android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat : આંબેડકર ઓપન યુનિવર્સિટીની ફીમાં જંગી વધારો, વિદ્યાર્થીઓમાં રોષ
calendar_today January 12, 2026

Gujarat : આંબેડકર ઓપન યુનિવર્સિટીની ફીમાં જંગી વધારો, વિદ્યાર્થીઓમાં રોષ

રાજ્યની આંબેડકર ઓપન યુનિવર્સિટીએ વિવિધ અભ્યાસક્રમોની ફીમાં તોતિંગ વધારો કરતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.ઓપન યુનિવર્સિટીનું શિક્ષણ મોંઘુયુનિવર્સિટીના વિવિધ કોર્સની ફીમાં રૂ. 3,000થી લઈને રૂ. 15,000 સુધીનો વધારો કરવામાં આવ્યો છે છેના કારણે ઓપન યુનિવર્સિટીનું શિક્ષણ મોંઘુ બન્યું છે. બીએડની ફીમાં તોતિંગ વધારો ખાસ કરીને બેચલર ઑફ એજ્યુકેશન (B.Ed) કોર્સની ફીમાં સૌથી વધુ વધારો કરવામાં આવ્યો છે. અગાઉ રૂ. 20,000 રહેલી ફીને વધારીને હવે રૂ. 35,000 કરી દેવામાં આવી છે.  બેચલર ઑફ સ્પેશલ એજ્યુકેશનની ફી પણ વધશે તે જ રીતે બેચલર ઑફ સ્પેશલ એજ્યુકેશન (B.Ed Special Education) કોર્સની ફી પણ રૂ. 30,000થી વધારીને રૂ. 45,000 કરવામાં આવી છે. ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને શિક્ષણ મેળવવું મુશ્કેલ યુનિવર્સિટી દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયથી ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને શિક્ષણ મેળવવું મુશ્કેલ બનશે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સસ્તું શિક્ષણ આપતી યુનિવર્સિટી હવે ફીમાં જંગી વધારો કરી રહી છે તેવી લાગણી વિદ્યાર્થીઓમાં જોવા મળી રહી છે. વિદ્યાર્થી સંગઠનો દ્વારા ફી વધારો પાછો ખેંચવાની માંગ વિદ્યાર્થી સંગઠનો દ્વારા ફી વધારો પાછો ખેંચવાની માંગ કરવામાં આવી છે અને જો નિર્ણય પર પુનર્વિચાર નહીં થાય તો આંદોલનની ચેતવણી પણ આપવામાં આવી છે. આ પણ વાંચો----   Ahmedabad : ગાંધીઆશ્રમનું પુનઃનિર્માણ, 1200 કરોડના ખર્ચે વિશ્વસ્તરીય સ્મારક બનશે, સાદગી-અધિકૃત સ્થાપત્યોને જાળવીને જીર્ણોદ્ધાર કરાશે

Read Full Story arrow_forward
Surat News: ઓલપાડના મહિલા નાયબ મામલતદારે જીવન ટૂંકાવ્યું
calendar_today January 12, 2026

Surat News: ઓલપાડના મહિલા નાયબ મામલતદારે જીવન ટૂંકાવ્યું

સુરતના વહીવટી તંત્ર અને મહેસૂલ વિભાગને હચમચાવી દેતી એક ઘટના સામે આવી છે. ઓલપાડમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા મહિલા અધિકારીએ રહસ્યમય સંજોગોમાં આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. સુરત શહેરના રાંદેર વિસ્તારમાં આવેલા પોતાના નિવાસસ્થાને મહિલાએ અંતિમ પગલું ભર્યું હતું.ઘરે જ ગળેફાંસો ખાધો ઘટનાની મળતી માહિતી અનુસાર, 36 વર્ષીય હિનીશા પટેલે આજે સવારે 10 વાગ્યાની આસપાસ રાંદેર સ્થિત પોતાના ઘરે ગળેફાંસો ખાઈ લીધો હતો. આ ઘટનાની જાણ થતા જ પરિવારજનો અને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આત્મહત્યા પાછળનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી. પતિ-પત્ની બંને નાયબ મામલતદાર આ કેસમાં કરૂણતા એ છે કે મૃતક હિનીશા પટેલ અને તેમના પતિ બંને મહેસૂલ વિભાગમાં નાયબ મામલતદાર તરીકે કાર્યરત છે. બંને સાથે જ રહેતા હતા અને સુખી પરિવાર હતો, ત્યારે કયા સંજોગોમાં મહિલા અધિકારીએ આત્મહત્યા જેવું આકરું પગલું ભર્યું તે મહેસૂલ વિભાગમાં ચર્ચાનો વિષય બન્યો છે. પોલીસ તપાસ શરૂ રાંદેર પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડીને અકસ્માત મોતનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. પોલીસે આ મામલે હિનીશા પટેલના પતિ અને અન્ય પરિવારજનોના નિવેદન લેવાની કાર્યવાહી શરૂ કરી છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ કોઈ પારિવારિક તણાવ કે કામનું ભારણ હતું કે, કેમ તે દિશામાં પણ તપાસ આગળ વધારવામાં આવી રહી છે. આ પણ વાંચો - Surat News : દેશભરની પોલીસને 20 વર્ષથી હંફાવતો "ડાકુ" રહેમાન ડકેત સુરત પોલીસની કસ્ટડીમાં, આરોપી મોંઘી લક્ઝુરીયસ કાર, ઘોડા અને બાઈકનો શોખીન

Read Full Story arrow_forward
Ahmedabad News: શહેરના બજારોમાં પતંગ રસિયાઓની ભીડ જામી, જાણો આ વખતે શું છે ભાવ?
calendar_today January 12, 2026

Ahmedabad News: શહેરના બજારોમાં પતંગ રસિયાઓની ભીડ જામી, જાણો આ વખતે શું છે ભાવ?

ગુજરાતમાં ઉત્તરાયણનો માહોલ જામ્યો છે. આજે વડાપ્રધાન મોદીએ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ પણ કરાવ્યો છે. ત્યારે ઉત્તરાયણને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે. લોકો છેલ્લી ઘડીની ખરીદી માટે માર્કેટમાં જઈ રહ્યાં છે. પતંર અને દોરીના સ્ટોલ પાસે લોકોની ભીડ જામી છે. અમદાવાદ શહેરમાં રાયપુર અને દિલ્લી દરવાજા વિસ્તાર સહિતના માર્કેટમાં ખરીદી જામી છે. પતંગના ભાવમાં 20 રૂપિયા કરતાં વધુનો વધારો થયો અમદાવાદના રાયપુર અને દિલ્લી દરવાજા વિસ્તારમાં પતંગ અને દોરીની ખરીદી માટે લોકોની ભીડ જામી છે. પતંગ રસીયાઓ પતંગ ખરીદવા બજારમાં પહોંચ્યા છે. ગત વર્ષ કરતાં પતંગના ભાવમાં આ વખતે ભારે વધારો થયો છે. ગત વર્ષના 130 રૂપિયાના ભાવ સામે આ વર્ષે એક કોડી પતંગનો ભાવ 150 રૂપિયા થયો છે. કોડીએ પતંગના ભાવમાં 20 રૂપિયા કરતાં વધુનો વધારો થયો છે. દોરીની વાત કરીએ તો પાંચ હજાર વાર દોરીની ફિરકી એક હજારની સામે 1200 રૂપિયામાં વેચાઈ રહી છે. ઊંધિયુ, જલેબી અને ચિક્કીના ભાવમાં પણ વધારો આ વખતે ઊંધિયુ, જલેબી અને ચિક્કીના ભાવમાં પણ વધારો થયો છે. ભાવ વધારો હોવા છતાં લોકો તહેવારની મસ્ત બનીને ઉજવણી કરી રહ્યાં છે. તહેવારની મોજ માટેની ઉજવણીમાં લોકો ભારે ખરીદી પણ કરી રહ્યાં છે. આ પણ વાંચોઃ Ahmedabad: આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં વિદેશી પતંગબાજની તબિયત લથડી

Read Full Story arrow_forward