android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Thangadh: ગોકળગતિએ ચાલી રહેલ રેલવે અંદર બ્રિજ નાળાના કારણે વેપારી લોકો ત્રાહિમામ્
calendar_today January 5, 2026

Thangadh: ગોકળગતિએ ચાલી રહેલ રેલવે અંદર બ્રિજ નાળાના કારણે વેપારી લોકો ત્રાહિમામ્

થાનગઢ છેલ્લા 2 વર્ષે થી ગોકળગતિ એ ચાલી રહેલ રેલ્વે અંદર બ્રીજ નાળા ના કારણે વેપારી લોકો ત્રાહિમામ પોકારી ઊઠયા છે.આ ન્યુ વેપારી એસોસિયેશન અને વેપારી લોકો દ્વારા થાનગઢ મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યુ.ન્યુ વેપારી એસોસિયેશન દ્રારા છેલ્લા ધણા સમયથી ચાલી રહેલ રેલ્વે અંદર બ્રીજ નાળા ને કારણે થાનગઢ પંથક માં બે ભાગ જેવો માહોલ, ફ્ટાક બહાર ના વિસ્તારમાં આવેલ સ્મશાન જવા રેલ્વે લાઈન ક્રોસ કરી સ્મશાને જવી પડતી હાલાકી,એક દોઢ વર્ષમાં આશરે ત્રણથી ચાર વ્યક્તિ ટ્રેનની ઝડપે આવી ગયેલ અને નાના અને સામાન્ય કક્ષાના વેપારી છેલ્લા બે વર્ષથી ખૂબ મોટી તકલીફ્માં જીવી રહ્યા આવી અનેક રજુઆત આવેદન પત્ર આપી કરી હતી. જેથી નમ્ર વિનંતી કે અમો થાનગઢ ગામના નાગરિકની મુશ્કેલીને ધ્યાને લઈને જે અંડર ગ્રાઉન્ડ પુલની વ્યવસ્થા બંધ કરવામાં આવેલ છે તેને પૂર્ણ ચાલુ કરી જેટલું બને એટલો વહેલામાં વહેલા અંડર ગ્રાઉન્ડ પુલનું કામ પૂર્ણ કરી થાનગઢના તમામ નાગરિકને નવું જીવનદાન આપશો. જો આમ નહીં થવામાં આવે, ન જાણે કેટલાય નાના અને સામાન્ય ધંધો કરતા વેપારી હિજરત કરશે અથવા ખોટો રસ્તો પકડી આત્મવિલોપન ના માર્ગ પકડશે.આવી રજુઆત કરી કલેકટર સુરેન્દ્રનગર, પ્રાંત અધિકારી ચોટીલા, મામલતદાર થાનગઢ, ચીફ્ ઓફ્સિર થાનગઢ, સી એમ કાર્યાલય ગાંધીનગર, રેલ્વે સ્ટેશન માસ્તર થાનગઢ અને રેલવે મંત્રીશ્રી ને નકલ મોકલવામાં આવી. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Valsad: 1800 કર્મચારીઓની ટીમ કામે લાગી ત્યારે જિલ્લામાંથી રક્તપિત્તના 200 દર્દીઓ મળ્યા
calendar_today January 5, 2026

Valsad: 1800 કર્મચારીઓની ટીમ કામે લાગી ત્યારે જિલ્લામાંથી રક્તપિત્તના 200 દર્દીઓ મળ્યા

વલસાડ જિલ્લાના તમામ ગામોમાં આશા વર્કર અને આરોગ્ય ખાતાની ટીમ ઘરે-ઘર જઇ ઘરના દરેક સભ્યોની તપાસ કરી હતી. જેમાં કુલ ૧૯૨૩ જેટલા શંકાસ્પદ દર્દી મળી આવ્યા હતા. આ સમગ્ર અભિયાન દરમિયાન ગામના આગેવાનો અને લોકોમાં પણ આ રોગ પ્રત્યે વિશેષ જાગૃતિ જોવા મળતા આ અભિયાનને સારો પ્રતિસાદ મળ્યો હતો.સમાજમાંથી રક્તપિત નાબુદ કરવાના આ અભિયાનમાં હકારાત્મક અભિગમ સાથે કુટુંબ અને દેશને રક્તપિત્ત મુકત કરવાની દિશામાં આરોગ્ય તંત્ર સતત કટિબદ્ધ છે. રક્તપિત્તના ૨૦૦ નવા દર્દીઓ શોધી કાઢવામાં આવ્યા તા.૦૮ ડિસેમ્બર ૨૦૨૫ થી ૨૭ ડિસેમ્બર ૨૦૨૫ સુધી લેપ્રેસી કેસ ડિટેકશન કેમ્પેઈન કાર્યક્રમ યોજાયો હતો.કુલ ૧૮૨૭ જેટલી ટીમો બનાવવામાં આવી હતી જેમાં આશા અને પુરુષ વોલન્ટીયરનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તેમના દ્વારા સર્વે કરી રક્તપિત્તના લક્ષણો ધરાવતા દર્દીઓ શોધી કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ઝુંબેશમાં જિલ્લામાંથી રક્તપિત્તના ૨૦૦ નવા દર્દીઓ શોધી કાઢવામાં આવ્યા હતા. જેમાં ૯૧ દર્દીઓ ચેપી રક્તપિતના અને ૧૦૯ દર્દીઓ બીનચેપી રક્તપિતના મળી આવતાં તેમની સારવાર શરૂ કરી દેવામાં આવી છે. રક્તપિત્તના વહેલી તકે નિદાનથી વિકલાંગતા નિવારી શકાય છે વલસાડ જિલ્લા રક્તપિત્ત અધિકારી ડો.જયશ્રીબેન ચૌધરીએ જણાવ્યું કે, હાલમાં રક્તપિત્તના નવા ૨૦૦ દર્દી શોધવામાં સફળતા મળી છે. જેમની સારવાર શરૂ કરી દેવામાં આવી છે. આ રોગ સમયસરના નિદાન અને નિયમિત પૂરતી સારવારથી સંપૂર્ણપણે મટી શકે છે. આ રોગ વારસાગત નથી અને MDT ખૂબ જ અસરકારક છે અને વહેલી તકે નિદાનથી વિકલાંગતા નિવારી શકાય છે. ચેપી રક્તપિત્તમાં ૧૨ માસ એટલે એક વર્ષ અને બીનચેપી રક્તપિત્તમાં ૬ માસ સારવાર જરૂરી છે.આ પણ વાંચોઃ Bhavnagar: કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, મારામારીના 8 આરોપીઓનું કુંભારવાડામાં સરઘસ કાઢતી પોલીસ

Read Full Story arrow_forward
Gujarat News: સુરત અને ગણદેવીમાં પોલીસ અને મરિન કમાન્ડોએ કોસ્ટલ પેટ્રોલિંગ કર્યું
calendar_today January 5, 2026

Gujarat News: સુરત અને ગણદેવીમાં પોલીસ અને મરિન કમાન્ડોએ કોસ્ટલ પેટ્રોલિંગ કર્યું

ગુજરાતમાં દરિયાઈ સુરક્ષાને લઈને તપાસ એજન્સીઓ સતર્ક બની ગઈ છે. નવસારી જિલ્લામાં દરિયાઈ સુરક્ષાની તકેદારીના ભાગ રૂપે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. સુરક્ષા એજન્સીઓ દ્વારા જિલ્લાના ગણદેવી તાલુકામાં કોસ્ટલ પેટ્રોલિંગનું આયોજન કર્યું હતું. પોલીસે કેફી પદાર્થોની હેરાફેરી અટકાવવા માટે પ્રયાસો હાથ ધર્યા હતાં. બીજી તરફ સુરતમાં પણ ઓલપાડના ડભારીમાં કોસ્ટલ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. સઘન કોસ્ટલ પેટ્રોલીંગનું આયોજન નવસારી જિલ્લામાં દરિયાઈ સુરક્ષાની તકેદારી અંતર્ગત આંતકવાદી પ્રવૃત્તિઓ અટકાવવા તેમજ કાંઠા વિસ્તારમાં શંકાસ્પદ વ્યકિતઓની હિલચાલ તેમજ દરિયાકાંઠા વિસ્તારમાંથી મળી આવતા શંકાસ્પદ બોટ, ડ્રોન, ડ્રગ્સ પેકેટ્સ, બેગ તેમજ કેફી પદાર્થોની હેરાફેરી અટકાવવા પોલીસ તેમજ મરીન કમાન્ડો ટીમ દ્વારા સઘન કોસ્ટલ પેટ્રોલીંગનું આયોજન કરવામાં આવ્યું હતું.જે અન્વયે નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના દરિયાઇ વિસ્તાર ફિશ લેન્ડીંગ સેન્ટર ભાટ વિસ્તાર ફ્રુટ પેટ્રોલીંગ દ્વારા સઘન કોસ્ટલ પેટ્રોલીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. શંકાસ્પદ બોટ, વાહન અને લોકોનુ પણ ચેકિંગ આ સઘન કોસ્ટલ પેટ્રોલીંગ દરમિયાન મરીન કમાન્ડોની અલગ અલગ ટીમો દ્વારા શંકાસ્પદ વ્યકિત, વાહનો, બોટો, અવાવરૂ જગ્યાઓની તપાસ હાથ ધરવામાં આવી હતી.આ ઉપરાંત સુરતના ઓલપાડના ડભારીમાં પણ કોસ્ટલ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. દરિયામા મરીન કમાન્ડો દ્વારા સઘન પેટ્રોલિંગ હાથ ધરાયું હતું. મરીન કમાન્ડોની જુદી જુદી ટીમનું સઘન પેટ્રોલિંગ યોજાયુ હતું. શંકાસ્પદ બોટ, વાહન અને લોકોનુ પણ ચેકિંગ કરવામાં આવ્યું હતું.આ પણ વાંચોઃ Gir Somnath: તાલાલાના લોટસ રિસોર્ટમાં દારૂની મહેફિલ પર LCBનો દરોડો, 21.76 લાખના મુદ્દામાલ સાથે રાજકોટના 5 શખ્સો ઝડપાયા

Read Full Story arrow_forward