Kheda: ભાઈકાકા યુનિ. : એનિમિયામુક્ત ભારત કાર્યક્રમની શરૂઆત થઈ
ભાઈકાકા યુનિવર્સિટીના પ્રમુખસ્વામી મેડિકલ કોલેજના કોમ્યુનિટી મેડિસિન વિભાગ દ્વારા આણંદ જીલ્લામાં, જીલ્લા સરકારી અધિકારીઓના સહયોગથી કિશોરીઓ માટે શાળા આધારિત એનિમિયા નિયંત્રણ કાર્યક્રમ શરૂ કરવામાં આવેલ છે.કોમ્યુનિટી મેડિસિન વિભાગના વડા ડો. મનિષા ગોહેલે જણાવ્યું કે, એનિમિયા મુક્ત ભારત માર્ગદર્શિકાના આધારે સરકાર સાથે રહીને છ મહિનાના હસ્તક્ષેપ પ્રોજેક્ટ દ્વારા ઉદ્દેશ શાળા આધારિત પ્રવૃત્તિઓ દ્વારા કિશોરીઓમાં એનિમિયાની સારવાર અને નિયંત્રણ કરવાનો છે. જેને લીધે કિશોરીમાં એનિમિયાનું પ્રમાણ ઘટે અને સ્વસ્થ જીવન જીવી શકે. આ કાર્યક્રમનું ઉદઘાટન પેટલાદ ખાતેની શાળામાં કોમ્યુનિટી મેડિસિન ઈન એક્સલન્સના પ્રોફેસર અને નવી દિલ્હી નેશનલ એકેડેમી ઓફ્ મેડિકલ સાયન્સના એમિરટસ પ્રોફેસર ડો. સુનિલા ગર્ગના હસ્તે કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના પ્રિન્સિપાલ, કિશોરીઓએ તથા સરકારી અધિકારીઓએ ભાગ લીધો હતો. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward