android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ghandhinagar: ખેડૂતોની માંગણીઓ સંતોષાતા કિસાન સંઘનું આંદોલન કરાયું સ્થગિત
calendar_today January 9, 2026

Ghandhinagar: ખેડૂતોની માંગણીઓ સંતોષાતા કિસાન સંઘનું આંદોલન કરાયું સ્થગિત

ગુજરાતના ખેડૂતોના પડતર પ્રશ્નોને લઈને ભારતીય કિશાન સંઘ દ્વારા આગામી 12 તારીખે ગાંધીનગર ખાતે જે મહા-આંદોલનની ચીમકી આપવામાં આવી હતી, તેને હાલ પૂરતું સ્થગિત કરવામાં આવ્યું છે. કિસાન સંઘના મહામંત્રી આર.કે. પટેલે આ અંગે સત્તાવાર જાહેરાત કરતા જણાવ્યું કે સરકાર સાથેની સકારાત્મક બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.આંદોલન કરાયું સ્થગિત કિશાન સંઘની બૃહદ કારોબારી બેઠકમાં લેવાયેલા આ નિર્ણય પાછળ બે મુખ્ય પાસાઓ જવાબદાર છે. પ્રથમ, રાજ્ય સરકારના કૃષિ મંત્રી અને ઊર્જા મંત્રી સાથેની બેઠક સફળ રહી છે. ખેડૂતો દ્વારા મૂકવામાં આવેલી વિવિધ માંગણીઓ પૈકી 12 જેટલી મહત્વની માંગણીઓનો સરકારે સ્વીકાર કર્યો છે. બીજું મહત્વનું કારણ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ છે. જે દિવસે આંદોલન થવાનું હતું, તે જ સમયે પ્રધાનમંત્રી અને જર્મનીના વાઈસ ચાન્સેલરનો કાર્યક્રમ આંદોલન સ્થળ મહાત્મા મંદિરની નજીક યોજાનાર હોવાથી સુરક્ષાના કારણોસર આ નિર્ણય લેવાયો છે. શક્તિ પ્રદર્શનની હતી તૈયારી અગાઉ નક્કી થયા મુજબ, 'ચલો ગાંધીનગર' કાર્યક્રમ અંતર્ગત સમગ્ર ગુજરાતમાંથી અંદાજે 70 હજાર જેટલા ખેડૂતો એકઠા થવાના હતા. કિશાન સંઘની વર્ષો જૂની નીતિ રહી છે કે તેઓ સીધા આંદોલન કરવાને બદલે પહેલા પત્ર વ્યવહાર અને ત્યારબાદ રૂબરૂ રજૂઆત કરે છે. જો સરકાર ન સાંભળે તો જ આંદોલનનું શસ્ત્ર ઉગામે છે. ખેડૂત સંગઠને હાલ પૂરતું આંદોલન રાખ્યું મોકૂફ આ કિસ્સામાં, ખેડૂતોએ બાંયો ચઢાવતા જ સરકાર હરકતમાં આવી હતી અને મંત્રીઓ સાથેની બેઠકમાં ખેડૂતોના હિતમાં હકારાત્મક નિર્ણયો લેવાયા હતા. પરિણામે, ખેડૂત સંગઠને હાલ પૂરતું આંદોલન મોકૂફ રાખીને વાટાઘાટોનો માર્ગ પસંદ કર્યો છે. આ પણ વાંચોઃ Kutch News: ભાવમાં 15 ટકાનો વધારો છતાં પતંગરસિકોમાં જોવા મળ્યો જબરો ઉત્સાહ, માર્કેટમાં ખરીદીની ભારે ભીડ

Read Full Story arrow_forward
Nadiad ના મોકમપુરામાં પિતાએ પુત્રની ઘાતકી હત્યા કરી, પારિવારિક અદાવતમાં લોહીના સંબંધો લજવાયા
calendar_today January 9, 2026

Nadiad ના મોકમપુરામાં પિતાએ પુત્રની ઘાતકી હત્યા કરી, પારિવારિક અદાવતમાં લોહીના સંબંધો લજવાયા

નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશનની હદમાં આવતા મોકમપુરા ગામમાં એક હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે, જેમાં એક પિતાએ જ પોતાના સગા પુત્રની માથામાં જીવલેણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી નાખી છે. આ મામલે મૃતકની પત્ની તારાબેન ચૌહાણે પોતાના સસરા પ્રતાપસિંહ ચંદુભાઈ ચૌહાણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. હત્યા પાછળનું મુખ્ય કારણ પારિવારિક ક્લેશ અને જૂની અદાવત પોલીસ અહેવાલ મુજબ, આ ઘટના 6 જાન્યુઆરી 2026ના રોજ સાંજના આશરે 7:00 વાગ્યાની આસપાસ શેઢી નદીના કિનારે બની હતી. હત્યા પાછળનું મુખ્ય કારણ પારિવારિક ક્લેશ અને જૂની અદાવત હોવાનું બહાર આવ્યું છે. ફરિયાદીના જણાવ્યા મુજબ, તેની નાની બહેનના લગ્ન તેના દિયર સાથે થયા હતા, પરંતુ સસરાના ત્રાસને કારણે છૂટાછેડા થયા હતા. સસરા પ્રતાપસિંહ ફરિયાદી અને તેના પતિ કમલેશભાઈ વચ્ચે પણ છૂટાછેડા કરાવવા માંગતા હતા  ત્યારથી સસરા પ્રતાપસિંહ ફરિયાદી અને તેના પતિ કમલેશભાઈ વચ્ચે પણ છૂટાછેડા કરાવવા માંગતા હતા, પરંતુ કમલેશભાઈએ ના પાડતા પિતા તેમના પુત્ર પર અદાવત રાખતા હતા. આ ઉપરાંત, જમીન બાબતે કાકા સસરા સાથેના સારા સંબંધો પણ આરોપી પિતાને ખટકતા હતા.  'હું તપાસ કરું છું' તેમ કહી તેમની પાસેથી બેટરી અને લાકડી લઈ લીધી હતી  ઘટનાની વિગત મુજબ ગત મંગળવારે સાંજે જ્યારે કમલેશભાઈ કુદરતી હાજતે જવા માટે નદી તરફ નીકળ્યા, ત્યારે આરોપી પ્રતાપસિંહ પણ તેમની પાછળ ગયા હતા. થોડી વાર પછી કમલેશભાઈની ચીસ સંભળાતા પત્ની અને દેરાણી તેમને શોધવા નીકળ્યા હતા. તે સમયે આરોપી સામા મળ્યા હતા અને 'હું તપાસ કરું છું' તેમ કહી તેમની પાસેથી બેટરી અને લાકડી લઈ લીધી હતી અને મહિલાઓને આગળ વધતા અટકાવી દીધી હતી. કમલેશને ચક્કર આવ્યા છે અને તેને ખાનગી વાહનમાં સારવાર માટે લઈ ગયા  આરોપીએ ગુનો છુપાવવા માટે અનેક બહાના બનાવ્યા હતા. તેણે પરિવારને ખોટું કહ્યું કે કમલેશને ચક્કર આવ્યા છે અને તેને ખાનગી વાહનમાં સારવાર માટે લઈ ગયા હતા. જોકે, જ્યારે કમલેશભાઈને પરત લાવવામાં આવ્યા ત્યારે તેઓ મૃત હાલતમાં હતા અને તેમના માથામાં ગંભીર ઇજાઓના નિશાન જોવા મળ્યા હતા. હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ દરમિયાન પણ માથામાં ત્રણથી ચાર જીવલેણ ઘા હોવાનું સ્પષ્ટ થયું હતું. પરિવારને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો આરોપીએ પોતાની હાજરી છુપાવવા માટે બીજા રસ્તેથી ઘરે પરત ફરીને પરિવારને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. પત્નીને શંકા જતાં તેમણે પોલીસને જાણ કરી હતી, જેના આધારે નડિયાદ રૂરલ પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી પિતાની ધરપકડ કરી હતી. આ પણ વાંચો-----    Ahmedabad: પોલીસ કોન્સ્ટેબલ પર કાર ચઢાવવાનો પ્રયાસ, કોન્સ્ટેબલને બોનેટ પર જ રાખીને એકથી દોઢ કીલોમીટર ગાડી ચલાવી

Read Full Story arrow_forward
ED Raid Kolkata: કોલકાતામાં EDની રેડ દરમિયાન શું શું થયું? દિલ્હી સુધી થયો વિરોધ
calendar_today January 9, 2026

ED Raid Kolkata: કોલકાતામાં EDની રેડ દરમિયાન શું શું થયું? દિલ્હી સુધી થયો વિરોધ

8 જાન્યુઆરીના રોજ પશ્ચિમ બંગાળમાં ED અને મુખ્યમંત્રી મમતા બેનર્જી સામસામે આવી ગયા. EDના જણાવ્યા અનુસાર જ્યારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી EDના દરોડાના સ્થળે પહોંચ્યા, ત્યારે એક મોટું નાટક શરૂ થયું. સૂત્રો કહે છે કે મમતા બેનર્જીએ ઘટનાસ્થળે હાજર પ્રતીક જૈનનો ફોન લીધો અને તેને પોતાની પાસે રાખ્યો. શું કહે છે સૂત્રો ? સૂત્રો એમ પણ કહે છે કે DGP એ ત્રણ ED અધિકારીઓને પંચનામામાં કંઇ પણ રેકોર્ડ ન કરે અને ત્યાંથી કંઇ મળી આવ્યું ન હોવાનું પણ જણાવે નહિંતર તેઓ ED અધિકારીઓની ધરપકડ કરશે. ED અધિકારીઓ કહે છે કે તે સમયે ત્રણ ED અધિકારીઓ હાજર હતા, જ્યારે ડઝનબંધ પોલીસ અધિકારીઓ અને મુખ્યમંત્રીની Z સુરક્ષા ટીમ હાજર હતી. મુખ્યમંત્રીના સ્ટાફ દ્વારા તેમને હેરાન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. EDના સૂત્રોના જણાવ્યા અનુસાર, અધિકારીઓને ડરાવવા અને રિપોર્ટમાં સત્ય લખવાથી રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સૂત્રોનો એવો પણ દાવો છે કે DGP એ ED અધિકારીઓને કહ્યું હતું કે તેઓ હવે FIR દાખલ કરશે અને તેમની ધરપકડ કરશે. સ્વતંત્ર સાક્ષીઓ પણ હાજર હતા. કોલકાતા પોલીસ અને મુખ્યમંત્રીના સ્ટાફે પણ તેમને હેરાન કરવાનો અને ધમકાવવાનો પ્રયાસ કર્યો હતો. ઇડીએ કેમ પાડ્યા હતા દરોડા ? ED એ કોલસાની દાણચોરી અને મની લોન્ડરિંગ સંબંધિત એક મોટો કેસ દાખલ કર્યો છે. ED નો આરોપ છે કે જ્યારે તેઓ કાયદેસરની કાર્યવાહી કરી રહ્યા હતા ત્યારે ત્યારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને રાજ્ય પોલીસે ED અધિકારીઓ સાથે બળજબરીથી કામગીરીમાં દખલ કરી પુરાવા જપ્ત કર્યા અને તપાસ અટકાવી દીધી હતી. https://x.com/ANI/status/2009194865490636929આખો કેસ કેવી રીતે શરૂ થયો? 2020 માં CBI એ અનુપ માજી અને અન્ય લોકો સામે ગેરકાયદેસર કોલસા ખાણકામ અને ચોરીનો કેસ નોંધ્યો.આ પછી, ED એ PMLA (મની લોન્ડરિંગ એક્ટ) હેઠળ તપાસ શરૂ કરી. તપાસમાં જાણવા મળ્યું કે કોલસાની દાણચોરીમાંથી આશરે ₹2,700 કરોડ (આશરે $27 બિલિયન) ગેરકાયદેસર કમાણી થઈ હતી. આ નાણાંનો ઉપયોગ હવાલા નેટવર્ક દ્વારા કરવામાં આવ્યો હતો. તપાસમાં એ પણ બહાર આવ્યું કે IPAC (ઇન્ડિયન પોલિટિકલ એક્શન કમિટી) ને હવાલા દ્વારા આશરે ₹20 કરોડ (આશરે $200 મિલિયન) મળ્યા હતા. 