android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Kachchh News: બીજી જાન્યુઆરીએ ગાંધીધામ ખાતે યોજાશે કચ્છનો ડિસ્ટ્રીક્ટ લેવલ વાઈબ્રન્ટ પ્રોગ્રામ
calendar_today January 1, 2026

Kachchh News: બીજી જાન્યુઆરીએ ગાંધીધામ ખાતે યોજાશે કચ્છનો ડિસ્ટ્રીક્ટ લેવલ વાઈબ્રન્ટ પ્રોગ્રામ

જાન્યુઆરી મહિનાના બીજા સપ્તાહમાં રાજકોટ ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ અંતર્ગત કચ્છ જિલ્લાના ડિસ્ટ્રીક્ટ લેવલ વાઈબ્રન્ટ પ્રોગ્રામનું આયોજન તા.૦૨ જાન્યુઆરી,૨૦૨૬ના રોજ ગાંધીધામમાં ડૉ.બાબાસાહેબ આંબેડકર કન્વેશન સેન્ટર ખાતે કરવામાં આવ્યું છે.આ વાઈબ્રન્ટ પ્રોગ્રામમાં મહત્વપૂર્ણ એમઓયુ સાથે વિવિધ ટેક્નિકલ સેશન, એક્ઝિબિશન તેમજ પેનલ ડિસ્કશન યોજાશે. કચ્છ જિલ્લા કલેક્ટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને આયોજિત બેઠકમાં વાઈબ્રન્ટ કચ્છ પ્રોગ્રામના આયોજનને લઈને વિવિધ તૈયારીઓને સમીક્ષા કરવામાં આવી હતી. ઈવેન્ટનું આયોજન કરવાથી નવા સ્ટાર્ટઅપને વેગ મળશે કચ્છ જિલ્લા કલેક્ટર આનંદ પટેલે અધિકારીઓને વાઈબ્રન્ટ કચ્છ પ્રોગ્રામના આયોજન અંગે માર્ગદર્શન પુરુ પાડતા જણાવ્યું હતું કે,વાઈબ્રન્ટ પ્રોગ્રામમાં ઉદ્યોગો સાથે કોલેજકક્ષાના વિદ્યાર્થીઓને પણ સાંકળીને ઈવેન્ટનું આયોજન કરવાથી નવા સ્ટાર્ટઅપને વેગ મળશે.કલેક્ટરે ઉદ્યોગો વચ્ચે સંકલન થાય અને તે માટે બી ટુ બીબેઠકો બાબતે ભાર મૂક્યો હતો.આ ઉપરાંત બિઝનેસ ટુ ગર્વમેન્ટ બેઠકોમાં સરકારના વિવિધ ડીપાર્ટમેન્ટ ઉત્સાહભેર સહભાગી બને તેમ કલેક્ટરે જણાવ્યું હતું.નાના ઉદ્યોગો, હેન્ડીક્રાફ્ટસ વગેરે સંલગ્ન યુનિટ પણ વાઈબ્રન્ટના જિલ્લાકક્ષાના પ્રોગ્રામમાં હાજર રહીને પોતાના પ્રોડક્ટ કે સેવાઓનું પ્રદર્શન કરી શકે તે પ્રકારે આયોજન કરવા કલેક્ટરે સૂચન કર્યું હતું. પોર્ટ અને ગ્રીન એનર્જી જેવા ક્ષેત્રોને કેન્દ્રમાં રખાશે ગાંધીધામ ખાતે તા.૦૨ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ આયોજિત વાઈબ્રન્ટ કચ્છ ડિસ્ટ્રીક્ટ પ્રોગ્રામમાં ગાંધીધામ ચેમ્બર્સ ઓફ કોમર્સ ઈવેન્ટ પાર્ટનર તરીકે જ્યારે દીનદયાળ પોર્ટ ટ્રસ્ટ વેન્યૂ પાર્ટનર તરીકે જોડાયા છે. આ ઉપરાંત ફોકિયા અને કચ્છ મેનેજમેન્ટ એસોસિએશન એ નોલેજ પાર્ટનર તરીકે સહભાગી બન્યા છે.કચ્છના પોર્ટ, ટ્રાન્સપોર્ટેશન એન્ડ લોજિસ્ટિક, એગ્રો એન્ડ ફૂડ પ્રોસેસિંગ, મિનરલ પ્રોસેસિંગ, રિન્યુએબલ એનર્જી એન્ડ ગ્રીન હાઈડ્રોજન, ટુરિઝમ, કલ્ચર એન્ડ હેન્ડીક્રાફ્ટસના ક્ષેત્રોને કેન્દ્રિત કરવામાં આવ્યા છે. આ ક્ષેત્રો સાથે સંકળાયેલા વિવિધ ઉદ્યોગો, સરકારી સંસ્થાઓ, સ્ટાર્ટઅપ્સ વગેરેને આમંત્રિત કરાયા છે. આ પણ વાંચોઃ Gandhinagar: જિલ્લા પંચાયતોના પ્રમુખોને 1 કરોડ રૂપિયાની વાર્ષિક વિવેકાધીન ગ્રાન્ટ સ્થાનિક વિસ્તારના અગત્યતા ધરાવતા કામો માટે ફાળવાશે

Read Full Story arrow_forward
Dwarka News: 11 જાન્યુઆરીએ બ્લુ ફલેગ શિવરાજપુર બીચ ખાતે પતંગ મહોત્સવ યોજાશે
calendar_today January 1, 2026

Dwarka News: 11 જાન્યુઆરીએ બ્લુ ફલેગ શિવરાજપુર બીચ ખાતે પતંગ મહોત્સવ યોજાશે

રાજ્ય સરકાર દ્વારા ગુજરાતને પ્રવાસન ક્ષેત્રે આગવું સ્થાન પ્રાપ્ત થાય તે માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવનાર છે.જેના ભાગરૂપે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી 11 જાન્યુઆરીએ રોજ બ્લુ ફલેગ શિવરાજપુર બીચ ખાતે પતંગ મહોત્સવનું આયોજન થનાર છે.આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવના સુચારૂ આયોજન અંગે કલેકટર કચેરી ખંભાળીયા ખાતે જિલ્લા કલેકટર રાજેશ તન્નાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી. પતંગબાજો માટે તમામ આગતા-સ્વાગતા બેઠકમાં કલેકટરે પતંગ મહોત્સવમાં પતંગબાજો માટે તમામ આગતા-સ્વાગતા તેમજ પતંગ મહોત્સવ દરમિયાનની તમામ આનુષાંગિક વ્યવસ્થાઓ અંગે વિગતો મેળવી જરૂરી સૂચનો કર્યા હતા.ઉપરાંત કાર્યક્રમને અનુરૂપ પતંગબાજો માટેના સ્ટોલ, સ્ટેજ તેમજ આનુષાંગિક અન્ય વ્યવસ્થા કરવા જરૂરી સૂચના આપવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમની રૂપરેખાની વિગતો મેળવવા સાથે સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તૃતિ, ઉપરાંત સ્વચ્છતા, ફાયર, મોબાઇલ ટોયલેટની સુવિધા, પાર્કિંગ વ્યવસ્થા, મેડીકલ ટીમ, કાયદો અને વ્યવસ્થા, પીવાનું પાણી, સહિતની બાબતો સુનિશ્ચિત કરવા સબંધિત વિભાગના અધિકારીઓને ખાસ સૂચના આપવામાં આવી હતી. આ પણ વાંચોઃ Surat News :રાષ્ટ્રીય આદિવાસી ટ્રેડ ફેરની 6.93 લાખ લોકોએ મુલાકાત લીધી, કરોડોનું વેચાણ અને તકો

Read Full Story arrow_forward
Valsad News: ચૈતર વસાવા અને અનંત પટેલ માટે ભાજપના દરવાજા બંધ, બંને હિન્દુ વિરોધી છે: સાંસદ ધવલ પટેલ
calendar_today January 1, 2026

Valsad News: ચૈતર વસાવા અને અનંત પટેલ માટે ભાજપના દરવાજા બંધ, બંને હિન્દુ વિરોધી છે: સાંસદ ધવલ પટેલ

ભાજપના સાંસદ ધવલ પટેલે ધારાસભ્ય ચૈતર વસાવા અને અનંત પટેલ પર આકરા શાબ્દિક પ્રહારો કર્યા હતાં. તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસના વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે વાપીમાં એક એવું સ્ટેટમેન્ટ આપ્યું હતું કે, અમે આમ આદમી પાર્ટી અને ભાજપમાં મોટું ભંગાણ કરીશું. ભાજપમાં તો કોઈ મોટું ભંગાણ થશે નહીં પણ તેઓ આમ આદમી પાર્ટીમાં ભંગાણ પાડવાની વાત કરે છે. બીજી બાજુ ધારાસભ્ય ચૈતર વસાવાએ નાનાપૌઢામાં કોંગ્રેસના ચારસો કાર્યકર્તાઓને આમ આદમી પાર્ટીમાં જોડ્યા. અને વાંસદાના ધારાસભ્ય ચૈતર વસાવા સાથે વારંવાર પોગ્રામ કરે છે. તેમણે એક પણ વખત ચૈતર વસાવા વિરૂદ્ધ સ્ટેટમેન્ટ નથી આપ્યું. કોંગ્રેસ સો ટકા 2027ની વિધાનસભાની ચૂંટણી હારવાની છે સાંસદ ધવલ પટેલે કહ્યું હતું કે, વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને એવુ પણ નથી કહ્યું કે અમારી પાર્ટીના કાર્યકર્તાઓને તમે કેમ તોડો છો. આ સાબિત કરે છે કે ચૈતર વસાવા અને વાંસદાના ધારાસભ્યની સાંઠગાંઠ છે. ભાજપનો દરવાજો તો એમની માટે બંધ જ છે કારણ કે ભાજપમાં આવા હિન્દુ વિરોધી, ભારત વિરોધી અને આદિવાસી વિરોધી નેતાઓની જગ્યા નથી. જેથી વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય માટે ભાજપના દરવાજા બંધ છે. કોંગ્રેસ સો ટકા 2027ની વિધાનસભાની ચૂંટણી હારવાની છે. સાંસદ ધવલ પટેલે ઉમેર્યું હતું કે, તેઓ આમ આદમી પાર્ટીમાં કૂદવા માટે આ બધા ગતકડાં કરી રહ્યાં છે. તેઓ ક્યાંય પણ જાય તેનાથી અમને કશોય ફર્ક પડતો નથી. હું આ નિવેદન તેમની રાજનીતિને ખુલ્લી પાડવા માટે આ નિવેદન આપી રહ્યો છું.

Read Full Story arrow_forward