android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Sabarkantha News: કુખ્યાત પશુ ચોર નાતાલ પઠાણ ઝડપાયો
calendar_today January 19, 2026

Sabarkantha News: કુખ્યાત પશુ ચોર નાતાલ પઠાણ ઝડપાયો

ગુજરાતમાં પશુ ચોરીના અનેક ગુનાઓમાં સંડોવાયેલા અને છેલ્લા એક વર્ષથી પોલીસને થાપ આપી રહેલા કુખ્યાત આરોપીને ઝડપી લેવામાં સાબરકાંઠા પોલીસની 'નાસતા-ફરતા' ટીમને મોટી સફળતા મળી છે. ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં પશુ ચોરીનો આતંક મચાવનાર નસીર ઉર્ફે નાતાલ યુનુસખાન પઠાણને પોલીસ દ્વારા ફિલ્મી ઢબે રણાસર ચોકડી પાસેથી દબોચી લેવામાં આવ્યો છે.10 ગુનાઓમાં હતો વોન્ટેડ પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, પકડાયેલા આરોપી નસીર ઉર્ફે નાતાલ પઠાણ અત્યંત રીઢો ગુનેગાર છે. તેના વિરૂદ્ધ ગુજરાત રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં પશુ ચોરીના કુલ 10 ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. છેલ્લા એક વર્ષથી તે ધરપકડ ટાળવા માટે નાસતો-ફરતો હતો. સાબરકાંઠા જિલ્લાની નાસતા-ફરતા ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોના આધારે તેની ચોક્કસ લોકેશન મેળવી હતી. રણાસર ચોકડી પાસે ગોઠવ્યું ટ્રેપ આરોપી રણાસર ચોકડી પાસેથી પસાર થવાનો હોવાની ચોક્કસ માહિતી મળતા જ પોલીસે વોચ ગોઠવી હતી. જેવો નાતાલ ત્યાં પહોંચ્યો કે તરત જ સતર્ક પોલીસ ટીમે તેને કોર્ડન કરીને ઝડપી લીધો હતો. આ આરોપી પશુઓની ચોરી કરીને તેને અન્ય જિલ્લાઓમાં વેચવાની આખી નેટવર્ક ચલાવતો હોવાની આશંકા છે. આ કુખ્યાત આરોપીના પકડાવવાથી પશુ પાલકોએ રાહતનો શ્વાસ લીધો છે. હાલ સાબરકાંઠા પોલીસે આરોપીનો કબ્જો મેળવી તેની સઘન પૂછપરછ હાથ ધરી છે, જેમાં અન્ય કેટલાક ગુનાઓના ભેદ ઉકેલાય તેવી પણ શક્યતા છે. આ પણ વાંચો - Himatnagar: સાબરકાંઠાના યુવાનોનું દિલ્હીમાં સન્માન, કેબિનેટ મંત્રીઓ સાથે વિકસિત ભારત અંગે ચર્ચા કરાઈ

Read Full Story arrow_forward
Rajkot news: 25 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત, ત્રણ દિવસમાં ત્રીજી ઘટના
calendar_today January 19, 2026

Rajkot news: 25 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત, ત્રણ દિવસમાં ત્રીજી ઘટના

રાજકોટ જિલ્લાના ધોરાજીમાં નાની વયે હાર્ટ એટેક આવવાની ઘટનાઓ સતત ચિંતા વધારી રહી છે. ધોરાજી શહેરના વી. સી. પ્લોટ વિસ્તારમાં રહેતા 25 વર્ષીય આશાસ્પદ યુવાન હર્ષદ રમેશભાઈ ગોરાનું અચાનક હાર્ટ એટેક આવતા કરૂણ મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.ઘટનાની વિગત ઘટનાની મળતી માહિતી અનુસાર, હર્ષદભાઈ પ્લાસ્ટિકના કારખાનામાં નોકરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેઓ જ્યારે ઘરે હતા ત્યારે અચાનક તેમના છાતીમાં તીવ્ર દુખાવો ઉપડ્યો હતો. પરિવારજનો દ્વારા વિલંબ કર્યા વગર તેમને તાત્કાલિક ધોરાજીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલ પહોંચતા જ ફરજ પરના તબીબોએ તેમને તપાસીને મૃત જાહેર કર્યા હતા. પરિવાર પર આભ ફાટ્યું મૃતક હર્ષદભાઈ પરિણીત હતા અને તેમને સંતાનમાં એક નાની બાળકી છે. ઘરના મોભી સમાન યુવાન પુત્રના અકાળે અવસાનથી પરિવારમાં માતમ છવાઈ ગયો છે. હોસ્પિટલ પરિસરમાં પરિવારજનોના આક્રંદથી વાતાવરણ અત્યંત ગમગીન બની ગયું હતું. માસૂમ બાળકીએ પિતાની છત્રછાયા ગુમાવતા સ્થાનિકોમાં પણ ભારે શોક જોવા મળી રહ્યો છે. વી. સી. પ્લોટમાં ફફડાટ ચિંતાજનક બાબત એ છે કે, ધોરાજીના વી. સી. પ્લોટ વિસ્તારમાં છેલ્લા ત્રણ જ દિવસમાં આ ત્રીજું મૃત્યુ છે. સતત બની રહેલી આવી ઘટનાઓને પગલે સ્થાનિક લોકોમાં ફફડાટ અને ચિંતાની લાગણી પ્રસરી છે. ખાસ કરીને યુવાવર્ગમાં વધતા જતા હાર્ટ એટેકના કિસ્સાઓ હવે ગંભીર ચર્ચાનો વિષય બન્યા છે. આ પણ વાંચો - Rajkot: ધોરાજી તાલુકાના હડમતિયા ગામે જે કેનાલનું રીપેરીંગ કામ શરુ થતાં ખેડૂતોમાં રોષ

Read Full Story arrow_forward
Gujarat સરકારનો મોટો નિર્ણય: બી.એન. પટેલની 'ગુજરાત ગેસ લિમિટેડ'ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે નિયુક્તિ
calendar_today January 19, 2026

Gujarat સરકારનો મોટો નિર્ણય: બી.એન. પટેલની 'ગુજરાત ગેસ લિમિટેડ'ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે નિયુક્તિ

ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા સનદી અધિકારીઓની બદલી અને નિમણૂકનો મહત્વનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના સચિવાલય દ્વારા બહાર પાડવામાં આવેલી સત્તાવાર સૂચના મુજબ, પસંદગી સ્કેલના જી.એ.એસ. (GAS) અધિકારી બી.એન. પટેલને નવી અને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.19 જાન્યુઆરી, 2026ના રોજ બહાર પાડવામાં આવ્યો હુકમ બી.એન. પટેલને ગાંધીનગર ખાતે સ્થિત 'ગુજરાત ગેસ લિમિટેડ' માં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. 19 જાન્યુઆરી, 2026ના રોજ બહાર પાડવામાં આવેલા આ હુકમમાં જણાવ્યા અનુસાર આ નિમણૂક ગુજરાતના રાજ્યપાલના આદેશથી અને તેમના નામે કરવામાં આવી છે. આ અંગેની સત્તાવાર જાણકારી અધિક મુખ્ય સચિવ (કાર્મિક), ડૉ. અંજુ શર્મા દ્વારા આપવામાં આવી છે. નિમણૂક અંગેની સત્તાવાર ફાઈલ તૈયાર કરવામાં આવી આ નિમણૂકના આદેશની નકલ રાજ્યપાલના મુખ્ય સચિવ, મુખ્યમંત્રીના અગ્ર સચિવ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના અધિક મુખ્ય સચિવ તેમજ તમામ સબંધિત વિભાગોને જરૂરી કાર્યવાહી માટે મોકલી આપવામાં આવી છે. વહીવટી તંત્રમાં બહોળો અનુભવ ધરાવતા બી.એન. પટેલની આ નિમણૂકથી ગુજરાત ગેસ લિમિટેડના કાર્યકાળમાં નવી ગતિ આવશે તેવું માનવામાં આવી રહ્યું છે. ઉપ સચિવ પી.એચ. ગાંધી દ્વારા આ નિમણૂક અંગેની સત્તાવાર ફાઈલ તૈયાર કરવામાં આવી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward