android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Mahesana ભાવેશ ઝીલિયા હુમલા કાંડમાં મોટો ખુલાસો, કટોસણ ગેંગનું વર્ચસ્વ જમાવવા 3 મહિનાથી થતી હતી રેકી, 6 આરોપીઓ ગિરફ્તાર
calendar_today September 2, 2026

Mahesana ભાવેશ ઝીલિયા હુમલા કાંડમાં મોટો ખુલાસો, કટોસણ ગેંગનું વર્ચસ્વ જમાવવા 3 મહિનાથી થતી હતી રેકી, 6 આરોપીઓ ગિરફ્તાર

મહેસાણામાં ચર્ચસ્પદ ભાવેશ ઝીલિયા હુમલા અને ફાયરિંગ કેસમાં મહેસાણા પોલીસે મોટી સફળતા મેળવતા 6 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. આ હુમલા પાછળ વર્ચસ્વની લડાઈ અને જૂની અદાવત જવાબદાર હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. વામૈયા ઝગડા બાદ ભાવેશ ઝીલિયાનું અસ્તિત્વ સંપૂર્ણપણે ખતમ કરવા અને વિસ્તારમાં પોતાની કટોસણ ગેંગનું વર્ચસ્વ મજબૂત બનાવવાના હેતુથી આ ષડયંત્ર રચવામાં આવ્યું હતું. આ કેસમાં મહેસાણા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ વિનુભા ઝાલાના પુત્ર યુવરાજસિંહ ઉર્ફે ગગુભા ઝાલા સહિતના આરોપીઓની સંડોવણી ખુલ્લી પડી છે.3 મહિનાથી થતી હતી રેકીપોલીસ તપાસમાં થયેલા ખુલાસા મુજબ, આરોપીઓ છેલ્લા ત્રણ મહિનાથી ભાવેશ ઝીલિયાની ગતિવિધિઓ પર સતત રેકી કરી રહ્યા હતા. આ સમગ્ર કૌભાંડનો માસ્તરમાઇન્ડ જોરાવરસિંહ હોવાનું બહાર આવ્યું છે. તમામ આરોપીઓ રોજ સાંજે એકઠા થઈને ગાંજો પીતા હતા અને તે મહેફિલ દરમિયાન જ ભાવેશ ઝીલિયા અને તેની ગેંગનું અસ્તિત્વ મિટાવી દેવાનો માસ્ટરપ્લાન તૈયાર કરતા હતા. પોલીસે આ મામલે યુવરાજસિંહ ઉર્ફે કંટ્રોલ સોલંકી, શક્તિસિંહ ઉર્ફે લાલો ઝાલા, આર્યન પટેલ, દિગ્વિજયસિંહ ઉર્ફે દિગુભા ઝાલા, દેવેન્દ્રસિંહ ઉર્ફે દેવુભા ઝાલા અને યુવરાજસિંહ ઉર્ફે ગગુભા ઝાલાની અટકાયત કરી છે.હજુ 4 આરોપીઓ ફરારઆ હુમલામાં સંકળાયેલા આરોપીઓમાંથી પોલીસે 6 મુખ્ય આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે હજુ પણ 4 આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. પકડાયેલા આરોપીઓ પાસેથી ગુનામાં વપરાયેલા હથિયારો તેમજ રેકી સંબંધિત અન્ય વિગતો મેળવવાની કામગીરી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. મહેસાણા પોલીસે ફરાર થઈ ગયેલા અન્ય 4 આરોપીઓને સત્વરે પકડી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવીને ચક્રો ગતિમાન કર્યા છે.આ પણ વાંચો : Ahmedabad News : PM આવાસ યોજનાના નામે મોટું કૌભાંડ, મહિલાઓને મકાનની લાલચ આપી રૂ.7.18 લાખની ઠગાઈ...

Read Full Story arrow_forward
Sabarkantha News:ઈડરમાં ડિમોલિશન દરમિયાન મકાનની છત ધરાશાયી, શ્રમિક પરિવારના બે યુવાનો ઈજાગ્રસ્ત
calendar_today September 2, 2026

Sabarkantha News:ઈડરમાં ડિમોલિશન દરમિયાન મકાનની છત ધરાશાયી, શ્રમિક પરિવારના બે યુવાનો ઈજાગ્રસ્ત

સાબરકાંઠા જિલ્લાના ઈડર શહેરમાં મહારાણા પ્રતાપ સર્કલ નજીક તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી ડિમોલેશન ઝુંબેશ દરમિયાન મોટી બેદરકારી સામે આવી છે. છેલ્લા બે દિવસથી ચાલતી દબાણ હટાવો ઝુંબેશ દરમિયાન મકાનની છત ધરાશાયી થતાં બે યુવાનોને ગંભીર ઈજાઓ પહોંચી છે.આ ઘટનાને પગલે શ્રમિક પરિવારોમાં તંત્ર સામે ભારે રોષ અને આક્રોશ વ્યાપી ગયો છે. શ્રમિક પરિવારના ઈજાગ્રસ્ત મોભી યુવાનો હોસ્પિટલમાં ખસેડાતા પરિવારો ભાંગી પડ્યા હતાં. ત્રીજી નોટિસ આપ્યા વિના જ કાર્યવાહીનો આક્ષેપમહારાણા પ્રતાપ સર્કલ આસપાસના વિસ્તારમાં છેલ્લા 40 કરતાં પણ વધુ વર્ષોથી છૂટક મજૂરી કરીને ગુજરાન ચલાવતા શ્રમિક પરિવારો વસવાટ કરી રહ્યા હતા. સ્થાનિક રહીશોના આક્ષેપ મુજબ તંત્ર દ્વારા માત્ર બે જ નોટિસો આપવામાં આવી હતી અને નિયમ મુજબ ત્રીજી નોટિસ આપ્યા વિના જ અચાનક દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી.પરિવારોને પોતાનો સામાન ખસેડવા માટે પૂરતો સમય આપવામાં આવ્યો ન હતો જેના કારણે દાયકાઓથી રહેતા શ્રમિક પરિવારો ક્ષણભરમાં ઘરવિહોણા બની ગયા છે.ડિમોલેશન દરમિયાન મોટી દુર્ઘટનાચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે બે દિવસથી ચાલી રહેલા ડિમોલેશન દરમિયાન તંત્રની ઘોર બેદરકારીના દ્રશ્યો સામે આવ્યા હતા.કામગીરી દરમિયાન એકાએક મકાનની છત ધરાશાયી થઈ હતી જેની નીચે દબાઈ જવાથી બે યુવાનોને ગંભીર ઈજાઓ પહોંચી હતી.ઘટના બનતા જ અફરાતફરી મચી ગઈ હતી.ઈજાગ્રસ્ત બંને યુવાનોને તાત્કાલિક અસરથી ઈડર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.બંને યુવાનોની સ્થિતિ વધુ નાજુક જણાતા તેમને વધુ તબીબી સારવાર અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા છે.અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા યુવાનોના સમાચાર મળતાં જ પરિવારજનો હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.હોસ્પિટલ પરિસરમાં પરિવારજનોના હૈયાફાટ રુદનથી ગમગીની છવાઈ ગઈ હતી. આ પણ વાંચોઃ Sandesh Indepth : તમે નાની હોટેલો અને ખાણીપીણી બજારમાં જે લાલ ચોળ દેખાતો ટોમેટો સોસ ખાઓ છો તે અસલી છે?

Read Full Story arrow_forward
Ahmedabad News : કેનેડા જવાની ઘેલછા પડી ભારે, ફેક ઈન્ટરવ્યુ અને પરમિટના નામે યુવકની રૂ.28.57 લાખની મત્તા સફાચટ!
calendar_today September 2, 2026

Ahmedabad News : કેનેડા જવાની ઘેલછા પડી ભારે, ફેક ઈન્ટરવ્યુ અને પરમિટના નામે યુવકની રૂ.28.57 લાખની મત્તા સફાચટ!

અમદાવાદ શહેરમાં વિદેશમાં નોકરી અપાવવાના નામે યુવકોને જાળમાં ફસાવી લાખો રૂપિયા પડાવી લેતી ઠગટોળકીનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અમદાવાદના એક યુવકને કેનેડાના ટોરેન્ટો શહેરમાં આવેલી જાણીતી 'જીરાફે ફૂડ કંપની' (Giraffe Food Company) માં આસિસ્ટન્ટ મેનેજર તરીકેની આકર્ષક નોકરી અપાવવાની લાલચ આપીને અજાણ્યા શખ્સોએ રૂ. 28.57 લાખની મોટી છેતરપિંડી આચરી છે. આ કેસમાં આરોપીઓએ પોતાની ઓળખ 'Indeed India Operations Private Limited' કંપનીના ઉચ્ચ અધિકારીઓ તરીકે આપીને યુવકનો સંપર્ક કર્યો હતો.ટેલિફોનિક ઈન્ટરવ્યુ અને બોગસ ઓફર લેટર આપી આચર્યું કૌભાંડઆરોપીઓએ યુવકનો વિશ્વાસ જીતવા માટે પ્રથમ ટેલિફોનિક ઈન્ટરવ્યુ લીધો હતો અને ત્યારબાદ કંપનીના નામે એક બનાવટી (ફેક) ઓફર લેટર ઈમેલ મારફતે મોકલ્યો હતો. ઓફર લેટર મળ્યા બાદ પ્રોસેસિંગના નામે ઠગબાજોએ ડૉક્યુમેન્ટ વેરિફિકેશન, મેડિકલ બોડી ચેકઅપ, રેસિડન્સી પરમિટ તેમજ અન્ય વિવિધ ચાર્જ બતાવીને અલગ-અલગ બેંક ખાતાઓમાં કુલ રૂ. 28,57,000 જમા કરાવી લીધા હતા.નોકરી અને નાણાં બંને ન મળતાં સાયબર ક્રાઇમમાં ફરિયાદમોટી રકમ ચૂકવ્યા બાદ પણ લાંબા સમય સુધી કેનેડાના કોઈ વિઝા કે નોકરી અંગેનો સંતોષકારક જવાબ ન મળતાં યુવકને પોતાની સાથે ઠગાઈ થઈ હોવાનો અહેસાસ થયો હતો. યુવકે પોતાના નાણાં પરત માગતાં આરોપીઓએ સંપર્ક કાપી નાખ્યો હતો. આખરે નોકરી કે નાણાં કંઈ પણ પરત ન મળતાં પીડિત યુવકે અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ લેખિત ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી બેંક એકાઉન્ટ્સ અને ઈમેલ આઈડીના આધારે આરોપીઓને ઝડપી પાડવા તપાસ તેજ કરી છે.આ પણ વાંચો : Mahesana ભાવેશ ઝીલિયા હુમલા કાંડમાં મોટો ખુલાસો, કટોસણ ગેંગનું વર્ચસ્વ જમાવવા 3 મહિનાથી થતી હતી રેકી, 6 આરોપીઓ ગિરફ્તાર

Read Full Story arrow_forward