સરસ્વતી તાલુકાના વામૈયા ગામેથી વડનગર સુધીની એસટી બસ શરૂ
સરસ્વતીના વામૈયા ગામેથી વડનગર સુધીની એસટી બસ શરૂ કરવામાં આવે તેવી માંગણી કરાતાં મહેસાણા ડિવિઝન દ્વારા માંગ સ્વીકારવી નવી એસટી બસ શરૂ કરવામાં આવતાં વામૈયા ગામે એસટી બસનું આગમન થતાં ગ્રામજનોએ ચાલક અને કંડક્ટરનું કુમકુમ તિલક કરી શાલ ઓઢાડી સન્માન કરી મોં મીઠુ કરાવ્યું હતું અને આનંદની લાગણી વ્યક્ત કરી હતી. સરસ્વતી તાલુકાના વામૈયા ગામેથી વડનગર સુધીની એસટી બસ શરૂ કરવામાં આવે તેવી માંગ શૈલેષ નાયી દ્વારા કરવામાં આવતાં વડનગર ડેપોની એસટી બસનો રૂટ શરૂ કરવામાં આવ્યો છે. જેથી કરીને લોકોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે. વામૈયા ગામેથી એસટી બસ હિસોર, ચાદેસર, દેથળી, સિદ્ધપુર, ઊંઝા, વાલમ રોડ, ઐઠોર, તરભ થઈને વડનગર પહોચશે જેથી આ તમામ ગામોને મુસાફરીનો લાભ મળશે. વડનગરથી વહેલી સવારે એસટી બસ 6 કલાકે પ્રસ્થાન પામી 8:30 કલાકે વામૈયા ગામે પહોંચશે. જ્યાંથી 8:45 કલાકે વડનગર જવા ઉપડશે. જે 11 વાગ્યે વડનગર પહોંચશે તેમ જાણવા મળ્યું છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward