android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad Gandhinagar હાઇવે પર અક્સ્માત, ઉભેલી કારમાં લાગી ભીષણ આગ
calendar_today January 1, 2026

Ahmedabad Gandhinagar હાઇવે પર અક્સ્માત, ઉભેલી કારમાં લાગી ભીષણ આગ

અમદાવાદ ગાંધીનગર હાઇવે પર અડાલજ કેનાલની પાસે એક કારમાં લાગેલી ભીષણ આગને કારણે લગ્નની તૈયારીઓ માટે નીકળેલા પરિવારે ખરીદેલો બધો જ સામાન બળીને ખાખ થઇ ગયો હતો. કારમાં રાખેલા ૫ લાખ રૂપિયા રોકડા, લગ્ન માટે ખરીદેલા નવા કપડાં અને મોંઘી સાડીઓ બળીને ખાખ થઈ ગયા હતા. અડાલજ કેનાલ પાસે ગાડીમાં લાગી ભીષણ આગ મળતી માહિતી પ્રમાણે પરિવારના બે સભ્યો લગ્ન પ્રસંગ માટેની ખરીદી કરવા માટે કાર લઇને નીકળ્યા હતા.જ્યારે તેમની કાર અડાલજ કેનાલ પાસેથી પસાર થઇ રહી હતી. તે સમયે અચાનક જ બોનેટમાંથી ધુમાડા નીકળવા લાગ્યા હતા. કારમાં સવાર બંને વ્યક્તિઓએ ગણતરીની સેકન્ડોમાં જ સમય સૂચકતા વાપરીને કારમાંથી નીચે ઉતરી ગયા જેના કારણે મોટી જાનહાનિ ટળી હતી. જેવી આગળ આગ લાગી કે જોતજોતામાં આગે એટલું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યુ કે આખે આખી કાર આગની લપેટમાં આવીને બળીને ખાખ થઇ ગઇ હતી.  જમા પૂંજી પણ ગાડી સાથે બળીને ખાખ થઇ આગ એટલી ભયાનક હતી કે તે માત્ર ગાડી જ નહીં પરંતુ જમા પૂંજી પણ તેમાં હોમાઇ ગઇ. ખરીદી કરવા નીકળેલા પરિવારના 5 લાખ રોકડ રૂપિયા અને નવા ખરીદેલા કપડાં, મોંઘી સાડીઓ પણ બળીને સ્વાહા થઇ ગઇ. પરિવારને માથે જાણે આભ તૂટ્યુ હોય તેવો માહોલ પણ સર્જાયો હતો.કારણ કે પ્રસંગની તૈયારી માટે રાખેલી તમામ સામગ્રી અને રોકડ રૂપિયા સેકન્ડોમાં રાખમાં ફેરવાઇ ગયા.આગની ઘટના બાદ તરત જ ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ લાગવાનું કારણ કારમાં શોર્ટ સર્કિટ બતાવવામાં આવી રહ્યુ છે. આ પણ વાંચોઃ Gandhinagar: ડિસેમ્બર 2025માં રાજ્યની GSTની આવકમાં 12.37 ટકાનો વધારો

Read Full Story arrow_forward
NTPC સાથે મળીને અમેરિકાની કંપની કરશે કામ, ન્યુક્લિયર એનર્જીને અપાશે નવી દિશા
calendar_today January 1, 2026

NTPC સાથે મળીને અમેરિકાની કંપની કરશે કામ, ન્યુક્લિયર એનર્જીને અપાશે નવી દિશા

ભારતની ઊર્જા જરૂરિયાતો સતત વધી રહી છે અને દેશ હવે એવા વિકલ્પો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છે જે લાંબા ગાળે સલામત, સસ્તું અને ટકાઉ હોય. આ દિશામાં એક મહત્વપૂર્ણ પગલા તરીકે યુએસ પરમાણુ ટેકનોલોજી કંપની અને ભારતની સૌથી મોટી પાવર કંપની, NTPC વચ્ચે ભાગીદારી ચાલી રહી છે. આ સહયોગનો હેતુ ભારતમાં થોરિયમ આધારિત પરમાણુ ઈંધણને આગળ વધારવાનો છે.ભારતનું ધ્યાન થોરિયમ પર કેમ છે? ભારત પાસે યુરેનિયમનો મર્યાદિત ભંડાર છે, જ્યારે તેની પાસે વિશ્વના સૌથી મોટા થોરિયમ ભંડારોમાંનો એક છે. આ જ કારણ છે કે દાયકાઓથી થોરિયમને દેશની ઉર્જા સુરક્ષાનું ભવિષ્ય માનવામાં આવે છે. થોરિયમ વીજ ઉત્પાદન લાંબા સમય સુધી વિશ્વસનીય નથી, પરંતુ તે પ્રમાણમાં ઓછો પરમાણુ કચરો પણ ઉત્પન્ન કરે છે. અમેરિકાની કંપની NTPC સાથે કરશે કામ અમેરિકામાં શિકાગો સ્થિત એક પરમાણુ બળતણ ટેકનોલોજી કંપની હવે ભારતમાં NTPC સાથે કામ કરવાની યોજના બનાવી રહી છે. આ ભાગીદારી હેઠળ, NTPC યુએસ કંપનીમાં મર્યાદિત હિસ્સો ખરીદી શકે છે. તેનો ઉદ્દેશ્ય નવી ટેકનોલોજીઓ સુધી પહોંચ મેળવવાનો અને ભવિષ્યમાં પરમાણુ બળતણની જરૂરિયાતો માટે તૈયારી કરવાનો છે. આ સહયોગનું સૌથી મહત્વપૂર્ણ પાસું એ છે કે નવા થોરિયમ આધારિત બળતણનો ઉપયોગ ભારતના હાલના દબાણયુક્ત ભારે પાણીના રિએક્ટરમાં થઈ શકે છે. આનો અર્થ એ છે કે દેશને તેના સમગ્ર પરમાણુ માળખાને શરૂઆતથી ફરીથી બનાવવાની જરૂર રહેશે નહીં. આનાથી ખર્ચમાં ઘટાડો થશે અને ઊર્જા ઉત્પાદનમાં વધારો થશે. નવા પરમાણુ ઉર્જા કાયદાએ આવી ભાગીદારીને સરળ બનાવી તાજેતરમાં પસાર થયેલા નવા પરમાણુ ઉર્જા કાયદાએ આવી ભાગીદારીને સરળ બનાવી છે. પહેલી વાર, ખાનગી અને વિદેશી કંપનીઓને ભારતના પરમાણુ ક્ષેત્રમાં, ખાસ કરીને ઇંધણ અને ટેકનોલોજીના ક્ષેત્રોમાં મર્યાદિત ભૂમિકા ભજવવાની મંજૂરી આપવામાં આવી છે. આનાથી ભારતને અદ્યતન ટેકનોલોજી અને રોકાણ બંનેની ઍક્સેસ મળી શકે છે. આ પણ વાંચો: UPI Transaction : ડિસેમ્બર 2025માં UPIનું શાનદાર પ્રદર્શન, 21.6 બિલિયનથી વધારે ટ્રાન્ઝેક્શન થયા

Read Full Story arrow_forward
Valsad News : ચૈતર વસાવા અને અનંત પટેલ માટે ભાજપના દરવાજા બંધ, બંને હિન્દુ વિરોધી છે: સાંસદ ધવલ પટેલ
calendar_today January 1, 2026

Valsad News : ચૈતર વસાવા અને અનંત પટેલ માટે ભાજપના દરવાજા બંધ, બંને હિન્દુ વિરોધી છે: સાંસદ ધવલ પટેલ

ભાજપના સાંસદ ધવલ પટેલે ધારાસભ્ય ચૈતર વસાવા અને અનંત પટેલ પર આકરા શાબ્દિક પ્રહારો કર્યા હતાં. તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસના વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે વાપીમાં એક એવું સ્ટેટમેન્ટ આપ્યું હતું કે, અમે આમ આદમી પાર્ટી અને ભાજપમાં મોટું ભંગાણ કરીશું. ભાજપમાં તો કોઈ મોટું ભંગાણ થશે નહીં પણ તેઓ આમ આદમી પાર્ટીમાં ભંગાણ પાડવાની વાત કરે છે. બીજી બાજુ ધારાસભ્ય ચૈતર વસાવાએ નાનાપૌઢામાં કોંગ્રેસના ચારસો કાર્યકર્તાઓને આમ આદમી પાર્ટીમાં જોડ્યા. અને વાંસદાના ધારાસભ્ય ચૈતર વસાવા સાથે વારંવાર પોગ્રામ કરે છે. તેમણે એક પણ વખત ચૈતર વસાવા વિરૂદ્ધ સ્ટેટમેન્ટ નથી આપ્યું. કોંગ્રેસ સો ટકા 2027ની વિધાનસભાની ચૂંટણી હારવાની છે સાંસદ ધવલ પટેલે કહ્યું હતું કે, વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને એવુ પણ નથી કહ્યું કે અમારી પાર્ટીના કાર્યકર્તાઓને તમે કેમ તોડો છો. આ સાબિત કરે છે કે ચૈતર વસાવા અને વાંસદાના ધારાસભ્યની સાંઠગાંઠ છે. ભાજપનો દરવાજો તો એમની માટે બંધ જ છે કારણ કે ભાજપમાં આવા હિન્દુ વિરોધી, ભારત વિરોધી અને આદિવાસી વિરોધી નેતાઓની જગ્યા નથી. જેથી વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય માટે ભાજપના દરવાજા બંધ છે. કોંગ્રેસ સો ટકા 2027ની વિધાનસભાની ચૂંટણી હારવાની છે. આદિવાસી સમાજ ભાજપ સાથે જોડાયેલો છે. સાંસદ ધવલ પટેલે ઉમેર્યું હતું કે, તેઓ આમ આદમી પાર્ટીમાં કૂદવા માટે આ બધા ગતકડાં કરી રહ્યાં છે. તેઓ ક્યાંય પણ જાય તેનાથી અમને કશોય ફર્ક પડતો નથી. હું આ નિવેદન તેમની રાજનીતિને ખુલ્લી પાડવા માટે આ નિવેદન આપી રહ્યો છું. એમને આદિવાસી સાથે કોઈ લેવા દેવા નથી. તેઓ પોતાનો અંગત સ્વાર્થ અને પોતાની રાજનીતિ બચાવવા માટે આવું કરી રહ્યાં છે. આદિવાસી સમાજ ભાજપ સાથે જોડાયેલો છે. આ પણ વાંચોઃ Panchmahal News : વર્ષ 2026ના પહેલા દિવસે ઘોઘંબા તાલુકા પંચાયત કચેરીનો કરાર આધારીત કોમ્પુયટર ઓપરેટર રૂ.2 હજારની લાંચ લેતા ઝડપાયો

Read Full Story arrow_forward