android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Palanpur News: જગાણાની એકલવ્ય મોડલ સ્કૂલમાં ફૂડ પોઇઝનિંગ, દાળ-ભાત ખાધા બાદ 10 બાળકોની તબિયત લથડી
calendar_today January 19, 2026

Palanpur News: જગાણાની એકલવ્ય મોડલ સ્કૂલમાં ફૂડ પોઇઝનિંગ, દાળ-ભાત ખાધા બાદ 10 બાળકોની તબિયત લથડી

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના જગાણા ગામે આવેલી સરકારી એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલમાં ફૂડ પોઇઝનિંગની ઘટના સામે આવતા ભારે ખળભળાટ મચી ગયો છે. શાળામાં બપોરનું ભોજન લીધા બાદ 10 જેટલા બાળકોની તબિયત અચાનક બગડતા તંત્ર દોડતું થયું હતું.એકલવ્ય મોડલ સ્કૂલમાં 10 બાળકને ફૂડ પોઇઝનિંગ શાળાના બાળકોએ બપોરના ભોજનમાં દાળ-ભાત આરોગ્યા હતા. ભોજન જમ્યાના થોડા જ સમય બાદ બાળકોને ઉલટી અને પેટમાં દુખાવા જેવી ફરિયાદો શરૂ થઈ હતી. એકસાથે 10 જેટલા બાળકોને ફૂડ પોઇઝનિંગની અસર થતા શાળા પ્રશાસનમાં દોડધામ મચી ગઈ હતી. શાળાના સત્તાધીશો દ્વારા તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવી તમામ અસરગ્રસ્ત બાળકોને સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. દાળ-ભાત ખાધા બાદ બાળકોને ફૂડ પોઇઝનિંગ સિવિલ હોસ્પિટલમાં બાળકોને પ્રાથમિક સારવાર આપ્યા બાદ હાલ તેમની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. જોકે, સરકારી આશ્રમ શાળાઓ અને મોડલ શાળાઓમાં પીરસવામાં આવતા ભોજનની ગુણવત્તા સામે ફરી એકવાર ગંભીર સવાલો ઉભા થયા છે. વાલીઓમાં પણ આ ઘટનાને પગલે ભારે ચિંતા અને રોષ જોવા મળી રહ્યો છે. જિલ્લા આરોગ્ય વિભાગ અને સબંધિત તંત્ર દ્વારા ભોજનના નમૂના લઈ લેબોરેટરીમાં મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવશે, જેથી ફૂડ પોઇઝનિંગનું ચોક્કસ કારણ જાણી શકાય. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Nitin Nabin ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નિયુક્ત, જે.પી.નડ્ડા બાદ નીતિન નબીનને સોંપાઇ કમાન
calendar_today January 19, 2026

Nitin Nabin ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નિયુક્ત, જે.પી.નડ્ડા બાદ નીતિન નબીનને સોંપાઇ કમાન

નીતિન નબીનની નિયુક્તિ બાદ તેઓ મંગળવારે સવારે 11 વાગ્યે પોતાનો પદભાર સંભાળશે. નીતિન નબીનના નામની જાહેરાત દિલ્હીમાં ભાજપના મુખ્ય કાર્યાલય પર રાષ્ટ્રીય અધ્યક્ષના નામની ચર્ચાઓ શરુ થઇ ગઇ હતી.. અને માહોલમાં પણ ગરમાવો દેખાયો હતો. નીતિન નબીનના નામની જાહેરાત થતા જ સમર્થકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. નીતિન નબીન આવતીકાલે સવારે 11 કલાકે પોતાનો કાર્યભાર સંભાળશે. આવતીકાલે સવારે 700 જેટલા પ્રતિનિધિઓ ભાજપ ઓફિસે એકત્ર થશે. આ પ્રસંગે પીએમ મોદી પણ ઉપસ્થિતિ રહેશે. ભાજપની કમાન નીતિન નબીનને ભાજપમાં હવે 'નબીન' અધ્યાય શરુ કરાયો છે. અધ્યક્ષ પદ પદ માટે લાંબા સમયથી હલચલ જોવા મળી રહી હતી. આ દરમિયાન અમિત શાહ, રાજનાથ સિંહ, જે.પી.નડ્ડા અને નીતિન ગડકરી જેવા મુખ્ય નેતાઓ પણ ઉપસ્થિતિ રહ્યા હતા. ભાજપ મુખ્યાલય પર નીતિન નબીનના નામની જાહેરાત કરાઇ હતી. અને સસ્પેન્સ ખતમ કરાયુ હતુ. તેઓ મંગળવારે પોતાના પદની શપશ લેશે. અને જે.પી.નડ્ડાના સ્થાને ભાજપની કમાન સંભાળશે. મંગળવારે સંભાળશે પદભાર નીતિન નબીન માટે કુલ 37 ઉમેદવારી પત્રકો દાખલ કરાયા હતા. 36 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશની તરફથી પણ ઉમેદવારી પત્રો દાખલ કરાયા હતા. તો ભાજપ સંસદીય દળ તરફથી પણ ઉમેદવારી પત્રકો દાખલ કરાયા હતા. ઉમેદવારી પત્રકો પર 20 પ્રસ્તાવકોના હસ્તાક્ષર કરાયા હતા. આ પ્રક્રિયા બાદ મોડી સાંજે નીતિન નબીનના નામની જાહેરાત કરાઇ હતી. અને તેમને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે સ્થાન અપાયુ હતુ. આ પણ વાંચોઃ 

