android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Union Budget 2026: શું મિડલ ક્લાસની કિસ્મત ચમકશે? જાણો શું છે આશા અપેક્ષા
calendar_today January 22, 2026

Union Budget 2026: શું મિડલ ક્લાસની કિસ્મત ચમકશે? જાણો શું છે આશા અપેક્ષા

દર વર્ષે ફેબ્રુઆરી નજીક આવતાની સાથે જ સૌ કોઇની નજર એક જ બાબત પર હોય અને તે છે કેન્દ્રીય બજેટ. 1 ફેબ્રુઆરી, 2026 ના રોજ રજૂ થનાર મોદી સરકાર 3.0 નું ત્રીજું પૂર્ણ બજેટ રજૂ થવાનું છે. આ માત્ર કોઇ ગણતરી નહીં પણ સામાન્ય માણસના ખિસ્સા અને તેની બચતનું ભવિષ્ય નક્કી કરે છે. . આ વર્ષનું કેન્દ્રીય બજેટ (2026-27) ખૂબ જ ખાસ અને ઐતિહાસિક માનવામાં આવે છે. તેનું સૌથી મોટું કારણ એ છે કે તે વર્તમાન આવકવેરા કાયદા હેઠળ રજૂ કરાયેલ છેલ્લું પૂર્ણ બજેટ હશે. સરકાર 1 એપ્રિલ, 2026થી શરૂ થતા લગભગ 60 વર્ષ જૂના કર કાયદાઓને બદલીને નવો 'આવકવેરા કાયદો 2025' લાગુ કરવાની તૈયારી કરી રહી છે. આ બજેટ ફક્ત વર્તમાન જરૂરિયાતોને પૂર્ણ કરશે જ નહીં પરંતુ ભાવિ કર પ્રણાલીનો પાયો પણ નાખશે. ત્યારે આવો જાણીએ કરદાતાઓ કઈ પાંચ મોટી રાહતોની અપેક્ષા રાખી શકે છે. જૂના કરવેરા શાસન હેઠળના લોકોની દુર્દશા ગયા વર્ષે બજેટ 2025 માં સરકારે "નવી કરવેરા વ્યવસ્થા" ને આકર્ષક ગણાવીને હેડલાઇન્સમાં સ્થાન મેળવ્યું હતું. ₹12 લાખ સુધીની આવકને કરમુક્ત બનાવવા અને મૂળભૂત મુક્તિ મર્યાદા ₹4 લાખ સુધી વધારવા જેવા નિર્ણયોએ નવી વ્યવસ્થાને મજબૂત બનાવી. જોકે આ ઝગમગાટ વચ્ચે જેઓ હજુ પણ "જૂની કરવેરા વ્યવસ્થા" પર આધાર રાખે છે તેઓ છેતરાયા હોવાનું અનુભવે છે. જૂની વ્યવસ્થા હેઠળના કરદાતાઓ પીએફ, હોમ લોન અને વીમા દ્વારા બચત પર ભાર મૂકે છે. તેમની સૌથી મોટી માંગ એ છે કે મૂળભૂત મુક્તિ મર્યાદા જે હજુ પણ ₹2.5 લાખ પર