android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gandhinagar News : સુરતમાં પાણીની ટાંકીના કેસમાં દોષિતોને સજા આપવા મુખ્યમંત્રીએ સૂચના આપી : જીતુ વાઘાણી
calendar_today January 21, 2026

Gandhinagar News : સુરતમાં પાણીની ટાંકીના કેસમાં દોષિતોને સજા આપવા મુખ્યમંત્રીએ સૂચના આપી : જીતુ વાઘાણી

આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી હતી. આ બેઠકમાં કેટલાક મુદ્દાઓ પર ચર્ચાઓ કરવામાં આવી હતી.સુરતના માંડવીના તડકેશ્વરમાં ધરાશાયી થયેલી પાણીની ટાંકીને લઈને રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું હતું કે, ગુણવત્તાની ચકાસણીના કારણે સુધારો થયો. ક્ષતિ રહી જતી હોય તેમાં કોઈ બાંધછોડ ન કરે. કોન્ટ્રાક્ટરના બિલ અટકાવી દેવાયા છે. દોષિતોને સજા થાય તે માટે CMએ કડક સૂચના આપી છે. વિવિધ વિભાગો બાંધકામનું કામ કરે છે.ગુણવત્તા બાબતે સચિવોને કાર્યવાહી કરવાની સૂચના આપી છે.સરકાર કોઈની શેહશરમ રાખ્યા વિના પગલાં લઈ રહી છે 8.21 લાખ ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદાઈ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ રાજ્યમાં ટેકાના ભાવે કરવામાં આવેલી ખરીદીને લઈને કહ્યું હતું કે, ટેકાના ભાવે ખરીદી માટે 10 લાખથી વધુ ખેડૂતોએ અરજી કરી હતી. 8.21 લાખ ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી સરકારે ખરીદી છે. 17.99 લાખ મેટ્રિક ટન પાકોની ખરીદી કરવામાં આવી છે. 9900 કરોડની રકમની ચૂકવણી કરાઈ છે. જે ગોડાઉનના પ્રશ્નો હતા તેનું સરકાર દ્વારા નિરાકરણ લાવવામાં આવ્યું છે. ઓક્ટોબરમાં માત્ર કમોસમી વરસાદ થયો હતો. જેમાં ખેડૂતોને ભારે નુકસાન થયું હતું. 33.76 લાખ અરજીમાંથઈ 33.08 લાખ અરજીઓ મંજૂર કરવામાં આવી છે. જેમાં 32 લાખથી વધુ ખેડૂતોને 9466 કરોડની સહાય ચૂકવાઈ છે. ગ્રાન્ટના અભાવે કોઈ કામ ના અટકે તેમણે વધુમાં કહ્યું હતું કે, નાના કે મોટા કામ ગ્રાન્ટના અભાવે અટકતા હોય છે. ગ્રાન્ટના અભાવે કોઈ કામ ના અટકે તે બાબતે કેબિનેટની બેઠકમાં સૂચના આપવામાં આવી છે. જરૂર પ્રમાણે ગ્રાન્ટનો ઉપયોગ કરવા સૂચના અપાઈ છે. કામો ઝડપથી આગળ વધે તે માટે પણ મુખ્યમંત્રીએ ટકોર કરી છે. મહેમદાવાદ મહુધાનો રોડ 200 કરોડના ખર્ચે તૈયાર થયો છે. રોડ બાબતે ફરિયાદ મળતાં જ મુખ્યમંત્રીએ જરૂરી તપાસ અને કાર્યવાહી કરવાની સૂચના આપી દીધી છે. આ પણ વાંચોઃ Surendranagar News: મનપાની બેદરકારી, જાહેરમાં ગટરનું પાણી ઠાલવતા લોકોમાં રોષ

Read Full Story arrow_forward
Rajkot News: નિષ્ઠુર પિતાએ ગળે ટૂંપો આપી પોતાના પાંચ વર્ષના દીકરાને મોતને ઘાટ ઉતાર્યો
calendar_today January 21, 2026

Rajkot News: નિષ્ઠુર પિતાએ ગળે ટૂંપો આપી પોતાના પાંચ વર્ષના દીકરાને મોતને ઘાટ ઉતાર્યો

રાજકોટમાં હત્યાની ચકચારી ઘટના સામે આવી છે. શહેરના પારેવડા વિસ્તારમાં પિતાએ પાંચ વર્ષના પુત્રની હત્યા કરતા ચકચાર મચી જવા પામી છે. પિતાને બાળકને ગળે ટૂંપો આપી હત્યા કરી નાંખવાનો બનાવ સામે આવ્યો છે. પોલીસે સમગ્ર ઘટનામાં ગુનો દાખલ કરીને હત્યારા પિતા સામે વધુ કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટમાં 5 વર્ષના બાળકની પિતાએ હત્યા કરી રાજકોટના પારેવડા વિસ્તારમાં પતિ અને પત્ની વચ્ચે ઘણા સમયથી માથાકૂટ ચાલતી હતી. આ દંપતીને બે સંતાનો હતાં. બંને દંપતી અલગ રહેતા હતાં. એક સંતાન પિતા અને બીજુ સંતાન માતા સાથે રહેતુ હતું. ઉશ્કેરાયેલા પિતાએ માતા સાથે રહેતા ઉમેશ નામના પાંચ વર્ષના બાળકને ગળે ટૂંપો આપીને મારી નાંખ્યો હતો. આ સમગ્ર ઘટનાને લઈને આખા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. આ બાળકનું રાજકોટ ખાતે ફોરેન્સિક પીએમ કરવામાં આવ્યું હતું. ભાડલા પોલીસે હત્યાના પિતા સામે ગુનો દાખલ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.આ પણ વાંચોઃ Bhavnagar news: ધમકી આપી મહિલા પોલીસ કોન્સ્ટેબલ સાથે ખેલાયો ગંદો ખેલ

Read Full Story arrow_forward
Surat ટાંકી દુર્ઘટનામાં એક્શન, માંડવી પોલીસે બે એન્જિનિયર સહિત 7 આરોપીઓને જેલભેગા કર્યા
calendar_today January 21, 2026

Surat ટાંકી દુર્ઘટનામાં એક્શન, માંડવી પોલીસે બે એન્જિનિયર સહિત 7 આરોપીઓને જેલભેગા કર્યા

સુરતના માંડવી તાલુકાના તડકેશ્વર ગામમાં પાણીની ટાંકી ધરાશાયી થવાની ગંભીર ઘટના બાદ રાજ્ય સરકારના કડક વલણને પગલે માંડવી પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે પોલીસે ગુનો નોંધીને અત્યાર સુધીમાં કુલ 7 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. પકડાયેલા આરોપીઓમાં બે જવાબદાર એન્જિનિયરો અને કન્સ્ટ્રક્શન એજન્સીના 5 માલિકોનો સમાવેશ થાય છે. આ તમામ સામે બાંધકામમાં બેદરકારી દાખવવા અને ગુણવત્તા સાથે ચેડાં કરવા બદલ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.બેદરકારી ભારે પડી! પોલીસ દ્વારા પકડાયેલા તમામ આરોપીઓની હાલ સઘન પૂછપરછ શરૂ કરવામાં આવી છે, જેથી આ ભ્રષ્ટાચારમાં અન્ય કોની સંડોવણી છે તે જાણી શકાય. ઉલ્લેખનીય છે કે, 95 લાખના ખર્ચે બનેલી આ ટાંકી ટેસ્ટિંગ દરમિયાન જ તૂટી પડતા અનેક સવાલો ઉભા થયા હતા. આ કેસમાં હજુ પણ કેટલાક આરોપીઓ ફરાર છે, જેમને પકડવા માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને શોધખોળ હાથ ધરી છે. સરકારના કડક આદેશ બાદ પોલીસ હવે આ મામલે કોઈ પણ પ્રકારની ઢીલાશ રાખવા માંગતી નથી અને કસૂરવારોને કડક સજા થાય તે દિશામાં તપાસ આગળ વધારી રહી છે. આ પણ વાંચો : Anand માં પવિત્ર દરગાહને નિશાન બનાવતા તસ્કરો, ભાલેજની મલંગબાવા દરગાહમાંથી સોનાના ગુંબજની ચોરી

Read Full Story arrow_forward