android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Rajkot VGRC 2026: વડાપ્રધાન મોદીએ રાજ્યના સાત જિલ્લામાં તૈયાર કરાયેલી નવી સ્માર્ટ GIDCનું ઉદ્ઘાટન કર્યું
calendar_today January 11, 2026

Rajkot VGRC 2026: વડાપ્રધાન મોદીએ રાજ્યના સાત જિલ્લામાં તૈયાર કરાયેલી નવી સ્માર્ટ GIDCનું ઉદ્ઘાટન કર્યું

ગુજરાતમાં વડાપ્રધાન મોદી બે દિવસના પ્રવાસે આવ્યા છે. તેમણે સોમનાથમાં સ્વાભિમાન પર્વમાં હાજરી આપ્યા બાદ રાજકોટમાં યોજાયેલી કચ્છ સૌરાષ્ટ્રની વાઈબ્રન્ટ ગુજરાત સમિટનું ઉદ્ઘાટન કર્યું હતું. રાજકોટમા તેમણે મુકેશ અંબાણી સહિતના ઉદ્યોગપતિઓ સાથે ચર્ચાઓ કરી હતી. ત્યારબાદ આ વાઈબ્રન્ટ સમિટના અવસરે નવી 13 GIDCનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. PMના હસ્તે મેડિકલ ડિવાઇસિસ પ્લાન્ટનું ઉદ્ધાટન વડાપ્રધાન મોદીએ રાજકોટમં નવી 13 સ્માર્ટ GIDCનુ ઉદ્ઘાટન કર્યું હતું. સાત જિલ્લામાં 3540 એકરમાં સ્માર્ટ GIDC બનાવવામાં આવી છે. જેમાં અમરેલી, ભાવનગર, જામનગર, કચ્છ, મોરબી, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં આ સ્માર્ટ GIDC બનાવવામાં આવી છે. આ ઉપરાંત વડાપ્રધાન મોદીના હસ્તે મેડિકલ ડિવાઈસિસ પ્લાન્ટનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ પણ વાંચોઃ Gujarat News: PM મોદીએ રાજકોટમાં કચ્છ સૌરાષ્ટ્રની વાઈબ્રન્ટ સમિટનો પ્રારંભ કરાવ્યો

Read Full Story arrow_forward
Mehsana માં પંચાલ સમાજનું શક્તિ પ્રદર્શન, વિશ્વકર્મા ફાઉન્ડેશન દ્વારા યોજાયું ભવ્ય મહાસંમેલન
calendar_today January 11, 2026

Mehsana માં પંચાલ સમાજનું શક્તિ પ્રદર્શન, વિશ્વકર્મા ફાઉન્ડેશન દ્વારા યોજાયું ભવ્ય મહાસંમેલન

મહેસાણા શહેરમાં વિશ્વકર્મા ફાઉન્ડેશન દ્વારા સમસ્ત પંચાલ સમાજ અને બાવીસી પંચાલ સમાજનું એક ઐતિહાસિક મહાસંમેલન યોજાયું હતું. આ કાર્યક્રમમાં ગુજરાતભરમાંથી પાંચ હજારથી વધુ જ્ઞાતિબંધુઓ ઉમટી પડતા સમગ્ર શહેર પંચાલ સમાજના રંગે રંગાયું હતું. સંમેલનનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં ઘટતી જતી વસ્તી અંગે જાગૃતિ લાવવાનો અને સંયુક્ત પરિવાર પ્રણાલીને જીવંત રાખવાનો હતો. વક્તાઓએ ભાર મૂક્યો હતો કે વર્તમાન સમયમાં 'એક સંતાન પૂરતું' જેવી માન્યતા સમાજના ભવિષ્ય માટે પડકારરૂપ છે, તેથી પેઢીને આગળ વધારવા માટે દરેક દંપતીએ ઓછામાં ઓછા બે સંતાનો રાખવા જોઈએ તેવો સકારાત્મક સંદેશ આપવામાં આવ્યો હતો.એકતા અને સંસ્કૃતિનો સંગમ આ મહાસંમેલનમાં સમાજે એક પ્રેરણાદાયી પહેલ કરી હતી, જેમાં દ્વિતીય સંતાન ધરાવતા દંપતીઓને પ્રોત્સાહિત કરવા માટે રૂ. 25,000ની રોકડ સહાય આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સાથે જ ભારતીય સંસ્કૃતિના પાયા સમાન સંયુક્ત પરિવારમાં રહેતી 180 જેટલી મહિલાઓ અને દીકરીઓનું પણ શાલ ઓઢાડી બહુમાન કરાયું હતું. સાંસ્કૃતિક કાર્યક્રમો અને ગૌરવવંતા ઇતિહાસની ચર્ચાઓ સાથે આ સંમેલન સંપન્ન થયું હતું. સમાજના આગેવાનોના મતે આ આયોજનથી આવનારી પેઢીને સુરક્ષિત ભવિષ્ય અને સંગઠિત રહેવાની નવી દિશા પ્રાપ્ત થશે. આ પણ વાંચો : Ahmedabad માં આકાર લેશે 'અર્બન લંગ્સ રોડ', વિસતથી તપોવન સર્કલ સુધી પ્રદૂષણ મુક્ત ગ્રીન હાઈવે બનશે

Read Full Story arrow_forward
Patan: હારીજ-રાધનપુર હાઈવે પર લક્ઝરી બસ અને એક્ટિવા વચ્ચે અકસ્માત, બેના મોત
calendar_today January 11, 2026

Patan: હારીજ-રાધનપુર હાઈવે પર લક્ઝરી બસ અને એક્ટિવા વચ્ચે અકસ્માત, બેના મોત

ઉત્તર ગુજરાતના માર્ગો ફરી એકવાર લોહીલુહાણ થયા છે. હારીજ પાસે આવેલી આઈટીઆઈ (ITI) નજીક એક લક્ઝરી બસ અને એક્ટિવા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો જોરદાર હતો કે એક્ટિવાને ટક્કર માર્યા બાદ લક્ઝરી બસ હાઈવે પર જ પલટી મારી ગઈ હતી. આ દુર્ઘટનામાં એક્ટિવા ચાલક અને બસમાં સવાર એક મુસાફરનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે.કાર્યક્રમમાંથી પરત ફરતી વખતે નડ્યો કાળમળતી વિગતો મુજબ, આ લક્ઝરી બસમાં સવાર મુસાફરો શંખેશ્વર ખાતે આયોજિત પાટીદાર સમાજના કાર્યક્રમમાં હાજરી આપીને પરત ફરી રહ્યા હતા. ખુશીના માહોલમાં ઘરે પરત ફરી રહેલા આ શ્રદ્ધાળુઓ-મુસાફરો માટે હારીજ પાસેનો આ માર્ગ કાળમુખો સાબિત થયો હતો. અચાનક એક્ટિવા સામે આવી જતાં ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને બસ પલટી ખાઈ ગઈ હતી.20થી વધુ મુસાફરો ઇજાગ્રસ્તઅકસ્માતને પગલે ચીસાચીસ મચી ગઈ હતી. બસ પલટી જવાથી તેમાં સવાર અંદાજે 20થી 25 જેટલા મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે. ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો મદદે દોડી આવ્યા હતા અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.પોલીસ અને તંત્રની કાર્યવાહીઅકસ્માતની જાણ થતા જ હારીજ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યા છે અને અકસ્માત અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હાઈવે પર બસ પલટી જવાથી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી, જેને ક્રેન દ્વારા બસ ખસેડીને પૂર્વવત કરવામાં આવી હતી.આ પણ વાંચો: મેટ્રો કનેક્ટિવિટીનો નવો યુગ, ગાંધીનગરના મહાત્મા મંદિરથી PM મોદી મેટ્રોને આપશે લીલીઝંડી

Read Full Story arrow_forward