android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Panchmahal:બોડેલી તાલુકાના લઢોદ-ધારોલી માર્ગ પર મૃત પશુઓની દુર્ગંધથી પરેશાની
calendar_today January 2, 2026

Panchmahal:બોડેલી તાલુકાના લઢોદ-ધારોલી માર્ગ પર મૃત પશુઓની દુર્ગંધથી પરેશાની

બોડેલી તાલુકાના લઢોદ-ધારોલી માર્ગ પર મૃત પશુઓ નાખતા અવરજવર કરતા રહીશોને ભારે દુર્ગંધને લઇ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જેને લઇ ગ્રામજનો માં ભારે રોષ જોવા મળી રહ્યો છે.લઢોદથી ધારોલી ગામ તરફ જતા મુખ્ય માર્ગની બાજુ મૃત પશુઓ નાખી જવાના સતત બનાવોને કારણે સમગ્ર વિસ્તારમાં ભારે દુર્ગંધ ફેલાઈ છે. જેના કારણે ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે. માર્ગની સાઈડમાં મૃત પશુઓ ફેંકી દેવાતા હોવાને રખડતા કૂતરા તેમજ અન્ય પક્ષીઓ ત્યાં આવીને પશુઓના અવશેષો ખેંચી બગાડ કરે છે. ત્યાર બાદ તે જ શ્વાન અને પંખી ગામમાં આંટાફેરા મારતા હોવાથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ, મૃત પશુને કારણે રોડ પર તથા વિસ્તારોમાં માખી-મચ્છરોનો ભારે ઉપદ્રવ જોવા મળી રહ્યો છે. એટલું જ નહીં, આ માર્ગ પરથી પસાર થનારા વાહન ચાલકો અને રાહદારીઓને એટલી તીવ્ર દુર્ગંધનો સામનો કરવો પડે છે કે, કેટલાક લોકોને ઉલટી થવાના બનાવો પણ સામે આવ્યા છે. મુખ્યત્વે શાળાએ જતા બાળકો, મહિલાઓ અને વૃદ્ધોને આ પરિસ્થિતિને લઈ ભારે હાલાકી વેઠવી પડી રહી છે.ગ્રામજનોનું વધુમાં કહેવું છે કે ખુલ્લામાં મૃત પશુઓ પડયા રહેતા હોવાને કારણે રોગચાળો ફેલાવાનો મોટો ભય સતાવી રહ્યો છે. આરોગ્યની દ્રષ્ટિએ આ પરીસ્થિતિ અત્યંત જોખમી બની હોવા છતાં સંબંધિત તંત્ર તથા સ્થાનિક જવાબદારોએ હજુ સુધી કોઈ નક્કર પગલા ન લીધા હોવાના આક્ષેપો લોકો કરી રહ્યાં છે. આ ગંભીર મુદ્દે સ્થાનિક આગેવાનો તથા જાગૃત નાગરિકોએ લઢોદ અને ધારોલી બંને ગામના સરપંચો તથા પંચાયતના જવાબદાર અધિકારીઓને તાત્કાલિક યોગ્ય વ્યવસ્થા કરવા અપીલ કરી છે. આગેવાનોનું કહેવું છે કે, જ્યારે પણ કોઈ પશુનું મૃત્યુ થાય ત્યારે તેને ખુલ્લામાં રોડની સાઈડમાં ફેંકી દેવાને બદલે JCB મશીન દ્વારા મોટો ખાડો ખોદી નિયમસર દફ્નાવવામાં આવે તેવી કાયમી અને વ્યવસ્થિત સિસ્ટમ ગોઠવવા માગ કરી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Vadodara:શેરપુરા ગામે કંપનીમાંથી કોપર વાયર ચોરનાર પાંચ ઝડપાયા
calendar_today January 2, 2026

Vadodara:શેરપુરા ગામે કંપનીમાંથી કોપર વાયર ચોરનાર પાંચ ઝડપાયા

સાવલી તાલુકાના શેરપુરા ગામે કેઈસી કેબલ નામની કંપનીમાં કોપરના કેબલ ચોરીના પ્રકરણમાં સાવલી પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલીને પાંચ આરોપીને રૂા.1.90 લાખના મુદ્દામાલ સાથે ઝડપીને જેલ ભેગા કર્યા છે.તા.1/1/2026ના રોજ સાવલી પોલીસ સ્ટેશન ખાતે કંપનીમાં સિક્યુરિટી એડમીન તરીકે ફરજ બજાવતા હનીસિંહ કંવરે પોતાની ફરીયાદમાં નોંધાવ્યું હતું કે, કંપનીમાંથી કોઈ અજાણ્યા ઈસમો અંદાજે 80 મીટર કોપરના કેબલની ચોરી ગયાનો ગુનો નોંધાયો હતો. ફરીયાદને પગલે સાવલી પી આઈ કે જે ચૌહાણે વિવિધ ટીમો કામે લગાવી હતી. અને ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઈન્ટેલિજન્સના સોર્સ દ્વારા ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલ્યો હતો અને ગુનામાં સંડોવાયેલા કુલ પાંચ આરોપીને ઝડપી પાડયાં હતા. જેમા બાબુ ઉર્ફે બાલો ભઈજી પરમાર (રહે સીલીયાપુરા સુરેલી તા ઉમરેઠ જી આણંદ), ભરત રમેશ ઠાકોર (રહે સિલિયા પુરા સુરેલી તા ઉમરેઠ), દિનેશ ઉર્ફે બોડો મગન ઠાકોર (રહે સીલીયાપુરા સુરેલી તા ઉમરેઠ), જગદીશ મગન પરમાર (રહે સીલીયાપુરા સુરેલી તા ઉમરેઠ) અને ચિરાગ કાંતિ મકવાણા (રહે કઠવાડા રોડ સાકર રાજ રેસીડેન્સી સિંગરવા અમદાવાદ)ને ઝડપી પાડયા છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Panchmahal:દર્દીઓ માટે આશીર્વાદરૂપ બોડેલીની ઢોકલિયા પ. હોસ્પિ. ગંભીર સંકટમાં
calendar_today January 2, 2026

Panchmahal:દર્દીઓ માટે આશીર્વાદરૂપ બોડેલીની ઢોકલિયા પ. હોસ્પિ. ગંભીર સંકટમાં

નવ દાયકાથી વધુ સમય પહેલા બોડેલી ખાતે ગાયકવાડ સ્ટેટ દ્વારા સ્થાપિત ઐતિહાસિક ઢોકલિયા પબ્લિક હોસ્પિટલ આજે ટ્રસ્ટીઓના વિવાદિત મામલાને કારણે અસ્તિત્વના સંકટ સામે ઝઝૂમી રહી છે.25 ડિસેમ્બરથી દવાઓની ખરીદી બંધ થતા હોસ્પિટલની કામગીરી ધીમે ધીમે ઠપ થતી ગઈ છે. રોજે રોજ 200થી વધુ ઓપીડી ધરાવતી આ હોસ્પિટલમાં અગાઉ 70થી 80 ટકા દર્દીઓ વિવિધ સરકારી યોજના હેઠળ મફ્ત સારવાર મેળવતા હતા. પરંતુ હાલ દવાઓના અભાવે દાખલ દર્દીઓ લેવાનું સંપૂર્ણપણે બંધ કરી દેવાયું છે.ડોક્ટરોના પગાર હોલ્ડ કરાતા અને દાખલ દર્દીઓ બંધ થતાં હોસ્પિટલના 9માંથી 4 મહત્વના ડોક્ટરોએ 30 ડિસેમ્બરના રોજ એકસાથે રાજીનામા આપી દીધા હતા. જોકે, ડોક્ટરો દ્વારા સ્પષ્ટતા કરાઇ છે કે, આગામી 30 દિવસમાં દવાઓ સહિતની જરૂરી વ્યવસ્થા પુનઃસ્થાપિત થશે તો તેઓ ફરી સેવા આપવા તૈયાર છે. આ સ્થિતિને કારણે બોડેલી નગર સહિત સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં ભારે ચકચાર મચી છે. અનેક દર્દીઓ અને તેમના સ્વજનો સારવાર વિના પરત ફરવા મજબૂર બન્યા છે. જેને કારણે ખાનગી અને મોંઘી હોસ્પિટલોમાં સારવાર લેવાની ફરજ પડે છે. છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી પૂર્વ પટ્ટામાં આશીર્વાદ સમાન એવી ઢોકલિયા હોસ્પિટલ આજે ટ્રસ્ટીઓના વિવાદને કારણે પોતાના અસ્તિત્વ સામે ઝઝૂમી રહી છે.સ્થાનિક નાગરિકો અને આગેવાનોની માંગ છે કે, જિલ્લા વહીવટી તંત્ર તાત્કાલિક હોસ્પિટલને પોતાના હસ્તક લઈ દવાઓ અને જરૂરી સુવિધા ઉપલબ્ધ કરાવે, જેથી ગરીબ અને ગ્રામ્ય વિસ્તારના દર્દીઓને ફરીથી યોગ્ય અને સમયસર સારવાર મળી શકે. દર્દીઓને વ્યવસ્થિત સારવાર મળી રહે તે હેતુસર, હોસ્પિટલ સંચાલન કરતા ટ્રસ્ટના વિવાદની કાર્યવાહી અલગ રાખી જિલ્લા કલેક્ટરે જાતે મુલાકાત લઈ હોસ્પિટલને રાબેતા મુજબ શરૂ કરાવે તેવી માંગ આગેવાનો દ્વારા કરાઇ રહી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward