Ahmedabad: નિકોલની સોસાયટીમાં ચેરમેનના ત્રાસથી યુવકે ફિનાઇલ પી લીધું
નિકોલમાં સોસાયટીમાં નહિ રહેવા માટે ચેરમેન સભ્યને અવારનવાર બોલાચાલી કરીને હેરાન કરતો હતો.તેમજ સભ્ય મેન્ટેનન્શ બાબતે વાત કરવા જતા ઝઘડો કર્યો અને પોલીસ બોલાવી હતી. જેથી સભ્યને લાગી આવતા ફ્નિાઇલ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ અંગે સભ્યે ચેરમેન સામે ફરિયાદ નોધાવી છે. નિકોલમાં રહેતા જયમીનભાઇ બ્રામણીયા ડ્રાઇવિંગ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમની સોસાયટીમાં ચેરમેન તરીકે મહેશગીરી ગૌસ્વામી છે. ગત 3 જાન્યુઆરીએ જયમીનભાઇ સોસાયટીના મેન્ટેનન્સ બાબતે ફ્લેટની નીચે ગયા હતા. બાદમાં મહેશગીરીને બોલાવ્યા, પરંતુ આવ્યા ન હતા. ત્યારે મહેશગીરી ઘરની બાલ્કનીમાંથી જયમીન સાથે બોલાચાલી કરીને ઝઘડો લાગ્યા હતા. જેથી જયમીનભાઇની બહેન રીમાબેન અને બનેવી મયુરભાઇ નીચે આવ્યા હતા. જે બાદ મહેશગીરીએ જાતિ વિષયક બોલ બોલ્યા હતા. તેમજ મહેશગીરીની પત્નીએ પોલીસને ફોન કરતા પોલીસ આવી હતી. જેથી જયમીનભાઇને મનમાં લાગી આવતા ફ્ીનાઇલ પીને આપધાતનો પ્રયાસ કર્યો હતો. ત્યારે આસપાસના લોકોએ તેમને તાત્કાલિક સારવારઅર્થે હોસ્પિટલ લઇ ગયા હતા. આટલું જ નહિ મહેશગીરી સોસાયટીમાં રહેવા નહિ દેવા અવારનવાર બોલાચાલી કરી હેરાન કરતો હતો. જેથી કંટાળીને જયમીનભાઇ નરોડા રહેવા ગયા હતા પરંતુ છેલ્લા એક મહિનાથી પરત રહેવા આવ્યા હતા. આ અંગે જયમીનભાઇએ મહેશગીરી સામે નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward