android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News Live : ભારત અને જર્મની વચ્ચે દ્વિપક્ષીય બેઠક, તાજેતરમાં બંને દેશોએ ભાગીદારીના 25 વર્ષ પૂર્ણ કર્યા છે
calendar_today January 12, 2026

Gujarat Latest News Live : ભારત અને જર્મની વચ્ચે દ્વિપક્ષીય બેઠક, તાજેતરમાં બંને દેશોએ ભાગીદારીના 25 વર્ષ પૂર્ણ કર્યા છે

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 12 જાન્યુઆરીના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Junagadh News: બોલિવૂડ અભિનેત્રી પરવીન બાબીની ઐતિહાસિક હવેલીમાંથી લાકડા અને પથ્થરો ભેદી સંજોગોમાં ગાયબ
calendar_today January 12, 2026

Junagadh News: બોલિવૂડ અભિનેત્રી પરવીન બાબીની ઐતિહાસિક હવેલીમાંથી લાકડા અને પથ્થરો ભેદી સંજોગોમાં ગાયબ

બોલિવૂડમાં એક સમયે સુપર સ્ટાર રહેલા અભિનેત્રી પરવીન બાબીની જૂનાગઢની મિલકતને અજાણ્યા શખ્સોએ તોડી હતી. તેમાંથી રાતો રાત સાગના લાકડા અને પથ્થરો ગાયબ થઈ જતાં તે કોણ લઈ ગયું તેનું રહસ્ય સર્જાયું છે. પરવીન બાબીનો ઐતિહાસિક બંગલો કોઈપણ સત્તાવાર જાહેરાત વિના જ તોડી પાડવામાં આવતા અનેક સવાલો ઉભા થયાં છે. બંગલાને તોડવાની કામગીરી 12 દિવસ સુધી ચાલી બોલિવૂડની અભિનેત્રી પરવીન બાબીના બંગલામાંથી નવાબીકાળના કલાત્મક કિમતી પથ્થરો અને વર્ષો જૂના સાગના લાકડા કોઈ અજાણ્યા શખ્સો લઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાની જાણ થતાં જ બાબી ટ્રસ્ટના ટ્રસ્ટીઓમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે. આ મામલે તેઓ જિલ્લા કલેક્ટર અને પોલીસ વડાને રજૂઆત કરશે. પરવીન બાબીના બંગલાને તોડવાની કામગીરી 12 દિવસ સુધી ચાલી હતી. સ્થાનિકોએ કહ્યું હતું કે, બંગલો તોડવાની કામગીરી રાત્રે થતી હતી અને દિવસં બંધ કરવામાં આવી હતી. લાકડા અને પથ્થરો રહસ્યમય સંજોગોમાં ગાયબ બંગલાના ડિમોલિશન બાદ તેમાંથી નીકળેલા સાગના લાકડાના બારી દરવાજા તેમજ વિશાળ બીમ રાતોરાત ટ્રેક્ટર ભરીને લઈ જવામાં આવ્યા હતા. ઉપરાંત નવાબી કાળના પથ્થરો પણ ગાયબ થઈ ચૂક્યા છે. જૂનાગઢ વિસ્તારમાં ટ્રેક્ટર ભરીને સમાનની હેરફેર થતી હોવાનું તંત્રને ધ્યાનમાં આવ્યું તેવું પણ સવાલ લોકો કરી રહ્યા છે.બાર દિવસ સુધી આ રસ્તાને બંધ રાખવામાં આવ્યો હતો અને અવરજવર ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. વેપારીઓને પણ ધંધા રોજગાર બંધ રાખવાનું દબાણ કરવામાં આવતું હતું.આ પ્રોપર્ટી મામલે હાલ કોર્ટમાં કેસ ચાલુ હોવાનું જાણવા મળે છે અને બીજી બાજુ શા કારણોથી આ મકાનને તોડી પાડવામાં આવ્યું તે ચર્ચાનો વિષય બન્યો છે. આ પણ વાંચોઃ Ahmedabad : ગાંધીઆશ્રમનું પુનઃનિર્માણ, 1200 કરોડના ખર્ચે વિશ્વસ્તરીય સ્મારક બનશે, સાદગી-અધિકૃત સ્થાપત્યોને જાળવીને જીર્ણોદ્ધાર કરાશે

Read Full Story arrow_forward
Surat: કતારગામ ઝોનમાં સુમન સ્કૂલના બાંધકામને લઈને વિવાદ, મજૂરી, વર્ક ઓર્ડર વગર નવું બાંધકામ શરૂ કરાયું હોવાનો આરોપ
calendar_today January 12, 2026

Surat: કતારગામ ઝોનમાં સુમન સ્કૂલના બાંધકામને લઈને વિવાદ, મજૂરી, વર્ક ઓર્ડર વગર નવું બાંધકામ શરૂ કરાયું હોવાનો આરોપ

સુરત શહેરના કતારગામ ઝોનમાં સુમન સ્કૂલના નવા બાંધકામને લઈને વિવાદ ઊભો થયો છે. શાળાનું બાંધકામનું સ્થળ અચાનક બદલાયું છે અને મજૂરી તથા વર્ક ઓર્ડર વિના નવું બાંધકામ શરૂ કરાયું,હોવાનો આરોપ લગાવાયો છે.ઉદ્યોગપતિના દબાણથી શાળાનું સ્થળ બદલાયું હોવાની ચર્ચા ઉદ્યોગપતિના દબાણથી શાળાનું સ્થળ બદલાયું હોવાની ચર્ચા વધતા વિવાદે રાજકીય સ્વરૂપ ધારણ કર્યું છે. સુમન સ્કૂલનું બાંધકામ વોર્ડ નંબર 7માંથી 8માં લઈ જવામાં આવ્યું હોવાનું જણાવાયું છે. ભાજપના બે કોર્પોરેટરો પણ આમને સામને વિષયને લઈને ભાજપના બે કોર્પોરેટરો પણ આમને સામને આવ્યા છે. સ્થાનિક MLA વિનુ મોરડિયાએ પ્રશ્નનો યોગ્ય જવાબ ન આપ્યો, જ્યારે મીડિયા સમક્ષ તેમણે આ મુદ્દે ના બોલાય તેમ જણાવ્યું હતું. SMC કમિશનર અને મુખ્યમંત્રીને રજૂઆત કરીશ સ્થાનિક નેતા નરેન્દ્ર પાંડવે જણાવ્યું કે, “SMC કમિશનર અને મુખ્યમંત્રીને રજૂઆત કરીશ. ક્યાંકને ક્યાંક રાજનીતિ અને ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. ગરીબ બાળકો સાથે અન્યાય થઈ રહ્યો છે.” આ પણ વાંચો-----   Ahmedabad : ગાંધીઆશ્રમનું પુનઃનિર્માણ, 1200 કરોડના ખર્ચે વિશ્વસ્તરીય સ્મારક બનશે, સાદગી-અધિકૃત સ્થાપત્યોને જાળવીને જીર્ણોદ્ધાર કરાશે

Read Full Story arrow_forward