android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Agriculture News : 'દશપર્ણી અર્ક' પ્રાકૃતિક ખેતીનું શક્તિશાળી જંતુનાશક, ખેડૂતો માટે વરદાન
calendar_today January 3, 2026

Agriculture News : 'દશપર્ણી અર્ક' પ્રાકૃતિક ખેતીનું શક્તિશાળી જંતુનાશક, ખેડૂતો માટે વરદાન

પ્રાકૃતિક ખેતી એ ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવવા અને પર્યાવરણને સુરક્ષિત રાખવા માટેનો ઉત્તમ માર્ગ છે. દેશી ગાય આધારિત આ ખેતીમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકોને બદલે કુદરતી પદ્ધતિઓનો ઉપયોગ થાય છે. તેમજ પ્રાકૃતિક ખેતી પર્યાવરણને પણ સંરક્ષિત રાખવામાં અગત્યનું યોગદાન આપે છે.ખેડૂતોની આવકમાં નોંધપાત્ર વૃદ્ધિ કરે છે પ્રાકૃતિક ખેતીમાં પાકના રક્ષણ માટે રસાયણ યુક્ત દવાઓનો ઉપયોગ કરવામાં આવતો નથી. પરંતુ કુદરતી રીતે તૈયાર કરવામાં આવતાં જંતુનાશક શસ્ત્રો જેવા કે નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, અગ્નિઅસ્ત્ર, દશપર્ણી અર્ક, ખાટી છાશ, સુંઠાસ્ત્રનો ઉપયોગ કરવામાં આવે છે જેનાથી પાકને પૂરતું રક્ષણ મળે છે તેમજ ખેત ઉત્પાદન અને ખેડૂતોની આવકમાં વધારો થાય છે.'દશપર્ણી અર્ક' જેવા જૈવિક કીટનાશકો પાકને રક્ષણ આપી, જમીનની ફળદ્રુપતા વધારે છે અને ખેડૂતોની આવકમાં નોંધપાત્ર વૃદ્ધિ કરે છે. આ પદ્ધતિ માનવ સ્વાસ્થ્ય અને પર્યાવરણ બંને માટે લાભદાયી છે. ‘દશપર્ણી અર્ક’ બનાવવાની પ્રક્રિયા આવો! આજે આપણે ઉપર જણાવેલા રસાયણમુક્ત જંતુનાશક શસ્ત્રો પૈકીના ‘દશપર્ણી અર્ક’ બનાવવાની પ્રક્રિયા વિશે સમજીએ. દશપર્ણી અર્ક ને બધાજ પ્રકારની જીવાત અને ફુગના નિયંત્રણ માટે સર્વોત્તમ ગણવામાં આવે છે. તેને બનાવવા માટેની પ્રક્રિયા ત્રણ દિવસની હોય છે. જેમાં પ્રથમ દિવસે 20 લીટર ગૌમૂત્ર તેમજ 2 કિ.ગ્રા. તાજા છાણને 200 લીટર પાણીમાં નાખી લાકડીથી હલાવીને બે કલાક છાંયડામાં કોથળાથી ઢાંકવુ, આ મિશ્રણમાં 500 ગ્રામ હળદરનો પાઉડર અને 500 ગ્રામ આદુની ચટણી તથા 10 ગ્રામ હીંગનો પાઉડર નાખી આ મિશ્રણને હલાવીને આખી રાત કોથળાથી ઢાંકી દેવું જોઈએ. દશપર્ણી અર્ક 6 મહિના સુધી ઉપયોગમાં લઈ શકાય છે બીજા દિવસે ઉપરોક્ત મિશ્રણમાં સવારે 1થી 2 કિલો તીખા મરચીની ચટણી, 400 ગ્રામ દેશી લસણની ચટણી, 1 કિગ્રા તમાકુનો પાવડર નાખી લાકડીથી હલાવીને મિશ્રણને કોથળાથી ઢાંકી દેવું જોઈએ. ત્રીજા દિવસે “અ” શ્રેણીની કડવા લીમડાના પાન સાથેની ડાળીઓની ચટણી, કરંજ, સિતાફળ, ધતુરો, એરંડા અને બિલિપત્ર જેવી વનસ્પતિ પૈકી કોઇપણ પાંચ વનસ્પતિ તથા “બ” શ્રેણીની નગોડ, તુલસીની માંજર સાથેના પાન અને ડાળીઓ, ગલગોટના પંચાંગ, કારેલા, બાવળના પૈડીયા, આંકડા, આંબા, જાસુદ, જામફળ, પપૈયા, હળદર, આદુ, કરેણ, દેશી રામ બાવળ, બોરડી, કુવાડીયો, જાસુદ, સરગવો, અર્જુન સાદડ, ઘા બાજરીયુ (હાડવેલ) અને ગળોની વેલના પાંદડા જેવી વનસ્પતિ પૈકી કોઇપણ પાંચ વનસ્પતિ એમ કુલ દશ વનસ્પતિના પાંદડા, દરેક વનસ્પતિના 2 કિગ્રા એટલે કે 20 કિગ્રા પાનની ચટણી બનાવી તેને બીજા દિવસે બનાવેલ મિશ્રણમાં ડુબાડો અને 30થી 40 દિવસ વરસાદ અને સૂર્યના તાપથી દુર રાખી રોજ દિવસમાં 5-5 મિનિટ બરાબર હલાવવું. 100થી 200 લીટર પાણીમાં 6થી 8 લીટર દશપર્ણી અર્ક નાંખી તેને હલાવી સ્થિર થાય ત્યારે કપડાથી ગાળીને 1 એકરમાં તેનો છંટકાવ કરવો જોઈએ. આ દશપર્ણી અર્ક 6 મહિના સુધી ઉપયોગમાં લઈ શકાય છે. જમીનની ફળદ્રુપતા જાળવી રાખે છે દશપર્ણી અર્ક પ્રાકૃતિક ખેતી માટે એક અત્યંત લાભદાયી જૈવિક કીટનાશક છે. તેના અનેક ફાયદાઓમાં મુખ્યત્વે સર્વગ્રાહી જીવાત નિયંત્રણનો સમાવેશ થાય છે, જેમાં તે ચૂસિયા પ્રકારની જીવાતો, ઈયળો અને અન્ય કીટકો સામે અત્યંત અસરકારક સાબિત થાય છે. આ ઉપરાંત, તેમાં રહેલા ફૂગનાશક ગુણધર્મો છોડને વિવિધ ફૂગજન્ય રોગો સામે રક્ષણ આપે છે. દશપર્ણી અર્ક પર્યાવરણ-મૈત્રીપૂર્ણ હોવાથી, તે રાસાયણિક જંતુનાશકોથી વિપરીત પર્યાવરણ કે જમીનને કોઈ નુકસાન પહોંચાડતો નથી, ઉલટાનું જમીનની ફળદ્રુપતા જાળવી રાખે છે. આ અર્ક ખર્ચ-કાર્યક્ષમ છે કારણ કે ખેડૂતો તેને ઘરે જ સરળતાથી અને ઓછા ખર્ચે તૈયાર કરી શકે છે. તેના ઉપયોગથી પાકની ગુણવત્તામાં સુધારો થાય છે, કારણ કે તે રસાયણમુક્ત હોવાથી માનવ વપરાશ માટે વધુ સુરક્ષિત અને પૌષ્ટિક બને છે. છેલ્લે, તૈયાર થયેલા અર્કનો લાંબા સમય સુધી સંગ્રહ કરી શકાય છે, જે તેને છ મહિના સુધી ઉપયોગમાં લેવા માટે અનુકૂળ બનાવે છે. આમ, પ્રાકૃતિક ખેતીમાં જીવામૃત, બીજામૃત આચ્છાદન જેવા આયામોની સાથે નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, અગ્નિઅસ્ત્ર, દશપર્ણી અર્ક, ખાટી છાશ, સુંઠાસ્ત્ર જેવા જંતુનાશક શસ્ત્રોનો ઉપયોગ કરવાથી જમીનની ભેજ સંગ્રહ ક્ષમતા, ફળદ્રુપતા અને ઉત્પાદન ક્ષમતા વધારી શકાય છે અને આ જંતુનાશક શસ્ત્રોના ઉપયોગ દ્વારા પ્રાકૃતિક ખેતી કરીને પર્યાવરણ તથા માનવીય સ્વાસ્થ્યનું રક્ષણ, પોષણ અને સંવર્ધન કરી શકાય છે. આ પણ વાંચો: Agriculture News : પ્રાકૃતિક ખેતીમાં માટી ઉપર આવરણ જ ખાતર સમાન

Read Full Story arrow_forward
Ahmedabad: રેલવે ડિવિઝનમાં ચેઇન પુલિંગનો આતંક, વર્ષ 2025માં લોકો પાસેથી 5.65 લાખનો દંડ વસૂલ્યો
calendar_today January 3, 2026

Ahmedabad: રેલવે ડિવિઝનમાં ચેઇન પુલિંગનો આતંક, વર્ષ 2025માં લોકો પાસેથી 5.65 લાખનો દંડ વસૂલ્યો

ટ્રેનમાં મુસાફરી દરમિયાન સાંકળ ખેંચવી (Alarm Chain Pulling - ACP) એ માત્ર આપાતકાલીન સ્થિતિ માટેની સુવિધા છે, પરંતુ અમદાવાદ મંડળમાં તેનો દુરુપયોગ ચિંતાજનક રીતે વધી રહ્યો છે. વર્ષ 2025ના આંકડાઓ મુજબ, પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનમાં કુલ 2,047 ચેઇન પુલિંગની ઘટનાઓ નોંધાઈ છે, જેણે રેલવે તંત્રની દોડધામ વધારી દીધી છે.બિનજરૂરી ચેઇન પુલિંગ અને રેલવેની કાર્યવાહીકુલ ઘટનાઓમાંથી 1,855 કેસ બિનજરૂરી ચેઇન પુલિંગના હતા, જે સાબિત કરે છે કે મોટાભાગના કિસ્સાઓમાં કોઈ ગંભીર કારણ વગર જ સાંકળ ખેંચવામાં આવી હતી. આ મામલે રેલવે સુરક્ષા દળ (RPF) દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે 1,813 વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી.કુલ ₹5.65 લાખથી વધુનો દંડ ગુનેગારો પાસેથી વસૂલવામાં આવ્યો છે.કયા સ્ટેશનો અને સેક્શનમાં સૌથી વધુ કેસ?રેલવેના રિપોર્ટ મુજબ, 1,142 ઘટનાઓ રેલવે સ્ટેશનો પર બની હતી, જ્યારે 905 ઘટનાઓ ચાલુ ટ્રેને સેક્શન (બે સ્ટેશન વચ્ચે) માં નોંધાઈ હતી. સૌથી વધુ અસરગ્રસ્ત સ્ટેશનો: અમદાવાદ, સાબરમતી અને મહેસાણા.સૌથી વધુ અસરગ્રસ્ત સેક્શન: ગેરતપુર–અમદાવાદ અને અમદાવાદ–વિરમગામ.અમદાવાદ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક પ્રીમિયમ અને લાંબા અંતરની ટ્રેનોમાં ચેઇન પુલિંગનું પ્રમાણ સૌથી વધુ જોવા મળ્યું છે.આશ્રમ એક્સપ્રેસ, કચ્છ એક્સપ્રેસ, અરાવલી એક્સપ્રેસ.રેલવે પ્રશાસનની અપીલબિનજરૂરી ચેઇન પુલિંગને કારણે માત્ર ટ્રેન મોડી પડતી નથી, પરંતુ તેની પાછળ આવતી અન્ય અનેક ટ્રેનોના શિડ્યુલ પર પણ માઠી અસર પડે છે. રેલવે પ્રશાસને મુસાફરોને નમ્ર અપીલ કરી છે કે એલાર્મ ચેઇનનો ઉપયોગ માત્ર અકસ્માત, તબીબી કટોકટી કે કોઈ મોટી આપાતકાલીન સ્થિતિમાં જ કરવો. બિનજરૂરી સાંકળ ખેંચવી એ રેલવે અધિનિયમ હેઠળ ગુનો છે અને તેના માટે જેલ કે દંડની સજા થઈ શકે છે.આ પણ વાંચો: ટાઇફોઇડના 67થી વધુ કેસ નોંધાતા રાજ્ય સરકાર એક્શનમાં, હર્ષ સંઘવીએ યોજી તાકીદની બેઠક

Read Full Story arrow_forward
Morbi News : ઝઘડાની અદાવતમાં બાળકનો ભોગ લેવાયો, ટંકારામાં નરાધમ પાડોશીએ માનવતાની હદ વટાવી
calendar_today January 3, 2026

Morbi News : ઝઘડાની અદાવતમાં બાળકનો ભોગ લેવાયો, ટંકારામાં નરાધમ પાડોશીએ માનવતાની હદ વટાવી

મોરબી જિલ્લાના ટંકારા પંથકમાં માનવતાને લાંછન લગાડતી એક અત્યંત શરમજનક ઘટના સામે આવી છે. અહીં એક શ્રમિક પરિવારના માત્ર 2 વર્ષના માસૂમ બાળક સાથે પાડોશમાં રહેતા શખ્સે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતા ચકચાર મચી ગઈ છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી અને બાળકના પિતા વચ્ચે અગાઉ કોઈ બાબતે બોલાચાલી થઈ હતી. આ સામાન્ય ઝઘડાનો બદલો લેવા માટે પાષાણ હૃદયના આરોપીએ માસૂમ બાળકને નિશાન બનાવ્યું અને તેની સાથે કુકર્મ આચર્યું હતું. આ હૃદયદ્રાવક ઘટનાને પગલે શ્રમિક પરિવારોમાં ભારે રોષ અને ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.ટંકારામાં શરમજનક ઘટના ઘટનાની જાણ થતા જ ટંકારા પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી અને મૂળ બિહારના વતની એવા નરાધમ આરોપી રામવિકાસ તૈલીની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. ભોગ બનનાર માસૂમ બાળકની તબિયત લથડતા તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તબીબોની સઘન સારવાર બાદ બાળકની સ્થિતિમાં સુધારો થતા તેને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. પોલીસે આરોપી વિરુદ્ધ પોક્સો (POCSO) સહિતની કડક કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ પણ વાંચો : Dwarka News : જામખંભાળીયા હાઈવે પર કાળમુખી કારનો કહેર, હિટ એન્ડ રનમાં ફુવા-ભત્રીજાના કરુણ મોત

Read Full Story arrow_forward