android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News Live : રાજકોટમાં ટીમ ઇન્ડિયાનું 'કાઠીયાવાડી' સ્વાગત, અર્શદીપ સિંહે કર્યા ભાંગડા, ખેલાડીઓ માણશે ઉંધિયા-રોટલાની મોજ
calendar_today January 12, 2026

Gujarat Latest News Live : રાજકોટમાં ટીમ ઇન્ડિયાનું 'કાઠીયાવાડી' સ્વાગત, અર્શદીપ સિંહે કર્યા ભાંગડા, ખેલાડીઓ માણશે ઉંધિયા-રોટલાની મોજ

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 12 જાન્યુઆરીના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Lakhtarમાં ગટર અને રસ્તાનો પ્રશ્ન, મહિલાઓએ કર્યો હલ્લાબોલ
calendar_today January 12, 2026

Lakhtarમાં ગટર અને રસ્તાનો પ્રશ્ન, મહિલાઓએ કર્યો હલ્લાબોલ

સુરેન્દ્રનગર જિલ્લાના લખતર શહેરમાં આજે જનતાનો રોષ ફાટી નીકળ્યો હતો. લખતર શહેરની લખતરીયા શેરી અને કુંભાર શેરીમાં લાંબા સમયથી ઉભરાતી ગટર અને બિસ્માર રોડ-રસ્તાની સમસ્યાથી કંટાળીને સ્થાનિક મહિલાઓએ લખતર ગ્રામ પંચાયત કચેરી ખાતે હલ્લાબોલ કર્યો હતો. જે કારણે પંચાયતમાં કામ કરતા અધિકારીઓ ડઘાઈ ગયા હતા.ગંદકી અને કીચડના સામ્રાજ્યથી રહીશો ત્રાહિમામ છેલ્લા ઘણા સમયથી લખતરીયા અને કુંભાર શેરીમાં ગટરના પાણી ઉભરાવાની સમસ્યા વિકરાળ બની છે. સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ, રસ્તાઓ પર ગટરના ગંદા પાણી ફરી વળતા ગારો અને કીચડનું સામ્રાજ્ય ફેલાયું છે. આ ગંદકીના કારણે રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે. વધુમાં, આ વિસ્તારમાં લાંબા સમયથી નવા રસ્તાઓ બનાવવામાં આવ્યા નથી, જેના કારણે વાહન ચાલકો અને પગપાળા ચાલતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. મહિલા સરપંચને રૂબરૂ રજૂઆત તંત્રની નિષ્ક્રિયતા સામે આક્રોશ વ્યક્ત કરતા મોટી સંખ્યામાં મહિલાઓ પંચાયત કચેરીએ એકઠી થઈ હતી અને સૂત્રોચ્ચાર કર્યા હતા. મહિલાઓએ ઇન્ચાર્જ સરપંચ હીરાબેન વડોદરિયાને રૂબરૂ મળીને પોતાની વેદના ઠાલવી હતી. મહિલાઓની ઉગ્ર રજૂઆત હતી કે, જો તાત્કાલિક ધોરણે ગટરનું પાણી ઉભરાતું બંધ નહીં થાય અને રસ્તાઓનું સમારકામ કરવામાં નહીં આવે તો આગામી સમયમાં આંદોલન વધુ તેજ બનાવવામાં આવશે. સરપંચ દ્વારા ખાતરી મહિલાઓના હલ્લાબોલને પગલે ઇન્ચાર્જ સરપંચ હીરાબેન વડોદરિયાએ તાત્કાલિક પગલાં લેવાની ખાતરી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, પંચાયત દ્વારા જલ્દીથી સફાઈ કામગીરી હાથ ધરવામાં આવશે અને ગટરની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટેના પ્રયાસો તેજ કરવામાં આવશે. આ પણ વાંચો - Surendranagar: વઢવાણમાં જુગારના 2 દરોડા : 13 પકડાયા

Read Full Story arrow_forward
જાણો વિવિધ દેશોમાંથી સ્થળાંતર કરતા પક્ષીઓ માટે ભારત કેમ છે સૌથી પ્રિય સ્થળ
calendar_today January 12, 2026

જાણો વિવિધ દેશોમાંથી સ્થળાંતર કરતા પક્ષીઓ માટે ભારત કેમ છે સૌથી પ્રિય સ્થળ

વિશ્વના ઉત્તરીય ભાગોમાં શિયાળો તીવ્ર બને છે, તેમ તેમ ભારતનું આકાશ લાખો સ્થળાંતર કરનારા પક્ષીઓથી ભરાઈ જાય છે ત્યારે આજના ફોટો લેખમાં આ પાછળનું કારણ જાણીશું.

Read Full Story arrow_forward