android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
શૂલપાણેશ્વર અભયારણ્યમાં ખીલી ઉઠયો ગોવલા ઘાટનો ધોધ
calendar_today August 31, 2026

શૂલપાણેશ્વર અભયારણ્યમાં ખીલી ઉઠયો ગોવલા ઘાટનો ધોધ

નર્મદા જિલ્લાના શૂલપાણેશ્વર વન્યજીવ અભયારણ્યની સગાઈ રેન્જમાં સામરઘાટ ગામ નજીક ગોવલી ઘાટ ધોધ ચોમાસામાં યુવાન સ્વરૂપે નિર્મળ સ્વચ્છ શ્વેતિમા ધારણ કરીને બગલા ખાડી પરથી પહાડોની વચ્ચેથી નીચે પડતું પાણી એક પ્રકારનો ધ્વનિ ઉત્પન્ન કરે છે. જે આસપાસની લીલીછમ ગાઢ વનરાજી વચ્ચે પ્રવાસી અને પ્રકૃતિપ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.સ્થાનિકોના જણાવ્યાં મુજબ, ગોવલી ઘાટ દેવમોગરા માતાના મંદિરથી અંદાજે 5થી 6 કિ.મી અને દેડિયાપાડાથી અંદાજે 18થી 19 કિ.મીના અંતરે, ગંગાપુર રાઉન્ડ અને મોરજરી રાઉન્ડની બોર્ડર નજીક આવેલ છે. ચોમાસામાં અહીં ધોધનો પાણીનો પ્રવાહ વધતાં કુદરતી સૌંદર્ય વધુ ખીલી ઊઠયું છે. સ્થાનિક માન્યતા મુજબ, આ સ્થળનું નામ ગાયો સાથે જોડાયેલ હોવાને કારણે ગોવલી ઘાટ પડયું હોવાનું કહેવાય છે. ભગવાન શ્રીકૃષ્ણ સાથે જોડાયેલી ધાર્મિક લાગણી પણ આ સ્થળ સાથે સંકળાયેલી હોવાનું સ્થાનિકો જણાવે છે. તેથી આ સ્થળ કુદરતી સૌંદર્યની સાથે ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ પણ ધરાવે છે. તાજેતરમાં ચોમાસામાં ડુંગરો વચ્ચેથી વહેતાં ધસમસતા પાણીનો નજારો અને ગાઢ લીલીછમ વનરાજી જમ્મુ અને કાશ્મીરની યાદ તાજી કરે છે. આસપાસના ગામોના લોકો ઉપરાંત પ્રકૃતિપ્રેમીઓ પણ ગોવલી ઘાટના સૌંદર્યને માણવા પહોંચી રહ્યા છે. ગોવાલી ધોધનું સૌંદર્ય આકર્ષક હોવા છતાં પાણીની ઊંડાઈ અને તેજ પ્રવાહને કારણે અહીં બેદરકારી જોખમી બની શકે છે. પ્રવાસીઓએ ધોધની નજીક તથા ઊંડા પાણીમાં જવાનું ટાળવું અને સુરક્ષાના નિયમોનું પાલન કરવું જરૂરી છે. ગોવલી ઘાટ ખાતે યોગ્ય ઇકો-ટુરિઝમ સુવિધા અને પ્રવાસીઓની સુરક્ષા માટે જરૂરી વ્યવસ્થા કરાય તો નર્મદા જિલ્લામાં પ્રવાસન સ્થળ તરીકે મહત્વપૂર્ણ સાબિત થાય તેમ છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
ભરૂચથી નીકળેલી સમરસ કાવડયાત્રાનું જંબુસરમાં સ્વાગત
calendar_today August 31, 2026

ભરૂચથી નીકળેલી સમરસ કાવડયાત્રાનું જંબુસરમાં સ્વાગત

ભગવાન ભોળાનાથ પ્રત્યેની અખંડ શ્રાદ્ધા, ભક્તિ અને સમાજમાં સમરસતાનો સંદેશ લઈને ભરૂચથી નીકળેલી સમરસ કાવડ યાત્રાનું જંબુસર શહેરમાં ભવ્ય અને ભાવપૂર્ણ સ્વાગત કરાયું હતું. કાવડિયાઓના આગમન સમયે હર હર મહાદેવ અને બમ બમ ભોલેના ગગનભેદી જયઘોષથી સમગ્ર જંબુસર શહેર શિવમય બની ગયું હતું. મોટી સંખ્યામાં શિવભક્તો યાત્રાના સ્વાગત માટે ઉમટી પડતાં શહેરમાં ધાર્મિક ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.સમરસ કાવડ યાત્રાના જંબુસર આગમન પ્રસંગે ભરૂચ હિન્દુ ધર્મ સેના જિલ્લા પ્રમુખ તથા ભરૂચ તાલુકા ભાજપના મહામંત્રી પ્રયાગરાજસિંહ વાંસિયા વિશેષ ઉપસ્થિત રહી કાવડિયાઓનું ફૂલહારથી સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે જંબુસર તાલુકા ભાજપ પ્રમુખ કુલદીપસિંહ યાદવ, તાલુકા ભાજપ મહામંત્રી જ્યોતિષ જાદવ, શહેર પ્રમુખ મનન પટેલ, જિલ્લા પંચાયત સદસ્ય કિરપાલસિંહ સિંધા સહિત આગેવાનો, કાર્યકર્તાઓ અને હિન્દુ સમાજના વિવિધ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સ્થાનિક આગેવાનો તેમજ શિવભક્તોએ કાવડિયાઓનું અભિવાદન કરી યાત્રાને આવકારી હતી. કાવડ યાત્રામાં જંબુસર તાલુકાના હિન્દુ સમાજના મોટી સંખ્યામાં ભાઈઓ-બહેનો, યુવાનો અને શિવભક્તો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. ભક્તિગીતો અને ભગવાન શિવના જયઘોષથી સમગ્ર માર્ગ શિવમય બની ગયો હતો. જંબુસર ખાતે રાત્રિ વિરામ બાદ કાવડ યાત્રાએ વહેલી સવારે કંબોઈ સ્થિત પવિત્ર સ્તંભેશ્વર મહાદેવ તીર્થધામ તરફ્ પ્રયાણ કર્યું હતું. કાવડિયાઓ અને શિવભક્તોએ નર્મદા મૈયાના પવિત્ર જળથી સ્તંભેશ્વર મહાદેવને જલાભિષેક કરી ધન્યતા અનુભવી હતી. સમરસ કાવડ યાત્રાના આયોજકો દ્વારા સમાજમાં એકતા, ભાઈચારો, પરસ્પર સ્નેહ અને સનાતન સંસ્કૃતિના મૂલ્યોને મજબૂત કરવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
ભરૂચમાં યોજાતાં ઐતિહાસિક છડીનોમના મેળાની તડામાર તૈયારી
calendar_today August 31, 2026

ભરૂચમાં યોજાતાં ઐતિહાસિક છડીનોમના મેળાની તડામાર તૈયારી

ભરૂચમાં યોજાતાં ભાતિગળ મેઘરાજાના મેળાને લઈને તૈયારીઓ શરૂ થઈ ગઈછે. મેળામાં સ્ટોલ અને દુકાનોની ફાળવણી માટે સોમવારે સિટી સર્વે વિભાગ દ્વારા નગરપાલિકા કચેરીના સભાખંડમાં કુલ 106 પ્લોટ માટેની હરાજીનું આયોજન કરવામાં આવ્યું હતું.ભરૂચ શહેરમાં 250થી વધુ વર્ષથી યોજાતાં પરંપરાગત અને ભાતિગળ મેળો યોજાય છે. જેમાં ભરૂચ ઉપરાંત આસપાસના વિસ્તારોમાંથી પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે. મેળા દરમિયાનમાં ખાણીપિણી સહિતની વિવિધ વસ્તુઓના સ્ટોલ અને નાની મોટી દુકાનો ધમધમતી જોવા મળે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ દુકાનો માટેના પ્લોટની ફાળવણી સિટી સર્વે વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. સોનેરી મહેલથી પાંચબત્તી વિસ્તાર સુધીમાં વિવિધ સ્થળોએ સ્ટોલ અને દુકાનો માટે પ્લોટ ફાળવવામાં આવે છે. જે માટે હરાજી પ્રક્રિયામાં સૌથી વધુ બોલી લગાવનાર દુકાનદારને સંબંધિત પ્લોટ ફાળવવામાં આવે છે. ભરૂચ નગરપાલિકા કચેરીના સભાખંડ ખાતે સિટી સર્વે સુપ્રિટેન્ડેન્ટ એ. એસ. સૈયદની અધ્યક્ષતામાં સોનેરી મહેલથી પાંચબત્તી વિસ્તારમાં પાડેલાં કુલ 106 પ્લોટની હરાજી યોજવામાં આવી હતી. હરાજીમાં મોટી સંખ્યામાં દુકાનદારો ઉપસ્થિત રહ્યાં હતાં તેમજ પોતાની પસંદગીના સ્થળે સ્ટોલ મેળવવા માટે ઉત્સાહપૂર્વક બોલી લગાવી હતી. મેળામાં સ્ટોલ મેળવવા માટે દુકાનદારો વચ્ચે ભારે રસ જોવા મળ્યો હોત. હરાજી પ્રક્રિયા દરમિયાન ઊંચી બોલી લગાવનાર દુકાનદારોને નિયમાનુંસાર સ્ટોલ ફાળવણી કરવાની કવાયત હાથ ધરાઈ હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward