android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Kachchh News: જિલ્લામાં વર્ષ 2025માં 86,651 દસ્તાવેજોની નોંધણી થઈ, સરકારને રૂ.532 કરોડથી વધુ આવક થઈ
calendar_today January 1, 2026

Kachchh News: જિલ્લામાં વર્ષ 2025માં 86,651 દસ્તાવેજોની નોંધણી થઈ, સરકારને રૂ.532 કરોડથી વધુ આવક થઈ

1 જાન્યુઆરી 2025થી 31 ડિસેમ્બર 2025 દરમિયાન કચ્છ જિલ્લામાં મિલકત નોંધણીના આંકડાઓએ રાજ્યભરમાં ધ્યાન ખેંચ્યું છે.સમગ્ર જિલ્લામાં વર્ષ 2025માં કુલ 86,651 મિલકત દસ્તાવેજોની નોંધણી થતાં સરકારને રૂ.532.02 કરોડની સ્ટેમ્પ ડયૂટી તથા નોંધણી ફી રૂપે નોંધપાત્ર આવક મળી છે.આ સકારાત્મક આંકડા કચ્છમાં તેજ ગતિએ વધી રહેલા રોકાણ અને વિકાસનો સ્પષ્ટ સંકેત આપી રહ્યા છે.જિલ્લા મથકની ભુજની કચેરીમાં સૌથી વધુ 21,748 દસ્તાવેજોની નોંધણી થતાં 118.07 કરોડની આવક સાથે અગ્રેસર રહી હતી.મુન્દ્રા અને અંજારની સબ રજિસ્ટ્રાર કચેરીએ આવકની દૃષ્ટિએ ગાંધીધામને પાછળ રાખી દીધું હતું. ભુજ સબ રજિસ્ટ્રારમાં સૌથી વધુ દસ્તાવેજોની નોંધણી ભુજ સબ રજિસ્ટ્રારમાં સૌથી વધુ 21748 દસ્તાવેજોની નોંધણી થઈ છે.જેમાંથી સરકારને 118.07 કરોડની આવક થઈ છે.અંજારમાં 16740 દસ્તાવેજ સાથે 96.274 કરોડ, જ્યારે મુન્દ્રામાં 11249 દસ્તાવેજોથી 98601 કરોડની આવક નોંધાઈ હતી.આ ઉપરાંત ગાંધીધામમાં 12379 દસ્તાવેજ નોંધાતાં કચેરીમાં 86.464 કરોડની આવક થવા પામી હતી.આ સિવાય ભચાઉમાં 6097 દસ્તાવેજથી 44.92 કરોડ, માંડવીમાં 6418 દસ્તાવેજથી 24.806 કરોડ, રાપરમાં 5796 દસ્તાવેજથી 21.05 કરોડ, નલિયામાં 2797 દસ્તાવેજથી 14788 કરોડ, નખત્રાણામાં 2639 દસ્તાવેજથી 86.15 કરોડ અને લખપતમાં 778 દસ્તાવેજથી 18.458 કરોડની આવક નોંધાઈ હતી. જિલ્લાના સબ-રજિસ્ટ્રાર કચેરીઓના આંકડાઓ મુજબ ભુજ, અંજાર, મુન્દ્રા અને ગાંધીધામ વિસ્તારમાં સૌથી વધુ મિલકત વ્યવહારો નોંધાયા છે. ગત વર્ષ કરતાં 7730 દસ્તાવેજ અને 61.22 કરોડની આવક વધી વર્ષ 2024માં કચ્છ જિલ્લામાં જમીન-મકાન સહિતની મિલકતોના કુલ 78921 જેટલા દસ્તાવેજ સબ રજિસ્ટ્રાર કચેરીમાં નોંધણી કરાવાયા હતા. જેની સ્ટેમ્પ ડયૂટી અને દસ્તાવેજ ફી પેટે સરકારને કુલ રૂ.470.80 કરોડ જેટલી આવક થવા પામી હતી.જેની સરખામણીમાં વર્ષ 2025માં 86651 જેટલા દસ્તાવેજોની નોંધણી કરાઈ હતી અને સરકારને કુલ રૂ.532.02 કરોડની આવક થઈ છે.ગત વર્ષ કરતાં આ વર્ષે 7730 જેટલી સંખ્યામાં દસ્તાવેજોની સાથે આવકમાં પણ રૂ.61.22 કરોડનો વધારો નોંધાયો હતો. રોજગારના વધતા અવસરોથી મિલકતની માગમાં વધારો મુન્દ્રા-કંડલા બંદર, રિન્યુએબલ એનર્જી, ઔદ્યોગિક ક્લસ્ટર્સ તથા રાષ્ટ્રીય ધોરીમાર્ગોના વિસ્તરણને કારણે કચ્છ હવે માત્ર સીમાવર્તી જિલ્લો નહીં પરંતુ ગુજરાતનું મહત્ત્વનું રોકાણ કેન્દ્ર બની રહ્યું છે. આવનારા સમયમાં મિલકત વ્યવહારોમાં હજી વધુ વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. બંદર આધારિત ઉદ્યોગો, વિશાળ ઔદ્યોગિક પ્રોજેક્ટ્સ, નવી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ અને રોજગારના વધતા અવસરોએ જમીન અને મિલકતની માગમાં વધારો કર્યો હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. આ પણ વાંચોઃ Ahmedabad News: વર્ષ 2025માં 1107 શખ્સોને પાસા હેઠળ જેલ ભેગા કરાયા, 258 સામે તડિપાર કરવાની કાર્યવાહી

Read Full Story arrow_forward
Rajkot: સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર પર હુમલો કરનાર આરોપી જયદીપ ચાવડા ઝડપાયો, પ્રદ્યુમન નગર પોલીસની કાર્યવાહી
calendar_today January 1, 2026

Rajkot: સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર પર હુમલો કરનાર આરોપી જયદીપ ચાવડા ઝડપાયો, પ્રદ્યુમન નગર પોલીસની કાર્યવાહી

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટર પર હુમલો કરી ફરાર થઈ ગયેલા આરોપીને પકડવામાં પોલીસને સફળતા મળી છે. ડોક્ટર પાર્થ પંડ્યા પર હિંસક હુમલો કરનાર જયદીપ ચાવડાની પ્રદ્યુમન નગર પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.ત્રણ દિવસની દોડધામ બાદ ધરપકડઘટનાની વિગત મુજબ, ત્રણ દિવસ પહેલા સિવિલ હોસ્પિટલમાં કોઈ કારણોસર બોલાચાલી બાદ જયદીપ ચાવડાએ ડોક્ટર પાર્થ પંડ્યા પર હુમલો કર્યો હતો. આ ઘટના બાદ તબીબી આલમમાં ભારે રોષ જોવા મળ્યો હતો. હુમલો કર્યા બાદ આરોપી નાસી છૂટ્યો હતો અને છેલ્લા ત્રણ દિવસથી પોલીસ તેને શોધી રહી હતી. અંતે, ટેકનિકલ સોર્સ અને બાતમીદારોની મદદથી પ્રદ્યુમન નગર પોલીસે તેને દબોચી લીધો છે.આરોપીની માતાએ પોલીસમાં અરજી આપી આ મામલો માત્ર એકતરફી નથી રહ્યો, કારણ કે આરોપી જયદીપ ચાવડાની માતાએ પણ ડોક્ટર વિરુદ્ધ ગંભીર આક્ષેપો કર્યા છે. આરોપીની માતાએ પોલીસમાં અરજી આપી છે કે ડોક્ટરે તેમને માર માર્યો હતો. આમ, હોસ્પિટલમાં થયેલી આ બબાલ હવે પોલીસ તપાસનો વિષય બની છે કે હુમલાની શરૂઆત કોણે કરી હતી અને કયા સંજોગોમાં આ સ્થિતિ સર્જાઈ હતી.ડોક્ટરોની સુરક્ષાનો સવાલસિવિલ હોસ્પિટલ જેવી સંવેદનશીલ જગ્યાએ ડોક્ટરો પર થતા હુમલાઓને લઈને ફરી એકવાર સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઉઠ્યા છે. તબીબોની માંગ છે કે હોસ્પિટલ પરિસરમાં પોલીસ બંદોબસ્ત વધુ કડક કરવામાં આવે જેથી ફરજ બજાવતા ડોક્ટરો નિર્ભયતાથી કામ કરી શકે.આ પણ વાંચો: મ્યુનિસિપલ કોર્પોરેશનના એક વર્ષની ઉજવણી, CMના હસ્તે જિલ્લાને રૂ. 836 કરોડના વિકાસકામોની ભેટ

Read Full Story arrow_forward
Navsari પોલીસે ફિલ્મી ઢબે 25 વર્ષ પહેલા જેલમાંથી ફરાર થયેલા ખૂંખાર આરોપીને હરિયાણાથી ઝડપી પાડ્યો
calendar_today January 1, 2026

Navsari પોલીસે ફિલ્મી ઢબે 25 વર્ષ પહેલા જેલમાંથી ફરાર થયેલા ખૂંખાર આરોપીને હરિયાણાથી ઝડપી પાડ્યો

નવસારી લોકલ ક્રાઈમ બ્રાન્ચએ એક અશક્ય લાગતા મિશનને પાર પાડીને કાયદાના લાંબા હાથનો પરિચય કરાવ્યો છે. વર્ષો પહેલા નવસારી સબજેલમાંથી ફિલ્મી ઢબે ફરાર થયેલા અને ધાડ, લૂંટ તથા આર્મ્સ એક્ટ જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા વોન્ટેડ આરોપીને પોલીસે 25 વર્ષ બાદ હરિયાણાથી દબોચી લીધો છે. ઘટનાની વિગત એવી છે કે 25 વર્ષ પહેલા આ આરોપી નવસારી સબજેલના બાથરૂમની બારીના સળિયા કાપીને નાસી છૂટ્યો હતો.નવસારી સબજેલમાંથી ફરાર થયેલો આરોપી ઝડપાયોમૂળ ઉત્તર પ્રદેશનો આ શખ્સ એટલો શાતિર હતો કે તેણે અઢી દાયકા સુધી દેશના જુદા જુદા રાજ્યોમાં પોતાની ઓળખ છુપાવીને પોલીસને થાપ આપી હતી. તેની સામે ચોરી અને લૂંટ જેવા અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા હતા. આરોપી હરિયાણામાં હોવાની ચોક્કસ બાતમી મળતા નવસારી LCBની ટીમ ત્યાં પહોંચી હતી. જોકે, આરોપી ઓળખાઈ ન જાય તે માટે પોલીસે અનોખી વ્યૂહરચના અપનાવી હતી.આરોપી બાથરૂમની બારીના સળિયા કાપી ભાગ્યો હતો પોલીસ જવાનોએ હરિયાણામાં ભેળપૂરી અને ગરમ કપડાં વેચનારા તરીકે વેશપલટો કર્યો હતો. સતત વોચ રાખ્યા બાદ જેવો આરોપી નજરે ચડ્યો કે તરત જ પોલીસે તેને દબોચી લીધો હતો. 25 વર્ષ જૂના આ વણઉકેલ્યા કેસને ઉકેલીને નવસારી પોલીસે ગુનેગારોને કડક સંદેશ આપ્યો છે કે ગુનો કરીને ગમે તેટલા વર્ષ ભાગો, પોલીસથી બચવું અશક્ય છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward