android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Rajkot: વિન્ડફાર્મ કંપનીઓની દાદાગીરી આવી સામે, ખેતરોમાંથી મંજૂરી વગર બારોબાર કાઢ્યો રસ્તો
calendar_today January 5, 2026

Rajkot: વિન્ડફાર્મ કંપનીઓની દાદાગીરી આવી સામે, ખેતરોમાંથી મંજૂરી વગર બારોબાર કાઢ્યો રસ્તો

એક તરફ સરકાર ખેડૂતોની આવક બમણી કરવાની વાતો કરે છે, તો બીજી તરફ મોટી કંપનીઓ પોતાના આર્થિક ફાયદા માટે જગતના તાતના પરસેવાની કમાણી પર બુલડોઝર ફેરવી રહી છે. રાજકોટના ગુંદાળા ગામની એક ઘટના સામે આવી છે. જેમાં વિન્ડફાર્મ પ્રોજેક્ટ સાથે સંકળાયેલી કંપનીઓની શરમજનક દાદાગીરી સામે આવી છે. ખેતરમાંથી બળજબરીપૂર્વક રસ્તો કાઢ્યાનો આક્ષેપ ગુંદાળા ગામના એક પીડિત ખેડૂતે ગંભીર આક્ષેપ કર્યો છે કે,પવનચક્કીના ભારે સાધનો લઈ જવા માટે જૂનીપર કંપની અને કૈલાશનાથ એજન્સી દ્વારા તેમના ખેતરમાંથી મંજૂરી વગર રસ્તો કાઢવામાં આવ્યો છે. ખેડૂતે વર્ષભરની મહેનત બાદ વાવેલા તુવેર અને જીરુંના ઉભા પાક પર ભારે મશીનરી ફેરવી દેતા ખેતીને ભારે નુકસાન થવા પામ્યુ છે. આટલું જ નહીં ખેતરમાં સિંચાઈ માટે નાખેલી પાણીની પાઇપલાઇન પણ કંપનીના વાહનો નીચે કચડાઈને તૂટી ગઈ છે. તંત્ર અને મંત્રી સમક્ષ અનેક વખત કરાઇ રજૂઆત પોતાની આજીવિકા છીનવાઈ જતા ખેડૂતો હવે ન્યાય માટે રજૂઆત કરવા પહોંચ્યા છે. પીડિત ખેડૂતે રાજકોટ કલેક્ટરને આવેદનપત્ર આપી નુકસાનીનું વળતર અપાવવા અને દાદાગીરી કરનાર કંપનીઓ સામે કડક પગલાં લેવા માગ કરી છે. આ ઉપરાંત, આ મામલો રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા સુધી પણ પહોંચાડવામાં આવ્યો છે. કંપનીઓની આવી વર્તણૂકથી સમગ્ર પંથકના ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતનો પ્રશ્ન એ છે કે શું વિકાસના નામે કંપનીઓને કોઈના ખેતર અને પાકને નુકસાન પહોંચાડવાની છૂટ મળી જાય છે?આ પણ વાંચોઃ Ahmedabad : ગુજરાત પોલો ક્લબ દ્વારા યોજાયેલી ત્રણ દિવસીય અમદાવાદ પોલો ટુર્નામેન્ટ સફળતાપૂર્વક સંપન્ન

Read Full Story arrow_forward
Junagadh: સિંહણને પકડવા જતા મૃત્યુ પામેલા વન કર્મીના પરિવારને તાત્કાલિક સહાય ચૂકવવા આદેશ
calendar_today January 5, 2026

Junagadh: સિંહણને પકડવા જતા મૃત્યુ પામેલા વન કર્મીના પરિવારને તાત્કાલિક સહાય ચૂકવવા આદેશ

જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના નાની મોણપરી ગામમાં સિંહણના રેસ્ક્યુ દરમિયાન કર્મચારી અશરફભાઈ ચૌહાણના મૃત્યુની દુઃખદ ઘટના સામે આવી છે.જેને અત્યંત દુઃખદ ગણાવતા વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ પીડિત પરિવાર પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરી હતી.આ સમગ્ર બનાવની તપાસ ગીર પશ્ચિમ વિભાગ, જૂનાગઢના નાયબ વન સંરક્ષક પ્રશાંત તોમરને સોંપવામાં આવી છે.મૃત્યુ પામનાર કર્મચારી અશરફભાઈ અલીભાઈ ચૌહાણના પરિવારને મળવાપાત્ર નાણાકીય સહાય ઉપરાંત મુખ્યમંત્રી રાહત ફંડમાંથી સહાય ચૂકવાય તે દરખાસ્ત કરવાના વન વિભાગને આદેશ આપ્યા છે. ખેતરમાં સિંહણ બાળકને ઉપાડી ગઈ હતી આ અંગે વધુ વિગતો આપતા મંત્રીએ જણાવ્યું હતું કે,જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના નાની મોણપરી ગામમાં સિંહણ દ્વારા એક બાળક પર હુમલો કરી મૃત્યુ નિપજાવવાની દુઃખદ ઘટના સામે આવી હતી.આ ગામ ગીર પશ્ચિમ વિભાગ, જૂનાગઢ હેઠળની વિસાવદર રેન્જની ગ્રાસ રાઉન્ડની માણંદીયા બીટના કાર્યક્ષેત્રમાં આવે છે. આ નાની મોણપરી ગામના ખેડૂત ખાતેદાર પરસોત્તમભાઈ વઘાસીયાના ખેતરમાં મજુરી કામ કરતા શૈલેષભાઈ પારગીના પુત્ર શિવમ પારગી તા.૦૪/૦૧/૨૦૨૬ ના રોજ વાડીએ આવેલ મકાનની બાજુમાં રમતો હતો તે દરમિયાન સવારે ૧૦-૩૦ કલાકે અચાનક વન્યપ્રાણી સિંહણ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. સિંહણ બાળકને તુવેરના પાકમાં ઢસડી ગયેલ જે દરમિયાન બાળકનું મૃત્યુ થયું હતું. જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં વન કર્મી મૃત્યુ પામ્યા જેને લઈને આ સિંહણને પકડવા માટે વન વિભાગે યુદ્ધના ધોરણે ઓપરેશન હાથ ધર્યું હતું.જેમાં હુમલો કરનાર સિંહણ માદાને પકડીને સ્થળાંતર કરવાની કાર્યવાહી વિસાવદર રેન્જના સ્ટાફ તથા વેટનરી ઓફિસર, સાસણની ટીમ દ્વારા હાથ ધરાઈ હતી. જે તુવેરના ખેતરમાં સિંહણને પકડવા માટે ટ્રેન્કવીલ્કાઈઝ્સ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી,ત્યારે ટ્રેંકવીલાઈઝર ગનમાંથી છોડવામાં આવેલ ડાર્ટ તુવેરના છોડમાં ફસાઈને દિશા બદલતા રેસ્ક્યુ કામગીરીમાં જોડાયેલ અશરફભાઈ ચૌહાણના ડાબા હાથમાં કોણીથી ઉપરના ભાગે વાગી હતી.જેથી તેમને સારવાર માટે પ્રથમ વિસાવદર સરકારી હોસ્પિટલ ખાતે સરકારી વાહનમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાંથી ૧૦૮ મારફતે વધુ સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખેસેડવામાં આવ્યા હતા.જ્યાં આજે વહેલી સરવાર સારવાર દરમિયાન તેમનું દુઃખદ મૃત્યુ થયું છે. જરૂરી સહાય વારસદારને ચૂકવવા માટેની દરખાસ્ત મૃતક અશરફભાઈ અલીભાઈ ચૌહાણ ગીર પશ્ચિમ વિભાગ, જુનાગઢ હેઠળની વિસાવદર રેન્જમાં છેલ્લા બે વર્ષથી વન્યપ્રાણી અવલોકન,રેસ્ક્યુ સહિતની કામગીરી માટે ટ્રેકર તરીકે ગુજરાત સ્ટેટ લાયન કન્ઝર્વેશન સોસાયટી અંતર્ગત કાર્યરત હતા.તેમના પરિવારને નાણાકીય સહાય મળી રહે તે માટે સ્વ.વિશાણા મેમોરીયલ ગીર ફોરેસ્ટ સ્ટાફ વેલ્ફેર એસોશીએશન સાસણ (ગીર)સહકારી મંડળીમાંથી મળવાપાત્ર રૂ.પાંચ લાખ ચુકવવામાં આવશે.આ ઉપરાંત ટ્રેકર માટે લેવામાં આવેલ અકસ્માત વિમાની રકમ રૂ.૧૦ લાખ વારસદારને ચૂકવવા માટેની દરખાસ્ત કરવામાં આવી છે. વધુમાં મુખ્યમંત્રી રાહતફંડમાંથી પણ સહાય મળે તે માટે દરખાસ્ત મોકલવા વન વિભાગના અધિકારીઓને મંત્રી દ્વારા આદેશ આપવામાં આવ્યા છે. આ પણ વાંચોઃ Daman News: રોંગ સાઈડમાં આવી રહેલા સ્કોર્પિયોના ચાલકે અકસ્માત સર્જ્યો, બે કાર સામ સામે અથડાતા એકનું મોત

Read Full Story arrow_forward
Palitana: ઉધાર કેમ ન આપ્યું? કહીને દુકાનદાર પર હુમલો, બે વ્યક્તિ લોહીલુહાણ
calendar_today January 5, 2026

Palitana: ઉધાર કેમ ન આપ્યું? કહીને દુકાનદાર પર હુમલો, બે વ્યક્તિ લોહીલુહાણ

પાલીતાણાની સર્વોદય સોસાયટીમાં બનેલી આ ઘટનાને પગલે સ્થાનિક વેપારીઓમાં રોષ અને ફફડાટ જોવા મળી રહ્યો છે. ઉધાર બાબતે થયેલી આ મારામારીમાં બે વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી હતી.દુકાનદારે ઉધાર આપવાની ના પાડતા મામલો બિચક્યોમળતી માહિતી મુજબ, સોસાયટીમાં આવેલી એક પ્રોવિઝન સ્ટોર પર બે શખ્સો કોઈ વસ્તુ ખરીદવા માટે આવ્યા હતા. તેમણે દુકાનદાર પાસે વસ્તુની માંગણી કરી હતી અને તેનું પેમેન્ટ ઉધાર રાખવા જણાવ્યું હતું. જોકે, દુકાનદારે ઉધાર આપવાની ના પાડતા મામલો બિચક્યો હતો. આ બાબતનો ખાર રાખીને બંને શખ્સોએ દુકાનદાર સાથે ગાળાગાળી કરી હતી અને ત્યારબાદ લાકડી કે અન્ય હથિયારો વડે હુમલો કરી દીધો હતો. આ હિંસક ઝપાઝપીમાં દુકાનદાર સહિત અન્ય એક વ્યક્તિને પણ ઈજાઓ પહોંચી હતી.ઈજાગ્રસ્ત વ્યક્તિઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા બંને વ્યક્તિઓને તાત્કાલિક સારવાર માટે પાલીતાણાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અંગે પોલીસને જાણ કરવામાં આવતા ટાઉન પોલીસનો કાફલો ઘટનાસ્થળે અને હોસ્પિટલ પહોંચ્યો હતો.પાલીતાણા ટાઉન પોલીસે હુમલાખોરો વિરુદ્ધ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. આ પણ વાંચો:સાંતલપુર મામલતદાર આત્મહત્યા પ્રયાસ મામલો, પિતાને 4 વર્ષથી ટોર્ચર કરી પૈસા મંગાતા હતા – પુત્રનો ગંભીર આક્ષેપ

Read Full Story arrow_forward