android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
PM Modiએ આપ્યો જળ સંરક્ષણનો મંત્ર, જળ વ્યવસ્થાપન માટે 4 મોટા સંકલ્પ લીધા
calendar_today September 2, 2026

PM Modiએ આપ્યો જળ સંરક્ષણનો મંત્ર, જળ વ્યવસ્થાપન માટે 4 મોટા સંકલ્પ લીધા

જળ સુરક્ષા અને જળ વ્યવસ્થાપનને લઈને જળ શક્તિ મંત્રાલય દ્વારા આયોજિત બે દિવસીય વિભાગીય શિખર સંમેલનનું આજે સમાપન થયું. સમાપન સત્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે અધિકારીઓને માર્ગદર્શન આપતાં જળ સંરક્ષણ, જનભાગીદારી અને નાગરિકોને વધુ સારી જળ સેવાઓ ઉપલબ્ધ કરાવવા પર વિશેષ ભાર મૂક્યો. ગુજરાતના જળ મંત્રી ઈશ્વર પટેલ પણ ઉપસ્થિત રહ્યાકેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર.પાટીલની આગેવાનીમાં યોજાયેલા આ સંમેલનમાં દેશના જળ વ્યવસ્થાપન સાથે જોડાયેલા વિવિધ મુદ્દાઓ પર વ્યાપક ચર્ચા કરવામાં આવી હતી. અનેક રાજ્યોના મુખ્યમંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓએ પણ સંમેલનમાં ભાગ લીધો હતો. ગુજરાતના જળ મંત્રી ઈશ્વર પટેલ પણ તેમાં ઉપસ્થિત રહ્યા હતા. બે દિવસ સુધી ચાલેલા સંમેલનમાં દેશની જળ સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે ચાર મુખ્ય સંકલ્પ લેવામાં આવ્યા. તેમાં જળ પરિયોજનાઓને સમયસર પૂર્ણ કરવી, જળ સંચયને જનઆંદોલન બનાવવું, ગ્રામીણ પીવાના પાણીના સ્ત્રોતોનું સંરક્ષણ કરવું અને દરેક ગ્રામીણ પરિવારને પૂરતું, સુરક્ષિત તથા નિયમિત પાણી ઉપલબ્ધ કરાવવાનો સમાવેશ થાય છે.સામાન્ય લોકોની વધુમાં વધુ ભાગીદારી જરૂરીPM મોદીએ જણાવ્યું કે જળ સંરક્ષણને માત્ર સરકારની જવાબદારી તરીકે ન જોવું જોઈએ. તેમાં સામાન્ય લોકોની વધુમાં વધુ ભાગીદારી જરૂરી છે. તેમણે જળ સંસાધનોના સંરક્ષણ અને યોગ્ય ઉપયોગ માટે જનજાગૃતિ વધારવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો. સંમેલનમાં કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે વધુ સારા સંકલન દ્વારા જળ વ્યવસ્થાપનને અસરકારક બનાવવાની દિશામાં પણ ચર્ચા થઈ. દેશના જળ સંસાધનોનું યોગ્ય સંચાલન, ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીની ઉપલબ્ધતા અને જળ સંરક્ષણ માટે નક્કર વ્યૂહરચના તૈયાર કરવી સંમેલનનો મુખ્ય હેતુ રહ્યો હતો. PM મોદીના માર્ગદર્શન સાથે ‘જળ-સુરક્ષિત અને વિકસિત ભારત’ના લક્ષ્યને આગળ વધારવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ સાથે મળીને કામ કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો.આ પણ વાંચો : Rahul Gandhi બ્રિટિશ નાગરિક હોવાનો દાવો ફગાવાયો, અલ્હાબાદ હાઈકોર્ટે અરજી પરત ખેંચવાની મંજૂરી આપી

Read Full Story arrow_forward
Pakistanમાં 100 વર્ષ જૂનું હિન્દુ મંદિર તોડાયું, ભારતે વ્યક્ત કર્યો રોષ
calendar_today September 2, 2026