Read Full Story arrow_forward
Patan News: DJ બંધ થતા દારૂ વેચીશું એવી ધમકી માત્ર નાક દબાવવા માટે છે : સાંસદ ગેનીબેન ઠાકોર
calendar_today January 19, 2026

Patan News: DJ બંધ થતા દારૂ વેચીશું એવી ધમકી માત્ર નાક દબાવવા માટે છે : સાંસદ ગેનીબેન ઠાકોર

ઠાકોર સમાજ દ્વારા થોડા દિવસો અગાઉ સમાજના બંધારણમાં સુધારા વધારા કરવામાં આવ્યા હતા. જેમાં લગ્ન પ્રસંગે ડીજે વગાડવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જે કારણે ડીજે સંચાલકોમાં મોટા પાયે રોષ ફેલાયો છે. આ મામલે વિરોધ કરવા માટે પાટણમાં ડીજે સંચાલકો દ્વારા એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમણે આ સભામાં સાંસદ ગેનીબેન ઠાકોરને ડીજે વગાડવા પર પ્રતિબંધના નિર્ણયને પાછો લેવાની માગ કરી છે.ડીજે સંચાલકો દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ડીજે પર પ્રતિબંધ મુકવામાં આવતા ડીજે સંચાલકો બેરોજગાર બનશે. ઓગડમાં સમાજના આગેવાનોએ બંધારણ ઘડ્યું પાટણમાં ડીજે સંચાલકોના વિરોધને લઈને સાંસદ ગેનીબેન ઠાકોરે નિવેદન આપ્યું છે. ગેનીબહેને કહ્યું હતું કે, પોલીસનો ડર ના હોય ત્યારે આવા નિવેદનો થાય છે. પોલીસ જ દારૂબંધીને લઈ કડક ના હોય ત્યારે આવુ બને. ડીજે બંધ કરવાની માગ તમામ લોકોની હતી. ભાગી જવાની ઘટનામાં ડીજે જવાબદાર હોવાની પણ રજૂઆત હતી. ઓગડમાં સમાજના આગેવાનોએ બંધારણ ઘડ્યું હતું. બે લાખ લોકોની સહીઓ સાથે બંધારણ અમલમાં મુકવામાં આવ્યું છે. ડીજે બંધ કર્યું એટલે દારુ વેચીશું એવું નિવેદન બ્લેકમેલિંગ  ગેનીબેને કહ્યું હતું કે, ડીજે બંધ કર્યું એટલે દારુ વેચીશું એવું નિવેદન બ્લેકમેલિંગ છે. આવા નિવેદનો સામે પોલીસ કાર્યવાહી કરે. બંધારણ વાંચતા વખતે મેં કહ્યું પણ હતું કે આ બંધારણ તમામ સમાજના લોકો રાજકીય તેમજ સામાજિક આગેવાનો સહિત બે લાખ લોકોની સહીઓ લઈને અમલમાં મૂક્યું હતું. જ્યારે મુદ્દાઓ ચર્ચામાં આવ્યા એ ટાઈમે બધાને છૂટ આપી હતી કે કોઈને વાંધો હોય કોઈ મુદ્દામાં સુધારો કરવાનો હોય તો એ સુધારો કરવાનો હતો એ ટાઇમે ડીજે વાળા જો ઠાકોર સમાજના હોત તો એમને આવીને રજૂઆત કરી હોત. ડીજે વાળાઓએ ગઈકાલે મિટિંગ કરી હતી જેનો મને ફોન આવ્યો ગેનીબેને કહ્યું હતું કે, ડીજે વાળાઓએ ગઈકાલે મિટિંગ કરી હતી જેનો મને ફોન આવ્યો હતો. મેં કહ્યું આ કોઈ વ્યક્તિગત નિર્ણય નથી આ ત્રણ જિલ્લાના સમગ્ર ઠાકોર સમાજના સર્વ પક્ષીય આગેવાનો અને સમાજનો નિર્ણય છે. આવતા વર્ષે 4 જાન્યુઆરીએ બંધારણ દિવસની ઉજવણી થાય ત્યારે આ મુદ્દાની ચર્ચા થશે એ વખતે પુન વિચારણા માટે મૂકવામાં આવશે. ચાર જાન્યુઆરી 2027 સુધી તો આ બંધારણનું ઠાકોર સમાજ પાલન કરવાનો જ છે. આ પણ વાંચોઃ Patan News: 'DJ પર પ્રતિબંધ મુકશો તો દારૂ વેચવાનું શરૂ કરીશું'

Read Full Story arrow_forward