android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gandhinagr: મેટ્રોમાં CM અને DYCM ની સવારી, ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીએ મહાત્મા મંદિરથી સચિવાલય સુધી મુસાફરી કરી
calendar_today January 11, 2026

Gandhinagr: મેટ્રોમાં CM અને DYCM ની સવારી, ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીએ મહાત્મા મંદિરથી સચિવાલય સુધી મુસાફરી કરી

 પાટનગરમાં મેટ્રો સેવાના પ્રારંભની સાથે જ રાજ્યના નેતાઓએ પણ આ આધુનિક સુવિધાનો જાતે અનુભવ કર્યો હતો. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ નવા શરૂ થયેલા મેટ્રો રૂટ પર સવારી કરીને જનતાને સમર્પિત આ પ્રોજેક્ટની સમીક્ષા કરી હતી.મહાત્મા મંદિરથી સચિવાલય સુધીની સફરપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મેટ્રો ટ્રેનને લીલીઝંડી આપ્યા બાદ, મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશનથી ટ્રેનમાં પ્રવેશ કર્યો હતો. તેમણે આશરે 5.36 કિમીના નવા રૂટ પર મુસાફરી કરી સચિવાલય સ્ટેશન સુધી સફર માણી હતી. મુસાફરી દરમિયાન તેમણે મેટ્રોની આધુનિક સુવિધાઓ અને ઝડપની પ્રશંસા કરી હતી.વિકાસની ગતિનું નિરીક્ષણઆ સવારી દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મેટ્રોના અધિકારીઓ સાથે વાતચીત કરી હતી અને પ્રોજેક્ટની વિશેષતાઓ જાણી હતી. તો બીજી તરફ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ સફરને ગાંધીનગરની કનેક્ટિવિટી માટે એક નવો યુગ ગણાવ્યો હતો. બંને નેતાઓએ મેટ્રો ટ્રેનની અંદરની વ્યવસ્થા અને સુરક્ષાના માપદંડોનું પણ ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું.જનતા માટે પ્રેરણારૂપરાજ્યના ઉચ્ચ પદસ્થ નેતાઓ દ્વારા મેટ્રોમાં સવારી કરવાથી સામાન્ય નાગરિકોમાં પણ આ સેવાનો ઉપયોગ કરવાનો ઉત્સાહ વધ્યો છે. ખાસ કરીને સચિવાલયમાં કામ કરતા કર્મચારીઓ માટે આ રૂટ કેટલો અનુકૂળ રહેશે, તેનો અહેસાસ CM અને DYCM એ જાતે મુસાફરી કરીને મેળવ્યો હતો.આ પણ વાંચો: મેટ્રોના લોકાર્પણ બાદ PM મોદી લોક ભવન પહોંચ્યા, અહીં કરશે રાત્રિ રોકાણ

Read Full Story arrow_forward
Gandhinagar : CM ભુપેન્દ્ર પટેલ અને DyCM હર્ષ સંઘવીએ મહાત્મા મંદિરથી સચિવાલય સુધી મેટ્રોમાં કરી સવારી, જુઓ Photos
calendar_today January 11, 2026

Gandhinagar : CM ભુપેન્દ્ર પટેલ અને DyCM હર્ષ સંઘવીએ મહાત્મા મંદિરથી સચિવાલય સુધી મેટ્રોમાં કરી સવારી, જુઓ Photos

ગુજરાતની જનતાને આધુનિક અને ઝડપી પરિવહન સુવિધા પૂરી પાડવાના સંકલ્પ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે ગાંધીનગર ખાતે મેટ્રો ટ્રેનના બીજા તબક્કાના રૂટ પર મેટ્રો ટ્રેનની મુસાફરી કરી.

Read Full Story arrow_forward
Himmatnagar: ધાણધા પાસે SOGનો સપાટો, 1.98 લાખના ગાંજા સાથે પાલીયાબીયાનો શખ્સ ઝડપાયો, બે ફરાર
calendar_today January 11, 2026

Himmatnagar: ધાણધા પાસે SOGનો સપાટો, 1.98 લાખના ગાંજા સાથે પાલીયાબીયાનો શખ્સ ઝડપાયો, બે ફરાર

સાબરકાંઠા જિલ્લામાં નશીલા પદાર્થોના કારોબારને નાબૂદ કરવા માટે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ કમર કસી છે. હિંમતનગરના ધાણધા ગામ પાસે હાઈવે પર વોચ ગોઠવીને પોલીસે એક શખ્સને આશરે 4 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે રંગેહાથ ઝડપી પાડ્યો છે.ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યોસાબરકાંઠા SOGના પી.આઈ. (PI) ડી.સી. પરમારના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. (PSI) પી.એમ. ઝાલા અને તેમની ટીમ હિંમતનગર બી-ડિવિઝન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન પોલીસને સચોટ બાતમી મળી હતી કે, ઈડર તરફથી પાલીયાબીયા ગામનો વિષ્ણુ બાબુભાઈ ગમાર નામનો શખ્સ માદક પદાર્થનો જથ્થો લઈને ધાણધા ગામના નાકે હાઈવે પર આવવાનો છે.બાતમી મુજબ પોલીસે ધાણધા પાસે રોડ પર વોચ ગોઠવી હતી. ચાલતા આવી રહેલા વિષ્ણુ ગમારને શંકાના આધારે રોકી તેની તલાશી લેતા તેના થેલામાંથી ગાંજો મળી આવ્યો હતો. ગાંજાનો જથ્થો 3.975 કિલોગ્રામ.: ₹1,98,750 (અંદાજે ₹1.98 લાખ). ₹5,000 નો મોબાઈલ ફોન. કુલ રકમ ₹2,03,750.NDPS એક્ટ હેઠળ કાર્યવાહીપોલીસે મુખ્ય આરોપી વિષ્ણુ ગમારની ધરપકડ કરી છે. પ્રાથમિક પૂછપરછમાં અન્ય બે શખ્સોના નામ પણ ખુલ્યા છે, જે હાલ પોલીસ પકડથી દૂર છે. પોલીસે વિષ્ણુ સહિત કુલ ત્રણ શખ્સો વિરુદ્ધ NDPS એક્ટ (નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ) હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ ગાંજો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને આગળ કોને વેચવાનો હતો, તે દિશામાં પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.આ પણ વાંચો:મેટ્રોમાં CM અને DYCM ની સવારી, ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીએ મહાત્મા મંદિરથી સચિવાલય સુધી મુસાફરી કરી

Read Full Story arrow_forward