android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News Live :સોમનાથમાં આવતીકાલે શૌર્યનો સંગમ, PM મોદી ખુલ્લી જીપમાં કરશે રોડ શો, 108 અશ્વ સાથે નીકળશે ભવ્ય યાત્રા
calendar_today January 10, 2026

Gujarat Latest News Live :સોમનાથમાં આવતીકાલે શૌર્યનો સંગમ, PM મોદી ખુલ્લી જીપમાં કરશે રોડ શો, 108 અશ્વ સાથે નીકળશે ભવ્ય યાત્રા

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 10 જાન્યુઆરીના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Patan: ગુજરાતની ગૌસેવાથી અભિનેતા સોનુ સૂદ પ્રભાવિત, વારાહીમાં પોતાના હાથે ગાયોને ગોળ ખવડાવ્યો
calendar_today January 10, 2026

Patan: ગુજરાતની ગૌસેવાથી અભિનેતા સોનુ સૂદ પ્રભાવિત, વારાહીમાં પોતાના હાથે ગાયોને ગોળ ખવડાવ્યો

પાટણ જિલ્લાના વારાહી ખાતે આવેલી ભીડભંજન હનુમાન ગૌશાળામાં બોલીવુડ અભિનેતા અને માનવતાવાદી કાર્યો માટે જાણીતા સોનુ સૂદ પધાર્યા હતા. ગૌશાળાની વ્યવસ્થા અને ગૌસેવાની ભાવના જોઈને અભિનેતા અત્યંત પ્રભાવિત થયા હતા અને આ ઉમદા કાર્યમાં પોતાનું યોગદાન આપ્યું હતું.7 ગાયોથી 7000 સુધીની સફરવારાહીની આ ગૌશાળાની સ્થાપના માત્ર 7 તરછોડાયેલી ગાયોની સેવા કરવાના ઉદ્દેશ્ય સાથે થઈ હતી. આજે આ ગૌશાળા એક વટવૃક્ષ બની ગઈ છે, જ્યાં ૭૦૦૦ જેટલી ગાયોનો નિભાવ ખૂબ જ સારી રીતે કરવામાં આવે છે. સોનુ સૂદે ગૌશાળાના સંચાલકોની મહેનત અને ગાયો પ્રત્યેની તેમની નિષ્ઠાના મન ભરીને વખાણ કર્યા હતા.અભિનેતાએ ગાયોને ગોળ ખવડાવી આશીર્વાદ લીધામુલાકાત દરમિયાન સોનુ સૂદે ગૌશાળાના પરિસરમાં પોતે ફરીને ગાયોની સ્થિતિ નિહાળી હતી. તેમણે પોતાના હાથે ગાયોને ગોળ ખવડાવ્યો હતો અને ગૌસેવાનો આનંદ માણ્યો હતો. ગુજરાતમાં જે રીતે ગૌમાતાની સારસંભાળ અને સંવર્ધન કરવામાં આવે છે તેનાથી તેઓ ખૂબ જ પ્રભાવિત થયા હતા.11 લાખ રૂપિયાનું ઉદાર દાનગૌશાળાના સંચાલકો દ્વારા કરવામાં આવતી નિઃસ્વાર્થ સેવાથી પ્રેરાઈને સોનુ સૂદે પોતાના ચેરિટી ટ્રસ્ટ તરફથી ૧૧ લાખ રૂપિયાનું દાન જાહેર કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, આવી સંસ્થાઓને ટેકો આપવો એ આપણા સૌની ફરજ છે. ગૌશાળાના ટ્રસ્ટીઓએ પણ સોનુ સૂદની આ ઉદારતા બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.આ પણ વાંચો: નવગ્રહ મંદિરનું ગેસ્ટ હાઉસ તોડવા સામે મહંતનો ત્રીજા માળે બેસી વિરોધ, પોલીસે કરી અટકાયત

Read Full Story arrow_forward
Morbi: સેવાકીય સંસ્થામાં બાખોરું પાડી હવસખોરોએ આચરી હેવાનીયત, પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓને જેલભેગા કર્યા
calendar_today January 10, 2026

Morbi: સેવાકીય સંસ્થામાં બાખોરું પાડી હવસખોરોએ આચરી હેવાનીયત, પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓને જેલભેગા કર્યા

મોરબીમાં માનવતાને શર્મસાર કરતી એક અત્યંત આઘાતજનક ઘટના સામે આવી છે, જેમાં બે માસૂમ અસ્થિર મગજની વૃદ્ધ મહિલાઓ સાથે હેવાનીયતભર્યું કૃત્ય આચરવામાં આવ્યું છે. પોલીસની સતર્કતાને કારણે ગણતરીના દિવસોમાં જ આ નરાધમોને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે.સેવાકીય સંસ્થામાં દીવાલ કૂદી આચરી હેવાનીયતઆ કમકમાટીભરી ઘટના 7 જાન્યુઆરીની રાત્રે બની હતી. મોરબીના લીલાપર રોડ પર આવેલી એક સેવાકીય સંસ્થાની પાછળના ભાગે જ મજૂરી કામ કરતા બે નરાધમોની દાનત બગડી હતી. આરોપીઓ ડાયાભાઈ ખાનાભાઈ ચૌહાણ (૩૨) અને હરેશભાઇ જીવાભાઈ સોલંકી (૩૦) રાત્રિના અંધકારમાં સંસ્થાની દીવાલ કૂદીને અંદર પ્રવેશ્યા હતા. તેઓએ બાથરૂમમાં બાખોરું પાડીને રૂમમાં ઘૂસી આ અસહાય વૃદ્ધ મહિલાઓ પર દુષ્કર્મ ગુજાર્યું હતું.મહિલાઓના ઈશારાથી ખુલ્યું પાપભોગ બનનાર બંને મહિલાઓ અસ્થિર મગજની હોવાથી તેઓ પોતાની સાથે થયેલી પીડા શબ્દોમાં વ્યક્ત કરી શકતી નહોતી. જોકે, તેમના વર્તનમાં આવેલા બદલાવ અને શરીરના અંગો પર થતા દુખાવાના ઈશારાને કારણે સંસ્થાના સંચાલકોને શંકા ગઈ હતી. તુરંત જ મહિલાઓને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે તપાસ માટે ખસેડવામાં આવી હતી, જ્યાં તબીબી પરીક્ષણમાં દુષ્કર્મની પુષ્ટિ થઈ હતી.પોલીસની ત્વરિત કાર્યવાહી અને ધરપકડઘટનાની ગંભીરતાને જોતા એ-ડિવિઝન, એલસીબી (LCB) અને એસઓજી (SOG)ની ટીમો કામે લાગી હતી. સીસીટીવી ફૂટેજ અને આસપાસના શકમંદોની પૂછપરછના આધારે પોલીસે બંને મજૂરોને દબોચી લીધા હતા. પોલીસના કડક વલણ સામે બંને આરોપીઓ ભાંગી પડ્યા હતા અને પોતાનો ગુનો કબૂલ્યો હતો. પોલીસ હવે એ તપાસ કરી રહી છે કે આ શખ્સો અગાઉ અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલા છે કે કેમ.આ પણ વાંચો: ગુજરાતની ગૌસેવાથી અભિનેતા સોનુ સૂદ પ્રભાવિત, વારાહીમાં પોતાના હાથે ગાયોને ગોળ ખવડાવ્યો

Read Full Story arrow_forward