android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News Live : અમદાવાદમાં આસારામ આશ્રમના દબાણો દૂર કરાશે, 32 એકમો પર દબાણ ઉભા કરતા નોટિસ
calendar_today January 21, 2026

Gujarat Latest News Live : અમદાવાદમાં આસારામ આશ્રમના દબાણો દૂર કરાશે, 32 એકમો પર દબાણ ઉભા કરતા નોટિસ

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 21 જાન્યુઆરીના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Anand માં પવિત્ર દરગાહને નિશાન બનાવતા તસ્કરો, ભાલેજની મલંગબાવા દરગાહમાંથી સોનાના ગુંબજની ચોરી
calendar_today January 21, 2026

Anand માં પવિત્ર દરગાહને નિશાન બનાવતા તસ્કરો, ભાલેજની મલંગબાવા દરગાહમાંથી સોનાના ગુંબજની ચોરી

આણંદ જિલ્લાના ભાલેજમાં આવેલી સુપ્રસિદ્ધ મલંગબાવા દરગાહમાં ગત રાત્રિએ ચોરીની એક ચોંકાવનારી ઘટના બની છે. અજાણ્યા તસ્કરોએ દરગાહના પવિત્ર પરિસરમાં પ્રવેશીને ત્યાં સ્થાપિત સોનાના ગુંબજ અને મીનારાના કિંમતી ભાગોની ચોરી કરી છે. વહેલી સવારે જ્યારે શ્રદ્ધાળુઓ અને દરગાહના સેવકો ત્યાં પહોંચ્યા ત્યારે આ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. પવિત્ર ધર્મસ્થાનમાં થયેલી આ ચોરીને પગલે સ્થાનિક મુસ્લિમ બિરાદરો અને શ્રદ્ધાળુઓમાં ભારે રોષ અને દુઃખની લાગણી જોવા મળી રહી છે.ધાર્મિક લાગણી દુભાઈ ઘટનાની જાણ થતા જ ભાલેજ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે ચોરીની આ સમગ્ર હરકત દરગાહમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. ફૂટેજમાં તસ્કરોની અવરજવર સ્પષ્ટ દેખાઈ રહી હોવાથી પોલીસે તે દિશામાં તપાસ તેજ કરી છે. આ કેસની ગંભીરતાને જોતા સ્થાનિક પોલીસની સાથે આણંદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ તપાસમાં જોડાઈ છે. પોલીસે CCTV ફૂટેજ કબજે કર્યા છે અને ટૂંક સમયમાં તસ્કરોને પકડી પાડવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ પણ વાંચો : Aravalli માં ગેરકાયદે ખનન પર સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, આ ગંભીર અપરાધ છે, પર્યાવરણનું નુકસાન અસ્વીકાર્ય

Read Full Story arrow_forward
Surendranagar News: પોલીસ ઉંઘતી ઝડપાઈ, રિમાન્ડ પર રહેલા મહંત ફરાર
calendar_today January 21, 2026

Surendranagar News: પોલીસ ઉંઘતી ઝડપાઈ, રિમાન્ડ પર રહેલા મહંત ફરાર

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ પોલીસ મથકની કસ્ટડીમાંથી એક હાઈપ્રોફાઈલ આરોપી ફરાર થઈ જતાં પોલીસ બેડામાં ભારે દોડધામ મચી ગઈ છે. કૃષ્ણ ગૌશાળાના મહંત રામદાસ, જેઓ છેતરપિંડીના ગંભીર આરોપમાં પોલીસ કસ્ટડીમાં હતા, તેઓ પોલીસને ચકમો આપી નાસી છૂટવામાં સફળ રહ્યા છે. આ ઘટનાને પગલે પોલીસની કામગીરી અને સુરક્ષા વ્યવસ્થા પર અનેક સવાલો ઉભા થયા છે.બીમારીનું બહાનું કાઢી ખેલ્યો ખેલ ઘટનાની મળતી માહિતી અનુસાર, મહંત રામદાસ વિરૂદ્ધ છેતરપિંડીનો ગુનો નોંધાતા થાનગઢ પોલીસ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે તેમને કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. રિમાન્ડ દરમિયાન આરોપી મહંતે અચાનક બીમારીનું બહાનું કાઢ્યું હતું. પોલીસ કંઈ સમજે તે પહેલા જ તકનો લાભ લઈ મહંત પોલીસની નજર ચૂકવી કસ્ટડીમાંથી ફરાર થઈ ગયા હતા. LCB અને SOGની ટીમો ધંધે લાગી થાનગઢ પોલીસ કસ્ટડીમાંથી આરોપી નાસી જતાં સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા દ્વારા આ ઘટનાને ગંભીરતાથી લેવામાં આવી છે. ફરાર મહંતને ઝડપી પાડવા માટે સુરેન્દ્રનગર જિલ્લાની LCB (Local Crime Branch), SOG (Special Operations Group) અને સ્થાનિક પોલીસની અલગ-અલગ ટીમો બનાવી નાકાબંધી કરવામાં આવી છે. એક આરોપી આ રીતે પોલીસને હાથતાળી આપીને ફરાર થઈ જતાં સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે. હવે જોવાનું એ રહેશે કે હાઈટેક પોલીસ તંત્ર આ મહંતને ક્યારે જેલના સળિયા પાછળ ધકેલે છે. આ પણ વાંચો - Surendranagar News: મનપાની બેદરકારી, જાહેરમાં ગટરનું પાણી ઠાલવતા લોકોમાં રોષ

Read Full Story arrow_forward