Navsari : ગણદેવી તાલુકાના વલોટી ગામમાં કદાવર દીપડી પાંજરે પુરાઇ, ગ્રામજનોમાં રાહત
ગણદેવી તાલુકાના વલોટી ગામમાં આજે કદાવર દીપડી આખરે લાંબા પ્રયાસો પછી પાંજરે પુરાઇ છે. કાઠાણીયા વિસ્તારમાં દીપડીના આંટાફેરા વધતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો અને લોકો માટે જોખમ ઊભું થયું હતું.વન વિભાગને દીપડીની હાજરી અંગે ફરિયાદ કરી ગ્રામજનોએ વન વિભાગને દીપડીની હાજરી અંગે ફરિયાદ કરી. ફરિયાદને ધ્યાનમાં લેતા વન વિભાગે પાંજરું ગોઠવીને પકડવા માટે કાર્યવાહી હાથ ધરી. સ્થાનિક લોકોમાં રાહતનો શ્વાસ જો કે વન વિભાગની સતત બે અઠવાડિયાની કોશિશ પછી દીપડી પાંજરમાં પુરાઇ છે, જેના કારણે સ્થાનિક લોકોમાં રાહતનો શ્વાસ ફેલાયો. આ પગલું ગ્રામજનોની સલામતી માટે આવશ્યક હતું વન વિભાગે જણાવ્યું કે, આ પગલું ગ્રામજનોની સલામતી માટે આવશ્યક હતું અને દીપડીને જંગલમાં પાછું મુક્ત કરવાનું આયોજન કરવામાં આવશે. આ પણ વાંચો---- ACB ની કાર્યવાહી, 1 વર્ષમાં રાજ્યમાં 1.72 કરોડની રકમની લાંચ લેવાઇ, સૌથી વધુ ગૃહ વિભાગમાં 59, પંચાયતમાં 27 કેસ થયા
Read Full Story arrow_forward