android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat News: પોલીસ દ્વારા બાળકો માટે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું
calendar_today January 1, 2026

Surat News: પોલીસ દ્વારા બાળકો માટે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું

સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા મહિલા અને બાળ સુરક્ષાને અગ્રતા આપીને સતત જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત આજરોજ માંડવી તાલુકાના બૌધાન ગામે આવેલા સાર્વજનિક કેળવણી મંડળ સંચાલિત શાળામાં એક વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહિલા પોલીસ સ્ટેશન, એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU), અને PBSC (પોલીસ બેઝ્ડ સપોર્ટ સેન્ટર) સાથે મળીને ‘શી-ટીમ’ (SHE-Team) દ્વારા બાળકોને વિવિધ સામાજિક વિષયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.બાળકોને સમજાવ્યું ‘ગુડ ટચ-બેડ ટચ’નું મહત્વ આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય નાના બાળકોને સ્વ-રક્ષણ અને સુરક્ષા વિશે જાગૃત કરવાનો હતો. શી-ટીમના સભ્યોએ અત્યંત સરળ ભાષામાં બાળકોને ‘ગુડ ટચ અને બેડ ટચ’ વચ્ચેનો તફાવત સમજાવ્યો હતો. આ સાથે કોઈ પણ અજ્ઞાત વ્યક્તિ દ્વારા કરવામાં આવતી અયોગ્ય ચેષ્ટા સામે કેવી રીતે અવાજ ઉઠાવવો તેનું માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત, હ્યુમન ટ્રાફિકિંગ જેવી ગંભીર સમસ્યાઓથી બચવા માટે પણ બાળકોને સતર્ક કરવામાં આવ્યા હતા. સાયબર સુરક્ષા અને મહિલા અત્યાચાર સામે અવાજ વર્તમાન સમયમાં વધતા જતા સાયબર ગુનાઓને ધ્યાનમાં રાખીને, શાળાના વિદ્યાર્થીઓને સોશિયલ મીડિયાના સુરક્ષિત ઉપયોગ અને સાયબર ફ્રોડથી બચવાના ઉપાયો બતાવવામાં આવ્યા હતા. આ સાથે જ મહિલાઓ સામે થતા અત્યાચાર અને ઘરેલુ હિંસાના કિસ્સામાં કાયદાકીય રક્ષણ કેવી રીતે મેળવવું તે અંગે પણ ઉપસ્થિત કિશોરીઓને માહિતગાર કરવામાં આવી હતી. હેલ્પલાઇન નંબરોની આપી માહિતી આ કાર્યક્રમના અંતે પોલીસે કોઈ પણ કટોકટીની સ્થિતિમાં મદદ માટે 181 (અભયમ), 1098 (ચાઈલ્ડ હેલ્પલાઇન), 1930 (સાયબર ક્રાઈમ) અને 100 નંબરનો ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો. શાળાના શિક્ષકો અને સંચાલકોએ પોલીસની આ પ્રેરણાદાયી પહેલને બિરદાવી હતી અને જણાવ્યું હતું કે, આવા કાર્યક્રમોથી બાળકોમાં આત્મવિશ્વાસ વધે છે અને તેઓ સુરક્ષિત અનુભવે છે. આ પણ વાંચો - Surat પોલીસે15 ગ્રામ MD ડ્રગ્સ સાથે રીઢા ગુનેગારની કરી ધરપકડ

Read Full Story arrow_forward
Gondal: ગણેશ જાડેજાના જન્મદિવસે રાજુ સોલંકીની હાજરી, તોડબાજ ગેંગને આપ્યો જડબાતોડ જવાબ
calendar_today January 1, 2026

Gondal: ગણેશ જાડેજાના જન્મદિવસે રાજુ સોલંકીની હાજરી, તોડબાજ ગેંગને આપ્યો જડબાતોડ જવાબ

ગોંડલના ગણેશ જાડેજાના જન્મદિવસે એક આશ્ચર્યજનક અને સુખદ વળાંક જોવા મળ્યો છે. ભૂતકાળમાં થયેલી ગેરસમજ અને વિવાદો બાદ, ગણેશ જાડેજા અને અનુસૂચિત સમાજના આગેવાન રાજુ સોલંકી વચ્ચે મડાગાંઠ ઉકલી ગઈ છે. ગણેશ જાડેજાના જન્મદિવસે રાજુ સોલંકીએ ખાસ ઉપસ્થિતિ આપીને તમામ અટકળો પર વિરામ મૂકી દીધો છે.સમગ્ર સમાજ ગણેશ અને જયરાજસિંહની સાથેરાજુ સોલંકીએ આ પ્રસંગે મોટું નિવેદન આપતા જણાવ્યું હતું કે, "સમગ્ર અનુસૂચિત સમાજ ગણેશભાઈ અને જયરાજસિંહ બાપુની સાથે છે." તેમણે વિરોધ કરનારા તત્વોને આડે હાથ લેતા કહ્યું કે, જે લોકો ગેરસમજ ઉભી કરી રહ્યા છે તેઓ વાસ્તવમાં સમાજનું ભલું નથી ઈચ્છતા. તેમણે અનુસૂચિત સમાજના યુવાનોને અપીલ કરી હતી કે 'તોડબાજ ગેંગ'ની વાતોમાં આવીને ગેરમાર્ગે ન દોરાય.વાયરલ ઓડિયો ક્લિપ અંગે મોટો ધડાકોસોશિયલ મીડિયા પર વાયરલ થયેલી 10 કરોડની માંગણી વાળી ઓડિયો ક્લિપ અંગે સ્પષ્ટતા કરતા રાજુ સોલંકીએ જણાવ્યું કે, આ ઓડિયો ક્લિપ ૨-૩ મહિના જૂની છે. 10 કરોડની વાત માત્ર સમાધાન ન થાય તે માટેના હેતુથી કરવામાં આવી હતી. તેમણે આક્ષેપ કર્યો કે જૂનાગઢમાં જે આવેદનપત્રો અપાઈ રહ્યા છે તે માત્ર દબાણ લાવવા અને 'તોડ' કરવા માટેની રમત છે.'ટુકડે-ટુકડે ગેંગ' થી સાવધાન રહેવા અપીલરાજુ સોલંકીએ આકરા શબ્દોમાં પ્રહાર કરતા કહ્યું કે, "જ્યારે હું ૧૩ મહિના જેલમાં હતો ત્યારે આ આવેદનપત્ર આપનારા અને વિરોધ કરનારા ક્યાં હતા?" તેમણે અનુસૂચિત જાતિના યુવાનોને 'ટુકડે-ટુકડે ગેંગ' થી સાવધાન રહેવા અને જયરાજસિંહ બાપુ પર ખોટા દબાણ લાવતા તત્વોને ઓળખવા વિનંતી કરી છે.આ પણ વાંચો: મહેન્દ્રનગર ચોકડી પાસે ટ્રકે કારને 50 ફૂટ સુધી ઢસડી, અકસ્માતના હચમચાવી દેતા CCTV વાયરલ

Read Full Story arrow_forward
Surendranagar News: ચોરાયેલા મોબાઈલ મુળ માલિકને પરત કરાયા
calendar_today January 1, 2026

Surendranagar News: ચોરાયેલા મોબાઈલ મુળ માલિકને પરત કરાયા

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાની સૂચના અને માર્ગદર્શન હેઠળ થાનગઢ પોલીસ સ્ટેશન દ્વારા ટેકનોલોજીના માધ્યમથી નાગરિકોની અમાનત પરત સોંપવાનો પ્રેરણાદાયી કાર્યક્રમ યોજાયો હતો. ભારત સરકારના CEIR (Central Equipment Identity Register) પોર્ટલનો કુશળતાપૂર્વક ઉપયોગ કરી, પોલીસે જિલ્લાના નાગરિકોના ખોવાયેલા કે ચોરાયેલા કુલ 10 મોબાઈલ ફોન શોધી કાઢ્યા હતા અને તેને મૂળ માલિકોને પરત સોંપ્યા હતા.CEIR પોર્ટલ બન્યું આશીર્વાદરૂપ આજના ડિજિટલ યુગમાં મોબાઈલ એ માત્ર વાતચીતનું સાધન નહીં પણ વ્યક્તિગત ડેટાનો ખજાનો છે. જ્યારે કોઈનો કિંમતી મોબાઈલ ખોવાય છે, ત્યારે નાગરિકો ભારે પરેશાની અનુભવતા હોય છે. સુરેન્દ્રનગર પોલીસ દ્વારા ભારત સરકારના CEIR પોર્ટલ પર નોંધાયેલી ફરિયાદોના આધારે ટેકનિકલ સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું હતું. આ કામગીરીના અંતે અંદાજીત રૂપિયા 197496ની કિંમતના 10 નંગ મોબાઈલ હેન્ડસેટ ટ્રેસ કરવામાં સફળતા મળી હતી. “તેરા તુજકો અર્પણ” અંતર્ગત ખુશીઓ પાછી આપી થાનગઢ પોલીસ સ્ટેશન ખાતે “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જે નાગરિકોના મોબાઈલ શોધી કાઢવામાં આવ્યા હતા, તેમને પોલીસ મથકે બોલાવીને સન્માનપૂર્વક તેમના ફોન પરત કરવામાં આવ્યા હતા. પોતાનો ખોવાયેલો ફોન પાછો મળતા જ નાગરિકોના ચહેરા પર ખુશી જોવા મળી હતી અને તેમણે પોલીસની આ ત્વરિત અને પારદર્શક કામગીરી બદલ આભાર વ્યક્ત કર્યો હતો. પોલીસની અપીલ થાનગઢ પોલીસે આ તકે નાગરિકોને અપીલ કરી છે કે, જો તમારો મોબાઈલ ખોવાય કે ચોરાય તો તુરંત જ પોલીસનો સંપર્ક કરો અથવા ભારત સરકારના CEIR પોર્ટલ પર તેની વિગતો નોંધાવો. ટેકનોલોજીના યોગ્ય ઉપયોગથી તમારા કિંમતી સાધનો પરત મળવાની શક્યતા વધી જાય છે. થાનગઢ પોલીસની આ કામગીરીએ પોલીસ અને પ્રજા વચ્ચેના વિશ્વાસને વધુ મજબૂત બનાવ્યો છે. આ પણ વાંચો - Surendranagar News : ED રેડ કેસમાં મોટી કાર્યવાહી, ચંદ્રસિંહ મોરીના રિમાન્ડ પૂર્ણ, કોર્ટે જેલ હવાલે કરવાનો કર્યો આદેશ

Read Full Story arrow_forward