android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Banaskantha News: અંબાજીમાં ભાદરવી પૂનમના સેવા કેમ્પો માટે ઓનલાઈન નોંધણી પ્રક્રિયા શરૂ
calendar_today September 1, 2026

Banaskantha News: અંબાજીમાં ભાદરવી પૂનમના સેવા કેમ્પો માટે ઓનલાઈન નોંધણી પ્રક્રિયા શરૂ

મા અંબાના પવિત્ર ધામ અંબાજી ખાતે આગામી સમયમાં યોજાનાર લોકપ્રિય ભાદરવી પૂનમ મહામેળો 2026ને લઈને વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે. લાખોની સંખ્યામાં પદયાત્રીઓ અને શ્રદ્ધાળુઓ ઉમટતા આ મહામેળાને સફળ બનાવવા તથા શ્રદ્ધાળુઓની સુવિધા માટે અંબાજી આવતા સેવા કેમ્પોના આયોજન અંગે મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે.આ વર્ષે મહામેળા દરમિયાન સેવા કેમ્પ શરૂ કરવા ઈચ્છુક સંસ્થાઓ, મંડળો અને ટ્રસ્ટો માટે ઓનલાઈન નોંધણી પ્રક્રિયા સત્તાવાર રીતે શરૂ કરી દેવામાં આવી છે.ભાદરવી પૂનમ મહામેળાની તારીખોઆગામી ભાદરવી પૂનમ મહામેળો આગામી 20 સપ્ટેમ્બરથી 26 સપ્ટેમ્બર 2026 સુધી યોજાનાર છે. આ સાત દિવસીય મહામેળામાં ગુજરાત જ નહીં પરંતુ દેશ-વિદેશથી લાખોની સંખ્યામાં માઈભક્તો અંબાજી માતાના દર્શનાર્થે પદયાત્રા કરીને આવે છે. પદયાત્રીઓની સેવા માટે રસ્તામાં અનેક સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા સેવા કેમ્પોનું આયોજન કરવામાં આવે છે. અંબાજી મંદિર ટ્રસ્ટ અને વહીવટી તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે મહામેળા દરમિયાન જે સંસ્થાઓ, ટ્રસ્ટો કે મંડળોએ સેવા કેમ્પ યોજવા હોય તેમણે ફરજિયાતપણે ઓનલાઈન નોંધણી કરાવવાની રહેશે. અધિકૃત સેવા કેમ્પોને જ તંત્ર દ્વારા મંજૂરી અપાશેઆ માટે અંબાજી મંદિર ટ્રસ્ટની સત્તાવાર વેબસાઈટ www.ambajitemple.in પર ખાસ ઓનલાઈન પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે.ઓનલાઈન રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આયોજકોએ રજિસ્ટ્રેશન ફોર્મ તેમજ ફાયર સેફ્ટીનું સ્વ બાંહેધરી પત્રક પ્રિન્ટ કરીને SDM કચેરી, દાંતા ખાતે સમયસર જમા કરાવવાનું રહેશે. ત્યારબાદ એસ.ડી.એમ. કચેરી દ્વારા સેવા કેમ્પના પ્રસ્તાવિત સ્થળ અને રજૂ કરાયેલા દસ્તાવેજોની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવશે. તમામ નિયમો અને શરતોનું યોગ્ય પાલન કરનાર અધિકૃત સેવા કેમ્પોને જ તંત્ર દ્વારા મંજૂરી આપવામાં આવશે. યાત્રાળુઓની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને તંત્ર દ્વારા કેટલીક માર્ગદર્શિકાઓ બહાર પાડવામાં આવી છે. સેવા કેમ્પના આયોજકોએ કેમ્પમાં ફાયર સેફ્ટી, વીજ સુરક્ષા, પીવાના પાણીની શુદ્ધતા, સ્વચ્છતા અને યાત્રાળુઓની ભૌતિક સલામતીની વિશેષ જવાબદારી નિભાવવાની રહેશે.આ પણ વાંચોઃ Ahmedabad News: સ્ટેમ્પ ડ્યુટી કેસમાં બેદરકારી સામે IAS બીજલ શાહની હાઈકોર્ટે ઝાટકણી કાઢી

Read Full Story arrow_forward
Rajkot News : ખાખીના કડક સુરક્ષાચક્ર વચ્ચે ઘેલું થવા તૈયાર રાજકોટ, કાલથી વાગશે સૌરાષ્ટ્રના સૌથી મોટા મેળાનો ધમાકેદાર ઢોલ!
calendar_today September 1, 2026

Rajkot News : ખાખીના કડક સુરક્ષાચક્ર વચ્ચે ઘેલું થવા તૈયાર રાજકોટ, કાલથી વાગશે સૌરાષ્ટ્રના સૌથી મોટા મેળાનો ધમાકેદાર ઢોલ!

રાજકોટ ખાતે સૌરાષ્ટ્રના સૌથી મોટા અને સુપ્રસિદ્ધ લોકમેળાનો આવતીકાલથી ઉત્સાહભેર પ્રારંભ થઈ રહ્યો છે. તહેવારો નિમિત્તે યોજાતો આ લોકમેળો સૌરાષ્ટ્રવાસીઓ માટે આસ્થા, સંસ્કૃતિ અને મનોરંજનનું મુખ્ય કેન્દ્ર બની રહે છે. લાખોની સંખ્યામાં આવતા મુલાકાતીઓ લોકમેળાની મોજ માણી શકે તે માટે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા તમામ આયોજનો અને આખરી તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.મુલાકાતીઓની સુવિધા માટે 14 સ્થળોએ ફ્રી પાર્કિંગની વ્યવસ્થાલોકમેળામાં આવતા માઇભક્તો અને મુલાકાતીઓને પોતાના વાહનો પાર્ક કરવામાં કોઈ મુશ્કેલી ન પડે તે હેતુથી તંત્ર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. મેળાની આસપાસના અલગ-અલગ 14 જેટલા મુખ્ય સ્થળો પર ફ્રી પાર્કિંગની સુવિધા ઊભી કરવામાં આવી છે. આ પાર્કિંગ સ્થળો પર વાહનોની સલામતી અને ટ્રાફિકનું સુચારુ સંચાલન જળવાઈ રહે તે માટે કર્મચારીઓ પણ તૈનાત રહેશે.1,500 જવાનો તૈનાત, વોચ ટાવરથી રખાશે કડક નજરલોકમેળામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો તથા વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સુરક્ષા વ્યવસ્થા અત્યંત સઘન બનાવવામાં આવી છે. મેળાના સમગ્ર પરિસરમાં 1,500થી વધુ પોલીસ જવાનો અને સુરક્ષાકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, જનમેદની પર સતત દેખરેખ રાખવા માટે વિશેષ વોચ ટાવર ઊભા કરવામાં આવ્યા છે, જ્યાંથી જવાનો બાજ નજર રાખશે.આ પણ વાંચો : Suratમાં ગુનેગારો બેફામ! 48 વર્ષીય બિલ્ડર પર ઉપરાછાપરી ચપ્પુના ઘા મારી હત્યારાઓ ફરાર, સારવાર દરમિયાન નીપજ્યું મોત

Read Full Story arrow_forward
Ahmedabad News: શહેરમાં મચ્છરજન્ય રોગો અટકાવવા ઘર અને દુકાનોમાં ચેકીંગ, લાખોનો દંડ વસૂલાયો
calendar_today September 1, 2026

Ahmedabad News: શહેરમાં મચ્છરજન્ય રોગો અટકાવવા ઘર અને દુકાનોમાં ચેકીંગ, લાખોનો દંડ વસૂલાયો

અમદાવાદ શહેરમાં બદલાતા વાતાવરણ વચ્ચે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાના ફેલાવાને અટકાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું આરોગ્ય તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. મનપા દ્વારા શહેરમાં ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને મેલેરિયા જેવા ગંભીર રોગોના ફેલાવતા મચ્છરોના બ્રીડિંગ અટકાવવા માટે સઘન ચેકીંગ અને ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. જેના ભાગરૂપે અત્યાર સુધીમાં અનેક એકમો અને મકાનોમાં તપાસ હાથ ધરવામાં આવી છે.6.66 લાખથી વધુ ઘરોમાં ચકાસણી એએમસીના આરોગ્ય અધિકારી ભાવિન સોલંકીએ કહ્યું હતું કે, AMCના મલેશિયા અને ડેન્ગ્યુ નિયંત્રણ વિભાગ દ્વારા શહેરભરમાં વ્યાપક સ્તરે સર્વે હાથ ધરવામાં આવ્યો છે. આ વિશેષ ઝુંબેશ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 666118 ઘરોમાં સઘન ચકાસણી કરવામાં આવી છે. આ ચકાસણી દરમિયાન મકાનોમાં પાણીની ટાંકીઓ, કુલર, ફ્રિજની ટ્રે તથા અન્ય ઘરમાં રહેલા વાસણોમાં મચ્છરોના લાવા ઉત્પન્ન થયા હોવાનું સામે આવ્યું હતું. તપાસ દરમિયાન 16752 જેટલી જગ્યાઓ પર ઘરોમાંથી મચ્છરોના પોરા મળી આવ્યા હતા, જેને ટીમ દ્વારા તાત્કાલિક નાશ કરવામાં આવ્યા હતા.એક અઠવાડિયામાં 828 સોસાયટીઓમાં વિશેષ તપાસશહેરીજનોમાં સ્વાસ્થ્ય જાગૃતિ લાવવા અને મચ્છરોનો ઉપદ્રવ ડામવા માટે મનપા દ્વારા સઘન આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા માત્ર એક જ અઠવાડિયામાં AMCની ટીમો દ્વારા શહેરમાં 828 સોસાયટીઓમાં રૂબરૂ મુલાકાત લઈને ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. સોસાયટીઓમાં પાર્કિંગ એરિયા, બેઝમેન્ટ અને ખુલ્લા પ્લોટોમાં ભરાયેલા પાણીની ચકાસણી કરી માર્ગદર્શિકાનું પાલન કરાવવામાં આવ્યું હતું. નિયમોનું ઉલ્લંઘન કરતા આસામીઓ અને એકમો સામે તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. મચ્છરોના બ્રીડિંગ મળી આવ્યા બાદ મનપા દ્વારા 1145 એકમોને નોટિસ ફટકારવામાં આવી છે અને તેમની પાસેથી નિયમોનુસાર દંડનો ચાર્જ વસૂલ કરવામાં આવ્યો છે.બાંધકામો પર ખાસ નજર રાખવામાં આવી રહી છેઆ ઉપરાંત, શહેરમાં ચાલી રહેલા બાંધકામો પર ખાસ નજર રાખવામાં આવી રહી છે. કન્સ્ટ્રક્શન સાઇટ્સ પર મચ્છરોના બ્રીડિંગ અટકાવવા માટે 9677 કન્સ્ટ્રક્શન સાઇટ પર ચેકીંગ કરવામાં આવ્યું હતું, જ્યાં ગંભીર બેદરકારી સામે આવતા રૂપિયા 6566200 રૂપિયાનો માતબર દંડ વસૂલ કરવામાં આવ્યો છે.ખાનગી મકાનો અને બાંધકામોની સાથે સાથે સરકારી કચેરીઓ અને સંકુલો પણ બાકાત રહ્યા નથી. તપાસ દરમિયાન સરકારી અને અર્ધ સરકારી કુલ 64 એકમો પર પણ મચ્છરોના બ્રીડિંગ મળી આવ્યા હતા, જેને લઈને સંબંધિત વિભાગોને પણ સૂચનાઓ અને નોટિસ આપવામાં આવી છે. AMC દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ પોતાના ઘરોની આસપાસ પાણી જમા ન થવા દે અને આરોગ્ય તંત્રને સહયોગ આપે.આ પણ વાંચોઃ Ahmedabad News: સ્ટેમ્પ ડ્યુટી કેસમાં બેદરકારી સામે IAS બીજલ શાહની હાઈકોર્ટે ઝાટકણી કાઢી

Read Full Story arrow_forward