android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
અમદાવાદમાં શ્વાન કરડવાના કેસમાં થયો સતત વધારો, 4 મહિનામાં 20 હજાર કેસ નોંધાયા
calendar_today January 18, 2026

અમદાવાદમાં શ્વાન કરડવાના કેસમાં થયો સતત વધારો, 4 મહિનામાં 20 હજાર કેસ નોંધાયા

એક આંકડા મુજબ અમદાવાદ શહેરમાં 1 લાખ 90 હજાર જેટલી ડોગ પોપ્યુલેશન હોવાની સંભાવના છે અને શ્વાન કરડવાથી મહિનામાં 5000 જેટલા કેસ આવે છે. શ્વાનોની ફરિયાદોમાં વધારોશહેરમાં રખડતા શ્વાનોની ફરિયાદોમાં વધારો થયો છે. ગયા વર્ષે અમદાવાદના શહેરીજનો દ્વારા રખડતા શ્વાનની 3891 ફરિયાદો નોંધવામાં આવી છે. બીજી બાજુ આ ચાર મહિના દરમિયાન શ્વાનના કરડવાના 20000 જેટલા કેસો નોંધવામાં આવ્યા છે. શ્વાન કરડવાના બનાવો અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને દરરોજ 10 જેટલી ફરિયાદો મળતી હોય છે. આ ફરિયાદોને નિકાલ કરવા માટે એ સ્થળ પર જઈ ફરિયાદીને મળીને તે વેક્સિન લીધા કે નહીં તેનું પુરાવો ચકાસવામાં આવે છે. શહેરમાં 1 લાખ કરતા વધુ ડોગ ગુજરાતમાં શ્વાનના હુમલાના અનેક કિસ્સાઓ વર્ષ દરમિયાન સામે આવ્યા છે. છેલ્લા ત્રણ વર્ષ એટલે કે 2020થી 2022 સુધીના કિસ્સાઓ પર નજર ફેરવવામાં આવે તો ગુજરાતમાં આ ત્રણ વર્ષમાં કુલ 7.93 લાખ કિસ્સાઓ રાજ્યભરમાં નોંધાયા છે. ત્રણ વર્ષમાં ગુજરાતમાં 7.93 લાખ લોકોને શ્વાને બનાવ્યા નિશાન, 2022માં 1.69 લાખ શ્વાન કરડવાના કિસ્સા સાથે રાજ્ય દેશમાં પાંચમાં ક્રમે છે. ખસીકરણ અને રસીકરણ પર ભાર આજથી 5 વર્ષ પહેલા દરેક શેરી અને સોસાયટીના મોહલ્લાઓ ઉપર 6 થી 7 કૂતરાઓ જોવા મળતા હતા. જે આજે 2 થી 3 સંખ્યા થઈ ગઈ છે. નાના પપીસ ભાગ્ય જ જોવા મળે છે. જેથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખસીકરણ અને રસીકરણ માટે બહુ મોટું કામ કરવામાં આવ્યું છે તેવું જાહેર આંકડા પરથી માની શકાય છે તેમ છતાં શ્વાનના હુમલાની દરરોજ 10 જેટલી ફરિયાદો મળે છે. આ પણ વાંચો : ગાંધીનગરમાં પૂર્વ IAS સુબ્બારાવની પુત્રીનું હડકવાથી મોત, પાળતું શ્વાને બચકુ ભરતા થઈ હતી હડકવાની અસર

Read Full Story arrow_forward
Botad News : બોટાદ જિલ્લામાં આવેલાં સેન્સેટીવ ઝોન જેવાં સ્થળો/વિસ્તાર પાસે પરવાનગી વગર ડ્રોન નહી ઉડાવી શકાય, જાણો શું છે કારણ
calendar_today January 18, 2026

Botad News : બોટાદ જિલ્લામાં આવેલાં સેન્સેટીવ ઝોન જેવાં સ્થળો/વિસ્તાર પાસે પરવાનગી વગર ડ્રોન નહી ઉડાવી શકાય, જાણો શું છે કારણ

આ જાહેરનામાનો ભંગ/ઉલ્લંઘન કરનારને ભારતીય ન્યાય સંહિતાની કલમ ૨૨૩ મુજબ સજા થશે. જાહેરનામાનો અમલ અને તેના ભંગ બદલના પગલા લેવા માટે હેડકોન્સ્ટેબલથી નીચેના ન હોય તેવા ફરજ પરના અધિકારીને અધિકાર રહેશે. બોટાદ જિલ્લામાં 58 સ્થળોને રેડ, યલો ઝોનમાં મુકવામાં આવ્યાં બોટાદ જિલ્લામાં આવેલા સેન્સેટીવ ઝોન જેવા કે, શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર સાળંગપુર, BAPS સ્વા.મંદિર સાળંગપુર, સ્વામીનારાયણ મંદિર કુંડળ, ભીમનાથ મહાદેવ મંદિર, વિસામણ બાપુની જગ્યા પાળીયાદ, ગોપીનાથજી દેવ સ્વામીનારાયણ મંદિર ગઢડા, BAPS સ્વા.મંદિર ગઢડા તથા ટેલીફોન એક્ષચેન્જ બોટાદ, બરવાળા, ગઢડા તથા બોટાદ જિલ્લામાં આવેલ મોટા ડેમો જેમાં ઉતાવળી ડેમ ગુંદા, સુખભાદર ડેમ નાના છૈડા, ભીમડાદ ડેમ, ઇતરીયા ડેમ, લીંબાળી ડેમ, કાળુભાર ડેમ તથા પાણીના પંમ્પીંગ સ્ટેશન નાવડા તથા ગઢડા તથા સોનાવાલા હોસ્પિટલ બોટાદ તથા CHC હોસ્પિટલ ગઢડા તથા મધુસુદન ડેરી ગઢડા તથા ડિસ્ટ્રીક એન્ડ સેસન્સ કોર્ટ બોટાદ, કલેકટર કચેરી તથા જિલ્લા પંચાયત કચેરી બોટાદ તથા બોટાદ જિલ્લા વિસ્તારમાં આવેલ વિજળી પાવર સપ્લાયર સબ સ્ટેશનો વગેરે સંસ્થાનોને રેડ/યલો ઝોનમાં ભારત સરકારશ્રીના ગૃહ મંત્રાલયની SOP અને Drone rules-2021 મુજબ વર્ગીકૃત કરવામાં આવ્યાં છે. જેમાં બોટાદ જિલ્લામાં કુલ- ૫૮ સ્થળોને રેડ,યલો ઝોનમાં મુકવામાં આવ્યાં છે. 2 મહિના સુધી આ જાહેરનામું અમલી રહેશે જેથી બોટાદ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની દ્રષ્ટીએ સેન્સેટીવ વિસ્તારો/સંસ્થાનોને ડ્રોન(UAV) જેવા સંસાધનોથી દેશ વિરોધી સંગઠનો, આંતકવાદીઓ અને ભાંગફોડીયા તત્વો ગેરલાભ લઇ તેની સુરક્ષાને હાનિ ન પહોંચાડે તે સારૂ ઉપરોક્ત જણાવેલ વિસ્તારોમાં પરવાનગી વગર ડ્રોન(UAV)નો ઉપયોગ ન થાય તે માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ પી.એલ.ઝણકાતે તેમને મળેલી સત્તાની રૂએ બોટાદ જિલ્લામાં આ સ્થળો/વિસ્તાર પાસે પરવાનગી વગર ડ્રોન(UAV)નો ઉપયોગ કરવા અંગે પ્રતિબંધ ફરમાવતું ઉક્ત જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે. આ જાહેરનામું તા.૨૦-૦૧-૨૦૨૬થી ૨૦-૦૩-૨૦૨૬ (૨ માસ બંને દિવસો સહિત ) સુધી અમલમાં રહેશે. આ પણ વાંચો : Surat News : નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે વીર નર્મદ યુનિવર્સિટીના રૂ.11 કરોડથી વધુના વિવિધ પ્રકલ્પોનું ભૂમિપૂજન અને લોકાર્પણ સંપન્ન