અટવાયેલી છે તેને વધારવામાં આવે. કલમ 80C હેઠળ ₹1.5 લાખની મુક્તિ ફુગાવાના સમયમાં અપૂરતી સાબિત થઈ રહી છે. કરદાતાઓ ઇચ્છે છે કે બાળકોના શિક્ષણ અને વીમાના ખર્ચને ધ્યાનમાં રાખીને આ મર્યાદા ઓછામાં ઓછી ₹2 લાખ સુધી વધારી દેવામાં આવે. આવાસ અને તબીબી ખર્ચ પર મુક્તિની આવશ્યકતા મોંઘવારીના આ યુગમાં ઘર ખરીદવું અને બીમારીઓની સારવાર કરવી એક મોટો પડકાર બની ગયો છે.કરદાતાઓની દલીલ છે કે રાહત ફક્ત ટેક્સ સ્લેબ બદલવાથી નહીં પરંતુ આવશ્યક ખર્ચ પર મુક્તિથી મળશે. હોમ લોનના વ્યાજ પર ₹2 લાખની મુક્તિ હવે વધતી જતી કિંમતોની સરખામણીમાં ખૂબ ઓછી છે. મધ્યમ વર્ગ માંગ કરે છે કે જો સરકાર 'નવી કર વ્યવસ્થા' ભવિષ્ય બનાવવા માંગે છે, તો તેમાં ચોક્કસ કપાતનો પણ સમાવેશ થવો જોઈએ. બચત અને રોકાણને પ્રોત્સાહન આપવા માટે નવી સિસ્ટમમાં ખાસ કરીને આરોગ્ય વીમા અને ગૃહ લોન પર કર મુક્તિઓનો સમાવેશ થવો જોઈએ. ફક્ત કર ઘટાડા જ નહીં, પણ સરળ નિયમોની પણ રાહ જોવાઈ રહી છે. સામાન્ય માણસ ફક્ત કર ઘટાડાની માંગ કરી રહ્યો નથી તે પ્રણાલીગત મુશ્કેલીઓથી પણ મુક્તિ ઇચ્છે છે. ઘણીવાર એવું જોવા મળે છે કે રિટર્ન ફાઇલ કર્યા પછી, રિફંડ માટે લાંબી રાહ જોવી પડે છે અથવા TDS મેચિંગમાં સમસ્યાઓ આવે છે. આગામી નવા કર કાયદાથી સૌથી મોટી અપેક્ષા એ છે કે નિયમો સરળ બનાવવામાં આવશે. "મૂલ્યાંકન વર્ષ" ની વિભાવનાને "કર વર્ષ" સાથે બદલવાની ચર્ચા થઈ રહી છે. કરદાતાઓને આશા છે કે બજેટ 2026 મૂડી લાભ કરની જટિલતાઓને ઉકેલશે. હાલમાં, શેરબજાર, મ્યુચ્યુઅલ ફંડ અને મિલકત પર અલગ અલગ નિયમો લાગુ પડે છે, જેનાથી મૂંઝવણ ઊભી થાય છે. લોકો બધી સંપત્તિઓ માટે એક સમાન અને સરળ સિસ્ટમ ઇચ્છે છે.Stock Market Opening: ટ્રેડ ડીલ અંગે ટ્રમ્પનો પોઝિટીવ સંકેત, સેન્સેક્સમાં 730 પોઇન્ટનો ઉછાળો

Read Full Story arrow_forward
Union Budget 2026 : EMI ઘટશે કે કર છૂટ મળશે? રિયલ એસ્ટેટને મોટી આશા
calendar_today January 22, 2026

Union Budget 2026 : EMI ઘટશે કે કર છૂટ મળશે? રિયલ એસ્ટેટને મોટી આશા

કેન્દ્રીય બજેટ 2026ની જાહેરાત પહેલાં જ ભારતીય રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં ચર્ચાઓ તેજ થઈ ગઈ છે. છેલ્લા કેટલાક વર્ષોમાં COVID-19, મોંઘવારી અને વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાના કારણે રિયલ એસ્ટેટ પર અસર પડી હતી, પરંતુ હવે પરિસ્થિતિ ઝડપથી બદલાઈ રહી છે. માંગમાં વધારો, ઘર ખરીદવાની માનસિકતા અને રોકાણ માટેનું વધતું આકર્ષણ બતાવે છે કે ક્ષેત્ર ફરી એક વખત વૃદ્ધિના માર્ગ પર છે. પહેલી વાર ઘર ખરીદનારાઓની મોટી અપેક્ષાઓ મધ્યમ વર્ગ અને પહેલી વાર ઘર ખરીદનારાઓ માટે EMI સૌથી મોટો મુદ્દો છે. હાલના ઊંચા વ્યાજ દરોના કારણે ઘણા લોકો ઘર ખરીદવાનો નિર્ણય પાછળ ધકેલી રહ્યા છે. બજેટ 2026માં સરકાર હોમ લોન પર વધારાની વ્યાજ સબસિડી, કર છૂટછાટ અને લાંબા ગાળાની ચુકવણીની સુવિધા આપે તેવી અપેક્ષા છે. જો આવું થાય, તો ખાસ કરીને મેટ્રો શહેરોમાં રહેતા લોકો માટે EMIનો ભાર ઓછો થઈ શકે છે. નાના શહેરો બની રહ્યા છે નવી તક રિયલ એસ્ટેટ નિષ્ણાતો માને છે કે આગામી વૃદ્ધિનું કેન્દ્ર નાના અને મધ્યમ શહેરો હશે. અહીં સસ્તા દરે મોટા પ્રોજેક્ટ્સ ઉપલબ્ધ છે અને જીવનની ગુણવત્તા પણ સુધરી રહી છે. મોટા ડેવલપર્સનું આ શહેરોમાં વધતું રોકાણ એ સંકેત આપે છે કે માંગ વાસ્તવિક છે, માત્ર સ્પેક્યુલેશન નથી. સરકાર જો બજેટ 2026માં કર પ્રોત્સાહન અને લિક્વિડિટી સપોર્ટ આપે, તો આ બજારો વધુ મજબૂત બની શકે છે. રોકાણકારો માટે સરળ નિયમોની માંગ આજના રોકાણકારો જટિલ નિયમોથી દૂર રહેવા માગે છે. લાંબા ગાળાના મૂડી લાભ પર કર વ્યવસ્થા સરળ બનાવવાની માંગ ઉઠી છે, જેથી વધુ લોકો શેરબજાર, ડિજિટલ ગોલ્ડ અને અન્ય નાણાકીય ઉત્પાદનો તરફ વળે. જો બજેટ 2026માં સ્પષ્ટ અને સરળ નિયમો લાગુ થાય, તો નાણાકીય સમાવેશમાં મોટો વધારો થઈ શકે છે. લક્ઝરી અને અલ્ટ્રા-લક્ઝરી સેગમેન્ટ પર ફોકસ પ્રીમિયમ અને અલ્ટ્રા-લક્ઝરી રિયલ એસ્ટેટ હવે માત્ર અમીરોની પસંદગી નથી, પરંતુ એક મજબૂત માર્કેટ ટ્રેન્ડ બની ગયું છે. ઉદ્યોગ તરફથી માંગ છે કે કલમ 54 અને 54F હેઠળ મૂડી લાભ રોકાણ મર્યાદા વધારવામાં આવે. આ પગલું મોટા રોકાણોને સરળ બનાવશે અને હાઈ-નેટ-વર્થ રોકાણકારોને પ્રોત્સાહન આપશે. ગ્રીન ફાઇનાન્સિંગ અને સ્માર્ટ હોમ્સ બજેટ 2026માં ગ્રીન ફાઇનાન્સિંગ, સ્માર્ટ હોમ ટેકનોલોજી અને ડેટા સેન્ટર જેવી આધુનિક માળખાગત સુવિધાઓ પર ધ્યાન આપવાની જરૂર છે. આ ક્ષેત્રોમાં નીતિગત સહાય મળશે તો વિકાસકર્તાઓ માટે ભંડોળ મેળવવું સરળ બનશે અને દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને ગતિ મળશે. NRI રોકાણકારો માટે તક NRI રોકાણકારો માટે TDS નિયમોનું સરળીકરણ વિદેશી મૂડીના પ્રવાહને વધારી શકે છે. જો સરકાર આ દિશામાં પગલા ભરે, તો 2026માં રિયલ એસ્ટેટ બજારની દિશા નોંધપાત્ર રીતે બદલાઈ શકે છે. બજેટ 2026 રિયલ એસ્ટેટ માટે નિર્ણાયક સાબિત થઈ શકે છે. જો સરકાર ઘર ખરીદનારાઓને કર રાહત, સસ્તી હોમ લોન અને રોકાણકારો માટે સરળ નિયમો આપે, તો ખરેખર ‘સારા દિવસો’ આવવાની શક્યતા છે.આ પણ વાંચો : Union Budget 2026 : આ શબ્દો સમજો અને બજેટ ભાષણ બની જશે એકદમ સરળ

Read Full Story arrow_forward
Dhar Bhojshala: વસંત પંચમીએ ધાર ભોજશાળામાં નમાજ પર રોક નહીં, SCનો આદેશ
calendar_today January 22, 2026

Dhar Bhojshala: વસંત પંચમીએ ધાર ભોજશાળામાં નમાજ પર રોક નહીં, SCનો આદેશ

 મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં સ્થિત ઐતિહાસિક ભોજશાળા પર લાંબા સમયથી ચાલી રહેલા વિવાદમાં નવી અરજીની સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે આજે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. કોર્ટે વસંત પંચમી પર ભોજશાળામાં સરસ્વતી પૂજા અને નમાઝ માટે અલગ અલગ સમય મંજૂર કર્યા છે.ભોજશાળામાં પૂજા અને નમાજ બંને થશે- સુપ્રિમ કોર્ટ   મુસ્લિમ સમુદાયને શુક્રવારે બપોરે 1 થી 3 વાગ્યા સુધી નમાઝ અદા કરવાની મંજૂરી આપવામાં આવી છે. બંને પક્ષોને બેરિકેડિંગ અને અલગ પ્રવેશ-બહાર નીકળવાની વ્યવસ્થા કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે જેથી સ્થળ એકસાથે વહેંચાય.શું કરી હતી અરજી ?  આ અરજીમાં હિન્દુ પક્ષે માંગ કરી છે કે આગામી વસંત પંચમી (શુક્રવાર, 23 જાન્યુઆરી, 2026) પર ભોજશાળામાં ફક્ત હિન્દુઓને જ દેવી સરસ્વતીની પૂજા કરવાની મંજૂરી આપવામાં આવે અને મુસ્લિમ સમુદાયને નમાઝ અદા કરવાથી રોકી દેવામાં આવે. સુનાવણી દરમિયાન, કોર્ટે બંને પક્ષો વચ્ચે સંકલનની જરૂરિયાત પર ભાર મૂક્યો જેથી ધાર્મિક લાગણીઓનું સન્માન થાય. સીજેઆઈ સૂર્યકાંત, જસ્ટિસ જોયમલ્યા બાગચી અને જસ્ટિસ વિપુલ એમ. પંચોલીની બનેલી બેન્ચ હિન્દુ ફ્રન્ટ ફોર જસ્ટિસ દ્વારા દાખલ કરાયેલી અરજીની સુનાવણી કરી.  આ અરજીમાં ભોજશાળાને હિન્દુ મંદિર માનતા હિન્દુ સંગઠને સરસ્વતી પૂજા માટે ખાસ પરવાનગી માંગી છે.અરજીમાં કહેવામાં આવ્યું છે કે સનાતન ધર્મના અનુયાયીઓ માટે વસંત પંચમી એક ખૂબ જ પવિત્ર તહેવાર છે, અને દેવી સરસ્વતીની પરંપરાગત પૂજા લાંબા સમયથી આ દિવસે કરવામાં આવે છે. જ્યારે પણ વસંત પંચમી શુક્રવારે આવે છે, ત્યારે એક સાથે પૂજા અને નમાઝ અરાજકતા, સંઘર્ષ અને ક્યારેક સાંપ્રદાયિક તણાવ તરફ દોરી જાય છે.મુસ્લિમ પક્ષની દલીલ છે કે 'શુક્રવારની નમાઝનો સમય નિશ્ચિત'અરજદારે કોર્ટને જણાવ્યું હતું કે આવતીકાલે, 23 જાન્યુઆરીએ, વસંત પંચમી છે, અને પૂજા અને હવન સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી કરવામાં આવશે. તેમણે પૂછ્યું કે શું નમાઝ સાંજે 5 વાગ્યા પછી થઈ શકે છે. મુસ્લિમ પક્ષના વકીલે જવાબ આપ્યો કે શુક્રવારની નમાઝ બપોરે 1 થી 3 વાગ્યાની વચ્ચે થાય છે, અને તેનો સમય નિશ્ચિત છે. તેઓ નમાઝ પછી જગ્યા ખાલી કરશે. તેમણે ઉમેર્યું હતું કે અન્ય નમાઝનો સમય બદલી શકાય છે, પરંતુ શુક્રવારની નમાઝ માટે નહીં.કોર્ટે શું કહ્યું? કોર્ટમાં હાજર રહેલા ASI વકીલે ખાતરી આપી હતી કે કાયદો અને વ્યવસ્થા જાળવવામાં આવશે અને તમામ બાબતોનું ધ્યાન રાખવામાં આવશે. દલીલો સાંભળ્યા પછી કોર્ટે આદેશ આપ્યો કે કેમ્પસમાં બપોરે 1 થી 3 વાગ્યા સુધી પ્રાર્થના માટે એક સમર્પિત જગ્યા ફાળવવામાં આવે, જ્યાં મુસ્લિમો શાંતિથી પ્રાર્થના કરી શકે. કોર્ટે એવો પણ આદેશ આપ્યો કે હિન્દુઓ માટે સરસ્વતી પૂજા, હવન અને વસંત પંચમી સંબંધિત અન્ય કાર્યક્રમો કરવા માટે એક સમર્પિત જગ્યા ફાળવવામાં આવે.Stock Market Opening: ટ્રેડ ડીલ અંગે ટ્રમ્પનો પોઝિટીવ સંકેત, સેન્સેક્સમાં 730 પોઇન્ટનો ઉછાળો

Read Full Story arrow_forward