android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Mandal: એંદલા નજીક યુવકે લીમડાના ઝાડે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું
calendar_today September 4, 2026

Mandal: એંદલા નજીક યુવકે લીમડાના ઝાડે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું

અમદાવાદ ગ્રામ્યના માંડલ તાલુકાના એંદલા ગામથી નજીક સીમ વિસ્તારમાં 20 વર્ષીય પરપ્રાંતિય યુવકે ફાંસો ખાઈને જીવન ટુંકાવ્યું છે. બુધવારના રોજ બપોરે 11.30 વાગ્યા પછી માંડલ પોલીસ મથકને જાણ થતાં પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી જઈને કાર્યવાહી હાથ ધરી હતી. માંડલ પોલીસ મથકેથી મળતી માહિતી અનુસાર તા.2 ઓગસ્ટના રોજ બપોરે 11.35 વાગ્યા પહેલાં કોઈપણ સમયે એંદલા નજીક આવેલ સીમ વિસ્તારની અંદર એક યુવકે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. પોલીસ તપાસમાં યુવકની ઓળખ થતાં રીતેશભાઈ રમેશભાઈ મૌર્ય (ઉ.વ.20) રહે. મુદિયારી રાજે સુલતાનપુરા ગામ, સાબીતપુરા મદ્રાસા ચોક-ચાક ભડાયાં, જિ.આંબેડકરનગર, ઉત્તરપ્રદેશનો અને હાલમાં માંડલનો રહેવાસી હોવાનું જણાઈ આવ્યું હતું. યુવકે કોઈ અગમ્યકારણોસર જીવન ટૂંકાવ્યું આ ઘટનાની કાર્યવાહી માંડલ પોલીસે હાથ ધરી હતી. પોલીસે લાશનું પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી બાદ પરિવારજનોને બોલાવી લાશ સોંપવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Halvad: 18 વર્ષની ગૌરવભરી દેશસેવા પૂર્ણ કરી મયુરનગર પરત ફરેલા જવાનનું ગ્રામ્યજનો દ્વારા ભવ્ય સ્વાગત
calendar_today September 4, 2026

Halvad: 18 વર્ષની ગૌરવભરી દેશસેવા પૂર્ણ કરી મયુરનગર પરત ફરેલા જવાનનું ગ્રામ્યજનો દ્વારા ભવ્ય સ્વાગત

મયુરનગર ગામનું ગૌરવ એવા અશ્વિનભાઈ દેવદાનભાઈ લોખીલ ભારતીય સેનામાં 18 વર્ષ સુધી માતૃભૂમિની રક્ષા કરી તારીખ 31/08/2026 ના રોજ નિવૃત્ત થતા તેઓ પોતાના વતન મયુરનગર પરત ફરતા ગ્રામજનો, યુવાનો, મિત્રો અને વડીલો દ્વારા બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી તેમનું ભવ્ય શોભાયાત્રા સાથે સન્માન કરવામાં આવ્યું હતું.રાયસંગપુરથી મયુરનગર સુધી કાર અને બાઇકની ભવ્ય રેલી સ્વરૂપે શોભાયાત્રા કાઢવામાં આવી હતી. મયુરનગર ગામમાં પ્રવેશની સાથે જ બાળાઓએ કુમકુમ તિલક કરી આર્મી જવાનનું હર્ષોલ્લાસભેર સ્વાગત કર્યું હતું. ગામમાં પ્રવેશ્યા બાદ અશ્વિનભાઈએ ગામના તમામ મંદિરોના દર્શન કરી મહંતોના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. ત્યારબાદ રામાપીરના મંદિરે તેમનો ભવ્ય સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. અહીં તેમના પરિવારજનો, મિત્રમંડળ, સગા-સંબંધીઓ અને તમામ ગ્રામજનોએ શાલ આપીને તેમનું ભવ્ય સ્વાગત અને સન્માન કર્યું હતું. આ ગૌરવવંતા પ્રસંગે પોતાના વક્તવ્યમાં અશ્વિનભાઈએ જણાવ્યું હતું કે, મારૂં નિવૃત્ત જીવન હજુ પણ દેશસેવા અને સમાજસેવા માટે સમર્પિત રહેશે. તેમણે સમાજના યુવાનોને નોકરી અને કારકિર્દી અંગે સારામાં સારી માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવાનો સંકલ્પ લીધો હતો. આ સન્માન કાર્યક્રમમાંસરપંચ ભાવેશભાઈ, તાલુકા ભાજપ ઉપપ્રમુખ સવાભાઈ ડાંગર, રામામંડળના તમામ સભ્યો સહિત તમામ સગા-વાલા અને ગ્રામજનોએ મોટી સંખ્યામાં હાજરી આપી કાર્યક્રમને સફ્ળ બનાવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન અને આભારવિધિ મનુભાઈ પી હુમલે કરી હતી કાર્યક્રમ દરમિયાન વંદે માતરમ, ભારત માતા કી જય અને જય મુરલીધરના નારાઓથી સમગ્ર વાતાવરણ દેશભક્તિમય બની ગયું હતું.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Dhandhuka: લીંબડી રોડ ઉપર બે બાઇક વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો
calendar_today September 4, 2026

Dhandhuka: લીંબડી રોડ ઉપર બે બાઇક વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો

ધંધુકા-લીંબડી રોડ પર વાસણા ગામ નજીક આજે બે બાઇક વચ્ચે સામસામે ધડાકાભેર અકસ્માત સર્જાતા ત્રણ વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. પ્રાપ્ત માહિતી મુજબ વાસણા ગામ નજીક બે બાઇક સામસામે અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે બંને બાઇક પર સવાર ત્રણ વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્મતની જાણ થતાં ધંધુકા 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે ધંધુકાની ઇસ્જી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અકસ્મતને પગલે ઘટનાસ્થળે લોકોના ટોળા એકત્ર થયા હતા. અકસ્માતની ઘટનાને પગલે ધંધુકા-લીંબડી રોડ પર થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અકસ્માત અંગે વધુવિગતોની રાહ જોવાઈ રહી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward