android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gandhinagar :  આસ્થાના ધામો બનશે વધુ ભવ્ય! ગુજરાતના 10 પવિત્ર સ્થળો માટે કરોડોની મંજૂરી
calendar_today September 2, 2026

Gandhinagar : આસ્થાના ધામો બનશે વધુ ભવ્ય! ગુજરાતના 10 પવિત્ર સ્થળો માટે કરોડોની મંજૂરી

ગુજરાતના ઐતિહાસિક, સાંસ્કૃતિક અને ધાર્મિક મહત્વ ધરાવતા સ્થળોના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. રાજ્યના વિવિધ 10 મહત્વના ધાર્મિક અને પ્રવાસન સ્થળો ખાતે યાત્રાળુ સુવિધાઓ, નવનિર્માણ અને આધુનિક વિકાસ કાર્યો માટે કરોડો રૂપિયાના પ્રોજેક્ટ્સને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. આ વિકાસ કામો હેઠળ રાજકોટ, વડોદરા, કચ્છ, મહેસાણા, વલસાડ, નવસારી, અમદાવાદ અને ગાંધીનગર સહિતના વિસ્તારોના મહત્વના યાત્રાધામોનો વિકાસ કરવામાં આવશે.રૂપાલ માટે સૌથી મોટું વિકાસ પેકેજગાંધીનગર જિલ્લાના રૂપાલ ખાતે આવેલા શ્રી વરદાયિની માતાજી મંદિરના સર્વગ્રાહી વિકાસ માટે રૂ. 35 કરોડના અંદાજિત કામોને મંજૂરી આપવામાં આવી છે. યાત્રાળુઓ માટે વધુ સારી અને આધુનિક સુવિધાઓ ઉભી કરવાનો મુખ્ય હેતુ છે.મંજૂર કરવામાં આવેલા વિકાસ કાર્યોની વિગત:અનલગઢ કિલ્લો અને મહાકાળી માતાજી મંદિર, ગોંડલ (જિ. રાજકોટ):રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકા ખાતે આવેલા ઐતિહાસિક અનલગઢ કિલ્લા તેમજ મહાકાળી માતાજીના મંદિરની આજુબાજુના પરિસરના વિકાસ માટે રૂ. 5. 06 કરોડની રકમ મંજૂર કરવામાં આવી છે.મહીસાગર નદી કિનારે ઘાટ વિકાસ, ભાદરવા (જિ. વડોદરા):વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ભાદરવા ખાતે ચેહર માતા મંદિર પાસે મહીસાગર નદી કિનારે ઘાટ નિર્માણ, વોક-વે, પેવર બ્લોક, રેલિંગ અને લેન્ડસ્કેપિંગ સહિતની પાયાની સુવિધાઓ ઉભી કરવા અર્થે રૂ. 3.31 કરોડની રકમની સૈધ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે.ગોવર્ધન પર્વત ડેવલપમેન્ટ પ્રોજેક્ટ, અંજાર (જિ. કચ્છ):કચ્છ જિલ્લાના અંજાર ખાતે પ્રવાસનને વેગ આપવા ‘ડેવલપમેન્ટ ઓફ ગોવર્ધન પર્વત’ ની મહત્વકાંક્ષી કામગીરી માટે રૂ. 12.98 કરોડના વિકાસ કામોને મંજૂરી અપાઈ છે.શ્રી મહાકાળી માતાજી મંદિર (મીની પાવાગઢ), ઉમરેચા (જિ. મહેસાણા):મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના ઉમરેચા ગામ ખાતે આવેલા શ્રી મહાકાળી માતાજી મંદિર ખાતે યાત્રાળુઓની સુવિધા અને સલામતી માટે હાઈ માસ્ટ પોલ, સ્ટ્રીટ લાઈટ પોલ, લાઈટિંગ વાયરિંગ, ઓપન ડ્રેનેજ તથા કર્બ બીમ જેવા પાયાના કામો માટે રૂ. 50 લાખની મંજૂરી આપવામાં આવી છે.શ્રી ગોરા રામજી મંદિર, ધરમપુર (જિ. વલસાડ):વલસાડના ધરમપુર સ્થિત શ્રી ગોરા રામજી મંદિરના પ્રથમ માળ અને છતના રિપેરિંગ, પ્લાસ્ટર, કલર કામ, જી.શીટ તેમજ ફ્લોરિંગ સહિતના સમારકામ માટે ટેક્સ સાથે રૂ. 18.91 લાખ મંજૂર કરવામાં આવ્યા છે.શ્રી ઉનાઈ માતાજી મંદિર સંકુલ વિકાસ, વાંસદા (જિ. નવસારી):નવસારી જિલ્લાના વાંસદા ખાતે આવેલ પ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ઉનાઈ માતાજી મંદિર પરિસરમાં શ્રી રામચંદ્રજી મંદિર, હનુમાનજી મંદિર, પ્રદક્ષિણા પથ, એન્ટ્રન્સ ગેટ, લેન્ડસ્કેપિંગ, કમ્પાઉન્ડ વોલ, સમ્પ, કલ્ચરલ હોલ, ભોજનાલય અને લાયબ્રેરી સહિતના સર્વાંગી વિકાસ કામો માટે રૂ. 5.03 કરોડની મંજૂરી અપાઈ છે.શ્રી જોધલપીર મંદિર નવનિર્માણ, કેસરડી (જિ. અમદાવાદ):અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના કેસરડી ગામ ખાતે આવેલા શ્રી જોધલપીર મંદિરના ભવ્ય નવનિર્માણ અને પરિસરના અન્ય આનુષંગિક વિકાસ કાર્યો માટે કુલ રૂ. 21.75 કરોડની માતબર રકમના કામોને વહીવટી મંજૂરી આપવામાં આવી છે.શ્રી વરદાયિની માતાજી મંદિર સર્વગ્રાહી વિકાસ, રૂપાલ (જિ. ગાંધીનગર):ગાંધીનગર સ્થિત પ્રસિદ્ધ યાત્રાધામ રૂપાલ ખાતે આવેલા શ્રી વરદાયિની માતાજી મંદિર પરિસરના સર્વગ્રાહી વિકાસ તેમજ યાત્રાળુઓની ઉત્કૃષ્ટ સુવિધાઓ અર્થે રૂ. 35 કરોડના અંદાજિત વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી છે.શ્રી વાળીનાથ મહાદેવ મંદિર વીજળીકરણ અને સોલાર પ્રોજેક્ટ, તરભ. વિસનગર (જિ. મહેસાણા):શ્રી વાળીનાથ મહાદેવ મંદિર ખાતે પર્યાવરણ અનુકૂળ ઉર્જા વ્યવસ્થા તેમજ સુચારુ વિદ્યુત સુવિધા સુનિશ્ચિત કરવા ૧૦૦ કિલોવોટની સોલાર રૂફટોપ સિસ્ટમ અને વીજળીકરણના અન્ય કામો માટે રૂ. 2.68 કરોડની રકમ મંજૂર કરવામાં આવી છે.આઈકોનિક ડેવલપમેન્ટ ઑફ ગ્રેટર ગીર પ્રોજેક્ટ:ગ્રેટર ગીર વિસ્તારમાં પ્રવાસનને નવી ઊંચાઈઓ આપવા ‘આઈકોનિક ડેવલપમેન્ટ ઑફ ગ્રેટર ગીર પ્રોજેક્ટ’ અંતર્ગત વિવિધ મહત્વના સ્થળો ખાતે પ્રવાસનલક્ષી વિકાસ કામો હાથ ધરવા માટે રૂ. 46.91 કરોડના અંદાજિત ખર્ચને મંજૂરી આપવામાં આવી છે.પ્રવાસન તેમજ રોજગારીની નવી તકોનું નિર્માણ થશેઆ વિકાસ કાર્યો પૂર્ણ થવાથી રાજ્યભરમાંથી આવતા લાખો શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓને ઉત્કૃષ્ટ પાયાની સુવિધાઓ પ્રાપ્ત થશે અને સ્થાનિક સ્તરે પ્રવાસન તેમજ રોજગારીની નવી તકોનું નિર્માણ થશે. આ પણ વાંચો  :  Sandesh Digital Explainer : ગુજરાતમાં ચોમાસાનો મૂડ બદલાયો, ઓગસ્ટમાં નોર્મલ કરતાં 41% ઓછો વરસાદ, આ જિલ્લાઓમાં 87% સુધીની ઘટ

Read Full Story arrow_forward
Ahmedabad SOG સેન્ટરમાં ખાખી લજવાઈ, માત્ર એક ખુરશી માટે બે પોલીસકર્મી બાખડ્યા, પાઇપ વડે મારામારી...
calendar_today September 2, 2026

Ahmedabad SOG સેન્ટરમાં ખાખી લજવાઈ, માત્ર એક ખુરશી માટે બે પોલીસકર્મી બાખડ્યા, પાઇપ વડે મારામારી...

અમદાવાદના સરદારનગર ખાતે આવેલા SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) જોઈન્ટ ઇન્ટ્રોગ્રેશન સેન્ટર ખાતે ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ અંદરોઅંદર બાખડ્યા હોવાની એક શરમજનક ઘટના સામે આવી છે. અત્યંત શિસ્તબદ્ધ ગણાતા પોલીસ બેડામાં માત્ર એક ખુરશી લેવા જેવી નજીવી બાબતે બે પોલીસકર્મીઓ વચ્ચે તીવ્ર બોલાચાલી થઈ હતી. જોતજોતામાં આ સામાન્ય તકરારે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતાં બંને કર્મચારીઓ શિસ્તના તમામ નિયમો નેવે મૂકીને સરેઆમ મારામારી પર ઉતરી આવ્યા હતા.પ્લાસ્ટિકની પાઇપ વડે હેડ કોન્સ્ટેબલ પર હુમલોઆ બબાલ દરમિયાન આવેશમાં આવી ગયેલા એક પોલીસ કોન્સ્ટેબલે ત્યાં પડેલી પ્લાસ્ટિકની પાઇપ વડે હેડ કોન્સ્ટેબલ પર હુમલો કરી દીધો હતો. પાઇપના ફટકા વાગવાને કારણે હેડ કોન્સ્ટેબલને શરીરે ઈજાઓ પહોંચી હતી. ઘટનાને પગલે સેન્ટર પર હાજર અન્ય કર્મચારીઓમાં અફરાતફરી મચી ગઈ હતી. સાથી કર્મચારીઓએ તુરંત જ બચાવ કામગીરી કરી ઈજાગ્રસ્ત પોલીસકર્મીને તાત્કાલિક ધોરણે વધુ સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવાની વ્યવસ્થા કરી હતી.એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલપોલીસ મથક કે ઇન્ટ્રોગ્રેશન સેન્ટર જેવા સંવેદનશીલ સ્થળે જ કર્મચારીઓ વચ્ચે થયેલી મારામારીને પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા છે. આ સમગ્ર ઘટના અંગે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં હુમલો કરનાર કોન્સ્ટેબલ વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવવામાં આવી છે. કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી જેમના શિરે છે તેવા પોલીસકર્મીઓ સામે જ ગુનો દાખલ થતાં એરપોર્ટ પોલીસે કાયદાકીય કાર્યવાહી સાથે ખાતાકીય તપાસ ચક્ર પણ ગતિમાન કર્યા છે.આ પણ વાંચો : Dahod News : શાળા કે મજૂરીનો અડ્ડો? ભણવાના સમયે વિદ્યાર્થીઓ પાસે ઉંચકાવ્યા સિમેન્ટના ભારે બ્લોક

Read Full Story arrow_forward
Bharuch News: આમોદ પોલીસની મોટી સફળતા, કરોડોની છેતરપિંડી કેસમાં સજા પડ્યા બાદ 4 વર્ષથી ફરાર આરોપી સુરતથી ઝડપાયો
calendar_today September 2, 2026

Bharuch News: આમોદ પોલીસની મોટી સફળતા, કરોડોની છેતરપિંડી કેસમાં સજા પડ્યા બાદ 4 વર્ષથી ફરાર આરોપી સુરતથી ઝડપાયો

ભરૂચ જિલ્લાની આમોદ પોલીસને એક મોટી સફળતા સાંપડી છે. આમોદ તાલુકાના દાંડા ગામના વતની અને છેલ્લા 4 વર્ષથી પોલીસને થાપ આપી નાસતા-ફરતા આરોપી યોગેન્દ્રસિંહ રાજને આમોદ પોલીસે સુરત ખાતેથી સફળતાપૂર્વક ઝડપી પાડ્યો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, યોગેન્દ્રસિંહ રાજ સામે આજુબાજુના વિસ્તારના અનેક લોકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી અને ફ્રોડ કરવા અંગેના ગંભીર આક્ષેપો થયેલા હતા.ખોટું સરનામું આપી થયો હતો ફરારયોગેન્દ્રસિંહ રાજ સામે વાગરા, આમોદ, કરજણ અને ભરૂચની વિવિધ અદાલતોમાં છેતરપિંડીના કેસો ચાલી રહ્યા હતા. જેમાંથી કુલ 4 જેટલા કેસોમાં અદાલતે તેને દોષિત ઠેરવીને સજા પણ ફટકારી હતી. જોકે, કોર્ટે સજાની જાહેરાત કર્યા બાદ કાનૂની કાર્યવાહી અને જેલવાસથી બચવા માટે આરોપી પોતાનું ખોટું સરનામું આપીને છેલ્લા આશરે 4 વર્ષથી સતત સ્થળ બદલીને નાસતો-ફરતો હતો.જેલમાં બંધ પિતાને મળવા સુરત આવ્યો અને પોલીસે ઝડપી લીધોઆરોપી સતત પોતાની ઓળખ છુપાવી રહ્યો હતો, પરંતુ તે દરમિયાન આમોદ પોલીસને એક ચોક્કસ બાતમી મળી હતી. યોગેન્દ્રસિંહ રાજના પિતા રણમલ સિંહ રાજ હાલ સુરત જેલમાં બંધ હોય, તેને મળવા અથવા તેની વિગતો મેળવવા માટે યોગેન્દ્રસિંહ સુરત ખાતે આવ્યો હોવાની માહિતી પોલીસને મળી હતી. આ બાતમીના આધારે આમોદ પંથકની પોલીસે તુરંત એક ટીમ સુરત રવાના કરી સર્ચ ઓપરેશન હાથ ધરીને તેને ઝડપી લીધો હતો.આરોપીને ભરૂચ સબજેલ મોકલાયોચોક્કસ બાતમીના આધારે સુરતથી ઝડપી પાડ્યા બાદ આમોદ પોલીસની ટીમ આરોપી યોગેન્દ્રસિંહ રાજને આમોદ ખાતે લઈ આવી હતી. જ્યાં જરૂરી કાનૂની કાર્યવાહી પૂર્ણ કરીને તેને આમોદની નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. નામદાર કોર્ટે આરોપીની જેલ અપીલ અને સજાના હુકમ આધારે તેને ભરૂચ સબજેલ ખાતે મોકલી આપવાનો આદેશ કરતા પોલીસે તેને જેલહવાલે કર્યો છે.આ પણ વાંચો - Bharuch: હાંસોટમાં બે ભાઈઓ ધારીયા અને પાઇપથી જીવલેણ હુમલો કર્યો, 5 આરોપીઓને દબોચી લીધા

Read Full Story arrow_forward