Pakistanમાં 100 વર્ષ જૂનું હિન્દુ મંદિર તોડાયું, ભારતે વ્યક્ત કર્યો રોષ

Pakistanમાં લગભગ 100 વર્ષ જૂના હિન્દુ મંદિરને તોડી પાડવામાં આવ્યાના મામલે ભારતે કડક પ્રતિક્રિયા આપી છે. ભારતના વિદેશ મંત્રાલયે આ ઘટનાની નિંદા કરી છે અને પાકિસ્તાન સરકારને સમગ્ર મામલાની તાત્કાલિક અને પારદર્શક તપાસ કરાવવાની માંગ કરી છે.વિદેશ મંત્રાલયે શું કહ્યું?વિદેશ મંત્રાલયના સત્તાવાર પ્રવક્તા રણધીર જયસવાલે પાકિસ્તાનના નરોવાલ જિલ્લાના સિરાજ ગામમાં આવેલા ઐતિહાસિક હિન્દુ મંદિરને નષ્ટ કરવાના અહેવાલો અંગે ભારતનું વલણ સ્પષ્ટ કર્યું હતું. રણધીર જયસવાલે કહ્યું કે, સદી જૂના લઘુમતી સમુદાયના પૂજા સ્થળ સામે કરવામાં આવેલી તોડફોડની આ નિંદનીય ઘટનાની ભારત સ્પષ્ટપણે નિંદા કરે છે. તેમણે કહ્યું કે આ ઘટનાને લઈને ભારતે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે.પાકિસ્તાનના અધિકારીઓ સામે પણ સવાલભારતે મંદિરની સુરક્ષા કરવામાં પાકિસ્તાનના અધિકારીઓની કથિત નિષ્ફળતા સામે પણ સવાલ ઉઠાવ્યા છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે સદી જૂના મંદિરની સુરક્ષા કરવામાં અધિકારીઓની ઉદાસીનતા અને નિષ્ફળતા ચિંતાજનક છે. ભારતે કહ્યું કે આવી ઘટનાઓ પાકિસ્તાનમાં લઘુમતી સમુદાયોની સુરક્ષા અને તેમની ધાર્મિક સ્વતંત્રતા અંગે ગંભીર સવાલો ઉભા કરે છે. સાથે જ તેમના પૂજા સ્થળોની સુરક્ષા અંગે પણ ચિંતા વ્યક્ત કરી છે.ભારતે પાકિસ્તાન પાસે શું માંગ્યું?ભારતે પાકિસ્તાન સરકારને આ ઘટનાની તાત્કાલિક અને પારદર્શક તપાસ કરાવવાની માંગ કરી છે. આ ઉપરાંત મંદિર તોડવા માટે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરી તેમની જવાબદારી નક્કી કરવા પણ ભારતે કહ્યું છે. વિદેશ મંત્રાલયે પાકિસ્તાનને નુકસાન પામેલા મંદિરને ફરીથી યોગ્ય રીતે બહાલ કરવા માટે તાત્કાલિક પગલાં લેવા પણ અપીલ કરી છે. ભારતે સ્પષ્ટ કહ્યું છે કે પાકિસ્તાન સરકારની પોતાની તમામ લઘુમતી નાગરિકોની સુરક્ષા અને કલ્યાણ સુનિશ્ચિત કરવાની જવાબદારી છે. ભારતે માત્ર લઘુમતી નાગરિકોની જ નહીં, પરંતુ તેમની ધાર્મિક અને સાંસ્કૃતિક વારસાની પણ સુરક્ષા કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.શું છે સમગ્ર મામલો?ભારતની આ પ્રતિક્રિયા પાકિસ્તાનના નરોવાલ જિલ્લામાં આવેલા સિરાજ ગામમાં લગભગ 100 વર્ષ જૂના ઐતિહાસિક હિન્દુ મંદિરને કથિત રીતે નષ્ટ કરવામાં આવ્યાના અહેવાલો બાદ આવી છે. ભારતે આ ઘટનાને ગંભીર ગણાવીને પાકિસ્તાન સરકાર પાસે તાત્કાલિક તપાસ, જવાબદારો સામે કાર્યવાહી અને મંદિરની પુનઃસ્થાપનાની માંગ કરી છે.આ પણ વાંચો: અહી પૂજા વગર દહેરાદૂનમા પ્રવેશતી નથી ગાડી, માતા કાળી સતત રક્ષા કરે

Read Full Story arrow_forward
Banaskantha : લગ્નની લાલચ, ખોટી ચાંદલા વિધિ અને પછી 1.50 લાખની ઠગાઈ, 7 આરોપી ઝડપાયા
calendar_today September 2, 2026

Banaskantha : લગ્નની લાલચ, ખોટી ચાંદલા વિધિ અને પછી 1.50 લાખની ઠગાઈ, 7 આરોપી ઝડપાયા

બનાસકાંઠા જિલ્લાના હડાદમાં લગ્નની લાલચ આપી યુવક સાથે કથિત રીતે ઠગાઈ કરનાર ‘લૂંટેરી દુલ્હન’ની ટોળકી ઝડપાઈ હોવાનું સામે આવ્યું છે. યુવકને કન્યા બતાવી ખોટી ચાંદલા વિધિ કરાવ્યા બાદ રોકડા 1.50 લાખ અને ચાંદીનું મંગળસૂત્ર પડાવી લેવામાં આવ્યું હોવાનો આરોપ છે. પૈસા અને દાગીના મેળવ્યા બાદ યુવકને માર મારી ધમકાવી ભગાડી મૂક્યાનો પણ ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે.ખોટી ચાંદલા વિધિ કરાવી પૈસા પડાવ્યાનો આરોપપોલીસ ફરિયાદ મુજબ યુવકને લગ્ન કરાવવાની લાલચ આપવામાં આવી હતી. ત્યારબાદ કન્યા બતાવી ચાંદલા વિધિ કરાવવામાં આવી હોવાનો આરોપ છે. વિધિના નામે યુવક પાસેથી રોકડા 1.50 લાખ લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત ચાંદીનું મંગળસૂત્ર પણ પડાવી લેવામાં આવ્યું હોવાનો આરોપ સામે આવ્યો છે.પૈસા લીધા બાદ માર મારી ધમકાવ્યાનો આક્ષેપઠગાઈનો ભોગ બનેલા યુવક પાસેથી પૈસા અને દાગીના મેળવ્યા બાદ તેને માર મારવામાં આવ્યો હોવાનો પણ આરોપ છે. યુવકને ધમકાવીને ત્યાંથી ભગાડી મૂકવામાં આવ્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આ સમગ્ર ઘટનાક્રમ બાદ યુવકે પોલીસનો સંપર્ક કરતા ઠગાઈની સમગ્ર ટોળકી સામે તપાસ શરૂ કરવામાં આવી હતી.ટેકનિકલ સર્વેલન્સથી હડાદ પોલીસે ઉકેલ્યો ભેદહડાદ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને અન્ય તપાસના આધારે કથિત ઠગ ટોળકી સુધી પહોંચવામાં સફળતા મેળવી હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ કેસમાં દુલ્હન સહિત કુલ 7 આરોપીઓને ઝડપી પાડ્યા છે. ઝડપાયેલા આરોપીઓમાં કથિત દુલ્હન ઉપરાંત 2 કથિત દલાલોનો પણ સમાવેશ થાય છે.ઠગાઈનો મુદ્દામાલ કબજેપોલીસે આરોપીઓ પાસેથી ઠગાઈ સાથે સંબંધિત મુદ્દામાલ કબજે કર્યો હોવાનું સામે આવ્યું છે. તમામ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ટોળકીએ અન્ય કોઈ યુવકોને પણ લગ્નના નામે ફસાવી ઠગાઈ કરી છે કે નહીં તે દિશામાં પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.  આ પણ વાંચો  :  Sandesh Digital Explainer : ગુજરાતમાં ચોમાસાનો મૂડ બદલાયો, ઓગસ્ટમાં નોર્મલ કરતાં 41% ઓછો વરસાદ, આ જિલ્લાઓમાં 87% સુધીની ઘટ

Read Full Story arrow_forward