકાસ માટે I-GOT કર્મયોગી પોર્ટલ ભારત સરકાર અને ભાગીદાર રાજ્ય સરકારો સંયુક્ત રીતે યુવાનો માટે લાખો નવી રોજગાર તકોનું સર્જન કરી રહી છે. UPSC, SSC, રેલ્વે ભરતી બોર્ડ અને IBPS જેવી મુખ્ય એજન્સીઓ દ્વારા ભરતી કરવામાં આવી રહી છે. UPSCનું "પ્રતિભા સેતુ" પોર્ટલ પ્રતિભાશાળી યુવાનોને ખાનગી ક્ષેત્રમાં રોજગાર શોધવાની તકો પણ પૂરી પાડે છે. મહિલાઓ, અપંગ વ્યક્તિઓ અને પછાત જિલ્લાઓના ઉમેદવારોને વિશેષ લાભો પૂરા પાડવામાં આવે છે, અને ભરતી પરીક્ષાઓ 13 પ્રાદેશિક ભાષાઓમાં લેવામાં આવે છે. ભરતી પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શક અને સમયસર છે, અને પેપર લીક જેવી સમસ્યાઓને રોકવા માટે કડક કાયદાઓ અમલમાં છે. વધુમાં, I-GOT કર્મયોગી પોર્ટલ 4,200 થી વધુ ઉચ્ચ-ગુણવત્તાવાળા અભ્યાસક્રમો પ્રદાન કરે છે, જેણે આજ સુધીમાં 14.7 મિલિયનથી વધુ સરકારી કર્મચારીઓને તાલીમ આપી છે. આ યુવાનોને માત્ર રોજગારની તકો જ નહીં પરંતુ કૌશલ્ય વૃદ્ધિની તકો પણ પૂરી પાડે છે.

Read Full Story arrow_forward
Morbi જિલ્લામાં CM ભૂપેન્દ્ર પટેલ વિકાસકાર્યોની ભેટ આપશે, જુઓ Video
calendar_today January 24, 2026

Morbi જિલ્લામાં CM ભૂપેન્દ્ર પટેલ વિકાસકાર્યોની ભેટ આપશે, જુઓ Video

રાજ્યના મંત્રી અને મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા શહેર અને જિલ્લાના સંતુલિત વિકાસ માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મોરબીને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ સરકારે વિકાસ કાર્યો માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી છે. આશરે એક વર્ષ પહેલા રાજ્ય સરકારે નવ નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો આપ્યો હતો, જેમાં મોરબીનો પણ સમાવેશ થાય છે. ત્યારથી, મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં લોકોની સુખાકારી વધારવા માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટનો ઉપયોગ કરીને અનેક કાર્યો કરવામાં આવ્યા છે. હાલમાં પણ કેટલાક વિકાસ કાર્યો પ્રગતિ હેઠળ છે. 1 એસપી, 4 ડીવાયએસપી, 10 પીઆઈ, 25 પીએસઆઈ સહિત 200 થી વધુનો પોલીસ સ્ટાફ બંદોબસ્તમાં રહેશે મોરબી : આવતીકાલે તારીખ 24 જાન્યુઆરી ને શનિવારના રોજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મોરબીની મુલાકાતે આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ મોરબી જિલ્લાના વિવિધ વિભાગોના આસરે 1042 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ બપોરે 2 કલાકે મોરબીના લીલાપર કેનાલ રોડ પર આવેલા રામોજી ફાર્મ (રામકો) (ઉમિયા નવરાત્રિ મહોત્સવ ગ્રાઉન્ડ) ખાતે યોજાશે. આ પણ વાંચો : Amreli News : અમરેલીમાં સાયબર ફ્રોડ કેસમાં ઐતિહાસિક ચુકાદો,‘સરપ્રાઈઝ ગિફ્ટ’ના બહાને છેતરપિંડી આચરનાર નાઇજીરીયન મહિલાને 7 વર્ષની કેદ થઈ

Read Full Story arrow_forward
Rajkot : મિલકત વેરા વસૂલાત માટે મનપાની કડક કાર્યવાહી, મિલકત જપ્તી, સિલીંગ સુધીના કડક પગલાંની ચેતવણી
calendar_today January 24, 2026

Rajkot : મિલકત વેરા વસૂલાત માટે મનપાની કડક કાર્યવાહી, મિલકત જપ્તી, સિલીંગ સુધીના કડક પગલાંની ચેતવણી

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં બાકી રહેલા મિલકત વેરા વસૂલ કરવા માટે કડક પગલાં લેવાનું શરૂ કરવામાં આવ્યું છે. મનપા દ્વારા તાત્કાલીક અસરથી બાકી વેરો ભરી દેવા બાબતે શહેરના અલગ અલગ વિસ્તારમાં હોર્ડિંગ-બોર્ડ લગાવવામાં આવ્યા છે.હોર્ડિંગ-બોર્ડ લગાવવામાં આવ્યા કોર્પોરેશન દ્વારા બાકી વેરો ભરવાની તાકીદ કરતા બાલ ભવન ચોક, રેસકોર્સ, મનપા કચેરી સહિતના સ્થળોએ હોર્ડિંગ-બોર્ડ લગાવવામાં આવ્યા છે. મિલકતના નળ કનેક્શન કાપી નાખવા, જપ્તી સહિતની કાર્યવાહી કરાશે હોર્ડિંગ-બોર્ડમાં સ્પષ્ટ રીતે ચેતવણી આપવામાં આવી છે કે, વેરા બાકી રહેવાના સ્થિતીમાં મિલકતના નળ કનેક્શન કાપી નાખવા, મિલકત જપ્તી, સિલીંગ અને હરરાજી જેવી કાર્યવાહી હાથ ધરાશે. મનપા તંત્રએ નાગરિકોને આ મામલે સતર્ક રહેવાની આપી છે. તમામ મિલકતધારકો પોતાના બાકી વેરા ચૂકવી દે ઉલ્લેખનિય છે કે પાલિકાની તિજોરી ખાલી થઇ રહી છે અને હવે માર્ચ એન્ડિગ પણ નજીક આવતા તંત્ર બાકી વેરાની વસૂલાત માટે ગંભીર બન્યું છે. મનપા ઈચ્છે છે કે તમામ મિલકતધારકો પોતાના બાકી વેરા ચૂકવી દે અને આકરાં પગલાંથી બચે.આ પણ વાંચો----    Vadodara : અકોટા બ્રિજ પાસે બાઈક અકસ્માતમાં યુવકના થયેલા મોતમાં ચોંકાવનારો ઘટસ્ફોટ, યુવકે તેના મોંઢા પર પ્લાસ્ટિકની કોથળી કેમ બાંધી ?

Read Full Story arrow_forward