8 જાન્યુઆરી, 2026 ના રોજ શું થયું? પ્રતીક જૈનના ઘરે ED ટીમ કાનૂની આદેશો હેઠળ દરોડા પાડી રહી હતી.જે દરમિયાન ડિજિટલ ઉપકરણો (મોબાઇલ ફોન, લેપટોપ, હાર્ડ ડ્રાઇવ વગેરે) જપ્ત કરવામાં આવી રહ્યા હતા. પહેલા ડીસીપી પહોંચ્યા, પછી કોલકાતા પોલીસ કમિશનર. ત્યારબાદ મુખ્યમંત્રી મમતા બેનર્જી પોતે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. https://x.com/ANI/status/2009165898154954839ઇડીનો શું છે આરોપ ? EDનો આરોપ છે કે મુખ્યમંત્રીએ પોલીસની મદદથી ED દ્વારા જપ્ત કરાયેલા ડિજિટલ પુરાવા અને દસ્તાવેજો બળજબરીથી કબજે કર્યા અને તેમને પોતાની સાથે લઈ ગયા. આ ચાલુ કાનૂની કાર્યવાહી દરમિયાન બન્યું. IPAC ઓફિસ કોલકાતા ખાતે ED ટીમ પણ અહીં શોધ ચલાવી રહી હતી. ડિજિટલ ફોરેન્સિક તપાસ શરૂ થઈ ગઈ હતી. રાજ્ય પોલીસે ED અધિકારીઓને કામ કરતા અટકાવ્યા હતા. પોલીસે કમ્પ્યુટર, ઇમેઇલ ડેટા, CCTV રેકોર્ડ અને મોબાઇલ ફોન જપ્ત કર્યા. EDનું કહેવું છે કે આનાથી પુરાવાઓની સાંકળ ખોરવાઈ ગઈ અને તપાસમાં સંપૂર્ણપણે અવરોધ ઊભો થયો. EDનો અરજીમાં આરોપ છે કે મુખ્યમંત્રી અને રાજ્ય પોલીસે ED અધિકારીઓને ખોટી રીતે રોક્યા, તેમને બંધક બનાવ્યા અને તેમની પાસેથી પુરાવા ચોરી લીધા. આ બધું કાયદાનું ખુલ્લેઆમ ઉલ્લંઘન છે અને કાયદાના શાસન પર હુમલો છે. હવે EDની હાઇકોર્ટ પાસેથી શું માંગ છે? CBI દ્વારા સ્વતંત્ર તપાસ હાથ ધરવામાં આવે. જપ્ત કરાયેલા ડિજિટલ ઉપકરણો અને દસ્તાવેજો તાત્કાલિક ED ને પરત કરવા જોઈએ. બધા CCTV ફૂટેજ સાચવીને કોર્ટમાં રજૂ કરવા જોઈએ. રાજ્ય સરકાર અને પોલીસને ED ની કાર્યવાહીમાં દખલ કરતા અટકાવવા જોઈએ. ED ના અધિકારીઓ સામે કોઈ FIR કે કાર્યવાહી દાખલ ન કરવી જોઈએ. કોર્ટે જાહેર કરવું જોઈએ કે ED ની તેની કાર્યવાહીમાં દખલ ગેરકાયદેસર અને ગેરબંધારણીય હતી. ED એ કહ્યું છે કે તે કાયદાની અંદર, પ્રામાણિકપણે કાર્ય કરી રહી હતી. મુખ્યમંત્રી અને પોલીસ દ્વારા દખલ બંધારણની વિરુદ્ધ છે. તે કાયદો અને વ્યવસ્થાના સંપૂર્ણ ભંગ સમાન છે. તેથી, તાત્કાલિક કોર્ટનો હસ્તક્ષેપ જરૂરી છે. આ પણ વાંચો- Ruchak Rajyog: 7 દિવસ બાદ મંગળ ચમકાવશે આ રાશિની કિસ્મત, નોકરી ધંધામાં થશે પ્રગતિ

Read Full Story arrow_forward