Read Full Story arrow_forward
Rajkotમાં GSTની ડિજિટલ સર્જિકલ સ્ટ્રાઈક, મોબાઈલ માર્કેટમાં દરોડાથી વેપારીઓમાં ફફડાટ
calendar_today January 18, 2026

Rajkotમાં GSTની ડિજિટલ સર્જિકલ સ્ટ્રાઈક, મોબાઈલ માર્કેટમાં દરોડાથી વેપારીઓમાં ફફડાટ

રાજકોટના જાણીતા બિઝનેસ હબ ગણાતા એસ્ટ્રોન ચોક વિસ્તારમાં આજે સવારથી જ GST વિભાગની કામગીરીને પગલે વેપારીઓમાં ભારે ફફડાટ જોવા મળ્યો છે. ટેક્સ ચોરીની ચોક્કસ બાતમીના આધારે સ્ટેટ જીએસટી (SGST) વિભાગ દ્વારા મોબાઈલના મોટા ગજાના ધંધાર્થીઓને ત્યાં આકસ્મિક દરોડા પાડવામાં આવ્યા છે. તપાસના ઘેરામાં દિગ્ગજ પેઢીઓ આ દરોડામાં ખાસ કરીને એસ્ટ્રોન ચોકમાં આવેલી ઉમિયા મોબાઈલ અને મેહુલ ટેલિકોમ જેવી પ્રતિષ્ઠિત પેઢીઓને નિશાન બનાવવામાં આવી છે. GST વિભાગની અલગ-અલગ ટીમોએ એકસાથે આ સ્થળો પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. અધિકારીઓ દ્વારા સ્ટોક રજિસ્ટર, વેચાણના આંકડા અને બેંક ખાતાઓની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. કાર્યવાહીનું મુખ્ય કારણ બિલ વગરનું વેચાણ GST વિભાગને લાંબા સમયથી બાતમી મળી હતી કે, શહેરની કેટલીક મોટી પેઢીઓ ગ્રાહકોને કાચા બિલ પર અથવા બિલ વગર મોબાઈલ વેચીને મોટા પાયે ટેક્સ ચોરી કરી રહી છે. કંપનીમાંથી આવતા માલ અને વાસ્તવિક વેચાણ વચ્ચેના આંકડામાં મોટા તફાવતની શંકાને આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે. ડિજિટ પુરાવા કબ્જે કર્યા તપાસ દરમિયાન GST વિભાગે પેઢીના કમ્પ્યુટર્સ, હાર્ડડિસ્ક અને હિસાબી સાહિત્ય કબ્જે કર્યું છે. અધિકારીઓનું માનવું છે કે હાર્ડડિસ્કમાં ડિલીટ કરાયેલા ડેટા અને ઓફ ધ રેકોર્ડ વ્યવહારોની વિગતો મળી શકે છે. આ કાર્યવાહી હજુ પણ ચાલુ હોવાથી ટેક્સ ચોરીનો આંકડો લાખો કે કરોડોમાં પહોંચવાની પૂરેપૂરી શક્યતા છે. આ દરોડાને પગલે અન્ય મોબાઈલ વેપારીઓએ પણ પોતાની દુકાનોના શટર પાડી દીધા હોવાના અહેવાલો છે. રાજકોટમાં GSTની આ કાર્યવાહીથી બિન-હિસાબી ધંધો કરતા તત્વોમાં ભારે ફાળ પડી છે. આ પણ વાંચોઃ Suratના ઓલપાડમાં ભંગારના ગોડાઉનમાં આગનું તાંડવ,5 કિમી દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા

Read Full Story arrow_forward