android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Anand: ઉમરેઠ : કતલખાને લઈ જવાતા પશુ બચાવાયાં
calendar_today January 3, 2026

Anand: ઉમરેઠ : કતલખાને લઈ જવાતા પશુ બચાવાયાં

ઉમરેઠ શહેર પોલીસે ગઈકાલે ઉમરેઠ-નડીઆદ રોડ ઉપર આવેલી દ્વારકાધીશ હોટેલ પાસેથી એક બંધ બોડીના કન્ટેનરને ઝડપી પાડીને સુરતના કતલખાને લઈ જવાતી 22 ભેંસોને બચાવી લીધી હતી. પોલીસે પાયલોટીંગ કરતા બાઈક ચાલક સહિત ત્રણ શખ્સોની ધરપકડ કરીને કુલ 16 લાખ ઉપરાંતની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરીને ગુનો દાખલ કરી ભેંસો મોકલનાર શખ્સને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે પોલીસને માહિતી મળી હતી કે, ઉમરેઠ તરફ્થી એક બંધ બોડીના કન્ટેનરમાં પશુઓને કતલખાને લઈ જનાર છે. જેના આધારે પોલીસે દ્વારકાધીશ હોટેલ પાસે વોચ ગોઠવી દીધી હતી. દરમ્યાન રાત્રીના સાડા અગિયાર વાગ્યાના સુમારે એક બંધ બોડીનું કન્ટેનર નંબર જીજે-27, ટીએફ્-8985નું આવી પહોંચતા જ પોલીસે તેને રોક્યું હતું. એ સાથે જ આગળ બાઈક પર પાયલોટીંગ કરતો શખ્સ પણ આવી પહોંચ્યો હતો. કન્ટેનરમાં બે શખ્સો સવાર હતા. ઉમરેઠના જુનેદ કુરેશીએ ભેંસો કન્ટેનરમાં ભરાવીને સુરતના મીઠીખાડી કતલખાને રવાના કરાઈ હતી. પોલીસે ત્રણેયને રાઉન્ડ અપ કરીને તપાસ કરતા બંધ બોડીના કન્ટેનરની અંદર 22 જેટલી ચારથી પાંચ વર્ષની ઉંમરની ભેંસો મળી આવી હતી. ભેંસો માટે કોઈપણ જાતના ઘાસચારો, પાણીની વ્યવસ્થા કરાઈ નહોતી, અને અત્યંત ટૂંકા દોરડાથી હવા ઉજાસ વગર હેરાફેરી કરતા ઉજાગર થવા પામ્યા હતા. તેમની પાસે પશુઓની હેરાફેરી કરવા અંગે સક્ષમ અધિકારીનું લાયસન્સ માંગતા તે પણ નહીં હોવાનું જણાવ્યું હતું. પોલીસે ત્રણેય શખ્સોના નામઠામ પૂછતાં ડ્રાયવર યાસીન મુસાભાઈ મતાદાર, સોહિલ ફરીદભાઈ શેખ અને બાઈક પર પાયલોટીંગ કરનાર શખ્સ સમીર સલીમભાઈ કુરેશીને ઝડપ્યા હતા. ત્રણેયની ઝડતી કરતા રોકડા 11500, ત્રણ મોબાઈલ ફોન મળી આવ્યા હતા. પોલીસે 5.50 લાખની કિંમતની ભેંસો, કન્ટેનર સહિત કુલ 16,51,500 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને પૂછપરછ કરી મુખ્ય આરોપીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. બીજી તરફ્ તમામ ભેંસોને પાંજરાપોળમાં મોકલી આપવાની તજવીજ હાથ ધરી હતી. ઉમરેઠમાંથી મોટાપાયે પશુઓને કતલખાનું મોકલવાનું રેકેટ ઝડપાતા પોલીસે આ દિશામાં વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Kheda: મહેમદાવાદમાં સિંગલ યૂઝ પ્લાસ્ટિક સામે તવાઈ
calendar_today January 3, 2026

Kheda: મહેમદાવાદમાં સિંગલ યૂઝ પ્લાસ્ટિક સામે તવાઈ

શહેરના જાહેર સ્થળો અને વેપારી વિસ્તારોમાં પાલિકા દ્વારા હાથ ધરાયેલી અચાનક ચકાસણી દરમિયાન નિયમ ભંગ કરનાર કેટલાક વેપારીઓને ઝડપી લઈ કડક સૂચનાઓ આપવામાં આવી હતી. તેમજ દંડાત્મક કાર્યવાહી પણ અમલમાં મૂકાઈ છે. નગરપાલિકાના આરોગ્ય વિભાગ તથા સફાઈ શાખાની સંયુક્ત ટીમ દ્વારા શહેરના મુખ્ય બજાર, રસ્તાઓ અને જાહેર વિસ્તારોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન સિંગલ યુઝ પ્લાસ્ટિકની થેલીઓ, કપ, પ્લેટ સહિતની પ્રતિબંધિત સામગ્રીનો ઉપયોગ કરતા વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. પાલિકા તરફ્થી સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે શહેરની સ્વચ્છતા અને નગરજનોનું આરોગ્ય કોઈ પણ સંજોગોમાં બલિ ચઢવા દેવામાં નહીં આવે. પર્યાવરણને ગંભીરનુકસાન પહોંચાડતા સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ હોવા છતાં નિયમોનો ભંગ કરનાર સામે આવનારા દિવસોમાં વધુ કડક પગલાં લેવાશે તેવી ચેતવણી આપવામાં આવી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Anand: ઉમરેઠમાં ફર્નિચરની દુકાનમાં આગ લાગતા અફરાતફરી મચી
calendar_today January 3, 2026

Anand: ઉમરેઠમાં ફર્નિચરની દુકાનમાં આગ લાગતા અફરાતફરી મચી

ઉમરેઠના નગરમાં આવેલા પ્લેટિનિયમ પ્લાઝા શોપિંગ સેન્ટરમાં આજે અચાનક આગ ફટી નીકળતા ભાગમભાગ જેવા દૃશ્યો સર્જાયા હતા. આ કોમ્પ્લેક્સમાં આવેલી ફર્નિચરની દુકાનમાં લાગેલી આગ વિસ્તરી હતી, જેના કારણે લાખોની કિંમતનો સામાન બળીને ખાખ થઈ ગયો હોવાનો અનુમાન લગાવવામાં આવી રહ્યો છે.પ્રાપ્ત માહિતી મુજબ પ્લેટિનિયમ પ્લાઝામાં આવેલી ફર્નિચરની દુકાનમાંથી અચાનક ધુમાડાના ગોટેગોટા નીકળતા જોઈ આજુબાજુના લોકો એકઠા થઈ ગયા હતા. આગ એટલી ઝડપથી પ્રસરી હતી કે દુકાનમાં રહેલો મોટાભાગનો કિંમતી સામાન તેની લપેટમાં આવી ગયો હતો. આ દુર્ઘટનામાં દુકાનમાં વેચાણ માટે રાખેલા સ્માર્ટ ટીવી, લાકડાના કોતરણીકામ કરેલા મંદિર, પલંગ-બેડ, સોફસેટ, ઘરઘંટી તેમજ ઓફ્સિ ખુરશીઓ સહિતનો તમામ સામાન બળીને રાખ થઈ ગયો હતો. આગની જાણ થતા જ ઉમરેઠ નગરપાલિકાની ફાયર ફાઈટરની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર ફાઈટરોએ સતત પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આગ વધુ પ્રસરે તે પહેલાં તેના પર કાબૂ મેળવી લેવાતા આજુબાજુના અન્ય દુકાનદારોએ હાશકારો અનુભવ્યો હતો અને મોટી હોનારત ટળી હતી.આ આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી, જો કે આગના ચોક્કસ કારણની તપાસ કરવામાં આવી રહી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward