android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Delhi Turkman Gate Violence: મસ્જિદ પાસે પથ્થરમારા મામલે એક્શન, 10 લોકો પોલીસ કસ્ટડીમાં
calendar_today January 7, 2026

Delhi Turkman Gate Violence: મસ્જિદ પાસે પથ્થરમારા મામલે એક્શન, 10 લોકો પોલીસ કસ્ટડીમાં

રાજધાની દિલ્હીમાં તુર્કમાન ગેટ વિસ્તારમાં ફેઝ એ ઇલાહી મસ્જિદ પાસે દબાણ હટાવવા માટેના અભિયાને હિંસક રૂપ લઇ લીધુ. દિલ્હી નગર નિગનએ દિલ્હીની હાઇકોર્ટના નિર્દેશ અનુસાર આ કાર્યવાહી કરી હતી. જોકે સ્થાનિક રહેવાસીઓએ આ કાર્યવાહીનો વિરોધ કર્યો હતો જેના કારણે પરિસ્થિતિ કાબૂ બહાર થઈ ગઈ હતી. વિરોધ કરી રહેલા ટોળાએ પોલીસ અને MCD ટીમ પર પથ્થરમારો કર્યો હતો. આ હિંસક ઘટનાથી વિસ્તારમાં તંગ વાતાવરણ સર્જાયું હતું. 5 પોલીસ કર્મીઓ થયા ઇજાગ્રસ્ત પોલીસે ઝડપથી કાર્યવાહી કરી અને પરિસ્થિતિને કાબૂમાં લીધી. પથ્થરમારાની ઘટનામાં પાંચ પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. આ બાબતને ગંભીરતાથી લેતા પોલીસે FIR નોંધી છે અને ઝડપથી બદમાશોની ઓળખ કરી રહી છે. પ્રાથમિક તપાસ અને CCTV ફૂટેજના આધારે, ઘણા બદમાશોની અટકાયત કરવામાં આવી છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસનું કહેવું છે કે આ ઘટનામાં જે કોઈ પણ સંડોવાયેલ હશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. અતિક્રમણ હટાવવાની કાર્યવાહી કોર્ટના આદેશ પર કરવામાં આવી રહી હતી, પરંતુ કેટલાક વ્યક્તિઓએ તેને હિંસક બનાવીને કાયદો અને વ્યવસ્થાને પડકાર ફેંક્યો હતો. 10 લોકોની કરી અટકાયત દિલ્હી પોલીસે અજાણ્યા વ્યક્તિઓ સામે FIR નોંધી છે. આશરે 10 લોકોની અટકાયત કરવામાં આવી છે. પથ્થરમારાની ઓળખ માટે CCTV ફૂટેજનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. હાલમાં FIR અજાણ્યા વ્યક્તિઓ સામે છે, જોકે પોલીસે ચારથી પાંચ શંકાસ્પદોની ઓળખ કરી છે. તેઓ પર લોકોને ભડકાવવાનો આરોપ લાગ્યો છે.  આ મામલે પોલીસ સોશિયલ મીડિયા પર પણ નજર રાખી રહી છે. https://x.com/ANI/status/2008774639531814932હાલ આરોપીઓને ઓળખવાની કામગીરી તેજ સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ DCP નીતિન વલસનએ જણાવ્યું હતું કે MCD કર્મચારીઓ રાત્રે JCB લઈને આવ્યા હતા. અમે લોકોને કહ્યું હતું કે આ કોર્ટનો આદેશ છે અને તેઓ અપીલ કરી શકે છે. તેમણે અપીલ કરી હતી, પરંતુ સ્ટે ઓર્ડર મળ્યો હતો. 25-30 લોકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. બદલામાં અમે તેમને ભગાડવા માટે બળનો ઉપયોગ કર્યો હતો. પથ્થરમારામાં પાંચ પોલીસ અધિકારીઓ ઘાયલ થયા હતા. તેમને સામાન્ય ઈજાઓ થઈ હતી. અમે સંબંધિત કલમો હેઠળ FIR નોંધી છે અને પાંચ લોકોની અટકાયત કરી છે. MCD ડિમોલિશનનું કામ કરી રહ્યું છે. જે કામ હાકરવાની જરૂર હતી તેમાંથી મોટાભાગનું કામ પૂર્ણ થઈ ગયું છે, અને કામ હજુ પણ ચાલુ છે. અમે ગઈકાલે ડ્રોન કેમેરા પણ લગાવ્યા હતા. અમે બધા કેમેરા ચકાસી રહ્યા છીએ.

Read Full Story arrow_forward
Junagadh News: માંગરોળમાંથી MD ડ્રગ્સ સાથે પેડલર ઝડપાયો
calendar_today January 7, 2026

Junagadh News: માંગરોળમાંથી MD ડ્રગ્સ સાથે પેડલર ઝડપાયો

ગુજરાતમાં ડ્રગ્સના વધતા દૂષણને ડામવા પોલીસ સતત એક્શનમાં છે. જૂનાગઢ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ચોક્કસ બાતમીના આધારે માંગરોળ વિસ્તારમાં રેડ કરવામાં આવી હતી. આ રેડ દરમિયાન મેફેડ્રોન ડ્રગ્સ(MD Drugs)ના કારોબારનો પર્દાફાશ થયો છે. આ કાર્યવાહીમાં પોલીસ દ્વારા ફારૂક ખાદીમ નામના કુખ્યાત ડ્રગ પેડલરને પ્રતિબંધિત નશાકારક પદાર્થ સાથે રંગેહાથ ઝડપી લેવામાં આવ્યો છે.મુદ્દામાલ અને ધરપકડ પોલીસ રેડ દરમિયાન આરોપી ફારૂક પાસેથી 3.58 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું. આ ડ્રગ્સની અંદાજિત કિંમત 12,530 રૂપિયા થાય છે. આ ઉપરાંત, પોલીસે આરોપી પાસેથી રોકડ રકમ અને બે મોબાઈલ ફોન પણ કબ્જે કર્યા છે. પોલીસ દ્વારા આ મામલે કુલ મળીને 46,030 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. નાના શહેરોમાં યુવાનો ટાર્ગેટ પર પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, ડ્રગ માફિયાઓ હવે મોટા શહેરો બાદ માંગરોળ જેવા નાના શહેરોમાં પણ પગપેસારો કરી રહ્યા છે. નિર્દોષ યુવાનોને ડ્રગ્સના રવાડે ચઢાવી તેમનું જીવન બરબાદ કરવાનો આ એક ખતરનાક પ્રયાસ હતો. પકડાયેલો પેડલર ફારૂક ખાદીમ સ્થાનિક સ્તરે મોટાપાયા પર ડ્રગ્સનું વેચાણ કરતો હોવાની આશંકા છે. રાજસ્થાનથી જોડાયેલા છે તાર આ કેસમાં સૌથી મોટો ખુલાસો એ થયો છે કે, આ ડ્રગ્સનું નેટવર્ક રાજસ્થાન સુધી ફેલાયેલું છે. પૂછપરછ દરમિયાન ફારૂકે કબૂલ્યું હતું કે, તેને આ ડ્રગ્સ રાજસ્થાનના નાનુ નામના શખ્સે આપ્યું હતું. આ ખુલાસા બાદ પોલીસ હવે રાજસ્થાનના આ મુખ્ય સપ્લાયર સુધી પહોંચવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસની કડક કાર્યવાહી જૂનાગઢ પોલીસે ફારૂક ખાદીમ વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે અત્યાર સુધી કેટલા યુવાનોને આ ડ્રગ્સ વેચવામાં આવ્યું છે અને આ ચેઈનમાં બીજા કેટલા લોકો સામેલ છે. આ પણ વાંચો - Junagadh: માંગરોળના નાંદરખી ગામે બે જૂથ વચ્ચે અથડામણ, 3થી વધુ ઘાયલ

Read Full Story arrow_forward
Ahmedabad ના 5 લાખ વિદ્યાર્થીઓના સામૂહિક શપથ, મારો આનંદ કોઈનો જીવ ન લે, એ જ મારી ઉત્તરાયણ
calendar_today January 7, 2026

Ahmedabad ના 5 લાખ વિદ્યાર્થીઓના સામૂહિક શપથ, મારો આનંદ કોઈનો જીવ ન લે, એ જ મારી ઉત્તરાયણ

અમદાવાદમાં આગામી ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખીને પશુ-પક્ષીઓ અને માનવ જિંદગીની સુરક્ષા માટે એક ભવ્ય અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. અમદાવાદ જિલ્લા કલેક્ટરના નવતર પ્રયોગ અંતર્ગત શહેરની વિવિધ શાળાઓના આશરે 5 લાખથી વધુ વિદ્યાર્થીઓએ સુરક્ષિત ઉત્તરાયણ ઉજવવાના શપથ લીધા હતા. "મારો આનંદ કોઈનો જીવ ન લે, એ જ મારી ઉત્તરાયણ" ના સૂત્ર સાથે બાળકોએ જીવદયા અને સંવેદનાના પાઠ શીખ્યા હતા. આ સામૂહિક સંકલ્પ કાર્યક્રમ દ્વારા નવી પેઢીમાં તહેવારની સાથે સામાજિક જવાબદારીનો સંદેશ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.ચાઇનીઝ દોરીને 'ના' આ શપથ ગ્રહણ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ખાસ કરીને જીવલેણ ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરવાનો અને પક્ષીઓના અવરજવરના સમયે એટલે કે વહેલી સવારે અને મોડી સાંજે પતંગ ન ચગાવવાનો મક્કમ નિર્ધાર કર્યો હતો. ઉત્તરાયણ દરમિયાન આકાશમાં ઉડતા નિર્દોષ પક્ષીઓ દોરીથી ઘાયલ ન થાય તે માટે બાળકોએ પ્રતિજ્ઞા લીધી હતી કે તેઓ પક્ષીઓની સુરક્ષાનું પૂરતું ધ્યાન રાખશે. કલેક્ટર તંત્રના આ પ્રયાસને વાલીઓ અને શિક્ષણ જગતે બિરદાવ્યો છે, જેનો મુખ્ય હેતુ તહેવારના હર્ષોલ્લાસમાં કોઈ દુર્ઘટના ન સર્જાય તે સુનિશ્ચિત કરવાનો છે. આ પણ વાંચો : Rajkot HCG હોસ્પિટલ વિવાદમાં, તબીબી બેદરકારીથી યુવકના મોતનો પિતાએ લગાવ્યો ગંભીર આક્ષેપ

Read Full Story arrow_forward