android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Nadiad: વડતાલ મંદિરમાં પોષી પૂનમે દર્શનાર્થે સવા લાખથી વધુ ભકતો ઉમટી પડયા
calendar_today January 4, 2026

Nadiad: વડતાલ મંદિરમાં પોષી પૂનમે દર્શનાર્થે સવા લાખથી વધુ ભકતો ઉમટી પડયા

સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની વડતાલ મંદિરમાં પોષી પૂર્ણિમા નિમિતે હરિભકતોનો મહેરામણ ઊમટી પડયો હતો. સવા લાખ ઉપરાંત ભકતોએ મંદિરમાં બિરાજમાન શ્રી લક્ષ્મીનારાયણ દેવ, હરિકૃષ્ણ મહારાજ સહિત દેવોના દર્શનનો લાભ લઇને ધન્યતા અનુભવી હતી. મંદિરમાં આખો દિવસ હરિભકતોના સ્વામિનારાયણ મહામંત્રના નાદથી ગુંજતું રહ્યું હતું. આ પ્રસંગે 50 હજાર ઉપરાંત ભકતોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો.વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં પોષી પૂનમ નિમિતે વહેલી સવારથીજ હરિભકતોનો ધસારો જોવા મળ્યો હતો. આ પ્રસંગે મંદિરમા બિરાજમાન દેવોને વિશેષ વાઘા અને શણગાર કરવામાં આવ્યો હતો. મંગળાઆરતી સમયે મંદિરનો ઘુમ્મટ હકડેઠઠ ભકતો જોવા મળ્યા હતા. પૂનમ નિમિતે ઘણા હરિભકતોએ દંડવત પ્રણામ અને પ્રદક્ષિણા કરતાં જોવા મળ્યા હતા. આ પર્વને લઇને મંદિર પરિસરના વિશાળ ભોજનાલયમાં હરિભકતો માટે મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Gandhinagar: પ્રાંતિયા પાસે આઇસર પાછળ ડાલુ ઘુસતા ચાલકનું મોત
calendar_today January 4, 2026

Gandhinagar: પ્રાંતિયા પાસે આઇસર પાછળ ડાલુ ઘુસતા ચાલકનું મોત

ગાંધીનગરના પ્રાંતિયા બ્રીજના છેડા પાસે એક અકસ્માતમાં રોડ પરથી પસાર થઇ રહેલા એક આઇશરના ટાયર જામ થવાથી રોડ વચ્ચે જ બંધ પડી ગયુ હતુ એ દરમિયાન પાછળથી આવતી એક ટાટા સુપર ગા.ડીનો ચાલક પુરઝડપે આઇસર પાછળ ઘુસી ગયો હતો. આ અકસ્માતમાં ટાટા ગાડીના ચાલક કેબિનમાં દબાઇ જતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં સ્થળ પર મોતને ભેટલા ચકચાર મચી હતી. મૃતક સાદરા ગામનો હોવાની વિગતો પોલીસની તપાસમાં જાણવા મળ્યુ હતુ.મળતી વિગતો મુજબ જીલાભાઇ ધનાભાઇ ભરવાડ (રહે. કુડાસણ ભઇજીપુરા) આઇસરમાં ડ્રાઇવર તરીકે નોકરી કરીને પરીવારનુ ગુજરાન ચલાવે છે. ગત 1લીએ જીલાભાઇ પોતાના શેઠ પ્રિન્સ પટેલ (સોલૈયા) નુ આઇસર નંબર જીજે.01.એલટી.5853 લઇને જામળાથી બટાકાની બોરીયો ભરીને અમદાવાદના અમરાઇવાડીમાં ખાલી કરવા ગયા હતા. જે બાદ બીજા દિવસે બટાકા ખાલી કરીને પરત માણસા ખાતે જવા નીકળ્યા હતા. આ દરમિયાન અમદાવાદથી ચિલોડા રોડ નેશનલ હાઇવે પર પસાર થઇ રહ્યા હતા ત્યારે પ્રાંતિયા ગામના બ્રીજથી થોડાક જ આગળ પહોંચ્યા હતા ત્યારે આઇસરના ટાયર અચાનક જામ થવા લાગ્યા હતા અને આઇસર ધીમુ થઇને રોડની વચ્ચેની લાઇન પર જ બંધ પડી ગયુ હતુ. જે બાદ નીચે ઉતરીને જોતા ટાયરના લઠ્ઠા જામ થઇ ગયા હતા. જીલાભાઇએ સાવચેતી માટે આજુબાજુમાંથી આઇસરની પાછળ કોઇ વાહન ચાલક ઘુસી ના જાય એ માટે કંઇક મુકવા માટે વસ્તુઓ શોધવા લાગ્યા હતા એજ વખતે જીલાભાઇને જોરથી અવાજ સંભળાયો હતો. રોડ પર જોતા એક ટાટા સુપર રેસ ગાડી આઇસરની પાછળ પુરઝડપે ઘુસી ગઇ હતી. લોકો સ્થળ પર દોડી આવ્યા હતા અને ગાડીનો ચાલક કેબીનમાં દબાઇ ગયો હતો અને સ્થળ પર જ મરણ ગયો હતો. ગાડી નંબર જોતા જીજે.18.એવી.9038 હતો. લોકોનો ટોળા જોઇને મારવાની બીકથી ગભરાઇ ગયેલા જીલાભાઇ સ્થળ પરથી દુર જતા રહ્યા હતા અને સમગ્ર હકીકત શેઠને ફોન કરીને જણાવી હતી. જોકે મરણ જનાર ટાટા સુપર ગાડીના ચાલક ભરતભાઇ વિઠ્ઠલભાઇ પટેલ (રહે. સાદરા) હોવાનુ જાણવા મળ્યુ હતુ. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Gandhinagar: શહેરમાં પાણીપૂરી, ઠંડા પીણાંની એકસોથી વધુ લારીઓ બંધ કરાવાઈ
calendar_today January 4, 2026

Gandhinagar: શહેરમાં પાણીપૂરી, ઠંડા પીણાંની એકસોથી વધુ લારીઓ બંધ કરાવાઈ

પાણીજન્ય રોગચાળામાં પણ ખાસ કરીને ટાઈફોઈડના કેસો ફાટી નીકળ્યા બાદ ગાંધીનગર કોર્પોરેશન હરકતમાં આવ્યું છે. જાહેર સ્વાસ્થયના હિતમાં કોર્પોરેશન દ્વારા કડક કાર્યવાહીના ભાગરૂપે શહેરમાં પાણીપૂરી, ઠંડા પીણાંની એકસોથી પણ વધુ લારીઓ બંધ કરાવવામાં આવી છે. મનપાની એસ્ટેટ શાખા અને ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા મેગા ડ્રાઈવ યોજવામાં આવી હતી. ખૂલ્લામાં ખાદ્યપદાર્થો વેચતી લારીઓ સામે લાલ આંખ કરવામાં આવી છે.જોકે આને ઘોડા દોડી ગયા બાદ તબેલાને તાળું માર્યા જેવો ઘાટ કહી શકાય.કોર્પોરેશન દ્વારા આગામી સૂચના ના મળે ત્યાંસુધી પાણીપૂરી, બરફ ગોળા અને સોડા જેવી ચીજવસ્તુઓ વેચતા એકમોને બંધ રાખવાની કડક સૂચના આપવામાં આવી છે. શહેરમાં ટાઈફોઈડનો રોગચાળો ફાટી નીકળ્યા બાદ કોર્પોરેશને પોતાની આંખ પરથી પટ્ટી ઉતારી છે. આજે કોર્પોરેશનની ફૂડ સેફ્ટી અને એસ્ટેટ શાખાની ટીમો સંયુક્ત રીતે ત્રાટકી હતી અને એકસોથી વધુ લારીઓ અને ફૂડ સ્ટોલ બંધ કરાવવામાં આવ્યા છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ઉભી રહેતી 75 જેટલી પાણીપૂરી અને રગડાની લારીઓ, 12 સોડા સેન્ટર, 8 પ્રેમ મેવાડ ફ્રુટ સલાડ અને બદામ શેકના સ્ટોલ તથા છ બરફ ગોળાની લારીઓનો સમાવેશ થાય છે. શહેરમાં પાણીપૂરી, બરફગોળા વેચતી લારીઓ સંખ્યાબંધ છે. કોર્પોરેશનની ટીમો સેક્ટર-2, 3, 6, 7, 8, 11, 13, ઘ-5 સર્કલ, સેક્ટર-21, 22, 24, અક્ષરધામ વિસ્તાર, ડી-માર્ટ વિસ્તાર, સે-25, 28 ગાર્ડન વિસ્તાર ઉપરાંત સેક્ટર-26, 27, પેથાપુર તેમજ ધોળાકુવા વિસ્તારમાં ફરી વળી હતી.  ઘ-4થી મહાત્મા મંદિર તરફ જઈએ તો આ વિસ્તાર ચોપાટી જેવો લાગે છે. કુડાસણમાં ઠેરઠેર લારીઓનો જમાવડો રહે છે. ગાંધીનગર શહેરમાં ખાદ્યચીજવસ્તુઓની લારીઓ પર ક્યારે આકસ્મિક ચેકીંગ કરવામાં આવે છે તે પણ એક સવાલ છે. આજે જે કાર્યવાહી કરાઈ તે રેન્ડમલી થવી જોઈએ, જે નથી થઈ રહી. સમગ્ર મહાપાલિકા વિસ્તારમાં મોટી સંખ્યામાં ખાણીપીણીની લારીઓ આવેલી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward