android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News Live : ગુજરાતમાં ઠંડીનો ચમકારો ઘટયો, બપોરે 30 થી 32 ડિગ્રી સુધી મહતમ તાપમાન રહેશે
calendar_today January 22, 2026

Gujarat Latest News Live : ગુજરાતમાં ઠંડીનો ચમકારો ઘટયો, બપોરે 30 થી 32 ડિગ્રી સુધી મહતમ તાપમાન રહેશે

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 22 જાન્યુઆરીના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Weather News : ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ ઘટયું, વહેલી સવારે ઠંડી તો બપોરના સમયે ગરમીનો અહેસાસ કરતા શહેરીજનો
calendar_today January 22, 2026

Weather News : ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ ઘટયું, વહેલી સવારે ઠંડી તો બપોરના સમયે ગરમીનો અહેસાસ કરતા શહેરીજનો

નલિયામાં 10.4 ડિગ્રી ,અમરેલીમાં 12.7 ડિગ્રી, ડીસામાં 13 ડિગ્રી, રાજકોટમાં 12.3 ડિગ્રી, પોરબંદરમાં 14.8 ડિગ્રી, ગાંધીનગરમાં 15.3 ડિગ્રી, કંડલામાં 15.5 ડિગ્રી, દીવમાં 15.7 ડિગ્રી, સુરતમાં 16.8 ડિગ્રી, અમદાવાદમાં 17 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આગામી પાંચ દિવસ દરમિયાન ઉત્તરપશ્ચિમ ભારત અને બિહારમાં સવારના સમયે ગાઢ ધુમ્મસ છવાયેલું રહેવાની આશંકા છે. રાજસ્થાનનું પિલાની દેશનું સૌથી ઠંડુ શહેર રહ્યુંહતું તે દિલ્હીના આયાનગરમાં પારો ૨.૯ ડિગ્રી રેકોર્ડ થયો હતો. હવામાન વિભાગના અનુસાર દિલ્હીના લોકોને ઓછામાં ઓછા બે દિવસ ઠંડીથી રાહત નહીં મળે. દેશના ઘણા મેદાન વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન રેકોર્ડ બનાવી રહ્યું છે. મેદાન વિસ્તારમાં ઘણા શહેરોમાં તાપમાન શૂન્ય ડિગ્રીની નજીક પહોંચી રહ્યો છે.કેમ આ વર્ષે શિયાળો ‘નરમ’ રહ્યો? હવામાન નિષ્ણાતોના કહેવા મુજબ, સામાન્ય રીતે ડિસેમ્બરમાં ઉત્તર ભારત તરફથી આવતા સૂકા અને ઠંડા પવનો ગુજરાતમાં ઠંડી લાવે છે. પરંતુ આ વખતે હિમાલયમાં આ વખતે મજબુત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (પશ્ચિમી વિક્ષેપ) સર્જાયા નથી. જ્યારે પહાડો પર ભારે હિમવર્ષા થાય છે. ત્યારે ત્યાંથી ફેંકાતા ઠંડા પવનો મેદાની વિસ્તારો અને ગુજરાત સુધી ઠંડી લાવે છે. આ વર્ષે ઉત્તર ભારતમાં હિમવર્ષા ઓછી થતા ઠંડીનું મોજુ સર્જાયું નથી. હવામાન નિષ્ણાતોના મતે, પ્રશાંત મહાસાગરમાં તાપમાન વધવાની ઘટના એટલે કે 'અલ નિનો'ની અસરને કારણે વૈશ્વિક સ્તરે શિયાળો હુંફાળો રહ્યો છે. અરબી સમુદ્ર તરફથી આવતા ગરમ અને ભેજવાળા પવનોને કારણે લઘુતમ તાપમાનમાં ઘટાડો થતો અટક્યો છે. ગુજરાત સહિત દેશભરમાં ગ્લોબલ વોર્મિંગની અસર ખુબ ઝડપથી વધી રહી છે છેલ્લાં કેટલાંક વર્ષથી ગુજરાતની ત્રણેય સિઝનમાં ખૂબ મોટો બદલાવ મળી રહ્યો છે. ડિસેમ્બર મહિનામાં રાજ્યમાં મોટાભાગે કાતિલ ઠંડીનો વર્તારો શરૂ થઈ જતો હોય છે. પરંતુ આ વખતે ગત વર્ષની સાથે સરખામણીએ કરવામાં આવે તો ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. ભર શિયાળે ઠંડી કરતાં ગરમ અને ઉકળાટભર્યા દિવસોની સંખ્યા વધુ જોવા મળી રહી છે. ડિસેમ્બર-૨૦૨૪ અને ડિસેમ્બર-૨૦૨૫માં પડેલી ઠંડી પર નજર કરવામાં આવે તો, ગત વર્ષે ડિસેમ્બરના ૩૧ દિવસમાથી કચ્છના નલિયામાં લઘુતમ તાપમાનનો પારો ૨૨ વખતલ ૧૦ ડિગ્રીથી નીચે પહોંચ્યો હતો, જે આ વખતે માત્ર ૪ વખત પારો ૧૦ ડિગ્રીથી નીચે ઉતર્યો છે. આ વખતે ડિસેમ્બરમાં અમદાવાદમાં સૌથી ઓછું તાપમાન નોંધાયું ગત તા.૨૮ ડિસેમ્બર-૨૦૨૪ના રોજ નલિયામાં લઘુત્તમ તાપમાન ૪.૨ ડિગ્રી સુધી ગગડયું હતું. આ વખતે સૌથી ઓછુ ૮.૮ ડિગ્રી તાપમાન રહ્યું છે. મહત્ત્વની વાત એ છે કે, આ વખતે ડિસેમ્બરમાં નલિયા સિવાય ગુજરાતના એકપણ પ્રદેશમાં લઘુતમ તાપમાન ૧૦ ડિગ્રીથી નીચે ગયું નથી. અમદાવાદ શહેરના વાત કરવામાં આવે નો ડિસેમ્બર-૨૦૨૪માં ૩૧માંથી ૧૪ દિવસ એવા હતા કે જેમાં લયુત્તમ તાપમાન ૧૪ ડિગ્રીથી નીચે નોંધાયું હતું. ચાલુ વર્ષે માત્ર ૪ જ વખત અમદાવાદનું તાપમાન ૧૪ ડિગ્રીથી નીચે ઉતર્યુ છે. આ વખતે ડિસેમ્બરમાં અમદાવાદમાં સૌથી ઓછું તાપમાન નોંધાયું. આ પણ વાંચો : Gujarat Latest News Live : ગુજરાતમાં ઠંડીનો ચમકારો ઘટયો, બપોરે 30 થી 32 ડિગ્રી સુધી મહતમ તાપમાન રહેશે

Read Full Story arrow_forward
Surendranagar: ઝાલાવાડના 150 CHCના ID બ્લોક કરાયા
calendar_today January 21, 2026

Surendranagar: ઝાલાવાડના 150 CHCના ID બ્લોક કરાયા

ઝાલાવાડમાં સરકારી અને અર્ધ સરકારી સેવાઓ નાગરીકોને નજીકમાં જ મળી રહે તે માટે સરકારે કોમન સર્વીસ સેન્ટરને મંજુરી આપી છે. ઝાલાવાડમાં આવા 1200થી વધુ સેન્ટરો કાર્યરત છે. પરંતુ ભાવપત્રક સહિતના નિયમોનો ઉલાળીયો કરતા આવા 150 સેન્ટર સામે લાલ આંખ કરી તેના આઈ બ્લોક કરી દેવાયા છે.કેન્દ્ર સરકારના નેશનલ ઈ-ગર્વનન્સ પ્લાન હેઠળ વર્ષ 2006માં કોમન સર્વીસ સેન્ટર (સીએસસી)ને માન્યતા અપાઈ છે. હાલ સુરેન્દ્રનગર જિલ્લામાં 1200થી વધુ સીએસસી સેન્ટરો ધમધમી રહ્યા છે. જેમાં નાગરીકોને આધારકાર્ડ, પાનકાર્ડ, રેશનકાર્ડ, પીએમ જન આરોગ્ય યોજના, પીએમ કીસાન યોજના, ઈ-શ્રામ યોજના, વિશ્વકર્મા યોજના ઉપરાંત લોન લેવા, લાઈટ બીલ ભરવા, વીમાને લગતા કામો સહિત સરકારી અને અર્ધ સરકારી કામો સરળતાથી કરાવી શકાય છે. ડીજીટલ ઈન્ડીયાના સુત્રને સાર્થક કરતા આવા 1200થી વધુ સર્વીસ સેન્ટરો ઝાલાવાડમાં હાલ ધમધમે છે. શરૂઆતમાં આ સેન્ટર લેવા માટે અરજી કરવાથી સરળતાથી આઈડી અપાઈ જતા હતા. જેમાં કોઈ એક વ્યકિતના નામ પર મળેલ આઈડી બીજો ચલાવતો હોવાનું સામે આવ્યુ હતુ. આથી તેમાં પોલીસ વેરીફીકેશન ફરજિયાત કરાયુ છે. જેમાં અરજદાર પર કોઈ ગુના નથી તેનું પોલીસ દ્વારા પ્રમાણપત્ર મેળવવાનું રહે છે. આ ઉપરાંત સેન્ટર ખાતે ભાવપત્રક લગાવવુ, સેન્ટરની અંદર અને બહાર બ્રાન્ડીંગ કરવુ સહિતના નિયમોનું પાલન કરવાનું હોય છે. ત્યારે ઝાલાવાડમાં નિયમોનો ઉલાળીયો કરતા 150 સેન્ટરોના આઈડી બ્લોક કરાયા હોવાનું જિલ્લા સીએસસી મેનેજર વિપુલભાઈ દેસાણીએ જણાવ્યુ છે. જયારે નીયત ભાવ કરતા વધુ ભાવ લેનાર સામે પણ કડક કાર્યવાહીના તેઓએ એંધાણ આપ્યા છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward